ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020
આજરોજ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, 2004માં બનાવવામાં આવેલા ‘સ્વામીનાથન આયોગ’ના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતા.
બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવાઈ જ નથી.
ખેડૂત પોતાની જમીન ઉપર ઉગનારી પેદાશના ભાવ અંગેનો કરાર વેપારી કે કંપની સાથે કરી કાયદાકીય સુરક્ષા સાથે વધુ સારું આર્થિક ઉપાર્જન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
કંપની કે વેપારી ખેડૂત સાથે થયેલા કરારમાં કોઈ ચૂક કરે તો ખેડૂત સ્થાનિક કલેક્ટરને ફરિયાદ કરી શકશે. જેનો ૩૦ દિવસમાં નિકાલ કરી ખેડૂતને વળતર અપાવવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે.
કૃષિ સુધારા બિલને MSP સાથે કોઈ જ લેવાદેવા નથી. MSPથી ખેતપેદાશોની ખરીદી થઈ રહી છે, અને આગળ પણ થતી રહેશે.
વર્ષ 2020-21 માં ડાંગરની MSP રૂ.1,868, ઘઉંની રૂ.1,925, અને વર્ષ 2019-20ના આંકડાઓ પ્રમાણે મગફળીની MSPથી ખરીદીનો ભાવ રૂ.5,275, રાયડાની રૂ,4,650 પ્રતિ કવિન્ટલ છે. ભાજપાની કેન્દ્ર સરકારે છેલ્લાં 6 વર્ષમાં ખેડૂતોના હિતમાં જુદા જુદા પાકોની MSPમાં અંદાજીત 40% જેટલો વધારો કર્યો છે.
દાળ, મસૂર, મગ જેવા ઉત્પાદોની લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં રૂ.15 હજાર કરોડની ટેકાના ભાવથી ખરીદી કરી છે.
છેલ્લા 6 વર્ષમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા ડાંગર અને ઘઉં રૂ.8 લાખ કરોડ, 112 લાખ મેટ્રિક ટન કઠોળની MSPથી ખરીદી કરવામાં આવી છે.
યોગ્ય ભાવ મળતો હોય તે વેપારીને ખેત પેદાશ વેચી શકશે.