પાકિસ્તાને હવે જૂનાગઢ પર દાવો માંડ્યો, નવા નકશામાં કાશ્મીર-લદ્દાખનો સમાવેશ કર્યો

ભારત અને નેપાળ વચ્ચેના સરહદ વિવાદ પછી, નેપાળ સરકારે જે રીતે તેમના દેશનો નકશો વાટાઘાટો કર્યા વિના જારી કર્યો તે પછી પાકિસ્તાને પણ તેમાંથી શીખવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને મંગળવારે મળેલી બેઠક દરમિયાન દેશનો નકશો અમલમાં મૂક્યો જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરમાં સિયાચીન અને ગુજરાતમાં જૂનાગઢનો દાવો કર્યો છે.

ઈમરાન ખાને કેબિનેટની બેઠક બાદ દેશનો નવો રાજકીય નકશો બહાર પાડ્યો છે. આ નકશામાં સિયાચીનને પાકિસ્તાનનો એક ભાગ ગણાવ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતે અહીં ગેરકાયદેસર બાંધકામ કર્યુ છે. આટલું જ નહીં, એમ માનીને કે સર ક્રીકમાં તેનો ભારત સાથે વિવાદ છે, પાકિસ્તાને સ્પષ્ટપણે કહ્યું છે કે તેણે આ ક્ષેત્રને તેના નકશામાં શામેલ કર્યો છે.