ગાંધીનગર, 5 એપ્રિલ 2021
ગુજરાતમાં 23 વર્ષથી નાજૂક ફળ સ્ટ્રોબેરીની ખેતી સાપુતારા પાસે ખેડૂતો કરી રહ્યાં છે. ખેતીની શરૂઆત સોમાભાઈ ઝીપાર્યાભાઈ પવાર 9574278441 ખેતી કરે છે. ડાંગના આહવાના લાહાનદબાસ ગામના સોમાભાઈ પાસે 8 હેક્ટર જમીન છે. તેઓ કદાચ પહેલા ખેડૂત હશે કે જેમણે પહેલી વખત ટ્રોબેરીની ખેતી કરી હોય.
સ્ટ્રોબેરી હૃદયના આકારના ફળ છે. નાજુક, હળવા અને ખાટા-મીઠા સ્વાદ હોય છે. સ્ટ્રોબેરીની 600 જાતો છે. બધા તેના સ્વાદના રંગ સ્વરૂપમાં એકબીજાથી અલગ છે. સ્ટ્રોબેરી તેમની અલગ સુગંધ માટે જાણીતી છે. આઇસ ક્રીમ વગેરેમાં વપરાય છે.
ગુજરાતમાં 4.46 લાખ હેક્ટરમાં 20 લાખ ટન કુલ ફળનું ઉત્પાદન થાય છે. જેમાં 13 મહત્વના ફળ ઉપરાંત અન્ય ફળમાં સ્ટ્રોબેરી આવે છે. અન્ય તમામ ફળ 6170 હેક્ટરમાં 46 હજાર ટન પાકે છે. જેમાં સ્ટ્રોબેરી એક છે. કૃષિ વિભાગના માનવા પ્રમાણે ગુજરાતમાં 500 હેક્ટરથી વધું સ્ટ્રોબેરીની ખેતી થતી નથી.
તેમણે અનેક ખેડૂતોને સ્ટ્રોબેરીની ખેતી કેમ કરવી તે શિખવ્યું છે. 10 વર્ષ સુધી તેઓ બીજા ખેડૂતોને ખેતી કરવાનું સમજાવતાં રહ્યાં પણ કોઈ તૈયાર ન થયા. પછી ધીમે ધીમે ખેડૂતો ખેતી કરવા લાગ્યા હતા. તેમના ગામની આસપાસ 48 ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરે છે. જ્યારથી સરકારે ઓન લાઈન સબસિડિ આપવાનું શરૂ કર્યું ત્યારથી સ્ટ્રોબેરીની ખેતી વધી છે.
તેઓ મહારાષ્ટ્ર મહાબળેશ્વર કામ માટે જતાં ત્યાંથી ખેતી શિખિલાવ્યા હતા. પહેલા વર્ષે રોપ લાવીને 9 પાળા કર્યા જેમાં તેમને રૂપિયા 11 હજારનો નફો થયો હતો. બીજા વર્ષે ખેતી વધારી અને 1.9 લાખનો નફો થયો હતો.
સોમાભાઈ કહે છે કે, ખેતી તો નફાકારક છે. ગયા વર્ષથી કોરોના આવતાં માલ બહુ બગડી ગયો છે. 40 વીઘામાં ટ્રોબેરી હતી. આ વર્ષે તો હવામાન અને કોરોના બન્ને નડી રહ્યાં છે. તેથી ઉત્પાદન ઘટશે. બજાર મેળવવાની મોટી તકલિફ આ વર્ષે છે.
માલ વેચવા 23 વર્ષથી સુરત જવું પડે છે. લોકડાઉન પછી તલકિફ ઊભી થઈ છે. ફળ સીધું વેચાતુ નથી. ફળ સાંજ સુધી માંડ ટકે છે પછી તે ખરાબ થઈ જાય છે. તેથી નાસિક માલ મોકલવો પડે છે.
એક છોડમાં દોઢ કીલો સ્ટ્રોબેરી ઉતરે છે. ખોખામાં પેક કરીને મોકલી આપવામાં આવે છે.
260-250 કિલોના ભાવે વેચાય છે. એક વીઘે રૂપિયા 2 લાખ નફો થાય છે. હેક્ટરે રૂપિયા 10 લાખનો નફો થાય છે. પણ નાજુક ફળ હોવાથી પાક ખરાબ થઈ જાય છે ત્યારે મોટું નુકસાન વેઠવું પડે છે.
2014-15માં 1.09 લાખના ખર્ચની સામે 2.32 લાખની આવક થઈ હતી. નફો 1.22 લાખ થયો હતો. 2015-16માં 1.47 લાખ અને 2016-17માં 1.82 લાખનો નફો થયો હતો.
સોમાભાઈ કહે છે કે, આ વર્ષે મેં 18 હજાર રોપા તૈયાર કર્યા છે. 40થી 45 હજાર રોપા બનાવવાનું નક્કી કર્યું છે. જે જૂનાગઢ, નવસારી, કચ્છ, રાજકોટ, કપરાડા, જામનગર આપેલા છે. આ વિસ્તારમાં માલ તો આપ્યો છે પણ સાપુતારા જેવું ઉત્પાદન મળતું નથી. માલ નબળો બને છે, ફળ નાનું આવે છે. રોગજીવાત વધું આવે છે.
રનરથી રોપા તૈયાર કરે છે. એક છોડના 6 રૂપિયામાં વેચે છે. ટીશ્યુકલ્ચર એક છોડનો 42 રૂપિયામાં પડે છે. જે કંપનીઓને બનાવવા માટે ઓર્ડર આપવો પડે છે. ટીશ્યુકલ્ચરમાં ઉત્પાદન સારું મળે છે પણ ક્યારેય બધા રોપા એકી સાથે નકામા થઈ જતાં હોય છે.
અકિહિમે નામની હીમાચલની નવી જાતની સ્ટ્રોબેરી ખેડૂતો માટે સારો ફાયદો કરાવી રહી છે. દોઢ એકરમાં 35થી 40 હજાર છોડ લગાવી શકાય છે. 22થી 40 ગ્રામનું ફળ થાય છે. જે બીજા જીતમાં 15થી 30 ગ્રામ હોય છે.
સ્ટ્રોબેરીના ફાયદા
સ્ટ્રોબેરી ઓછી કેલરીયુક્ત ફળ છે, જે તમે વજન ઘટાડવા માટે પણ વાપરી શકો છો.
સ્ટ્રોબેરી કેન્સર જેવા જીવલેણ રોગ માટેનો ઉપચાર છે. કેન્સર નિવારક અને કેન્સર રોગનિવારક ગુણધર્મો છે. સ્તન કેન્સર માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો અને પોલિફેનોલ્સ કમ્પાઉન્ડ છે. હૃદયની સમસ્યાઓથી બચવા અઠવાડિયામાં ત્રણ વખત સ્ટ્રોબેરી ખાવાની સલાહ આપવામાં આવે છે. હૃદય માટે સૌથી આરોગ્યપ્રદ ફળ માનવામાં આવે છે. હૃદયના સ્વસ્થ ફળની શ્રેણીમાં મૂકવામાં આવે છે.
પીળાશને દૂર કરવા અને કુદરતી રીતે દાંત સફેદ કરવા માટે કામ કરી શકે છે. એન્ઝાઇમ્સની રચનાને અટકાવે છે.
સ્ટ્રોબેરી હાડકાંની શક્તિ જાળવવા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હાજર મેગ્નેશિયમ હાડકાંને મજબૂત બનાવે છે.
સોજાવાળી આંખોની સારવાર કરવામાં મદદગાર છે. ખાસ એસિડ આલ્ફા હાઇડ્રોક્સિ જોવા મળે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. પોટેશિયમ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ખરાબ કોલેસ્ટ્રોલ (એલડીએલ) ઘટાડે છે.
મગજને સ્વસ્થ રાખે છે. ફ્લેવોનોઈડ્સ વયની સાથે મેમરીને નબળી પાડતા અટકાવવામાં મદદગાર થઈ શકે છે. એન્ટીઇંફેલેમેટરી ગુણ તમારા મગજને હળવા રાખે છે. મગજને લગતા રોગો સામે લડવામાં પણ મદદ કરે છે.
પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે.
વિટામિન-સી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ સુધારે છે. નપુંસકતામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, આના પર વધારાના સંશોધનની જરૂર છે.
ગર્ભાવસ્થામાં સહાયક છે. કબજિયાતની સારવાર કરવામાં મદદ કરે છે.
આંખોની રોશની જાળવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે. બ્લડસુગર અંકૂશમાં લાવે છે. સોજા ઓછા કરે. ચામડીને સ્વસ્થ રાખે છે. વધતી ઉંમરને છૂપાવવામાં મદદ કરે છે.