અમદાવાદ શહેર 613 વર્ષનું થયું છે. શહેરની પાટળ શહેરની રચનાથી પ્રેરાઈને બનાવ્યું હતું. 12 દરવાજા હતા. જુલાઈ 2017માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક ઇમારતોને જાળવવા માટે કોઈ ખાસ કામ થયા નથી. 7 વર્ષ પછી પણ મૂલ્યવાન વારસાને જાળવતી ઈમારતોને જાળવવા માટે ભાજપની અમદાવાદ સરકારે કંઈ કર્યું નથી. ઉલટાનું ઐતિહાસિક મકાનો તોડી પાડી કરોડોનો ધંધો કરવા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જમાલપુરમાં રૂ. 200 કરોડની જમીન શાળા તોડીને ગેરકાયદેસર કબાડી માર્કેટ બનાવી દેવાયું હોવાનો આરોપ મૂકતાં જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ખાડીયામાં તથા કોટ વિસ્તારમાં આવેલા હેરિટેજ મકાનો ભાજપના સ્થાનિક નેતાઓની રહેમનજર હેઠળ તોડી 4થી 5 માળના ફ્લેટ બનાવી દેવાયા હોવાની વિગતો જાહેર કરી હતી.
ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારના કારણે અમદાવાદ હેરિટેજ સિટીનો દરજ્જો ગુમાવી બેસશે એવો ભય ખાડિયામાં તોડી પડાયેલા ઐતિહાસિક મકાનો પરથી ઉભો થયો છે.
અમદાવાદના ખાડીયા તેમજ કોટ વિસ્તાર તેમજ મધ્ય ઝોનમાં 2800 હેરિટેજ મિલકત છે. હેરિટેજ યોદ્ધાઓ વારસાનું રક્ષણ કરી રહ્યા છે, જેઓ વારસાનું પાલન કરી રહ્યા છે તેમની વેદના ઘણી છે. સરકારે આ મકાનો ખરીદી લેવા જોઈએ. નહીંતર પુરાણું અમદાવાદ તૂટીને સિમેન્ટનું બની જશે. હવે બીજે મકાનો ખરીદી શકતા નથી એવી વસ્તી જ રહી છે. જેઓ આર્થિક રીતે સમૃદ્ધ થયા તેઓ જુનું શહેર છોડીને જતા રહ્યા છે.
અમદાવાદને વર્ષ 2027માં દેશના પહેલા વૈશ્વિક હેરિટેજ સિટીનો દરજ્જો યુનેસ્કો દ્વારા આપવામાં આવ્યો હતો.
હવે ખાડીયા વોર્ડ તેમજ કોટ વિસ્તારમાં આવેલી હેરિટેજ ઇમારતો, મકાનો તોડી પાડીને સ્થાનિક રાજકીય આગેવાનો ફલેટ બનાવી રહ્યા છે. ઐતિહાસિક વારસો આપણે આવનારા સમયમાં જાળવી શકીશું.
મધ્ય ઝોનમાં આવેલી તમામ હેરિટેજ ઇમારતો જેવી કે હવેલીઓ, મકાન,મસ્જિદ, મંદિર ચર્ચ વગેરેનો સર્વે કરી તેની જાળવણી કરવા માંગણી કરવામાં આવી હતી.
સીટી સર્વે નંબર 2220 હવેલીની પોળ, મદન ગોપાળની હવેલી રોડ, ખાડીયા ઉપરાંત ખાડીયામાં આવેલી દેસાઈની પોળની અંદર આવેલી બે હવેલી તોડી પાડીને 4 માળના ફલેટ બનાવી દેવામાં આવ્યા છે. જેમાં સુંદરમ ફલેટ તથા સ્મૃતિ ફલેટ છે.
20 સપ્ટેમ્બર 2024ના રોજ મદન ગોપાળ હવેલી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ લેખિત મંજૂરી લીધા સિવાય બાંધકામ કરવામાં આવેલું છે. આ બાંધકામ દુર કરવા તથા ચાલુ બાંધકામ બંધ કરવા એસ.બી.બિલ્ડર્સના પ્રોપરાઈટર અમિત ભાલચંદ્ર પરીખ તથા અન્યોને નોટિસ આપવામાં આવી હતી.
ખાડીયામાં સૌથી વધુ હેરિટેજ મિલકત દેસાઈની પોળમાં આવેલી છે. પોળમાં બિલ્ડર દ્વારા ફલેટ પ્રકારનુ બાંધકામ કરવામાં આવ્યું છે. આ ફલેટમાં વોર્ડ ભાજપના પ્રમુખ રહે છે.
વર્લ્ડ હેરિટેજ સિટી કાગળ પર હોય એવા દ્રશ્યો જોવા મળે છે. ત્રણ દરવાજાનો એક જ રસ્તો ખુલ્લો છે. રાણીના હજીરાના મકબરા માં કપડાં સૂકવે છે.
2019માં બેદરકારીના કારણે 31 હેરિટેજ મકાન તોડીને નવી બિલ્ડિંગ બની ગઈ હતી. નિર્ણય છતાં નવી બિલ્ડિંગ સામે કાર્યવાહી થઈ ન હતી. કોટ વિસ્તારમાં 2200 ઈમારતનો હેરિટેજ છે. રાયખડ દરવાજાને હેરિટેજ દેખાવ આપી લોકાર્પણ કર્યું હતું.
મધ્યઝોન એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા વોર્ડ ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર, હેરિટેજ વિભાગના કારણે મકાનો તૂટે છે. ખાડિયા વોર્ડમાં મકાનો તૂટે છે છતાં એસ્ટેટ વિભાગ કે હેરિટેજ વિભાગના અધિકારીઓ ગેરકાયદે મકાનો તોડી શકયા નથી.
પીતળીયાની પોળ
સારંગપુરમાં આવેલી પીતળીયાની પોળમાં હેરીટેજ રહેણાંક મકાનને જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યું હતું.
સારંગપુર સરકીવાડ
સારંગપુરમાં આવેલા સરકીવાડમાં રહેણાંક હેરિટેજના બે મકાનો તોડી પાડી સો દુકાનો બાંધવામાં આવી હતી. ત્રણ વખત સીલ મારવામાં આવ્યા હતા. સીલ ખોલી દુકાનમાં ઘૂસી ગયા હતા. સો દુકાન હજી સુધી તોડી શકતા નથી.
રાજા મહેતાની પોળ
કાલુપુરમાં આવેલી રાજા મહેતાની પોળમાં હેરિટેજ વિભાગે હેરિટેજ રહેણાંક મકાન રીસ્ટોર કરવા મંજુરી આપી હતી. તેના સ્થાને વેપારી મકાન બની ગયું હતું. આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાવી શકતા નથી.
હાજા પટેલની પોળ
હાજા પટેલની પોળ તૂટી રહી છે. જૂના મકાનો તોડીને શોપિંગ કોમ્પ્લેક્સો બનાવી રહ્યા છે. મૂળ નિવાસી સ્થાનિક અમદાવાદી ઝઝૂમી રહ્યો છે. હવે પોળમાં માત્ર તેવા લોકો જ રહી ગયા છે જેઓ પોળનું મકાન છોડીને બીજે પોતાનું ખરીદવાને સક્ષમ નથી.
ઘાંચીની પોળ
ઘાંચીની પોળમાં હેરિટેજ 3 મકાનો તોડી અને કોર્મશિયલ બિલ્ડીંગ બનાવી દેવાયા હતા.
મંજૂરીએ વિનાશ વેર્યો
શહેરના હેરિટેજ સ્મારકો અને ઇમારતોના સમારકામ અને રિસ્ટોરેશનની મંજૂરી માટે 3 વર્ષથી સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી તેથી હાલત ખરાબ થઈ છે. તેના નિયમો હળવા કરી દીધા હતા.
માલિકીનાં પુરાવામાં ફેરફાર કરવા અને બાંહેધરી પત્ર માટે રૂ.300 ફી છે. પ્લાન પાસ કરવા માટે ઊંચી ફી માફ કરી દીધી હતી. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ ટ્રસ્ટ દ્વારા 300 મકાનો રીસ્ટોર કરવા અંગે ડોક્યુમેન્ટેશનની કામગીરી અંતર્ગત જે નકશા તૈયાર કરવામા આવ્યા છે તે મફતમાં આપવામાં આવે છે. જેનો ઉપયોગ પ્લાન પાસિંગમાં કરાય છે.
ઉચ્ચ અધિકારીની રહેમનજર હેઠળ જ ઐતિહાસિક વારસો તૂટતો જાય છે. હેરિટેજ ખાનગી મિલકતોને ટેગ મારવામાં આવતી હતી. મોટાભાગની પોળોના હેરિટેજ મૂલ્યની ટેગ ધરાવતા મકાનો તૂટી ગયા છે. ટી ગર્ડર પર બની રહ્યા છે.
ઐતિહાસિક વારસો તૂટતો જાય છે તેને બચાવવા જે તે વિસ્તારના TDO ઇન્સ્પેક્ટર સામે પગલાં ભરવા જોઈએ.
સત્તાધીશ ભાજપનું કૌભાંડ
ભાજપના સત્તાધિશો આ કૌભાંડ કરી રહ્યા છે. કઈ રીતે કરે છે તેની બાબતો ગંભીર છે.
હેરિટેજ મિલકત નામશેષ થઈ રહી છે. શાસકો હેરિટેજ મિલ્કતોની સાચવણી કરી શકયા નથી. બાંધકામ સામે કાર્યવાહી કરવા માટે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગને યાદી સંખ્યામાં આવી હતી.
શહેરની ઐતિહાસિક મિલકત મામલે શરૂઆતથી વિવાદ રહ્યો છે. ઈ.સ. 2000થી 2010માં 12 હજાર 500 ઐતિહાસિક મિલકત હોવાની જાહેરાત કરવામાં આવી હતી. હેરીટેજ મિલકતોની સાચવણી તથા મરામત માટે નિયમો પણ જાહેર કરવામાં આવ્યા હતા.
2011થી 2016માં સેપ્ટ દ્વારા સર્વે કર્યો ત્યારે 10 હજાર હેરિટેજ મિલકત ગાયબ કરી દેવામાં આવી હતી.
સેપ્ટના સર્વે મુજબ મધ્ય ઝોનના શાહપુર, ખાડીયા, કાલુપુર, જમાલપુર, રાયખડ તથા દરીયાપુર વોર્ડમાં 2236 રહેણાંક પ્રકારની હેરિટેજ મિલકત હતી.
ઈન્સ્ટીટ્યુશનલ પ્રકારની 449 મિલકત સાથે કુલ 2985 ઐતિહાસિક મિલકત જણાવવામાં આવી હતી.
યુનેસ્કોમાં ડોઝીયર મોકલવામાં આવ્યું તેમાંથી સેપ્ટના સર્વેમાંથી 10 હજાર મિલકત કેવી રીતે ગાયબ થઈ તેની તપાસ આજ સુધી થઈ નથી.
2985 મિલકત જાહેર કરી તેમાંથી 600 મિલકત એટલે કે 20 ટકા ફરી ઓછી થઈ ગઈ હતી. મધ્યઝોન એસ્ટેટ વિભાગ ભૂ-માફિયાઓ અને રાજકારણીઓ જવાબદાર છે. આ કૌભાંડની જાણ થતા સમિતિના સભ્યો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, મકાનો તોડીને બાંધકામો થઈ રહયા હતા. તેને સીલ કરવા માટે મધ્ય ઝોનના એસ્ટેટ ઓફિસર યાદી મોકલવામાં આવી હતી.
હેરિટેજ સમિતિએ કંસારાની પોળમાં મહાજન વંડો જમાલપુર વોર્ડ, વેરાઈ પાડાની પોળ, કાલુપુરની છીપા પોળ, ખાડીયાના રામજીની શેરી, ખાડીયાની સરકારીવાડ, ખાડીયાની ચાંદલાપોળમાં બે મિલકત તથા ખાડીયાની તળીયાની પોળમાં સરકીવાડ સામે મિલ્કતો સીલ કરવા કહેવામાં આવ્યું હતું.
નીતિ પ્રમાણે બહારથી કલાત્મક સ્ટ્રક્ચર રાખવું અને તેને અંદરથી રીપેરીંગ રીસ્ટોર કરવામાં આવે તેવી જોગવાઈ છે. તેના બદલ હેરિટેજ મકાનને મનસ્વી રીતે નવેસરથી પાયામાંથી ઉભુ કરવામા આવે છે.
2020 અને 2021માં બે વર્ષમાં 40 હેરિટેજ મકાનો તોડી પાડીને ત્યાં નવું બાંધકામ કરી દેવાયું હતું.
2019માં 31 મકાનોને નોટિસ આપી કેટલાકને તો તોડી પાડ્યા હતા.
67 મિલકતોને સૌથી ગ્રેડ-1માં છે. 427 મિલકત ગ્રેડ-2 એ વર્ગમાં છે. 1545 મિલકતોનો ગ્રેડ-3માં છે.
શહેરની 175 પોળમાં આ 2039 મિલકતો હેરિટેજ છે.
દર 3 વર્ષે હેરિટેજ કન્ઝર્વેશન સમિતિ બનાવવા માટે શહેરી વિકાસ વિભાગને કહેવામાં આવે છે, પણ 2016 બાદ આવી સમિતિ બની નથી.
2013માં ગુજરાતની વડી અદાલતે કહ્યું કે, હેરિટેજ પોળ અને મકાનોનાં રક્ષણ માટે સરકારને નીતિ બનાવવા આદેશ આપ્યો હતો.
સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે, જીડીસીઆરમાં સુધારો કરવાને લગતો કોઈ ઠરાવ કરાયો નથી. પોળમાં કોમર્શિયલ પ્રવૃત્તિને મંજૂરી આપવાનો ઠરાવ કર્યો નથી.
ઔડાએ 26 ફેબ્રુઆરી 2015એ એક ઠરાવ વિચારણા માટે સરકારને મોકલ્યો હતો.
સરકારે કહ્યું હતું કે, સર્વે બાદ જર્જરિત થઇ તૂટી પડે તેવા પોળના મકાનો સિવાય કોઈ મકાનને સમારકામ માટે પરવાનગી આપવામાં નહીં આવે.
600 મકાન જોખમી
2019ના સર્વે પ્રમાણે 600થી વધુ હેરિટેજ ઇમારતો સામે જોખમ હતી. મકાનો મરામતના અભાવે જોખમી બની ગયા હતા. હવે તે વધીને 2025માં 1 હજારથી વધારે હોઈ શકે છે. કેટલીક પોળોમાં તો વેપારીઓના માલસામાન મૂકવામાં આવે છે.
અસ્મિતા જોખમમાં
સાથે સાથે કોટ વિસ્તારની હેરિટેજ અસ્મિતા જોખમમાં મુકાઈ છે. પ્રાથમિક અંદાજમાં દર વર્ષે કોટ વિસ્તારના 50થી 100 હેરિટેજ મકાન ઘટતા રહે છે. ગ્રેડેશન મુજબ લાગનારી હેરિટેજ પ્લેટ લગાવાની કામગીરીમાં વિલંબ થયો છે.
જીડીસીઆર નિષ્ફળ
અમદાવાદ શહેરના સત્તાધીશોએ એવો પરિપત્ર કર્યો હતો કે, કોઈ મકાનમાં 3 વર્ષ કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલે અને તેનો મિલકત વેરો ભરે તો તે મિલકત વેપારી બની જાય છે. જે જીડીસીઆરના નિયમની વિરુદ્ધ છે.
કાયદો નિષ્ફળ
દેશમાં હેરિટેજ વારસાની જાળવણી માટે સરકારે મોન્યુમેન્ટ એન્ડ આર્કિયોલોજીકલ રાઇટ્સ એન્ડ રીમેન્સ એક્ટ-2010 કાયદો બનાવ્યો છે. હેરિટેજની આસપાસ 300 મીટર સુધી મંજૂરી વિના બાંધકામ કરવું તે ગુનો બને છે. અમદાવાદમાં કાયદો નિષ્ફળ નીવડ્યો છે. જે મુજબ સંખ્યાબંધ કેસ કરવામાં આવ્યા હતા. તપાસમાં ખામીને કારણે એક પણ કેસ આ કાયદા મુજબ પુરવાર થયો નથી. સફાઈ કર્મચારી કે જે સ્મારક કે હેરિટેજની સાફ સફાઈનું કામ કરતા હોય તે ફરિયાદી બની ફરિયાદ દાખલ કરી શકે છે.
પુરાતત્વ વિભાગ વડોદરામાં બેસે છે. તેમના દ્વારા ક્યારેય કોઈ સ્થળ નિરીક્ષણ કરવામાં આવતું નથી.
નોટિસ વડોદરા મુખ્ય કચેરી દ્વારા આપવામાં આવે છે. પરંતુ પરંતુ કાયદેસરની પ્રક્રિયા કરતા નથી.
ગુનેગાર ઠરે તો બે વર્ષની સજા અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે.
અનીતિ
ખડી સમિતિના પૂર્વ અધ્યક્ષ અમુલ બળવંતરાય ભટ્ટે કહ્યું હતું કે, હેરિટેજ મકાનોના મામલે કોઈ નિતી વિષયક નિર્ણય લેવાની અમને કોઈ સત્તા નથી.
ખોટા ખર્ચા, સાચાની ખબર નથી
ફેબ્રુઆરી 2024 પ્રમાણે શહેરમાં હેરિટેજમાં આવતી મિલકત અને તેમની પાછળ છેલ્લા 6 વર્ષમાં કેટલો ખર્ચ તેની ચોક્કસ માહિતી હેરિટેજ વિભાગ પાસે નથી. રીલીફ રોડ ખાતે આવેલ કેલિકોડોમના રિસ્ટોરેશન કરવાના કામ રુ. 1 કરોડ 50 લાખનું હતું જે વધીને બીજા તબક્કામાં રિસ્ટોરેશન કરવાના કામ માટે રૂ. 2 કરોડ 50 લાખ થઈ ગયો હતો.
રૂ. 32 કરોડનું ખર્ચ એલિસ પુલના રિનોવેશન માટે 2024માં કરવાનો હતો.
રૂ. 8 કરોડ 80 લાખ ખર્ચે લાલ દરવાજા હેરિટેજ સિટી ટર્મિનસનો દેખાવ કરાયો હતો.
રાજ્ય સરકારનું રૂ. 2 હજાર 98 કરોડનું નાનું બજેટ છે.
જ્યારે બીજી બાજુ નરેન્દ્ર મોદીની સરકાર રૂ. 3500 કરોડનું ખર્ચ કરવાની હતી તે વધારીને રૂ. 4500 કરોડના ખર્ચે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા ખર્ચ કરી રહી છે.
ગાંધીજીની મિલકત
અમેરિકાએ ભારતને 1400 હેરિટેજ વસ્તુ પરત કરી હતી પણ આપણે આપણું સાચવી શકતા નથી. 2021માં મહાત્મા ગાંધીએ સ્થાપેલી અને હેરિટેજની કેટેગરીમાં આવતી મિલકતોને મજૂર મહાજન સંઘ વેચવા તૈયાર હતું. અનસૂયાબેન સારાભાઈ સ્મારક, ટેક્સટાઈલ લેબર યુનિયન, શ્યામપ્રસાદ વસાવડા સ્મારક ટ્રસ્ટની મિલકતો છે. મહાત્મા ગાંધીએ સ્થાપેલી સંસ્થાની મિલકત વેચવા કે ભાડે આપવાનો મંત્રી મંડળને કોઈ અધિકાર જ નથી.
0000000000000
વિશ્વના સસ્તા શહેરોમાં અમદાવાદ 7માં ક્રમે છે. માથાદીઠ આવક અન્ય શહેરોની સરખામણીએ વધુ છે. ઈકોનોમી ઇન્ટેલિજન્સ યુનિટના 2021ના રિપોર્ટ મુજબ અમદાવાદ સોંઘુ શહેર જાહેર થયું હતું. 2019માં વિશ્વના ટોચના 30 પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ હતું, 2024માં પણ એવું જ છે. 2023ના એક અહેવાલમાં મકાનોની કિંમત સૌથી વધારે હોવાથી સામાન્ય લોકો મકાનો ખરીદી શકતા નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પર વિશ્વ બેંકની લોન સાથે રૂ. 4,317.67 કરોડનું દેવું 2024માં છે.
અમદાવાદની હરીફાઈમાં 26 સાંસ્કૃતિક શહેરો હતા. ભારતમાંથી અમદાવાદ ઉપરાંત દિલ્હી, મુંબઈ અને ઓરિસ્સાનું શહેર હતું.
28 મે 2020માં અમદાવાદને આખરી હેરીટેજ શહેર જાહેર કરાયું જેમાં અમદાવાદના નોમિનેશનો તુર્કી, લેબનન, ટ્યુનિશિયા, પોર્ટુગલ, પેરુ, કઝાકિસ્તાન, વિયેતનામ, ફિનલેન્ડ, અઝરબૈજાન, જમૈકા, ક્રોએશિયા, પોલેન્ડ, ઝિમ્બાબ્વે, તાન્ઝાનિયા, સાઉથ કોરિયા, એંગોલા અને ક્યૂબા સહિત 20 દેશોનું સમર્થન મળ્યું હતું.
અમદાવાદની નકશીદાર લાકડાની હવેલીઓની વાસ્તુકળા ઉપરાંત વર્ષોથી ઇસ્લામિક, હિંદુ અને જૈન સમુદાયોનું એક ધર્મનિરપેક્ષ સહ અસ્તિત્વ ધરાવતું શહેર માનીને આ દેશોએ સર્વસંમતિથી અમદાવાદ પર પસંદગી ઉતારી હતી.
શહેરને વર્લ્ડ હેરિટેજનો ટેગ મળે એ માટે અનેક લોકો અને અનેક સંસ્થાઓનો ફાળો છે. 1984માં ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. હેરિટેજ વોક શરૂ કરવામાં આવી હતી. હેરિટેજ સેલ સ્થાપવામાં આવ્યો હતો. 2011માં 31મી માર્ચે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ શહેરોની અસ્થાયી યાદીમાં અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સેપ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર રવીન્દ્ર વસાવડા દ્વારા અમદાવાદ ડોઝિયરની તૈયારી શરૂ કરાવવામાં આવી હતી. ડોઝિયરનો ડ્રાફ્ટ યુનેસ્કોમાંથી એક વાર પરત આવ્યો હતો. આખરે 8 જુલાઈ 2017ના રોજ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો હતો.
પેરિસ, કેરો, એડિનબર્ગ મળીને વિશ્વમાં 287 વર્લ્ડ હેરિટેજ સિટી છે. જેમાં ભારતીય ઉપખંડમાં નેપાળના ભક્તપુર અને શ્રીલંકાના ગાલે શહેર છે.
જૂનાગઢ કેમ નહીં
ભારતમાં એકમાત્ર હેરિટેજ સિટી તરીકે વૈશ્વિક દરજ્જો મેળવનાર અમદાવાદ શહેર કરતાં વધુ પુરાણો ઐતિહાસિક વારસો જૂનાગઢ શહેર ધરાવે છે. બે હજાર વર્ષ જૂના પણ હયાત હોય એવા એકમાત્ર શહેર જૂનાગઢને વૈશ્વિક પુરાતન શહેરનો દરજ્જો મળ્યો નથી. કારણ કે, તેનું ડોઝીયર તૈયાર કરનારા નાયર જેવા અધિકારી નથી.
શરતભંગ
યુનેસ્કો એ અમદાવાદ ના અભ્યાસના આધારે હેરિટેજ સિટીની જાળવણી માટે સ્મારકોને દબાણ મુક્ત કરવા, સ્મારકો અને પોળોમાં આવેલી હેરિટેજ ઇમારતોનું જતન ઉપરાંત ટ્રાફિક -પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ લાવવું જેવી શરતો પણ મૂકી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે સ્મારકો અને પોળોમાં આવેલા હેરિટેજ બિલ્ડીંગ્સનું જતન થઈ રહ્યું હોય તેવું લાગતું નથી. કાષ્ઠ પરનું કલાત્મક નકશીકામ ધરાવતા કેટલાક પ્રાચીન મકાન જર્જરિત સ્થિતિમાં આવી ગયા છે.
ટાઈમ મેગેઝીન
14 જુલાઈ 2022માં ટાઈમ મેગેઝિન દ્વારા “2022ના વિશ્વના 50 મહાન સ્થળો”ની યાદીમાં ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદનો સમાવેશ કર્યો હતો. TIME મેગેઝિનની World’s Greatest Places 2022ની યાદીમાં કેરળ પણ હતું. શહેર માત્ર પૌરાણિક સ્થાપત્યો જ નહીં, વર્તમાન શોધો અને ઉપલબ્ધિઓને કારણે પણ ઓળખાય છે. ગાંધી આશ્રમ સાબરમતી નદીના કિનારે 36 એકર વિસ્તારમાં છે. આ સિવાય નવરાત્રી જે નવ દિવસ ઉજવવામાં આવે છે તે દુનિયાના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલમાંથી એક છે.
ટાઈમ દ્વારા લખવામાં આવ્યું હતું કે, સાયન્સ સિટી, થીમ પાર્ક, એન્ટરટેઈનમેન્ટ સેન્ટર, 20 એકર જમીન પર નેચર પાર્ક, રોબોટ ગેલેરી, એક્વેરિયમ છે.
કેરળ અને અમદાવાદ સિવાય આ યાદીમાં યુએઈ, ઓસ્ટ્રેલિયા, સ્પેઈન, ભૂતાન, ઝામ્બિયા, રવાન્ડા વગેરે જેવા અનેક સ્થળોના લોકપ્રિય અને વિશ્વપ્રસિદ્ધ સ્થળોના નામ ઉમેરવામાં આવ્યા છે.
એક અધિકારીએ ગૌરવ અપાવ્યું
અમદાવાદ મહાનગર પાલિકાના હેરિટેજ વિભાગના ડેપ્યુટી મેનેજર પી. કે. વાસુદેવન નાયરે અમદાવાદને હેરીટેજ શહેરનું ગૌરવ આપ્યું હતું.
ભારત સરકારની ભાગીદારીથી 2004થી 2007 દરમિયાન કંબોડિયાના અંગરકોટ વાટમાં ભગવાન બ્રહ્માના મંદિરનું રિસ્ટોરેશનનું કામ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા પ્રોજેક્ટ હેડ પીકે વાસુદેવન નાયર હતા. એએસઆઈમાંથી નિવૃત થઈને અમદાવાદના હેરિટેજ સેલમાં જોડાયા હતા. 2001ના ભૂકંપ પછી અમદાવાદની ફરતે આવેલા દરવાજા, મોઢેરા સૂર્ય મંદિર, ધોળાવીરા અનેક બીજી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની સાઇટના જીર્ણોદ્ધારનું કામ તેમણે કર્યું હતું.
અમદાવાદના હેરિટેજ વિભાગના ડેપ્યુટી મૅનેજર તરીકે તેમણે ભદ્ર પ્લાઝા, અમદાવાદની પોળના મકાનો, ચબૂતરા અને વાવ વગેરે મોન્યુમેન્ટને રિસ્ટોર કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
પી.કે. વાસુદેવન નાયરનો જન્મ 19 મે 1947માં થયો હતો. તેમણે પોતાના કરિયરની શરૂઆત આર્કિયોલોજિકલ ઇજનેર તરીકે કરી હતી. તેમણે ભારતની અનેક મહત્વની આર્કિયોલોજિકલ સાઇટ્સ પર કામ કર્યું હતું.
નાગરિકો પણ હેરિટેજ સાચવવા કામ કરે તે માટેના પ્રયાસ કર્યો હતો.
અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે જે યુનેસ્કોમાં ડોઝિયર મોકલવાનું હતું. આ ડોઝિયર બનાવવાની કામગીરી તે સમયે સેપ્ટ યુનિવર્સિટીના કન્ઝર્વેશનના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ અને સેન્ટર ફોર ગીર કન્ઝર્વેશન વિભાગના વડા પ્રોફેસર રબીન્દ્ર વસાવડાને સોંપવામાં આવી હતી.
કમિશનર આઇ. પી. ગૌતમે તેમને હેરિટેજ સેલના વડા બનાવ્યા હતા. હેરિટેજ વિભાગમાં પાયાની ઈંટ હતા. તેમણે હેરિટેજ સેલને હેરિટેજ ડિપાર્ટમેન્ટ બનાવ્યો હતો. રૂલ્સ રેગ્યુલેશન નક્કી કરતા અને ઇમારતોના રિસ્ટોરેશનનું કામ પણ તેઓ કરતા.
યુનેસ્કોમાં ડોઝિયર મૂકવા માટે જે જરૂરી દસ્તાવેજો કોર્પોરેશન પાસેથી મેળવવાના હતા તે લાવી આપવામાં પી. કે. નાયરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રકારે 2011થી 2018 સુધી દસ્તાવેજ મેળવવા ખૂબ જ અઘરા હતા. એએસઆઈ પાસેથી જ યુનેસ્કોમાં પ્રોજેક્ટ જવાનો હતો.
નાયર અને પ્રોફેસર વસાવડાના તૈયાર કરેલાં ડોઝિયર અને પ્રેઝન્ટેશન અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવ્યો હતો.
અમદાવાદ શહેરની ફરતે જે દીવાલ હતી તે ખંડેર હતી. શહેરની ફરતે આવેલી દીવાલોના કન્ઝર્વેશનનું મહત્ત્વનું કામ કર્યું હતું. ખાનપુર દરવાજાથી શાહપુર તરફ અને એલીસબ્રીજ પાસેની દીવાલને રિસ્ટોર કરવાનું કામ કર્યું હતું.
તેમણે ઇસ્લામિક મોન્યુમેન્ટ માટે પણ સારું કામ કર્યું હતું. તેમણે 2001ના ભૂકંપ પછી ગોમતીપુરમાં જે મસ્જિદ તૂટી હતી તેના રિસ્ટોરેશનનું કામ પણ કર્યું હતું.
અમદાવાદમાં અનેક મોન્યુમેન્ટ હતાં, જે રાજ્ય કે એએસઆઈની યાદીમાં આવતાં ન હતાં. તેનું કામ એએમસીનો હેરિટેજ વિભાગ કરતો.
પોળોના મકાનની લાકડાની કોતરણી કે જેમાં ગુજરાતની સંસ્કૃતિની ઓળખ છે તેને સાચવવાનું કામ નાયર કરતા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેરિટેજ વિભાગે પોળના અનેક હવેલી જેવા મકાનોને રિસ્ટોર કરવાનું કામ કર્યું હતું.
પોળમાં આવેલા ચબૂતરા જે લાકડાના, પથ્થર કે મેટલના હોય તેમને રિસ્ટોર કર્યા હતા. જૂની વાવનું રિસ્ટોર કરી હતી.
ભદ્ર પ્લાઝાને વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અમદાવાદની બેદરકાર પ્રજા તેનો સારી રીતે ઉપયોગ કરી રહી નથી.
યુનેસ્કોની નોંધ
અમદાવાદને વારસાના શહેર તરીકે જાહેર કરતી વખતે યુનેસ્કોએ નોંધ તૈયાર કરી હતી તે ઘણું કહી જાય છે.
ઐતિહાસિક શહેર અમદાવાદ
15મી સદીમાં સુલતાન અહમદ શાહ દ્વારા સાબરમતી નદીના પૂર્વ કિનારે સ્થાપવામાં આવેલા અમદાવાદ દિવાલ ધરાવતું શહેર, સલ્તનત સમયનો સમૃદ્ધ સ્થાપત્ય વારસો ધરાવે છે, જેમાં ભદ્ર સિટાડેલ, ફોર્ટ સિટી વોલ્સ અને ગેટ અને અસંખ્ય મસ્જિદો અને સમાધિઓ સામેલ છે. તેમજ પાછળથી તે સમયગાળાના મહત્વપૂર્ણ હિન્દુ અને જૈન મંદિરો ધરાવે છે. શહેરી માળખામાં ગીચ વસ્તીવાળા પરંપરાગત ઘર (પોલ)નો સમાવેશ થાય છે જેમાં પક્ષીઓના ખોરાકના ચબુતરા, જાહેર કુવાઓ અને ધાર્મિક સંસ્થાઓ જેવી વિશિષ્ટ વિશેષતાઓ સાથે દ્વાર વાળી પરંપરાગત શેરીઓ (પોળ)માં હોય છે. આ શહેર ગુજરાત રાજ્યની રાજધાની તરીકે છ સદીઓથી વિકસ્યું છે.
ઉત્તમ સાર્વત્રિક મૂલ્ય
સંક્ષિપ્ત સંશ્લેષણ
અમદાવાદ શહેરની સ્થાપના સુલતાન અહમદ શાહ દ્વારા 1411માં સાબરમતી નદીના પૂર્વ કિનારે કરવામાં આવી હતી.
જૂના શહેરને પુરાતત્વીય એકમ માનવામાં આવે છે. ઘણી સદીઓથી ટકી રહી છે. પૂર્વ-સલ્તનત અને સલ્તનત સમયગાળાના અવશેષો પર આધારિત તેનું શહેરી પુરાતત્વ તેના ઐતિહાસિક મહત્વને વધુ મજબૂત બનાવે છે.
સલ્તનત સમયગાળાના સ્મારકોનું સ્થાપત્ય ઐતિહાસિક શહેરના બહુસાંસ્કૃતિક પાત્રનું અનોખું મિશ્રણ દર્શાવે છે. આ વારસો અન્ય ધાર્મિક ઈમારતોમાં સમાવિષ્ટ પૂરક પરંપરાઓ અને જૂના શહેરની ખૂબ જ સમૃદ્ધ ઘરેલું લાકડાના સ્થાપત્ય સાથે જોડાયેલું છે, જેમાં તેની વિશિષ્ટ “હવેલી”, “પોળો” (ગેટેડ રેસિડેન્શિયલ મુખ્ય શેરીઓ), અને બારી છે. આંતરિક પ્રવેશ દરવાજા, મુખ્ય ઘટકો છે. આને સામુદાયિક સંસ્થાકીય નેટવર્કની અભિવ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવે છે, કારણ કે તે અમદાવાદના શહેરી વારસાનો પણ એક અભિન્ન ભાગ છે.
ઐતિહાસિક શહેરનું લાકડા આધારિત આર્કિટેક્ચર અસાધારણ મહત્વ ધરાવે છે અને તેના વારસાનું સૌથી અનોખું પાસું છે. તે સાંસ્કૃતિક પરંપરા, કળા અને હસ્તકલા, બંધારણની રચના અને સામગ્રીની પસંદગીમાં અમદાવાદના નોંધપાત્ર યોગદાનને પ્રતિબિંબિત કરે છે અને પૌરાણિક કથાઓ અને પ્રતીકો સાથેના તેના સંબંધો પ્રતિબિંબિત કરે છે, જેણે રહેવાસીઓ સાથે તેના સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો હતો. શહેરના ઘરેલુ આર્કિટેક્ચરની ટાઇપોલોજીને સમુદાય-વિશિષ્ટ કાર્ય અને કુટુંબની જીવનશૈલી સાથે પ્રાદેશિક સ્થાપત્યના એક મહત્વપૂર્ણ ઉદાહરણ તરીકે છે. અનેક ધર્મો (હિન્દુ ધર્મ, ઇસ્લામ, બૌદ્ધ, જૈન ધર્મ, ખ્રિસ્તી ધર્મ, પારસી ધર્મ, યહુદી ધર્મ) સાથે સંકળાયેલી સંસ્થાઓની હાજરી અમદાવાદની ઐતિહાસિક શહેરી રચનાને બહુસાંસ્કૃતિક સહઅસ્તિત્વનું અસાધારણ અને અનન્ય ઉદાહરણ બનાવે છે.
માપદંડ (ii): 15મી સદીના સલ્તનત સમયગાળાથી શહેરના ઐતિહાસિક સ્થાપત્ય તેમના સમય દરમિયાન માનવ મૂલ્યોનું નોંધપાત્ર વિનિમય દર્શાવે છે, જે ખરેખર શાસક સ્થળાંતરિત સમુદાયોની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. સમાધાન યોજના માનવીય મૂલ્યોના સંબંધિત સિદ્ધાંતો અને સમુદાયના રહેવા અને વહેંચણીના પરસ્પર સ્વીકૃત ધોરણો પર આધારિત હતી. ધાર્મિક ફિલસૂફીનું પ્રતિનિધિત્વ કરતી તેની સ્મારક ઇમારતો હસ્તકલા અને તકનીકીના શ્રેષ્ઠ ઉદાહરણોનું પ્રતિનિધિત્વ કરે છે, જેણે એક મહત્વપૂર્ણ પ્રાદેશિક સલ્તનત સ્થાપત્ય અભિવ્યક્તિનો વિકાસ જોયો જે ભારતમાં અનન્ય છે. પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે, સલ્તનત શાસકોએ સ્થાનિક ધાર્મિક ઈમારતોના ભાગો અને તત્વોનો પુનઃઉપયોગ કર્યો અને તેમને શહેરમાં મસ્જિદોમાં પરિવર્તિત કર્યા. ઘણી નવી મસ્જિદ પણ નાની ઇમારતોની રીતે બનાવવામાં આવી હતી, જેમાં સ્થાનિક કારીગરો અને ચણતરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી તેઓને તેમની સ્વદેશી કારીગરીનો ઉપયોગ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળી હતી. તેથી, આર્કિટેક્ચર વિશિષ્ટ પ્રાંતીય સલ્તનત રૂઢિપ્રયોગ વિકસાવ્યો, જ્યાં સ્થાનિક પરંપરાઓ અને હસ્તકલાને ઇસ્લામની ધાર્મિક ઇમારતોમાં સ્વીકારવામાં આવી હતી, પછી ભલે તેઓ ઇસ્લામિક ધાર્મિક ઇમારતોના સિદ્ધાંતોનું સખતપણે પાલન ન કરતા હોય. આ રીતે સલ્તનત સમયગાળાના સ્મારકો પશ્ચિમ ભારતના ઇતિહાસના 15મી સદીના સમયગાળા દરમિયાન સ્મારક કલા માટે સ્થાપત્ય અને ટેકનોલોજીના વિકાસનો એક અનોખો તબક્કો પૂરો પાડે છે.
માપદંડ (v): અમદાવાદ શહેરની વસાહતોનું આયોજન, જેમાં રસ્તાઓ અને સામુદાયિક જગ્યાઓનો સમાવેશ થાય છે, તે સ્થાનિક બુદ્ધિમત્તા અને મજબૂત સામુદાયિક બંધનોની ભાવના દર્શાવે છે. ઘર એ પાણી, સ્વચ્છતા અને આબોહવા નિયંત્રણ (ધ્યાન તરીકે આંગણું) માટે તેની પોતાની જોગવાઈઓ સાથેનું એક સ્વયં-સમાયેલ એકમ છે. તેની છબી અને તેનો ખ્યાલ લાકડાના કોતરણી અને પ્રામાણિક બેરિંગ્સ દ્વારા વ્યક્ત કરાયેલ ધાર્મિક પ્રતીકવાદ સાથે આવાસનું એક સરળ ઉદાહરણ છે. જ્યારે સમુદાય દ્વારા સ્વીકાર્ય તરીકે અપનાવવામાં આવે છે, ત્યારે તેણે પતાવટ સ્તરે તેની જાહેર જગ્યાઓ પર વ્યક્ત કરાયેલ સમુદાયની જરૂરિયાત સાથે એક સંપૂર્ણ સમાધાન પેટર્ન બનાવ્યું હતું અને સ્વ-ટકાઉ દ્વારવાળી શેરી બનાવ્યા હતા. આમ ગીચ વસ્તીવાળા પોલની વસાહતની પેટર્ન માનવ વસવાટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
અખંડિતતા
અમદાવાદનો વિકાસ છ સદીના સમયગાળામાં થયો છે, શહેરમાં સંપૂર્ણતા અને અખંડિતતાને પ્રતિબિંબિત કરે છે અને તેની પરંપરાગત સુગમતા સાથે ફેરફારો અને વિકાસને શોષી લે છે.
ઐતિહાસિક શહેરની ટોપોગ્રાફી અને જીઓમોર્ફોલોજી સહિતની અખંડિતતાની સ્થિતિ હજુ પણ મોટાભાગે અકબંધ છે. સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રગતિશીલ અમલીકરણને કારણે હાઇડ્રોલોજી અને કુદરતી લક્ષણોમાં પરિવર્તન આવ્યું છે. તેનું બિલ્ટ પર્યાવરણ, ઐતિહાસિક અને સમકાલીન બંને, શહેરની વસ્તી અને સમુદાયની આકાંક્ષાઓના સંદર્ભમાં પરિવર્તન અને વિકાસને આધિન છે. તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જમીનની ઉપર અને નીચેની રચનાઓ પણ ક્રમિક રીતે ઉમેરવામાં આવી છે અને/અથવા જરૂરિયાત મુજબ વિસ્તૃત કરવામાં આવી છે. તેની ખુલ્લી જગ્યાઓ અને બગીચાઓ, તેની જમીનના ઉપયોગની પેટર્ન અને અવકાશી સંગઠન અગાઉના સમયથી મોટાભાગે યથાવત છે, જેમાં ફૂટપ્રિન્ટ્સ, ધારણાઓ અને દ્રશ્ય સંબંધો (બંને આંતરિક અને બાહ્ય) માં બહુ ફેરફાર થયો નથી; ઈમારતોની ઊંચાઈ અને જથ્થામાં ફેરફાર, તેમજ શહેરી પાત્ર, બંધારણ અને રચનાના અન્ય તમામ ઘટકો, મોટા ભાગના કિસ્સાઓમાં હાલની ઐતિહાસિક મર્યાદામાં અને સમૂહમાં જ રહ્યા છે, જોકે સમય જતાં તેમાં કેટલાક વિચલનો જોવા મળ્યા છે.
અધિકૃતતા
અમદાવાદનું સેટલમેન્ટ આર્કિટેક્ચર તેની કલ્પના યુક્ત ઘરેલુ ઇમારતો દ્વારા ચારિત્ર્યની મજબૂત ભાવના રજૂ કરે છે. લાકડાના આર્કિટેક્ચરને એટલું પ્રાધાન્ય આપવામાં આવે છે કે તે શહેર માટે અનન્ય છે. સમગ્ર વસાહતનું સ્વરૂપ તેની કામગીરીમાં ખૂબ જ ‘ઓર્ગેનિક’ છે કારણ કે રહેવાસીઓ માટે આખું વર્ષ આરામ માટે તેના આબોહવા પ્રતિભાવને જોતા.
કિલ્લાનું નિર્માણ, મેદાન-એ-શાહીના છેડે આવેલા ત્રણ દરવાજા અને ઉત્તર અને દક્ષિણમાં વિશાળ પ્લાઝા સાથેની જામા મસ્જિદ, આ ઇસ્લામિક શહેરની સ્થાપના માટે સુલતાન અહમદ શાહની પ્રથમ ક્રિયાઓ હતી. મેદાન-એ-શાહીની બંને બાજુએ અને જામા મસ્જિદની આસપાસની પરિઘ પર, વિકાસના ક્રમિક તબક્કામાં ઉપનગરોનો વિકાસ થયો.
તમામ સમુદાયો માટે ઘરેલું ઇમારતોના નિર્માણમાં વપરાતી સામગ્રી ઇંટ ચણતર સાથે મિશ્રિત લાકડું છે. લાકડું તેના ઉપયોગમાં ખૂબ સારી આબોહવાની આરામ અને માનવીય ગુણો પણ પ્રદાન કરે છે. સુમેળભર્યા જીવંત વાતાવરણના વિકાસમાં તેનો એક મહાન એકીકૃત પ્રભાવ પણ હતો, તેના નિર્માણ તત્વોમાં આકાર પર નોંધપાત્ર મૂળભૂત નિયંત્રણ તેને સુમેળભર્યા ગુણો આપે છે.
ઘરનો આકાર સ્વીકૃત પ્રકારના આયોજનની ખૂબ જ મજબૂત સમજણ દર્શાવે છે, જેમાં ઘરની અંદર એક કેન્દ્રીય આંગણું છે, તેના એકંદર કદને ધ્યાનમાં લીધા વગર. ઘરના કદના આધારે આંતરિક કાર્યો હંમેશા આંગણાની આસપાસ અથવા તેની સાથે કરવામાં આવતા હતા. આ આવશ્યકપણે તમામ સમુદાયોમાં સમાન હતું.
‘મહાજન’ (ઉમદા-સંઘ) ની વિભાવના, જ્યાં તમામ લોકો તેમની ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં લીધા વિના જોડાયા, સમાજની સંસ્કૃતિનું નિર્માણ કર્યું જ્યાં સામાજિક કલ્યાણ અને વહેંચણીની મહાન ભાવના હતી. ઇસ્લામિક અને હિંદુ-જૈન અનુયાયીઓના અન્ય મુખ્ય સમુદાયમાં પણ આ જોવા મળ્યું હતું. તંદુરસ્ત સહઅસ્તિત્વના પ્રતિભાવ તરીકે સમુદાય બંધન એ તમામ લોકોની આંતરિક ફરજ હતી. આ આધારે બજારોનું આયોજન કરવામાં આવ્યું અને તમામ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેનો ભાગ બન્યા, જ્યાં વ્યક્તિગત હિતોને સામૂહિક નૈતિકતા અને નીતિશાસ્ત્રને ગૌણ ગણવામાં આવ્યા. આ રીતે વહેંચાયેલ સંસ્કૃતિ શહેરમાં અનુકરણીય સાહસોને પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની હતી, જેણે શહેરને ક્રમશઃ ઉદ્યોગ અને વેપાર સાથે એક પ્રચંડ સ્થાન તરીકે વિકસાવવામાં મદદ કરી હતી જેણે તેને વૈશ્વિક સ્તરે એક મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું હતું.
સંરક્ષણ અને વ્યવસ્થાપન જરૂરિયાતો
અમદાવાદમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સૂચિબદ્ધ 28 સ્મારકો, રાજ્ય પુરાતત્વ વિભાગ (SDA) દ્વારા સૂચિબદ્ધ એક સ્મારક અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં હેરિટેજ વિભાગ દ્વારા સંરક્ષિત 2,696 મહત્વપૂર્ણ ઇમારતોનો સમાવેશ થાય છે.
ASI દ્વારા સૂચિબદ્ધ સ્મારકોને એન્ટિક્વિટીઝ એન્ડ આર્ટ ટ્રેઝર્સ એક્ટ, 1972, અને પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, 1958, અને સુધારો અને ઓળખ અધિનિયમ, 2010 (AMASR) દ્વારા રાષ્ટ્રીય સ્તરે કાનૂની રક્ષણ મળે છે. SDA દ્વારા સૂચિબદ્ધ સ્મારકો પ્રાદેશિક મહત્વના છે અને AMASR દ્વારા સુરક્ષિત છે.
AMC (કોમ્પોનન્ટ ઓફ ધ વોલ્ડ હિસ્ટોરિક સિટી) દ્વારા સૂચિબદ્ધ ઇમારતો અને સ્થળ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના વિકાસ યોજના દ્વારા વિશેષ નિયમો સાથે વિસ્તાર તરીકે સુરક્ષિત છે.
હેરિટેજ ડિપાર્ટમેન્ટ, AMC, અમદાવાદમાં હેરિટેજ મેનેજમેન્ટ માટે નોડલ એજન્સી તરીકે, શહેરના હેરિટેજ મેનેજમેન્ટ પ્લાનની તૈયારીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેને AMCની તમામ સંબંધિત વહીવટી શાખાઓ તેમજ AUDA તેમજ ASI, ગુજરાત SDA અને નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટી જેવી સત્તાધિશો દ્વારા સમર્થન મળે છે.
AMCમાં હેરિટેજ ડિપાર્ટમેન્ટને શહેરના દસ્તાવેજીકરણ, સંરક્ષણ અને દેખરેખની જવાબદારીઓના પડકારરૂપ કદ અને હદને અનુરૂપ ક્ષમતા નિર્માણ અને તકનીકી ક્ષમતા સાથે સમૃદ્ધ બનાવવું જોઈએ. સૂચિત હેરિટેજ મેનેજમેન્ટ પ્લાન શહેરના સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને ટકાઉ વ્યવસ્થાપન માટે એક મહત્વપૂર્ણ સાધન છે. મેનેજમેન્ટ પ્લાનનો ઉદ્દેશ્ય ઐતિહાસિક શહેરી લેન્ડસ્કેપ અભિગમનો ઉપયોગ કરીને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપતી વખતે ઐતિહાસિક શહેર અમદાવાદના ઉત્કૃષ્ટ સાર્વત્રિક મૂલ્યના રક્ષણ અને વૃદ્ધિની ખાતરી કરવાનો છે. તેનો ઉદ્દેશ સાંસ્કૃતિક વારસો સંરક્ષણ અને ઐતિહાસિક વિસ્તારોના ટકાઉ શહેરી વિકાસને શહેર, એકત્રીકરણ અને મોટા પ્રાદેશિક સ્તરે તમામ નિર્ણય લેવાની પ્રક્રિયાના મુખ્ય ઘટક તરીકે એકીકૃત કરવાનો છે. હેરિટેજ મેનેજમેન્ટ પ્લાનના અસરકારક અમલીકરણને અંતિમ સ્વરૂપ, બહાલી અને સુધારાના અમલીકરણ સાથે સુનિશ્ચિત કરવું જોઈએ.વિકાસ નિયંત્રણ નિયમો પર વધુ ઉમેરો.
હેરિટેજ મેનેજમેન્ટ પ્લાનને પૂરક બનાવવા માટે, શહેર માટે વિઝિટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર, મંજૂર અને અમલમાં મૂકવો જોઈએ.
ઐતિહાસિક લાકડાના મકાનોની જાળવણી પર વિશેષ ધ્યાન આપીને હેરિટેજ સંરક્ષણ યોજનાના ભાગરૂપે લોકલ એરિયા પ્લાન પૂર્ણ અને અમલમાં મૂકવો જોઈએ.
મિલકત પરની ઐતિહાસિક ઇમારતો, ખાસ કરીને ખાનગી માલિકીના લોગ હાઉસ, સંરક્ષણ અને સંચાલન હેતુઓ માટે ઐતિહાસિક ઇમારતોના દસ્તાવેજીકરણના સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર વ્યાપક અને સચોટ રીતે દસ્તાવેજી કૃત હોવા જોઈએ.
શહેરના પશ્ચિમ ભાગમાં નવા બાંધકામ અને વિકાસ પ્રોજેક્ટ્સની હદ અને અસરનું વિગતવાર મૂલ્યાંકન કરવું જોઈએ.