અમદાવાદ, 20 મે 2021
11 મે, 2021ને મંગળવારના દિવસે અમેરિકાના ન્યુજર્સી રાજ્યના રૉબિન્સવિલ્લામાં 2014થી નિર્માણ પામી રહેલા ભવ્ય સ્વામિનારાયણ મંદિરમાં અમેરિકાના ત્રણ વિભાગ – એફ.બી.આઇ.; હોમલેન્ડ સેક્યુરિટી અને શ્રમવિભાગના અધિકારીઓએ સામૂહિક રેડ પાડી. ત્યારે ભારતના મજૂરો ગુલામની જેમ જીવતાં મળી આવતા તેમને મુક્ત કરવામાં આવ્યા છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ BAPS સંસ્થા, ગુજરાતની છે અને ગુજરાતી સંતો દ્વારા દાન મેળવીને લોક કલ્યાણના કામો નહીં પણ મંદિરો બનાવવા માટે જાણીતી છે.
BAPS મંદિર બનાવવા માટે જે પથ્થર પર કોતરણી અને ઘાટ ઘડવામાં આવે છે તે રાજસ્થાનના શિહોરીમાં થાય છે. સ્વામિનારાયણના મંદિરના પથ્થરો પણ અહીં તૈયાર થયા છે. જ્યાં પથ્થરની રજકણોથી સિલોકોશિસ રોગ થાય છે.
રાજસ્થાનના સિરોહીમાં, જ્યાં BAPS મંદિર માટે પત્થરોની ખાણકામ કરવામાં આવે છે, ત્યાં સિલિકોસિસ થાય છે તેમાં સ્વામિનારાયણ મંદિેરે જવાબદારી લેવી આવશ્યક છે.
ગુજરાતના મજૂર આરોગ્ય માટે કામ કરતાં જગદીશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ મંદિર નિર્માણ થઈ રહ્યું છે ત્યાં આવા કોતરવામાં આવેલા પત્થરોની નિકાસ કરવામાં આવે છે.
BAPS મંદિર દ્વારા ન તો કામકાજમાં સિલિકાની ધૂળના સ્તર પર નજર રાખવામાં આવી હતી અથવા તે અમેરિકન ધોરણો અનુસાર જાળવવામાં આવી ન હતી.
BAPSની રાજસ્થાનના સિરોહી જિલ્લામાં તેની વર્કશોપ છે જ્યાં સ્થાનિક કારીગરો દ્વારા અપાયેલા ચિત્ર મુજબ રેતીનો પત્થરો કાઢવામાં આવે છે અને તેને કમાનો, ડિઝાઇન અને શિલ્પ બનાવવામાં આવે છે. તેઓ સિલિકા ધૂળના જોખમી સ્તરના સંપર્કમાં છે, જેનું નિરીક્ષણ કરવામાં આવતું નથી.
રાજસ્થાનમાં કોતરેલા પત્થરો તે સ્થળોએ નિકાસ કરવામાં આવે છે જ્યાં આ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. સેંકડો પથ્થર કામદારો સિલિકોસિસનો શિકાર બન્યા છે અને અકાળે અવસાન પામ્યા છે. ભારતમાં આ મોટાભાગના કામદારોને આરોગ્યની કે સામાજિક સુરક્ષા મળતી નથી અને એમ્પ્લોયર દ્વારા તેમને વળતર ચૂકવવામાં આવતું નથી.
રાજસ્થાનના કામદારો યુનાઇટેડ સ્ટેટ્સમાં અને આયાત કરનાર દેશ તરીકે મંદિરો માટે ઉત્પાદન કરે છે. તે કામદારોની સલામતી અને કામ કરવાની પરિસ્થિતિ વિશે ચિંતિત હોવું જોઈએ.
હજુ પણ નિર્માણકાર્ય ચાલી રહેલા આ મંદિરમાંથી રેડ વખતે પોલીસને 90 મજૂર કામ કરતા જોવા મળ્યા. જેમની કામના સ્થળની સ્થિતિ અમાનવીય હતી. તેમને કામના સ્થળેથી મુક્ત કરાવવામાં આવ્યા.
પોલીસની રેડ એટલા માટે આવી કારણ ન્યુજર્સીની જિલ્લા અદાલતમાં સ્વાતિ સાવંત નામની દલિત મહિલા જે ઇમિગ્રેશન(દેશગમન)નાં વકીલ છે, તેમણે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદની ટૂંકમાં વિગતો આ પ્રમાણે છે.
200 જેટલા મજૂરોને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ BAPS સંસ્થા, જેમણે કરોડોના ખર્ચે મંદિર નિર્માણનું કાર્ય ઉપાડ્યું છે, તેમની સંસ્થા દ્વારા અમેરિકા લઇ જવામાં આવ્યા. મોટા ભાગના મજૂરો દલિત છે.
તેમની પાસે અંગ્રેજીમાં તૈયાર કરાયેલા દસ્તાવેજોમાં સહી કરાવવામાં આવી હતી. મોટાભાગના કામદારો કે જેને અંગ્રેજી નથી આવડતું.
આ મજૂરોને ધાર્મિક પ્રવૃત્તિ માટે ‘આર.1’ (R1) કક્ષાનો વિઝા મળે તે માટે તેમને અમેરિકી દૂતાવાસના અધિકારીઓ સામે એવું કહેવાનું શીખવવામાં આવ્યું હતું કે તેઓ કુશળ શિલ્પકાર અને ચિત્રકારો છે. આ પ્રકારનો વિઝા હંગામી ધોરણે ધાર્મિક પ્રવૃત્તિ માટે આપવામાં આવે છે. તેઓને સ્વૈચ્છીક સેવાધારી દર્શાવવામાં આવ્યા હતા.
અમેરિકા જવાની તક મળે અને ત્યાં સારા પૈસા મળશે તેવી વાતો તેમને કહેવામાં આવી હતી.
અમેરિકા પહોંચ્યા બાદ આ કારીગરોના પાસપોર્ટ લઇ લેવામાં આવ્યા હતા. તેમને લોકનજરે ન ચઢે તેમ મોટા ખટારા(ટ્રેલર્સ)માં રાખવામાં આવ્યા હતા. તેમના રહેઠાણની આજુબાજુ કાંટાળી વાળ હતી. અન્ય મુલાકાતી આવે તેમની સાથે તેઓને વાત કરવાની રજા ન હતી. તેમનું ભોજન દાળ અને બટાકા હતું. તેમની પર સતત નજર રાખવામાં આવતી હતી. કોઈની સાથે વાત કરે તો તેમને જેલમાં મોકલવાની ધમકી પણ આપવામાં આવતી હતી.
અમેરિકામાં આ રાજ્યના લઘુત્તમ વેતનના કાયદા મુજબ શ્રમિકોને દર કલાકના 12 ડોલર એટલે કે રૂ.881 ચૂકવવાના થાય છે, તેની સામે આ કારીગરોને દર કલાકે માત્ર 1 ડોલર એટલે કે રૂ.73 ચુકવવામાં આવતા હતા.
કારીગરો પાસે ગુલામની જેમ ઘણા કલાકો સુધી કામ કરાવવામાં આવતું હતું. રક્ષણ માટે તેમને માથે હેલ્મેટ પણ ન હતી. વધુમાં અમેરિકાના (ન્યુજર્સી) લઘુત્તમ વેતન કાયદા અનુસાર શ્રમિક જો અઠવાડિયાના 40 કલાકથી વધુ કામ કરે તે તેઓ દોઢું વેતન મેળવવા હકદાર બને છે. આ મજૂરો પાસે દર અઠવાડિયે 87 કલાક કામ કરાવવામાં આવતું હતું.
મજૂરોને દર મહિને 450 અમેરિકન ડોલર ચુકવવામાં આવતા હતા. તેમાંથી અમુક રકમ તેમના ભારત ખાતેના બેન્ક ખાતામાં જમા કરાવી હોવાનું કહેવાય છે. હકીકત શું છે તે વધુ તપાસનો વિષય છે.
હકીકતે આ મજૂરો શિલ્પકાર નથી પણ કોતરકામ કરેલા ભારેખમ પથ્થરો દીવાલમાં ગોઠવવાનું કપરું કામ તેમની પાસે કરાવવામાં આવ્યું. તેમને શિલ્પકાર તરીકે માત્ર વિઝા મળે તે માટે જ ઓળખાવ્યા હતા.
ગયા વર્ષે એક મજૂરનું મંદિરમાં જ કામ દરમિયાન મોત થતાં અને ત્યારે સંસ્થાએ યોગ્ય વ્યવહાર ન કરતાં મજૂરોમાં અસંતોષ જાગ્યો હતો. દલિત મહિલા વકીલનો સંપર્ક થયો. ખાનગીમાં વિગતો એકઠી થઇ હતી. અદાલતમાં ખટલો દાખલ કરવામાં આવ્યો હતો. આ વાત આગળ ન વધી કારણ મૃતકના પરિવાર સાથે સંસ્થાએ સમાધાન કર્યું હતું. કેટલા રૂપિયામાં આ સમાધાન થયું તેની વિગતો જાહેર થઇ નથી.
37 વર્ષનો મજૂર મૂકેશકુમાર ભારત પાછા આવવામાં સફળ થયો અને ભારત પાછા આવી તેના અથાગ પ્રયત્નોનાં કારણે આ ફરિયાદ શક્ય બની.
વેતનના નિયમન ઉલ્લંઘન સંદર્ભે કાર્યરત વકીલ ડેનિયલ વર્નરના મતે 1995 પછી અમેરિકાના ઇતિહાસમાં બળજબરીથી વેઠ કરાવવાનો આ કદાચ સૌથી મોટો ખટલો છે. 1995માં કેલિફોર્નિયા રાજ્યના એલમોન્ટ ખાતે થાઈલેન્ડના મજૂરો સાથે અમાનવીય પ્રથા બહાર આવ્યા બાદ પ્રથમવાર ‘ટ્રાફિકિંગ વિકટીમ પ્રોટેકશન કાનૂન’ અમલમાં આવ્યો.
કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા આ મંદિર અમેરિકામાં સૌથી મોટું છે. અમેરિકામાં આ સંસ્થા વતી એટલાન્ટા, ઓકલેન્ડ, શિકાગો, હ્યુસ્ટન, લોસ એન્જેલસ જેવી જગ્યાઓએ ભવ્ય મંદિરો બાંધવામાં આવ્યા છે.
પોલીસ રેડ અને ત્યાર બાદ ‘ન્યુયોર્ક ટાઈમ્સ’માં મોટી પ્રસિદ્ધિવાળો સમાચાર લેખ છપાતાં, આ મંદિરના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ કનુ પટેલ જણાવે છે કે વેતનના ઉલ્લંઘનના આક્ષેપ સાથે તેઓ સહમત નથી. વધુમાં તેઓ સ્પષ્ટતા કરે છે કે રોજબરોજની બાંધકામ પ્રવૃત્તિ સાથે તેઓ સીધી રીતે સંકળાયેલા નથી.
BAPS મંદિર વતી બચાવપક્ષે લેનિન જોશી જણાવે છે કે હકીકતે વિઝાના નિયમોનો કોઈ ભંગ તેમના પક્ષે થયો નથી કારણ આ મજૂરો ભારતમાં અતિ ચોકસાઈપૂર્વક કોતરકામ થયેલા પથ્થરો ગોઠવવાનું કામ કરે છે. માટે તે કુશળ કારીગરો છે. જો કે તે કુશળ કારીગરો હોય તો તેમને શા માટે ખટારામાં રહેવાનું, દાળ અને બટાકા ખાવાના અને મળવા જોઈએ તેના 10 ટકા પૈસા જ શા માટે તેમને ચૂકવાય છે. તેનો તે કોઈ ફોડ પાડતા નથી. એ યાદ રહે કે આ લઘુત્તમ વેતન મજૂરો માટેનું છે, કુશળ કારીગરો માટેનું નથી.
BAPS મંદિરના સમર્થકો ભારતીય નિવાસીઓ મોટી સંખ્યામાં છે. ન્યુ જર્સીમાં જ 4 લાખ ભારતીય નિવાસીઓની વસ્તી છે.
આ સંસ્થાએ દુનિયાઘરમાં ભવ્ય મંદિરો બાંધ્યા છે. આ તમામ મંદિર નિર્માણ કોના શોષણ અને પરસેવાથી બન્યા તે તપાસનો વિષય છે. અયોધ્યામાં બની રહેલ રામ મંદિરના નિર્માણમાં આ સંસ્થાએ અઢી કરોડ રૂપિયા જેટલી રકમનું દાન કર્યાના અખબારી અહેવાલો છે. વિદેશમાં બનનાર આવા એક ભવ્ય મંદિરની શિલાન્યાસ વિધિ ભારતના વડા પ્રધાને કરી છે.
દલિતો સાથે ભેદભાવ અને શોષણની ઘટના નવી નથી. કદાચ અમેરિકાની ધરતી પર આવી ગુલામી થાય તે નવી ઘટના છે. ભારતમાં પણ ધર્મસ્થાનોના નિર્માણમાં શોષિતના પરસેવા-ખૂન રેડાય છે. ધર્મસ્થાન બની જાય પછી તેમને એમાં પ્રવેશવા ન દેવાય તે હકીકત પણ આપણાથી અજાણી નથી.
આ સમાચારો ભારતમાં માત્ર અંગ્રેજી અખબારોમાં જ આવ્યા છે. સ્થાનિક ભાષામાં પ્રકાશિત થાય ત્યારે વધુ ખબર પડશે.