Water supply system started by private company in Ahmedabad अहमदाबाद में निजी कंपनी द्वारा जलापूर्ति व्यवस्था की शुरुआत
અમદાવાદમાં વરસાદી પાણીનો ઠેકો ખાનગી કંપનીને અપાયો
અમદાવાદ,17 ડિસેમ્બર,2024
અમદાવાદમાં વીનાના પાણીનું ખાનગીકરણ કરવાની શરૂઆત વરસાદી પાણીથી થઈ છે. હવે બની શકે કે અદાણી ગેસની જેમ નળમાં આવતું પાણી ખાનગી કંપની આપતી હોય.
અમદાવાદમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા અમદાવાદ મહાનગર પાલિકાની મિલકતમાં વરસાદી પાણીના સંગ્રહ કરવામાં આવશે. ઠેકો એપોલો સ્ક્રીન્સ પ્રા.લી.ને આપવામાં આવ્યો છે.
આરોગ્ય કેન્દ્રો ઉપરાંત પાણી વહેંચતા મથકો સહિત કુલ 250 મિલકતમાં પાણીનો સંગ્રહ કરાશે. જે માટે રૂ. 5 કરોડ 32 લાખનો ખર્ચ થશે. એક કુવા પાછળ રૂ. 2 લાખ 15 હજારનો ખર્ચ થશે.
વોર્ડ કચેરી, વિભાગીય કચેરી, હોસ્પિટલ, ડ્રેનેજ પમ્પિંગ મથકના ધાબા ઉપર આવતાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા તેમજ પાંચ વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સાથે કામ અપાશે.
પ્રતિ યુનિટ રુ. 1 લાખ 33 હજાર ખર્ચ થશે. ફીલ્ટર મારફતે શુધ્ધ કરી બોર અથવા તેની પાણીની ટાંકીઓમાં સંગ્રહ કરવામા આવશે.
એપોલો ક્રીન્સ કંપની
એપોલો ક્રીન્સ કંપની એપોલો ગ્રુપ દ્વારા 2013માં એન્જિનિયરિંગ સ્થપાયેલી કંપની છે.
છત્રાલમાં કંપની આવેલી છે. વેલ્ડેડ વેજ વાયર સ્ક્રીન બનાવે છે.
વેલ્ડેડ વેજ વાયર સ્ક્રીનનો ઉપયોગ પાણીના કૂવા, સબ-સરફેસ પાણી નિષ્કર્ષણ, તેલ અને ગેસ રેતી નિયંત્રણ, ખનિજ પ્રક્રિયા એપ્લિકેશન્સ પ્રવાહી, નક્કર વિભાજન તેમજ વિવિધ પાણી, કાચા પાણી અને અન્ય ઘણા ઔદ્યોગિક માટે કરવામાં આવે છે. વોટર મેનેજમેન્ટ ઉદ્યોગ માટે સોર્સિંગથી લઈને ટ્રીટમેન્ટ સુધી થાય છે. પીવાના પાણી, વરસાદી પાણીના સંગ્રહ, સિંચાઈના કુવા, ડેમ, અંડર ડ્રેઇન્સ માટે તેના સાધનો વપરાય છે.
શું થયું મુખ્ય પ્રધાનની જાહેરાતનું
2 ઓગસ્ટ 2024માં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ એમ ત્રણ ઝોનમાં વરસાદી પાણીના 7497 કામો માટે રૂ. 144 કરોડ આપ્યા હતા.
ખાનગી સોસાયટી જનભાગીદારીની યોજનામાં 70:20:10 મુજબ
અમદાવાદ મહાનગર પાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3180, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1617 તથા પશ્ચિમ ઝોનમાં 2500 મળી કુલ 7497 સોસાયટીઓ દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ કામો માટે અરજીઓ મળેલી હતી.
સરકાર સમક્ષ રૂ. 206.16 કરોડની દરખાસ્તમાં રાજ્ય સરકારની 70 ટકા સહાય અનુસાર રૂપિયા 144.32 કરોડની ફાળવેલા હતા.
1 હજાર શાળા
1 હજાર સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટ પુરો કરાયો હતો.
વડોદરા જિલ્લાની સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગના દેશભરમાં પ્રથમ પ્રોજેક્ટ હોવાનો દાવો 5 વર્ષ પહેલાં કરાયો હતો.
રાજ્ય સરકારે 2018થી શરૂ કરેલો પ્રોજેક્ટ છે. પ્રથમ 3 વર્ષમાં 40 હજાર 628 લાખ ઘન ફૂટ જળસંગ્રહ થતો હોવાનો દાવો કરાયો હતો.
સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવવા 10 ડિસેલીનેશન પ્લાન્ટસ, નગરો-મહાનગરોમાં ગંદા પાણીને શુદ્ધ કરી રિટ્રીટ કરીને તેનો ઊદ્યોગો, ખેતીવાડી માટે ઉપયોગ-રિયુઝ કરવામાં આતો હોવાનો દાવો કરાયો હતો.
વડોદરા જિલ્લામાં સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના 1 હજાર મકાનોમાં વરસાદી પાણીના સંગ્રહનો રૂ. 6 કરોડનો પ્રોજેકટ હતો. વર્ષે 10 કરોડ લિટર પાણી બચવાનું હતું. પ્રોજેકટમાં CSR ફંડ, સરકારી અનુદાનો, ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન ફંડમાંથી નાણાં વપરાયા હતા.
અમદાવાદની પરંપરા
અમદાવાદની પોળોમાં સર્વે કરતાં 10 હજાર ઘરોમાંથી ચોમાસાના પાણીના 1500 ભૂગર્ભ ટાંકા હતા. દસ ટાંકાના પાણીનાં નમુના ચકાસાયા જેમાં પાણી પીવાલાયક હતું. અમદાવાદના દરેક ઘરમાં આવા ટાંકા ભૂતકાળમાં હતા. જેમાં 2021માં 15 ટકા ઘરમાં જ ટાંકા રહ્યાં હતા. અમદાવાદ મનગર પાલિકાએ મિલયેનમ વર્ષમાં 25 હજાર લિટરના ટાંકા બનાવીને વર્ષે 25 લાખ લિટર પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કર્યું હતું. તે પણ પાણીમાં ગયું છે.
પરકોલેશન વેલનું આયોજન પણ માત્ર પણ ગાજયુ એટલું વરસ્યુ નહીં
રાજય સરકારે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે જીડીસીઆરમાં ખાસ જોગવાઈ કરી છે. આ જોગવાઈ મુજબ નાના બાંધકામની જગ્યા પર વરસાદી પાણીના સંગ્રેહ માટે 100થી 300 ચોરસ ફુટમાં કરવાનો નિયમ છે.
ઔડા
વર્ષ 2002માં ઔડા દ્વારા 1500 ચોરસ મીટર વિસ્તાર ધરાવતા મકાનોમાં પરકોલેશન વેલ ફરજીયાત બનાવવાનો નિયમ લાગુ કર્યો હતો.
બગીચા
બગીચાઓમાં થોડા વર્ષો અગાઉ પાણી સંગ્રહ કરવા પરકોલેશન વેલ બનાવ્યા હતા. જેમાં એક વર્ષ પાણી આવ્યું ક્યાંક આવ્યું ન હતું. હવે 300 બગીચામાં તેનો કોઈ ઉપયોગ નથી. માત્ર જગ્યા રોકે છે.
તળાવો જોડો યોજના
વરસાદી પાણી એક તળાવમાંથી બીજા તળામાં પહોંચે તે માટે 45 તળાવોને એકબીજા સાથે જોડી દેવામાં આવ્યા હતા. કરોડોનું ખર્ચ થયું પણ ફાયદો કંઈ ન થયો. પ્રજાના પૈસા પાણીમાં ગયા.
પાણીમાં ક્ષાર
અમદાવાદમાં 2018-19માં પીપળજના બોરવેલના પાણીમાં ક્ષારનું પ્રમાણ 2096 હતુ. પી.એચ.વેલ્યુ 8.20 હતી. વટવા જીઆઈડીસીમાં 1370થી 1928 ક્ષાર અને પી.એચ. 7.59 હતા. જે નિયત માત્રા કરતાં વધારે હતું.
ખાનગી કંપની
ગુજરાત રાજ્યમાં એફએમસી ઇન્ડિયાની પાનોલી દ્વારા ચોમાસા દરમિયાન વાર્ષિક 2,500 કેએલથી વધુ વરસાદી પાણી સંગ્રહ કરાય છે. છત ઉપરના 3,000 ચોરસ મીટર વિસ્તારમાં વરસાદ પડે તે ટાંકીમાં ભરી ગાળવામાં આવે છે.