[:gj]સ્વામી સચિદાનંદ – ઉત્તર ગુજરાતના ચૌધરીઓ નોકરીઓમાં બધે દેખાય છે[:]

[:gj]જાતિવાદ ન હોવાની વાત કરતી સરકારના આજે બે ચહેરા ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. ડે.સીએમ નીતિન પટેલની હાજરીમાં જ સ્વામી સચ્ચિદાનંદે કહ્યું કે, મેં જ ચૌધરીઓને ઓબીસીમાં જવાનું કહ્યું હતું. અને આજે તેનું પરિણામ જોવા મળી રહ્યું છે. આજે સરકારી નોકરીઓમાં ચૌધરી જોવા મળે છે. DySP, PI, PSI બધી પોસ્ટ પર ચૌધરીઓ દેખાય છે OBC નો લાભ મળ્યો હોય એવું દેખાય છે

ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિલ ખોલીને આજે બોલ્યા હતા. નીતિન પટેલે આ કાર્યક્રમમાં ચૂંટણીમાં ઘેરાઈ ગયો અને લોકો હરાવવાના પ્રયાસ કરતા હતા તેમ જણાવ્યું હતું. સાથે જ તેઓએ કહ્યું કે, ગુજરાતીઓ અમેરિકા પહોંચ્યા પણ સચિવાલય નથી પહોંચ્યા. બાળકોને એવા ભણાવો કે તે આઈએએસ, આઈપીએસ બની શકે.[:]