ગુજરાતની પ્રજાને તુરંત સહાય પેકેઝ જાહેર કરો – બિન સરકારી સંસ્થાઓની માંગ

હાલ ગુજરાત રાજ્યનું અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું છે. 22 માર્ચ 2020થી  14 એપ્રિલ સુધી લોક ડાઉનની સ્થિતિ છે. ગરીબોને, ખેડૂતોને, ખેતમજૂરોને, ઔદ્યોગિક કામદારોને, રોજેરોજનું કમાઈને ખાનાર રિક્ષાચાલકો, હાથલારીવાળાઓ, પાથરણાવાળાઓ, લારી-ગલ્લાધારકો વગેરે જેવા અર્થતંત્રના પાયાના અસંગઠિત વર્ગને મોટું નુકસાન થયું છે. ગુજરાતની પ્રજાને સહાય અને મદદ માટે અત્યારે રૂ.2 લાખ કરોડના પેકેઝની તુરંત જરૂર છે. જેમાં સરકારે કેટલીક સહાય જાહેર કરી છે.

અર્થતંત્રના પાયાના લોકોની ગાડી ફરી પાટે ચડાવવા માટે અર્થશાસ્ત્રી PUCLના અગ્રણી હેમન્તકુમાર શાહ, ગુજરાત ખેડૂત એકતા મંચના ખેડૂત આગેવા સાગર રબારી પર્યાવરણ અને ગુજરાત સોશ્યલ વોચ અને સામાજિલ ચળવળકાર મહેશ પંડ્યાએ ગુજરાતની ભાજપની વિજય રૂપાણીની સરકારને કેટલાંક સૂચનો કર્યા છે.

સામાન્ય વહીવટ:
(1) રાજ્યના 32 જિલ્લામાં તા. 08-04-2020ની સ્થિતિએ જિલ્લા ખનીજ ફંડની રકમ રૂ. 5,730 કરોડ જમા પડી છે. આ રકમ તત્કાળ કોરોનાગ્રસ્ત લોકો માટેના રાહત કાર્ય માટે જે તે જિલ્લામાં સ્થાનિક ગામના ઉપયોગમાં લેવામાં આવે.
(2) વ્યવસાય વેરામાં રૂ. 5,000 કરોડની વધુ આવક થાય તે રીતે તત્કાલ વધારો કરવામાં આવે.
(3) સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓના એપ્રિલ અને મે માસના પગારમાં 25 ટકાથી 50 ટકાનો કાપ મૂકવામાં આવે. જેઓ ફિક્સ્ડ પગાર મેળવે છે તેમના પગારમાંથી આ રકમ કાપવામાં આવે નહિ.
(4) પોલિસ વિભાગમાં ફિક્સ્ડ પગારના કર્મચારીઓને મે મહિનાથી કાયમી કરવા. પોલિસને એક પગાર બોનસ તરીકે મે માસના પગારમાં ચૂકવવો.
(5) જિલ્લામાં સામાજિક ન્યાય નિધિ છે તેનો ઉપયોગ અનુસૂચિત જાતિઓ, આદિવાસીઓ અને મહિલાઓના કલ્યાણ માટે કરવો.
(6) એક રાહત સંકલન સમિતિ બનાવવી કે જેમાં જે તે વિસ્તારના પ્રભારી મંત્રી, સરકારી અધિકારીઓ, પોલિસ અધિકારીઓ, સામાજિક અને સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓના નેતાઓનો સમાવેશ કરવો અને રાહત કામગીરીનું સંકલન કરવું.
(7) નગરપાલિકા, ગ્રામ-તાલુકા-જિલ્લા પંચાયતોને રાહત કામમાં સાથે જોડવી.
(8) મુખ્ય મંત્રી રાહત નિધિમાં અત્યાર સુધીમાં આવેલી દાનની રકમ જાહેર કરવી. તેના છેલ્લા બે વર્ષના હિસાબો જાહેર કરી  નિધિને પારદર્શક બનાવવી.

ખેડૂતો, ખેત મજૂરો, માછીમારો, પશુપાલકો અને ગ્રામ વિકાસ:
(1) ખેડૂતોની ચાલુ લોન પર વચગાળાની લોન તરીકે અમુક રકમ આપવી. તેથી માલ વેચવાની ઉતાવળ નહિ કરે, બજારમાં ભીડ ટાળી શકાશે.
(2) પીએમ કિસાન સન્માન નિધિના તમામ પૈસા ડિસેમ્બર મહિના સુધી જમા કરવામાં આવે.
(3) પાક વીમાના બાકી દાવાનો તત્કાલ નિકાલ કરવામાં આવે.
(4) દર કલાકે 5 કે 10 ખેડૂતોને બોલાવી ઘઉં અને ચણાની ખરીદી તત્કાલ શરૂ કરી દેવી.
(5) બજારમાં માલ વેચાણ માટે તબક્કાવાર બોલાવવા.
(6) યુરિયાની અછત ઊભી ના થાય તે માટે વ્યવસ્થા કરવી.
(7) ખેડૂતોનું વીજળીનું બિલ એક વર્ષ માટે માફ કરવામાં આવે.
(8) જથ્થાબંધ વેપારીઓ અને ઉદ્યોગોને ખેડૂતો સીધું વેચાણ કરવાની છૂટ આપો.
(9) ફળો અને શાકભાજીનું રાજ્ય બહાર વેચાણ કરવા ટ્રકો અને રેલવેની વ્યવસ્થા કરવી.
(10) 68 લાખ ખેત મજૂરોના જનધન ખાતામાં મહિને રૂ. 1000 ડિસેમ્બર સુધી જમા કરાવવા.
(11) મનરેગાના 34 લાખ પરિવારોને 100 દિવસની રોજગારી કાયદા મૂજબ આપો. બેંકમાં રૂ. 1000 દર મહિને રાહત તરીકે જમા કરાવો.

(12) નાના માછીમારોને દર મહિને રૂ. 2000ની રોકડ છ મહિના આપવી.
(13) 14,000 દૂધ મંડળીઓના પશુપાલકોને રૂ. 2,000ની માસિક રાહત આપો.

વાણિજ્ય, ઉદ્યોગો અને સેવાઓ:
(1) GIDCના ઉદ્યોગો માટે તત્કાળ રૂ. 5,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવું.
(2) સ્થળાંતરિત મજૂરોને પાછા બોલાવો .
(3) નાના વેપારી અને નાના ઉગ્યોગોને રૂ.2 લાખથી રૂ. 5 લાખની વગર વ્યાજની લોન આપો.
(4) બાંધકામ મજૂરોના કલ્યાણ બોર્ડમાં રૂ.2,820 કરોડ જમા છે, દરેક બાંધકામ મજૂરના બેંક ખાતામાં રૂ.1,000 દર મહિને દિવાળી સુધી જમા કરાવવા.
(5) આંતરરાજ્ય સ્થળાંતરિત મજૂરોને માટે રૂ. 1,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરો.

(6) લારી-ગલ્લા-પાથરણાવાળાઓને રૂ. 2,000 માસિક ધોરણે બે માસ માટે ચૂકવવામાં આવે.
(7) રિક્ષા અને નાના ઉદ્યોગોને લોન છ મહિના સુધી વ્યાજ-સહિત ના ચૂકવે તેવી વ્યવસ્થા કરવામાં આવે. તે માટે બેંકોને જતી ખોટ સરકાર ભરપાઈ કરે.

શિક્ષણ અને આરોગ્ય:
(1) દરેક મહાનગરપાલિકા સફાઈ બોન્ડ જાહેરાત કરી કોરોનાથી અસરગ્રસ્ત મજૂરો માટે જ વાપરે.
(2) ડોક્ટરો, નર્સો, સ્ટાફ, સફાઈ કર્મચારીઓને એક મહિનાનો પગાર બોનસ તરીકે મે મહિનામાં આપવામાં આવે. બાંધેલા પગારદારને કાયમી કરવામાં આવે, એક મહિનાનો પગાર બોનસ તરીકે ચૂકવવામાં આવે.
(3) ધોરણ-1થી ધોરણ-8 સુધીનાં પાઠ્ય પુસ્તકો એપ્રિલ સુધીમાં બાળકોને તેમના ઘરે ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થા કરવી કે જેથી શિક્ષણ યથાવત્ ચાલુ રહી શકે.
(4) એજ્યુકેશન ટીવી ચેનલમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવે.
(5) કોલેજો અને યુનિવર્સિટીઓની પરીક્ષાઓ મે માસના અંત સુધી મોકૂફ રાખવી, તે જુન માસમાં લઈને તરત જ શિક્ષણ કાર્ય શરૂ કરવું.
(6) 3 લાખની આવકવાળા વાલીઓના બાળકોની ફી માફ કરવામાં આવે.
(7) તમામ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ 3 મહિનાની ફી માફ કરે તેવું જાહેરનામું તાત્કાલિક બહાર પાડવું.
(8) મધ્યાહન્ન ભોજનની 3 મહિનાની રકમ વાલીને આપી દેવામાં આવે.

9 નિરાધાર મહિલાઓ અને વૃદ્ધ વડીલોને દર મહિને રૂ.5 હજાર આપવાનું શરૂં કરવામાં આવે.

10 વેરામાં રાહતો જાહેર કરો.

આશા છે કે અમારાં ઉપરોક્ત સૂચનો પર આપની સરકાર ધ્યાન આપશે અને તત્કાલ પગલાં લેશે.