[:gj]સસ્તા અનાજની દુકાનોના 13 પ્રશ્નોનો સરકાર ઉકેલતી નથી [:]

[:gj]રાજ્ય સરકારની અણઘડ નીતિઓના કારણે સરકાર સાથે કામ કરતા અનેક મંડળો વચ્ચે સુમેળ જોવા મળતો નથી. હાલમાં મોટા ભાગના મંડળો સરકાર સામે જોવા મળી રહ્યાં છે, ત્યારે આજે ગુજરાત રાજ્ય રાહત દરની દુકાનોની કારોબારી બેઠક સેક્ટર 12 ખાતે આવેલા સૌરાષ્ટ્ર શિક્ષણ સંકુલ ખાતે મળી હતી. જેમા રાજ્યના તમામ જિલ્લાના મંડળના આગેવાનો હાજર રહ્યાં હતાં. બેઠકમાં 13 પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.

13 પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો દુકાને તાળા મારશે. ઘણાં સમયથી સરકારમાં રજૂઆત કરવા છતા નિરાકરણ નહીં આવતાં રણ નીતિ નક્કી કરવામાં આવી હતી.

વિતરણ વ્યવસ્થામાં પડતી મુશ્કેલીઓ, સરકાર દ્વારા બોગસ રેશનકાર્ડ બાબતે કરવામાં આવતાં ખોટા દાવાઓ, ફિંગર પ્રિન્ટ ડુપ્લીકેટ સોફ્ટવેરથી પડતી મુશ્કેલીઓ, અન્ય રાજ્ય અને ગુજરાતમાં કમિશનમા વિસંગતતા, જથ્થામાં આવતી ઘટ, વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કનડગત સહિતના મુદ્દાઓ છે.

જો સરકાર દ્રારા અમારા પ્રશ્નનોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો પહેલા માસ સીએલ, ત્યારબાદ ઉપવાસ આંદોલન અને છતાં જો અમારી વાત નહીં સાંભળે તો તમામ સસ્તા અનાજની દુકાનને તાળા મારી વિતરણ બંધ કરવામાં આવશે.

વ્યાજબી ભાવની દુકાન માલિકોનો વિરોધ

સરકાર સામે વિરુદ્ધ દર્શાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અન્ન વિતરણ કેન્દ્ર માટે ઊંચા કમિશનની માંગણી છે. ગુજરાતમાં હાલ ચાલતો કમિશન દર રૂ. 85 પ્રતિ ક્વિંટલ છે. તે જ કમિશન દર રાજસ્થાન અને દિલ્હીમાં 200 રૂપિયા, કેરળમાં 220 રૂપિયા, મહારાષ્ટ્રમાં 150 રૂપિયા અને ગોવામાં 230 રૂપિયા છે.[:]