[:gj]તલની ફેક્ટરીનું પ્રદૂષિત પાણી ખેતરોમાં ઘૂસી જતાં વ્યાપક નુકસાન[:]

[:gj]સિદ્ધપુર, તા.૦૯

સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામ પાસે આવેલ એક તલની ફેક્ટરીના માલિકોની મનમાની અને તંત્રને ઘોળીને પી ગયા હોય તેમ ખેતરોની બાજુમાં આવેલ તલની ફેક્ટરીમાંથી પ્રદૂષિત પાણી ખેતરોમાં છોડવામાં આવે છે. જે પાણી બહુ જ દુર્ગંધ સહિત કેમિકલયુક્ત પાણી હોવાથી ખેડૂતોની જમીન અને આરોગ્ય માટે ભયંકર હાનિકારક તેમજ આજુબાજુના ખેતરોમાં આવેલ પાકો નિષ્ફળ જવાના આરે છે. તેમજ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફેલાવવાની દહેશત જોવા મળી રહી છે.

પાટણ જિલ્લાના સિદ્ધપુર પાટણ હાઈવે પર આવેલ નેદ્રા ગામ પાસે એક તલની  ફેક્ટરીમાંથી પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી ખેતરોમાં છોડાતું હોઈ ગ્રામજનો ભેગા મળી આ બાબતે પાટણ કલેક્ટર, પ્રાંત સિદ્ધપુર, મામલતદાર તેમજ સરપંચ નેદ્રાને તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ કડક યોગ્ય પગલાં ન લેવાતા આજેપણ તે ફેક્ટરીઓના માલિકો દ્વારા તે તલની ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડાય છે. જેથી આજુબાજુના ખેતરોમાં વાવેલ પાકો નિષ્ફળ તેમજ બોરમાંથી નીકળતું પાણી પણ પ્રદૂષિત થવાથી ખેડૂતોને ખેતીમાં તેમજ નેદ્રા ગામના લોકોને આરોગ્ય ઉપર માઠી અસર થાય તેમ છે.

નેદ્રા ગામના લોકો દ્વારા લેખિત રજૂઆત છતાં પણ આ ફેક્ટરી બંધ થઈ નથી. તેમજ તંત્ર દ્વારા માલિક વિરુદ્ધ કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી. જેથી પર્યાવરણ અને લોકોના આરોગ્યને વધુ નુકશાન ન થાય તે માટે આ ફેક્ટરીમાંથી નીકળતું કેમકિલયુક્ત પ્રદૂષિત પાણી બંધ કરવામાં આવે તેમજ ફેક્ટરીના માલિક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ ઉઠાવી છે.[:]