વિદેશમાં કોરોનામાં ફસાયેલા ગુજરાતના 2 હજાર લોકોને લવાયા

કોરોના વાયરસ કોવિડ-19ની પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતીમાં વિશ્વના અન્ય રાષ્ટ્રો-દેશોમાં અટવાયેલા ૧૯પ૮  ગુજરાતના લોકોને ર૭મી મે બુધવાર સુધીમાં પરત લાવવામાં આવ્યા છે.

તા.૧રમી મે એ યુ.એસ.એ. થી અમદાવાદ માટે જે પ્રથમ ફલાઇટ આવી તેમાં ૧૩પ ગુજરાતીઓ માતૃભૂમિ પરત આવ્યા છે. આવી વિશેષ ફલાઇટનું એર ઇન્ડીયા અને એર ઇન્ડીયા એકસપ્રેસ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે તેમાં ક્રમશ: કુવૈત-૧૪૬, ફિલીપાઇન્સ-૧૫૫, યુ.કે.-૩૦૩, મલેશિયા-૪૮, ઇન્ડોનેશિયા-૩૮, યુ.કે-૧૩૨, યુ.એસ.એ-૭૩, ઓસ્ટ્રેલિયા-૨૧૭, ફિલીપાઇન્સ-૧૭૭, સિંગાપોર-૯૩, બેલ્લારૂસ-૧૦ર, કેનેડા-૧૭૬ અને ફ્રાન્સ-૬૬ મળીને સમગ્રતયા ૧૯પ૮ જેટલા ગુજરાતીઓ વતનભૂમિ પરત ફર્યા છે.
કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે આવા અન્ય રાષ્ટ્રોમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા માટે બીજો તબક્કો તા.૧૬મી મે થી શરૂ કર્યો છે જે તા.૧૩મી જૂન સુધી ચાલુ રહેવાનો છે.
ગુજરાતી યાત્રિકોને લઇને જે ફલાઇટ વિશ્વના દેશોમાંથી આવવાની છે. તેમાં, તા.ર૯મી મે એ અને તા.૩૧મી એ યુ.એ.ઇ.થી, તા.૩૦મી મે એ ઓમાન અને કતારથી, તા.૧ લી જૂને કુવૈતથી તા.૮મી જૂને યુ.કે.થી બે ફલાઇટ તેમજ તા.૯મી જૂને યુ.એસ.એ.થી બે ફલાઇટ ગુજરાત આવશે.
આ વિશેષ ફલાઇટમાં યુ.કે.થી-૪૮૬, યુ.એસ.એ.થી-૬૩૮ તેમજ ગલ્ફ કન્ટ્રીઝના કુલ-૭૪પ એમ સમગ્રતયા ૧૮૬૯ ગુજરાતીઓ પોતાની માતૃભૂમિમાં પરત આવશે તેમ શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું.
ભારત સરકારના વિદેશ મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સંકલનમાં રહીને તા.રપમી મે સુધીમાં ૧પ૮ વિશેષ ફલાઇટસ દ્વારા ૩૦ હજાર જેટલા ભારતીય મૂળના નાગરિકો-લોકોને વંદેભારત મિશન અન્વયે સ્વદેશ પરિવારજનો પાસે પહોચાડયા છે.