ભારતમાં 1.6 કરોડ ટેસ્ટ થાયા, હજી ઘણો લમ્બો રસ્તો બાકી છે

દેશમાં પહેલી વખત, માત્ર એક જ દિવસમાં અત્યાર સુધીમાં સર્વાધિક એટલે કે 4,20,000 કરતાં વધારે કોવિડના પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત 3,50,000થી વધુ પરીક્ષણ કરવામાં આવી રહ્યાં હતાં, જેમાં સતત નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 4,20,898 સેમ્પલના કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેના કારણે પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)નો સરેરાશ આંકડો વધીને 11,485 સુધી પહોંચી ગયો છે અને આજદિન સુધીમાં દેશમાં કુલ 1,58,49,068 સેમ્પલના કોવિડ માટેના પરીક્ષણ કરવામાં આવ્યા છે.

10 લાખ વસ્તી પરીક્ષણ દીઠ ટોચના 5 દેશો:

Country Population Total Tests Tests/ 10 Lakh Total Cases Tot Cases/ 10 Lakh Total Deaths Deaths/ 10 Lakh

China

1,43,93,23,776

9,04,10,000 62,814 83,830 58 4,634 3

USA

33,11,34,610

5,33,52,250 1,61,120 43,15,709 13,033 1,49,398

451

Russia

14,59,38,879

2,66,10,623 1,82,341 8,06,720 5,528 13,192 90

India

1,38,09,00,513

1,62,91,331 11,798 13,87,481 1,005 32,119

23

UK

6,79,10,360 1,45,68,733 2,14,529 2,98,681 4,398 45,738

674

 

આ સિદ્ધિમાં યોગદાન આપનારું પ્રબળ પાસું દેશમાં પરીક્ષણ માટે લેબોરેટરીઓની સુવિધામાં એકધારી થઇ રહેલી વૃદ્ધિ છે. જાન્યુઆરી 2020માં કોવિડના પરીક્ષણ માટે માત્ર એક લેબોરેટરી હતી તેની સરખામણીએ હાલમાં 1301 લેબોરેટરીઓ કોવિડના પરીક્ષણ માટે ઉપલબ્ધ છે, જેમાં 902 લેબોરેટરીઓ સરકારી ક્ષેત્રની જ્યારે 399 લેબોરેટરી ખાનગી ક્ષેત્રની છે. ICMR દ્વારા પરીક્ષણ માટે સુધારવામાં આવેલી સુવિધાજનક માર્ગદર્શિકા અને સરકાર દ્વારા કરવામાં આવી રહેલા સર્વાંગી પ્રયાસોના પરિણામે પણ ખૂબ વ્યાપક પ્રમાણમાં પરીક્ષણની કામગીરી કરવામાં મદદ મળી શકી છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 32,223 દર્દીઓ સાજા થઇ ગયા છે. આ સાથે આજદિન સુધીમાં કોવિડમાંથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 8,49,431 સુધી પહોંચી ગઇ છે. દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર વધીને 63.54% નોંધાયો છે. કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસોની સંખ્યા વચ્ચેનો તફાવત પણ વધીને 3,93,360 થઇ ગયો છે.

વધુ વાંચોઆત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે

વધુ વાંચોVIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી

વધુ વાંચોઅમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક

વધુ વાંચોએક બિનગુજરાતી ભાજપ પ્રમુખને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે