[:gj]ડ્રોનથી લોકોને શોધવાનું ઓછું કરાયું, માંડ 86 ગુનાઓ નોંધાયા[:]

[:gj]રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે,

કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે લૉકડાઉનના ત્રીજા તબક્કાનો રાજ્યમાં ચુસ્ત અમલ કરાશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર રાજ્ય સરકારે તર્કબદ્ધ રીતે નીતિ બનાવી છે જેમાં નાગરિકો પણ અત્યાર સુધી આપેલ સહયોગ મુજબ સહયોગ આપે તે જરૂરી છે.

જે નાગરિકો અન્ય રાજ્યમાંથી ગુજરાત આવ્યા છે તેઓ તેમના વતન જવા ઈચ્છતા હોય તો રાજ્ય વહીવટી તંત્ર દ્વારા રેલવે અને ખાનગી બસની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે, તેમાં ધીરજ રાખી સહયોગ કરે. આ વ્યવસ્થાને અનુસરીને લોકો જો કાયદો હાથમાં લેશે તો ચલાવી લેવાશે નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરાશે.

રેડઝોન સિવાયના વિસ્તારોમાં પણ લૉકડાઉનના અમલને હળવાશથી લેવાશે નહીં. આ વિસ્તારમાં અપાયેલ છૂટછાટ સિવાયની દુકાનો કે સેવાઓ ખુલ્લી હશે તો નિયમોનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાશે, એ જ રીતે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પણ શરતોને આધિન છૂટછાટ અપાઇ છે તેનું પણ જો ઉલ્લંઘન થશે તો ગૂનો નોંધાશે.

ગ્રીન ઝોનમાં વસતા લોકોએ પણ પૂરતી તકેદારી રાખી તેમને અપાયેલ છૂટછાટનો દુરુપયોગ કરવો નહીં. જો આવું બનશે તો પણ કાયદેસરની કાર્યવાહી થશે. રાજ્યભરમાં પાન-મસાલાની દુકાનો અને શાળા-કોલેજો બંધ છે તેમજ ધાર્મિક સંસ્થાઓમાં પણ એકત્રિત થવા પર પ્રતિબંધ છે ત્યારે આ સંદર્ભે પણ પોલીસ દ્વારા સધન ચેકિંગ કરાશે અને એમાં પણ કોઈ ક્ષતિઓ ધ્યાને આવશે તો ગુનો નોંધાશે.

લૉકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વોરિયર્સ ઉપર થતાં હુમલાઓને રાજ્યસરકાર અતિગંભીરતાથી લઈ આવા તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. તા. ૨૯.૦૪.૨૦૨૦ના રાજકોટ જિલ્લામાં જસદણ પોલીસ મથક વિસ્તારમાં પોલીસ ઉપર હુમલાનો એક બનાવ નોંધાયેલ છે. જેમાં સામેલ એક આરોપીને પાસા હેઠળ કાર્યવાહી કરી લાજપર જેલ સુરત ખાતે મોકલી આપેલ છે. જયારે બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે તા.૨૯.૦૪.૨૦૨૦ના રોજ આશા વર્કર ઉપર થયેલ હુમલાના બનાવને ગંભીરતાથી લઇ ઇ.પી.કો ૩૦૭ હેઠળ ગુનો નોંધી ૦૭ આરોપીઓને પાસા હેઠળ જેલના હવાલે કરાયા છે. લોકડાઉન બાદ અત્યાર સુધી કોરોના વોરિયર્સ ઉપર થયેલા હુમલા સંદર્ભે ૨૩ ગુના નોંધી ૫૪ હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૮૬ ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૧,૦૬૪ ગુના દાખલ કરીને ૨૦,૯૬૩ લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૧૧૮ ગુના નોંધીને ૧૩૩ લોકોની અટકાયત કરતાં આજસુધીમાં રાજ્યભરમાંથી ૨,૪૮૨ ગુના નોંધી ૩,૫૭૬ લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત સોસાયટીના CCTV આધારે ગઇકાલે ૩૩ ગુનામાં ૩૩ લોકોની જ્યારે આજસુધીમાં ૫૨૬ ગુનાઓ દાખલ કરીને ૮૦૦ લોકોની અટકાયત કરવામાં આવી છે.

સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઇકાલે ૨૧ અને અત્યારસુધીમાં કુલ ૬૪૪ ગુના દાખલ કરીને ૧,૩૨૭ આરોપીની અટકાયત કરી છે. જેમાં ગઇકાલે ૨૧ એકાઉન્ટ સહિત અત્યારસુધીમાં કુલ ૫૯૬ એકાઉન્ટ બંધ કરાયા છે. વીડિયોગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત ગઇકાલે અનુક્રમે ૧૫૩ જ્યારે કુલ ૨,૨૬૨ અને ૧૭ જ્યારે કુલ ૧,૦૨૪ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલે ૫૯ તેમજ કુલ ૭૬૦ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

તા.૦૩/૦૫/૨૦૨૦થી આજ સુધીમાં કુલ ૨,૧૦૩ કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા ૧,૦૫૯ તથા ૬૨૫ અન્ય ગુનાઓ (રાયોટીંગ/Disaster Management Actના) મળી ૩,૭૮૭ ગુનાઓમાં કુલ ૪,૭૧૭ આરોપીઓ સહિત અત્યાર સુધીમાં કુલ ૧,૨૭,૩૭૫ લોકોની અટકાયત કરવામાં આવી છે. લૅાકડાઉનના ભંગ બદલ ગઇકાલે ૬,૬૦૦ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત રોજ ૬,૫૩૩ વાહનો મુક્ત કરવાની સાથે અત્યાર સુધીમાં કુલ ૧,૭૧,૧૬૫ વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.[:]