- પીંક રીવોલ્યુએશનના નામે નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા મેળવી
ગાંધીનગર, 3 માર્ચ 2020
પીંક રીવોલ્યુએશનના નામે નરેન્દ્ર મોદીએ 2014માં કોંગ્રેસની મનમોહન સીંગની સરકાર સામે દેશભરમાં પ્રચારનો એક મુદ્દો બનીવીને સત્તા મેળવી હતી. ગૌમાંસનો વિરોધ કર્યો હતો. હવે ભાજપના રાજમાં જ સૌથી વધું ગૌમાંસ નિકાસ કરતો દેશ ભારત બની ગયો છે. ગુજરાતમાં ખુલ્લેઆમ ગૌમાંસની કતલ થાય છે. કડક કાયદો ઢીલો થઈ ગયો છે.
વૈજ્ઞાનિકોના નવા સંશોધન અને આકલન પ્રમાણે ગૌમાંસ ઉત્પાદન કરવામાં સૌથી વધુ કાર્બન ઉત્સર્જન થાય છે. આંકડાઓ પ્રમાણે ડુક્કરના માંસ (પોર્ક) અને ચિકનના ઉત્પાદનની સરખામણીએ ગૌમાંસ ઉત્પાદન કરવા ૨૮ ગણી જમીન જોઇએ છે, ૧૧ ગણુ વધુ પાણી જોઇએ છે. મતલબ સરવાળે કાર્બન-ઉત્સર્જન વધે છે. ગૌમાંસનો ઉપયોગ ઓછો થાય તો ગ્રીનહાઉસ સંબંધિત ગેસનું પ્રમાણ પણ ૨૫% જેટલું ઘટી શકે છે વિજ્ઞાનીઓના બીફ (ગૌમાંસ) ઉત્પાદનના નવા સંશોધન અને આંકડાઓ વચ્ચે પર્યાવરણવાદીઓને વધું ચિંતામાં મુકી દીધા છે.
ગૌમાંસ ન ખાય તો મૃત્યુનું પ્રમાણ 5 ટકા ઘટી શકે
વિશ્વભરમાં આહાર આધારિત મૃત્યુનું પ્રમાણ વ્યાપક છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ના પ્રકાશિત એક અહેવાલ અનુસાર જો લોકો ગૌમાંસ છોડી, પ્રોટીન માટે અન્ય વૈકલ્પિક ચીજો ખાવાનું શરુ કરે તો મૃત્યુ દરનું પ્રમાણ ઉચ્ચ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં પાંચ ટકા જેટલું ઘટી શકે છે.
વપરાશ વધી રહ્યો છે
વર્ષ ૨૦૫૦ સુધીમાં વિશ્વની વસ્તી લગભગ ૧૦ અબજ થઇ જવાનો અંદાજ છે. વિશ્વમાં માંસનો આહાર વધી રહ્યો છે અને તેની ગતિ બીલ્કુલ મંદ પડી નથી. ચીન અને અન્ય વિકાસશીલ રાષ્ટ્રોમાં માંગ વધારે પ્રબળ છે. જયારે અન્ય ઉંચી આવક ધરાવતા દેશોમાં માંગ સ્થિર છે પણ ઘટી રહી નથી.
મોદી આવ્યા ગૌમાંસ નિકાસમાં ભારત વિશ્વમાં નંબર નવ બન્યો
મોદી વડાપ્રધાન બન્યા ત્યારે 2014માં બીફ નીકાસ 14.75 લાખ ટન થઈ હતી. જે ૧૦ વર્ષમાં સૌથી વધુ હતી. કોંગ્રેસની મનમોહનની સરકારમાં 2013-14માં ગૌમાંસની નિકાસ 13.65 લાખ ટન હતી. હવે ભારત દેશ દુનિયામાં સૌથી વધું ગૌમાંસ નિકાસ કરતો દેશ છે. 2016માં 15.5 લાખ ટન ગૌમાંસ નિકાસ થયું હતું.
ભેંસના માંસના નામે ગૌ માંસ
દેશમાં ગૌમાંસ પર પ્રતિબંધ છે. તેમ છતાં દેશના ઘણાં રાજ્યોમાં ભેંસનું માંસ એટલે કે બીફના નામ પર ગૌમાંસની નિકાસ થઈ રહી છે. બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઝારખંડ અને તેલંગાણામાં દાખલ કરાયેલી એફઆઈઆરમાં બીફના નામે ગૌમાંસની નિકાસના ગોરખધંધા થાય છે. પાંચ રાજ્યોમાં નકલી સર્ટિફિકેટના સહારે ગૌમાંસનો કારોબાર થઈ રહ્યો છે. ગત બે માસ દરમિયાન આ રાજ્યોમાં લગભગ એક હજાર અગિયાર ટન શંકાસ્પદ ગૌમાંસ જપ્ત થઈ ચુક્યું છે. આ જપ્ત થયેલા શંકાસ્પદ ગૌમાંસની બજાર કિંમત 16 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
ભારતમાં દૂધ આપતી ગાય અને ભેંસને મારવા પર પ્રતિબંધ છે એમ છતાં ગાય અને ભેંસના માંસની મોટા પાયે નિકાસ કરવામાં આવે છે. મિડલ-ઈસ્ટના દેશો, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોના માંસાહારી લોકોમાં બીફની ભારે ડિમાન્ડ છે.
ભાજપના પ્રધાને કહ્યું હું ગૌમાંસ ખાવ છું જોવ છું કોણ રોકે છે
ભાજપના કેન્દ્રીય રાજ્ય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ એક નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ‘ગૌમાંસ ખાનારાં લોકોએ પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.’ તેમના સાથી પ્રધાનનાં નિવેદનનો વિરોધ કરતાં ભાજપના જ કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજીજુએ ૨૭ મેએ એક નિવેદન આપતાં જણાવ્યું કે, ‘હું ગૌમાંસ ખાઉં છું, હું અરુણાચલ પ્રદેશનો વતની છું, શું કોઈ મને આમ કરતાં અટકાવી શકશે? તમે કોઈને તેમ કરતાં અટકાવી શકો નહીં. આ એક લોકશાહી દેશ છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવાં હિન્દુ રાજ્યોમાં ત્યાંની સરકાર તેમના હિસાબે કાયદો ઘડે તો તેમ કરવાનો તેમને હક છે, પરંતુ અમારા ક્ષેત્રમાં અમારાં લોકોની લાગણીનું ધ્યાન રાખવું જોઈએ. આ દેશમાં ઘણા ધર્મ અને મત છે આપણે દરેકનું સન્માન કરવું જોઈએ.’
શંકર સિંહ વાઘેલાએ સુરતમાં અગાઉ કહ્યું હતું કે ગુજરાત ભાજપના નેતાની કારમાં ગાયનું માંસ લઈ જવાનો ધંધો ચાલે છે. તેની સામે પોલીસે ફરિયાદ કરી હતી.