આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020માં મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ યોગના ...
આયુષ મંત્રાલય, મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ યોગના સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 ના પૂર્વાવલોકન તરીકે એક ટેલિવિઝન કાર્યક્રમનું હોસ્ટ કરશે, જે 10 જૂન, 2020 ના રોજ સાંજે 7 થી સાંજના 8 વાગ્યા સુધી ડીડી ન્યૂઝ પર પ્રસારિત થશે. આયુષ મંત્રાલયના ફેસબુક પેજ પર તેને લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવશે. આ પૂર્વાવલોકન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 માટે 10-દ...
ઉમેદવારોના ટેલીફોનીક અથવા વોટ્સએપ વિડીયો કોલીંગદ્વારા ઈન્ટરવ્યુ
આણંદ, 9 જૂન 2020 રોજગાર ભરતીમેળા જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) આણંદ દ્વારા તા.૧૨-૦૬-૨૦૨૦ તથા ૧૫-૦૬-૨૦૨૦નાં રોજ સવારે ૧૧:૦૦ થી સાંજનાં ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
હાલમાં કોવિડ-૧૯ મહામારીની સ્થિતીમાં હેલ્થ વિભાગની ગાઈડ લાઈનને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવુ તથા વધુ વ્યક્તિઓએ એક જગ્યાએ ભેગ...
ધોરણ-૧૦ ઍસ.ઍસ.સી. માર્ચ 2020ની પરીક્ષામાં નવસારી જિલ્લો રાજયમાં પાંચમા...
ડિવાઇન સ્કુલની વિદ્યાર્થીની પટેલ માનસી પ્રથમક્રમે આવી ઃ
નવસારીઃ મંગળવારઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ-૧૦ ઍસ.ઍસ.સી.માર્ચ-૨૦૨૦ ની પરીક્ષા જાહેર થયું છે. જેમાં નવસારી જિલ્લાનું પરિણામ ૬૪.૭૨ ટકા આવ્યું છે.
જેમાં પ્રથમક્રમે સુરત, બીજાક્રમે અમદાવાદ શહેર, ચોથાક્રમે અમદાવાદ ગ્રામ્ય અને પાંચમા નવસારી જિલ્લ...
સ્કૂટર પાર લઇ જવાતો 12 લાખનો ચરસનો જથ્થો પકડાયો
પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાંગલું ગામના પાટીયે, પ્રાંતિજ થી હિંમતનગર ચંચળબાનગરના વળાંકે પ્રાંતિજ મુકામે આરોપી નવરંગભાઇ સ/ઓ દુલીચંદ મામરાજ મિસ્ત્રી હાલ રહે. મકાન નંબર-૬૦ સેતુ બંગ્લોજ પીપલોદી ગામ સીમ તા. હિંમતનગર મુળ રહે. રહે. સલાલ તા. પ્રાંતિજ મુળ વતન પાલી, તા. નારનોલ જી. મહેન્દ્રગઢ (હરીયાણા) નાઓ વગર પાસ પરમીટે પોતાની સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ રજીસ...
ભાનુશાલી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામીની જામીન અરજી ફગાવા...
ભુજ, કચ્છ સહીત સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર એવા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાળીની ૭મી જાન્યુઆરી ૨૦૧૯ના ભુજથી મુંબઈ જતી ટ્રેનમાં શાર્પશુટરો દ્વારા ગોળી ધરબી દઈને હત્યા કરવાના આવી હતી. ગુન્હામાં માસ્ટર માઈન્ડ મનિષા ગોસ્વામીએ જામીન પર મુકત થવા કરેલી અરજી ભચાઉ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં છ...
BSFના DG કચ્છ સરહદની સમીક્ષા કરે તેવા સંકેતો
ભુજ, કચ્છની દરિયાઈ સરહદેથી તબક્કાવાર વિવિધ સુરક્ષા એજન્સીઓના હાથે ચરસનો જથ્થો લાગી રહ્યો છે. દરિયામાંથી ચરસના પેકેટો મળવાની વધતી ઘટના વચ્ચે સીમા સુરક્ષા દળના કાર્યવાહક ડાયરેકટર જનરલ આગામી ગુરૂવારથી બે દિવસ કચ્છ સરહદની મુલાકાત લે તેવા સંકેતો સામે આવ્યા છે. સીમા સુરક્ષા દળ દ્વારા તૈયારીનો ધમધમાટ પણ આરંભી દેવાયો છે. ઈન્ડો તીબેટ બોર્ડર પોલીસના ડી...
ગુજરાતમાં ક્યાં કેટલી વાવણી થઈ તે જૂઓ
ગુજરાતમાં 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે. વરસાદનો બીજો રાઉન્ડ 4 દિવસ પછી શરૂં થઈ રહ્યો છે. ત્યારે 95 ટકા વિસ્તારમાં વાવણી થઈ જાય એવી આશા ખેડૂતોને છે. હાલ તો વાવણી માટે મજૂરોની તંગી છે. છેલ્લા ચારેક દિવસથી વાગડ વિસ્તારમાં પડી રહેલા વરસાદના ઝાપટાથી જગતના તાત ખેડૂતને નિસર્ગ વાવાઝોડા સાથે વરસાદ પડતાં આશા બંધાઈ હતી ત્યારે ગઈકાલે બપોર બાદ વાગડ...
કાલે ધો. 10 નું પરિણામ, આ લિંક પર જોઈ શકાશે
આવતીકાલે એટલે મંગળવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓને કોઈ અસુવિધા ઉભી ન થાય તે માટે શિક્ષણ વિભાગે પણ તૈયારી બતાવી છે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 8 વાગે શિક્ષણ વિભાગની વેબસાઈટ પર ઓનલાઇન જોઈ શકાશે ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે (મંગળવારે) ધોરણ-10નું પરિણામ જાહેર કરવાનું હોવાથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ધોરણ-10ના વિદ્...
કાશ્મીરમાં આતંકીઓનો સફાયો, 8 દિવસમાં 18 આતંકીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં પિંજોરા વિસ્તારમાં સેનાએ આજે સોમવારે 4 આતંકીઓને ઠાર કર્યા હોવાના અહેવાલ છે. સાથેજ છેલ્લા 8 દિવસ માં જવાનો એ 6 એકાઉન્ટર હાથ ધરી 18 આતંકીઓ ને ઠાર કર્યા છે. કોઈ મોટી ઘટના ને અંજામ આપવા માટે આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતાં સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલાં ગઈકાલે રવિવારે પણ શોપિયાના જ રેબન ગામમાં 5 આતંકીઓને ઠાર ...
પાકિસ્તાન માટે દેવાળું ફુંકાવાના ડર સામે કોરોનાનો ડર કઈ નથી
ઇસ્લામાબાદ, દુનિયા આખી કોરોના વાઇરસ સામે લડી રહી છે અને તેના કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે વિશ્વના અનેક દેશોની આર્થિક સ્થિતી ડામાડોર થઇ ગઇ છે, પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાના 1 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. 2100 લોકોનાં મોત થયા છે, જ્યારે 34 હજાર લોકો રિકવર થયા છે. અત્યાર સુધી અહીના મોટા શહેરોમાં લોકડાઉનની સ્થિતી હતી, જેના કારણે પાકિસ્તા...
ભારતમાં કોરોનાના છેલ્લા 7 દિવસમાં 61,000 નવા કેસ
લોકડાઉનમાં છૂટ આપ્યાં પછી ભારતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે, છેલ્લા 7 દિવસમાં કોવિડ-19ના નવા 61 હજાર કેસ નવા નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, વધુ 294 લોકોનાં મોત થયા છે, ઇટાલીમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યાં 2 લાખ 34 હજાર આસપાસ છે, જ્યારે ભારતમાં 2 લાખ 36 હજાર જેટલા કેસ થઇ ગયા છે, કુલ 6600 લોક...
મોબાઇલ યૂઝર્સ માટે સારા સમાચાર, TRAI એ લીધો મોટો નિર્ણય
ટેલીકૉમ રેગ્યુલેટરી ઓથૉરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ મોબાઇલ યૂઝર્સને મોટી રાહત આપી છે. 100 SMS બાદ મોકલવામાં આવેલ SMS પર 50 પૈસાના ચાર્જને પણ ખતમ કર્યો છે, હવે રોજ 100થી વધારે SMS કરી શકાશે. TRAIએ SMS માટે ટેરિફના નિયમને લઇને ટેલિકમ્યુનિકેશન ટેરિફ ઓર્ડર 2020 નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. ટ્રાઇનું માનવું છે કે 100 SMSની રોજની મર્યાદા બાદ લાગતા 50 પૈસાના ચ...
કોરોના વોરિયર્સ સાથે અન્યાય, કપરા કાળમાં પગાર કાપ
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હૉસ્પિટલમાં કોરોના વોરિયર્સના પગારમાં કાપ મૂકવામાં આવતાં હોબાળો મચી ગયો છે. કોવિડ 19ની સારવાર માટે ડોકટર્સ, નર્સ સહિત કોરોના યોદ્ધાઓ દિવસ-રાત જીવના જોખમે કામ કરી રહ્યાં છે ત્યારે આવા જ સમયે તેમના પગાર કાપના નિર્ણયથી વિવાદ ઉભો થયો છે. SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના લોકો હડતાલ ઉપર ઉતારતા SVPના સત્તાધીશ...
ભારતનો ચીનને વળતો પ્રહાર, સૈન્યની શક્તિ બતાવતો વિડિઓ જાહેર કર્યો
લદ્દાખ, છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સરહદ પર સ્થિતી તંગ બની છે, ચીનના સૈનિકોની ભારતીય સરહદમાં ઘૂસણખોરી બાદ બંને દેશો વચ્ચે તનાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે સૈન્ય અધિકારીઓની બેઠક નિષ્ફળ રહી હોવાનું લાગી રહ્યું છે, હવે ચીને એક વીડિયો પોસ્ટ કરીને તેની સૈન્ય તાકાત દેખાડીને ભારતને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. આ યુદ્ધાભ્યા...
રાજ્યની સરહદો ખુલતા થયો આટલો ટ્રાફિક જાણો કયું રાજ્ય છે આ ?
સોમવારે દિલ્હી નોઈડા ડાયરેક્ટ ફ્લાય વે (DND) નજીક દિલ્હી-નોઈડા બોર્ડર પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. એક દિવસ પહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશ અને હરિયાણાને અડીને રાષ્ટ્રીય પાટનગરની સરહદ ખોલવાની ઘોષણા કરી હતી. સરહદ ખોલતાંની સાથે જ મોટા પાયે વાહનો શેરીઓમાં ફર્યા હતા. BND, કાલિંડી કુંજ-નોઈડા, ગાજીપુર-દિલ્હી અને દિલ્હી-ગુરૂ...

English