Sunday, August 9, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

અમરેલીમાં કાછડિયા કેમ કંઈ ન કરી શક્યાને વિવાદો ઊભા કર્યા

અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાએ ચૂંટણી આવતાં પોતાના મત વિસ્‍તારનો પ્રવાસ શરૂ કર્યો છે. તેઓએ જનતા અને ભાજપના કાર્યકરોની વેદના સાંભળવાનું શરૂ કર્યું છે. પણ તેઓએ ભાજપમાં સાચો અવાજ રજૂ કરનાર ભાજપના કાર્યકરોને સાથે રાખતાં હોવાથી તેમની સામે વિરોધ શરૂ થયો છે. ભાજપના નેતાઓએ આવા કાર્યકરોનો અવાજ સાંભળવાના બદલે તેમને બળવાખોર જાહેર કરી દીધા છે, તેમને પક્ષમાંથ...

ખેત તલાવડી કૌભાંડ રોજ બહાર આવી રહ્યા, છતાં સંયુક્ત તપાસ નહીં

ખેડૂતો માટેની યોજનાઓમાં વ્યાપક પણે ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ખેડૂતોના ખેતરમાં નાના તળાવ બનાવવાની યોજનામાં વ્યાપક કૌભાંડ થયું છે. રોજ આવા કૌભાંડ બહાર આવી રહ્યાં છે. વડોદરા જિલ્લાના સોખડા અને બરકાલ ગામે સરકારી અધિકારીઓએ લાખોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. જેમાં મદદનીશ નિયામક સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. 13 ખેતરમાં ...

પરપ્રાંતિય હુમલામાં ભાજપ અને કોંગ્રેસનું રાજકારણ જવાબદાર : હાર્દિક પટે...

હાર્દિક પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં પરપ્રાંતિયો ઉપર હુમલા અને ભય પેદા કરવાની ઘટનાઓએ જે ગુજરાતનું નામ ખરાબ કર્યું છે. ગુજરાતનું નામ અત્યાર સુધી સમગ્ર દેશમાં પ્રેમ ભાવ માટે ગર્વથી લેવાતું હતું, તેને લાંછન લાગ્યું છે. આ ઘટનાની પાથળ ગુજરાતની જનતા નથી, પરંતુ રાજકીય રોટલા સેકનારા ચોકકસ લોકો છે, જે ભાજપ અને કોંગ્રેસના હોઈ શકે છે. ગુજરાતની આ સંસ્કૃતિ ન...

પક્ષ પલટું કુંવરજી બાવળીયા પણ પેટા ચૂંટણીમાં હારશે, હાર્દિક પટેલ

પાકિસ્તાનમાં જવા માગતાં જૂનાગઢ રાજ્યને ભારતમાં ભેળવીને નવાબને પાકિસ્તાન ભગાડી દેવાનું બહાદૂરી ભર્યું કામ કરનારા સરકાર પટેલની સાચી જન્મ જયંતીની ઉજવણી હાર્દિક પટેલ દ્વારા જૂનાગઢમાં કરવાની જાહેરાત કરી છે. જૂનાગઢ જિલ્લામાં સરદાર જયંતી 31 ઓક્ટોબર 2018ના રોજ 50 હજાર લોકો એકઠા થઈને સરકારને અંજલી આપશે એવું પાસ દ્વારા નકકી કરાયું છે. હાર્દિક પટેલે આ સંદર...

નવરાત્રીમાં ડ્રગ્સ લઈને દાંડીયા રમાય છે ?

ગુજરાતની ભાજપ સરકારનું ગૃહ ખાતું માને છે કે, યુવાનો નવરાત્રીમાં માતાજીના ગરબા ડ્રગ્સ લઈને કરે છે. પોલીસ દ્વારા યુવાનોમાં ડ્રગ્સના વધી રહેલા પ્રમાણને કારણે પોલીસ તંત્રએ એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન શરૂ કર્યું છે. ડ્રગ્સના બંધાણી યુવાનોએ કયા પ્રકારના ડ્રગ્સનું સેવન કર્યુ છે તેનો ઘટસ્ફોટ કરતી એબોન નામની એક ડિવાઇસ વડોદરા પોલીસે ખાસ યુરોપથી મંગાવી છે. જેનો ઉપય...

અમરેલી જિલ્લો ભાજપ મુક્ત કરીશું – કોંગ્રેસ જિલ્લા પ્રમુખ

કોંગ્રેસના નવા નિયુક્ત થયેલા જિલ્લા પ્રમુખ અર્જુન સોસાએ પદ સંભાળતાની સાથે જ આક્રમકતા ધારણ કરીને જાહેર કર્યું છે કે અમરેલી લોકસભાની બેઠક પર ભાજપના સાંસદને હરાવીને અમરેલીને ભાજપ મુક્ત બનાવીશું. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સામે ભાજપના કોઈ પણ ઉમેદવાર આવે તેનો ઘોર પરાજય આપવા માટે અમરેલીની પ્રજા તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે, તાલુકા પંચાયતો, જ...

કોંગ્રેસનું ઝંબો પ્રદેશ માળખું દશેરાએ જાહેર થશે ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનનું પ્રદેશ માળખું દશેરાના દિવસે જાહેર થાય તેવી શક્યતા છે. અમિત ચાવડા પર વરિષ્ઠ નેતાઓનું દબાણ વધતાં 200 સભ્યોને સમાવમાં આવે તેવી શક્યતા છે. અમિત ચાવડાની માનસિકતા તેમાં જોવા મળશે. અત્યાર સુધી જે છૂટક નિમણુંકો થઈ છે તેમાં તેમની માનસિકતા સવર્ણો વિરોધી દેખાઈ છે. જો આ રીતે જ તેમની નીતિ રહેશે તો 2017ની વિધાનસભાની ચૂંટણી...

મુખ્ય પ્રધાન એવું કેમ બોલ્યા, મહંગાઈ બદનામ

મુખ્યમંત્રી એપ્રન્ટીસ યોજના હેઠળ 1 લાખ યુવાનોને નોકરી આપવાના લક્ષ્યાંક સામે 53000 યુવાનોને નોકરીનાં આદેશ ડિસેમ્બર 2018માં અપાશે, તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  યુવક મહોત્સવનો પ્રારંભ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ઉત્તર ભારતના લોકોની હિજરતથી અને યુવાનોના પ્રહારોથી ચારેબાજુ ઘેરાઈ ગલેયાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અમારો તો એ જ નિર્ધ...

મુખ્ય પ્રધાન રૂપાણી અને ઠાકોર સામે ગુનો દાખલ, તો ગુજરાતમાં 3 MLA સામે ...

ગુજરાતમાં હિન્દી ભાષી પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા અંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિરુધ્વ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાછલા એક અઠવાડિયાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઉત્તરભારતીઓ પર હુમલાના બનાવો બન્યા છે. આ બનાવો અટકાવવા સરકાર નિષ્ફળ ગઈ છે અને ભાજપની રૂપાણી સરકારે હુમલાની જવાબદારી અલ્પેશ ઠાકોર પર નાંખી દી...

અમરેલીનો અમર પટ્ટો કોઈને નહીં

અમરેલીમાં કોંગ્રેસનું પ્રભુત્વ સ્થાપિત કરનાર વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી માટે પણ અમરેલીનો અમર પટ્ટો લોકોએ લખી આપ્યો નથી. અહીં એક સમય હતો કે ભાજપના નેતાઓનો દબદબો હતો. લોકોએ તે નેતાઓને ફેંકી દીધા છે. જેમને હવે રાજ્યસભા અથવા બોર્ડ કોર્પોરેશનમાં પદ આપીને જીવાડવા પડી રહ્યાં છે. તેવું જ હવે પરેશ ધાનાણી માટે થઈ રહ્યું છે. અમરેલી અને તેની આસપ...

ગોધરા પછી પ્રદેશવાદથી ગુજરાત સૌથી વધું બદનામ થયું  

ગુજરાતમાં 50 લાખ લોકો ગુજરાત બહારના છે. જ્યારે ભારત અને ભારત બહાર એક કરોડ અને મુંબઈમાં 10 લાખ લોકો ગુજરાતી છે. મુંબઈથી ગુજરાતીઓ દર વર્ષે હિજરત કરીને ગુજરાતમાં આવે છે. તે સિવાય બીજે ક્યાંય પ્રદેશવાદના કારણે ગુજરાતીઓએ હિજરત કરવી પડી નથી. ઈદી અમીન અને દક્ષિણ આફ્રિકાને બાદ કરતાં આવી ઘટનાઓ ક્યાંય બની નથી. પણ ગુજરાતમાં એક અઠવાડિયામાં જે કંઈ થયું તેમાં મા...

#METOO નલિયા સામુહિક ભાજપ બળાત્કાર કાંડ: ભાજપના ત્રણ નેતાને જામીન બાદ ...

ભાજપની સંપૂર્ણ સેક્સ કથા - દિલીપ પટેલ કચ્છની ભાજપની એક યુવતીએ #METOO કેમ્પેઈન કરીને ભાજપના બળાત્કારી નેતાઓને ખૂલ્લા પાડ્યા હતા. હવે એજ બળાત્કારના આરોપીઓ પોતે હીરો હોય તેમ જાહેરમાં અભિવાદન જીલવા લાગ્યા છે. આવો એક કાર્યક્રમ કંડલામાં યોજાયો હતો. ગેંગરેપનો કિસ્સો સેક્સ રેકેટ તરીકે બહાર આવ્યો હતો. સમગ્ર દેશમાં ભાજપના નેતાઓના બળાત્કાર કેસ તરીકે જાણ...

ઘી ખાવાનું બંધ કરો કાં ગાય વસાવો, નહીંતર કેન્સર માટે તૈયાર રહો  

ગુજરાતના આરોગ્ય અધિકારીઓ લોકોને ભેળસેળ સાથે વપરાતાં ઘીને રોકવા માટે સદંતર નિષ્ફળ નિવડ્યા છે. ગાય અને ભેંસના દૂધમાંથી બનતાં ઘીના બદલે હવે ભેળસેળ યુક્ત ઘી બનાવતાં હજારો લોકો છે. જેમાંથી થોડા પકડાય છે. ભાજપના રાજમાં અસલી નહીં પણ નકલી ઘીની નદીઓ વહી રહી છે. નકલી ઘીનું વેચાણ રોજ વધી રહ્યું છે. મોટાભાગના કિસ્સામાં પોલીસ દ્વારા નકલી ઘી પકડાય છે. પણ લોકોના ...

1 લાખ કરોડના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સામે ગુજરાતના ખેડૂતોનો વિરોધ

વધું એક પ્રોજેક્ટ માટે ખેડૂતો સાથે બળજબરી કરતાં જોખમમાં મૂકાયો છે. બુલેટ ટ્રેન જેટલો જ ખર્ચ જ્યાં થવાનો છે તે દિલ્હી-મુંબઈ વચ્ચે રૂ.1.20 લાખ કરોડનો ખર્ચે 1250 કીમીના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે બનાવવા અને તે માટે ખેડૂતોની જમીન ફરજિયાત લઈ લેવાના સરવેનું કામ શરૂ થતાં ગુજરાતના ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યાં છે. 200 કી.મી.નું અંતર ઘટાડવા માટે એક લાખ કરોડનુ...

ભાજપનું કરોડોનું દુકાન કૌભાંડ, અધિકારીઓ સાથે મળી ગયા, કોંગ્રેસ પણ ભાગી...

ભાજપના બે સભ્યોએ સરકારી જમીન પર પોતાનો કન્ટ્રક્શન પ્રોજેક્ટ મૂકીને રૂ.13 કરોડની દુકાનો બનાવી દઈને લોકોને વેંચી મારવાના કૌભાંડમાં રાજ્ય સરકાર કે ભાજપે કોઈ પગલાં ન ભરતાં આખરે ભાજપના બે સભ્યોને તેમના પદ પરથી દૂર કરવા માટે દેવગઢવાબારીયાના લોકોએ માંગણી કરી છે. ભાજપના બે સભ્યોએ તો પોતાના નામે 22 દુકાનો બનાવી દીધી અને તે લોકોને છેતરીને ગેરકાયદે વેચી દીધી ...