

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે મુંબઈમાં છ દિવસથી તપાસ કરી રહેલી બિહારની પટણા પોલીસને અત્યાર સુધીમાં ઘણા મહત્વના કડીઓ મળી છે. ખાસ તપાસ ટીકડી એ શોધવાનો પ્રયાસ કરી રહી છે જે મુંબઈ પોલીસ પડદો પાડી દેવા માંગે છે. ખાસ તપાસ ટૂકડીને ખબર પડી ગઈ છે કે પૂર્વ અંગત મદદનીશ દીશાના મૃત્યુ અંગેની સત્ય વિગતોની સુશાંતને જાણ હતી. મૃત્યુ પહેલા દિશાએ સુશાંતને ફોન કર્યો હતો. તેને કંઈક કહ્યું હતું.
સુશાંતને દીશાના મોત માટે જવાબદાર દુષ્ટ લોકોના દલાદો દ્વારા ડરાવી અને ધમકાવવામાં આવી રહ્યા હતા. સુશાંતના રૂમ પાર્ટનર સિદ્ધાર્થ પીઠાણીને આ તમામ મહત્વપૂર્ણ રહસ્યો વિશે ખબર છે. સિદ્ધાર્થનું નિવેદન લેવા બિહાર પોલીસ તમામ પ્રયત્નો કરી રહી છે.
એસઆઈટી સુશાંતની મેનેજર દીશા સલિયનના મોત પાછળની કડીઓની તપાસ કરી રહી છે. સુશાંતના મોત સાથે દીશાના મોતનો સંબંધ કેવો છે. જ્યારે એસઆઈટીએ મુંબઈ પોલીસને દીશાના મોતના કેસ સાથે જોડાયેલી ફાઇલ માટે પૂછ્યું ત્યારે તે શોધવા માટે, મુંબઈ પોલીસે ફાઇલને લેપટોપ પરથી ડિલીટ કરી દીધી હોવાનું જણાવ્યું હતું. જે મોટી રમત છે. દીશાના મોતને લગતી ફાઇલો માંગી છે.
મુંબઈ પોલીસે અને કાવતરાખોરોએ આયોજિત કાવતરાના ભાગ રૂપે ઘટના બાદ બાંદ્રા સોસાયટી સહિત સુશાંતના ફ્લેટમાં સ્થાપિત સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કર્યા હતા.
સુશાંતના પોસ્ટમોર્ટમ ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. ખાસ સંજોગોમાં મેજિસ્ટ્રેટના આદેશથી રાત્રે પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. પરંતુ બાંદ્રા પોલીસે મંજૂરી વગર કે પરવા કર્યા વિના સુશાંતના મૃતદેહનું રાત્રે એક કલાકની વચ્ચે પોસ્ટમોર્ટમ કર્યું હતું.
એમ્બ્યુલન્સના ડ્રાઈવર અક્ષય કુમાર દ્વારા સુશાંતનો મૃતદેહ ઉતારવામાં આવ્યો હતો. એવું નિવેદન પોલીસના દબાણ હેઠળ લેવામાં આવ્યું છે.

English



You must be logged in to post a comment.