ગાંધીનગર, 22 ડિસેમ્બર 2020
ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેર કર્યું છે કે, 25 ડિસેમ્બર 2020એ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મ જયંતીએ સુશાસન દિવસ મનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર દા. મોદી દ્વારા ખેડૂત હિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વ વિશે સમગ્ર દેશની જનતાને સંબોધિત કરવામાં આવશે.
કૃષિ સહાય નિધિ યોજના હેઠળ 9 કરોડ ખેડૂતોના ખાતામાં રૂ.18000 કરોડ જમા કરાવવામાં આવશે. કેન્દ્રની ભાજપા સરકાર અંત્યોદયના લક્ષ્ય સાથે ગરીબો તેમજ ખેડૂતો પ્રત્યે સમર્પિત છે. ગુજરાતના પ્રત્યેક ગ્રામ્ય વિસ્તારમાં સરકારની ગરીબો અને ખેડૂત હિતકારી યોજનાઓ અને ઉપલબ્ધિઓ વર્ણવશે.
આ વાત જાહેર થતાં ગુજરાતના ખેડૂત આગેવાન ભરત ઝાલાએ ખેડૂતોની ચોંકાવનારી વિગતો બહાર પાડી છે. જે દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ પણ રજૂ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટ કરતાં મોદી અને રૂપાણી મોટા
6 જૂલાઈ 2017માં સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, ખેડૂતોના આપઘાત અટકાવવા માટે 31 ડિસેમ્બર 2017 સુધીમાં નીતિ બનાવવામાં આવે. તે માટે હજું સુધી ગુજરાત સરકારે અને ભારત સરકારે નીતિ તો બનાવી નથી. પણ સુપ્રિમકોર્ટમાં સોગંદનામું પણ રજૂ કર્યું નથી. સુપ્રિમ કોર્ટનો આદેશ ભારત સરકારે માન્યો નથી.
મોદી રાજમાં ગુજરાતમાં 5 હજાર ખેડૂતોની આત્મહત્યા
ઝાલાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં 2014માં 600 ખેડૂતો અને ખેત મજૂરોએ આત્મહત્યા કરી હતી. 2015માં 301 અને 2016માં 408 ખેડૂતો અને ખેત મજૂરોઆ આત્મહત્યા કરી હતી. 1300 ખેડૂતો 3 વર્ષમાં જીવ ગુમાવી ચૂક્યા છે. જે સરેરાશ 433 ખેડૂતો એક વર્ષમાં થાય છે. તે હિસાબે 2020 સુધીના 7 વર્ષમાં 3000 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. મોદીનું શાસન પૂરું થશે ત્યાં સુધીના 10 વર્ષમાં ગુજરાતમાં 3000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. 4330થી 5 હજાર ખેડૂતોએ આત્મ હત્યા કરી હશે. આમા સુશાસન કઈ રીતે કહી શકાય ? તેમ તેમણે જણાવ્યું હતું.
મોદી કરતાં મનમોહન સારા
આમ તેઓનું સુશાસન કઈ રીતે ઉજવણી કરવાનો હક્કા છે. તે સમજાતુ નથી. ખરેખ તો આત્મહત્યા ગુજરાતમાં તો થવી જ ન જોઈએ. જો સુશાસન હોય તો. આખા દેશમાં 2013ના મનમોહન સીંગની કોંગ્રેસ સરકારમાં 11772 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. પણ મોદીના રાજમાં તો તે વધીને 12360 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી હતી. 2015માં 12602 ખેડૂતો અને 2016માં 11370 ખેડૂતોએ જીવ ગુમાવ્યો હતો.
દેશમાં 1.25 લાખ ખેડૂતોની આત્મહત્યા
આ આંકડાઓ પરથી ઓછામાં ઓછું એટલું તો કહી શકાય કે 2014થી 2020ના 7 વર્ષમાં ઓછામાં ઓછા 77 હજાર અને વધુમાં વધું 90 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. તેમનું શાસન પૂરું થશે ત્યાં સુધીના કુલ 10 વર્ષમાં 1.10 લાખથી 1.25 લાખ ખેડૂતોએ સરકરાની સહાય ન મળતા જીવ ગુમાવી ચૂક્યા હશે. આટલી જીવ હાની અગાઉની કોઈ સરકારમાં થઈ નથી. ત્યાને સુશાસન કેવું અને વાત કેવી , તેમ ઝાલાએ જણાવ્યું હતું.
ઉકેલ શું
ઝાલાએ કહ્યું હતું કે ખેડૂતો આત્મ હત્યા કરે છે તેમાં મોટા ભાગે તેની આર્થિક હાલત ખરાબ હોવાના કારણે કરે છે. તેથી સ્વામીનાથન સમિતિએ જે કહ્યું છે તેનો અમલ કરવામાં આવે. જો તેમ થાય તો આત્મહત્યા ઘટાડી શકાય અને ખેતીની આવક વધારી શકાય છે.
ગુજરાતના ખેડૂતો સૌથી વધુ પાક કપાસનો લે છે. તે અંગે તેમણે ગણતરી કરીને કહ્યું હતું કે, ખેડૂતોને કપાસ ઉગાડવામાં ખર્ચ થાય છે પૂરતો ટેકાનો ભાવ મળતો નથી.
ખેડૂતનો ટેકાના ભાવનો ખોટનો 2019-20નો હિસાબ – એક હેક્ટરનો
1- ખેડ,ખાતર,બિયારણનું ખર્ચ રૂ.6800
2- ઘરના બે સભ્યની મજૂરી રૂ.480
3- મજૂરની મજૂરી રૂ.250 પ્રમાણે રૂ.120000
4- લોનનું વ્યાજ રૂ.14647
એક હેક્ટરે કુલ ખર્ચ રૂ.2,18,047
એક હેક્ટરે જો 180 મણ કપાસ પાકે તો એક મણની પડતર કિંમત રૂ.1211 થાય.
સ્વામિનાથન સમિતિની ગણતરી પ્રમાણે પડતરમાં 50 ટકા નફો ઉમેરીને ખેડૂતોને એક મણ કપાસનો ભાવ રૂ.1816.50 મળવા જોઈએ.
પણ મળે છે રૂ.800થી રૂ.1200
જો કપાસમાં પાછતરો કે વધું કે ઓછો વરસાદ પડે, રોગ આવે તો કપાસ ન પણ થાય ત્યારે ખેડૂતોએ આ ખર્ચ તો કરી કાઢ્યું હોય છે. હવે સરકારે વીમો બંધ કરી દીધો છે અને સહાય આપે છે.
ભરત ઝાલાએ જણાવ્યું હતું કે, ટુંક સમયમાં ખેડૂતોના પ્રશ્નનોનું નિરાકરણ લાવવા અને દિલ્હીમાં ચાલતા આંદોલનને સમર્થન આપવા અમદાવાદમાં ધરણા કરાશે. પોલીસની મંજૂરી લેવામાં આવશે. જો રૂપાણીની પોલીસ મંજૂરી નહીં આપે તો ગુજરાત હાઇકોર્ટેમાં અરજી કરી મંજૂરી મેળવીને ઘરણા કરીશું. ગુજરાતમાં કોઈને પોતાની વાત રજૂ કરવા માટે ભાજપ સરકાર મંજૂરી આપતી નથી.
ગુજરાતના લોકો ઘરણા રેલીમાં જોડાવા માટે નામ સરનામા અને મોબાઈલ નંબર 9979099881 ઉપર મોકલવા અપીલ કરી છે. જેથી ધરણામાં કેટલી સંખ્યા થશે તેની તે રીતે મંજૂરી લઈ શકાય. તેમ તેમણે જણાવ્યું હતું.
કાળા કાયદાથી કોઈ ફાયદો નથી
ખેડૂતોના આપઘાત ઘટવાના બદલે વધી જતાં 2019માં ક્રાંતિ સંગઠન દ્વારા સર્વોચ્ચ અદાલતમાં માર્ગદર્શન માટે ખાસ અરજી કરી હતી. જેનો જવાબ કેન્દ્ર સરકારે આપ્યો નથી. 3 કાળા કાયદાઓ લાવીને ખેડૂતોને કોઈ ફાયદો થાય તેમ નથી.
દેશ ભક્ત મોદી નથી
ભાજપના નેતા નરેન્દ્ર મોદી ખરા અર્થમાં દેશભક્ત હોય તો પહેલા તો ખેતી નીતિ બનાવવી જોઈએ. ખેતીનું અંદાજપત્ર વધારવા માટે પણ દેવાનાબુદી, પાક નુકસાનમાં પૂરું વળતર, સ્વામિનાથન પ્રમાણે ટેકાના ભાવો આપીને ખેતી આયોગ કેન્દ્ર અને ભાજપ સરકારે તુરંત બનાવે તો જ ખેડૂતોનો ઉદ્ધાર થાય તેમ છે. આ 3 કાળા કાયદાથી થાય તેમ નથી.
સાચા અર્થમાં દેશ ભકત હોય તો ખેડુતો ના આપઘાતો અટકાવવા યોગ્ય કાયમી કુષી નિતી બનાવવા મા આવે જે મા દેવા નાબુદી, પાક નિષ્ફળ જતાં સમયસર અને પુરૂ વળતળ ઉત્પાદન ના પુરાભાવ અને આપઘાત કરનાર ખેડૂત પરિવારોને મદદ માટે બજેટ ફાળવણી કરવામાં આવે અને અમલવારી કરવા મા આવે તેમ અમદાવાદના કિસાન અધિકાર મંચ ગુજરાત અને નાગરિક સંશોઘન અને સંઘર્ષ કેન્દ્રના ભરત ઝાલાએ જણાવ્યું હતું.