Friday, August 7, 2026

સ્ટલિંગ , નારાયણી અને એચસીજી હોસ્પિટલએ લૂંટ કરી, રૂપાણીએ કોઈ પગલાં ન લ...

અમદાવાદ, 16 મે 2020 કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, ઉપરાંત રાજય સરકારે ત્રણ મોટી હોસ્પિટલ સ્ટલિંગ , નારાયણી અને એચસીજી હોસ્પિટલને રુ . 8 લાખના પેકેજ લઈ કોરોના દર્દીઓની સારવાર કરવાની છૂટ આપી છે. જે ગેરકાયદે છે . હાલની મહામારીની સ્થિતિમાં કોઈપણ ખાનગી હોસ્પિટલને મનફાવે...

અમદાવાદમાં 850 મોત, કઈ હોસ્પિટલમાં કેટલાં મોત થયા ?

અમદાવાદ, 16 મે 2020 કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, 15 મે 2020 સવારે 10 વાગ્યાની સ્થિતિ જોતા અમદાવાદ શહેરમાં કોરોનાની સારવાર દરમ્યાન 859 દર્દીઓના મોત નિપજયા છે . આ પૈકી એસવીપીમાં 106 , સિવિલ હોસ્પિટલમાં 306 , સોલા સિવીલમાં 22 અને અન્ય હોસ્પિટલમાં 25 દર્દીઓના સારવાર ...

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ...

ગાંધીનગર, 16 મે 2020 ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન વિભાગની ટૂંકી - એક અઠવાડિયા સુધીની આગા...

ભ્રષ્ટાચાર અટકાવવા દારૂબંધી દૂર કરો -શંકરસિંહ, 20 હજાર કરોડની ગોલમાલ

ગાંધીનગર, 15 મે 2020 દારૂબંધી ગેરકાયદેસર કાળા નાણાંની ગેરકાયદેસર મુક્તિ છે. ભાગીદારીમાં વહીવટી તંત્ર અને મંત્રીઓ વચ્ચે જે પૈસા ખોટી રીતે જાય છે તે સીધા સરકારની તિજોરીમાં આવશે. જેનો લાભ સામાન્ય લોકો મફત શિક્ષણ અને મફત તબીબી મેળવી શકે છે. તેમ શંકરસિંહ વાઘેલાએ 15 મે 2020ના દિવસે જાહેરાત કરી હતી. ગુજરાતમાં છેલ્લાં 24 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરા...

બહારથી આવતા લોકોની માહિતી રાખવા માટે ‘‘ગેટ વે ઓફ બોટાદ’’ એપ્લીકેશન બના...

બોટાદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ ખાતેના આરોગ્યકર્મી તથા પોલીસ કર્મીઓને આ એપ્લિકેશન મારફત માહિતી લેવા સૂચના અપાઇ , જિલ્લામાં પ્રવેશતા લોકોનું થશે ડીજીટલ ટ્રેકિંગ બોટાદ, 9 મે 2020 વિશ્વમાં પ્રસરેલા કોરોના મહામારીને ફેલાતી અટકાવવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લાની હદમાં પ્રવેશ થતા મુસાફરોની તમામ...

350 ટ્રેન ભરીને 4.70 લાખ મજૂરોને ગુજરાત બહાર મોકલાયા

અત્યાર સુધીમાં ૩૪૯ વિશેષ ટ્રેન દ્વારા કુલ ૪ લાખ ૭૦ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતા પૂર્વક વ્યવસ્થા કરી છે. સમગ્ર દેશમાંથી ૯ લાખ ૮૫ હજાર જેટલા શ્રમિકો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે તેમાં ૩ લાખ ૯૫ હજાર એટલે કે દેશના કુલ શ્રમિકોના ૪૦ ટકા ગુજરાતમાંથી જનારા શ્રમિકો છે. આજે વધુ ૪૭ સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી ...

મોદીએ ધોલેરાના ધોળા દિવસે મારેલા મહા ગપ્પાં પકડાયા

https://youtu.be/O5Ww4cE_C0s ધોલેરા, દિલ્હીથી બે ગણુ મોટું અને શાંઘાઈ થી છ ગણુ મોટું. આવું મોદી આ વિડિયોમાં કહે છે. આવા ગપ્પા મારતાં નેતા શું ગણાય ? દિલ્હીનો વિસ્તાર ૧૪૮૪ સ્કે.કીમી. શાંઘાઈનો વિસ્તાર ૬૩૪૦ સ્કે.કીમી. ધોલેરા ૯૨૦ સ્કે.કીમી. મોદી જે વિડિયોમાં ગપ્પા મરે છે તે પ્રમાણે ધોલેરાનો આટલો વિસ્તાર ગણાય. દિલ્હી મુજબ ધોલેરાનો વ...

આત્મનિર્ભર, કોરોના અને ગાંધીજી – ‘ગ્રામ સ્વરાજ’, ‘વિકેન્દ્રીકરણ’...

પ્રો. આત્મન શાહ અને ડો. સુનિલ મેકવાન ભારતના વડાપ્રધાને દેશને આત્મનિર્ભર બનવાની વાત રજૂ કરી અને તેની સાથે જય જગતનો ઉલ્લેખ પણ કર્યો. જો કે સ્વદેશીની વાત કરનાર ગાંધીજી કે પછી ‘જય જગત’ ખ્યાલના પ્રણેતા વિનોબા ભાવેનો ક્યાંય ઉલ્લેખ થયો ન હતો. ગાંધીજીએ અર્થશાસ્ત્રના મૂળભૂત વિષય વસ્તુ કે જે માત્ર ગ્રાહકની સર્વોપરીતા અને તેની સ્વતંત્રતા તેમજ પસંદગી ઉપર ભા...

કપાસની ખરીદી મહારાષ્ટ્ર થઇ, ગુજરાતમાં કેમ નહીં ? રૂપાણી કપાસના રૂ જેના...

ગાંધીનગર, 15 મે 2020 કપાસની ટેકાના ભાવે ખરીદી સીસીઆઇ મારફત સત્વરે કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય કાપડ મંત્રીને રજૂઆત કરી છે. કપાસનો પાક તો ક્યારનો તૈયાર થઈ ગયો છે અને ગરિબ ખેડૂતોએ 60 દિવસ પહેલાં જ પોતોના કપાસ માલેતુજાર વેપારીઓને વેંચી દીધો છે. હવે રૂપાણી સરકાર જાગી છે. જેનો ફાયદો વેપારીઓ અને શ્રીમંત ખેડૂતોને થશે. ગરીબ ખે...

ગુજરાતના વેપારીઓને લોન પર રાહત, વેરામાં કોઈ રાહત નહીં 

ગાંધીનગર, 15 મે 2020 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’ની જાહેરાત કરી છે. બે-અઢી મહિના (ખરેખ તો 53 દિવસ) લોકડાઉનની સ્થિતી રહી તેના કારણે નાના વેપારીઓ, ધંધા-રોજગાર કરતા કારીગરોને જે આર્થિક વિપરીત અસર પડી છે. તેમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની અને રાજ્યના અર્થતંત્રને વેગ આપવા માટે આ યોજના બનાવી છે. લોન પર વ્યાજ રાહત આપી છે પણ...

વડોદરા ફરી પાણીમાં ડૂબી જશે ?

વડોદરા, 15 મે 2020 ચોમાસની ટુક સમયમાં શરૂઆત થશે તે માટે પ્રીમોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે કરવાની માંગણી સાથે મહત્વની ગંભીર બાબત એ છે કે ગત વર્ષે 20 ઇંચ વરસાદમાં સરકારના તંત્રની પોલ ખુલી ગઈ હતી અને આખું શહેર ડૂબી ગયું અને અને ૧૬થી વધારે નિર્દોષ નાગરિકોના મોત થયા અને નાગરિકો અને સરકારની માલ મીલ્ક્તને કરોડો-અબજો રૂપિયાનું નુકશાન થયું હતું. કોંગ્...

800 મજૂર ટ્રેનો કોરોનાની વાહક બની

નવી દિલ્હી, 14 જૂન 2020 શ્રમિક કોરોના ટ્રેન દ્વારા 14 મે 2020 સુધીમાં દેશના 800 શ્રમિક વિશેષ કોરોના ટ્રેન બની ગઈ છે. ટ્રેનો મારફતે 10 લાખથી વધુ મુસાફરોને તેમના ગૃહ રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપૂર, મિઝોરમ, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ, તે...

લાખો મજૂરો ગુજરાત છોડીને ગયા હવે ધંધાઓનું શુ?

ગુજરાતમાંથી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન મારફતે ૩.૯૦ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના. દેશમાંથી દોડેલી શ્રમિક સ્પેશ્યલ ૬૪૦ ટ્રેનોમાંથી ૪૧ ટકા ટ્રેનો એકલા ગુજરાતમાંથી રવાના થઇ.

વડોદરામાં 1 હજાર શાળાના 90 હજાર વિદ્યાર્થીઓની ઘરે પરિક્ષા લીધી

વડોદરા, 13 મે 2020 વડોદરા જિલ્લાની 1064 પ્રાથમિક શાળાઓના ધોરણ 3 થી 8ના 91,600 વિદ્યાર્થીઓ ઘેર બેઠાં પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપવાની પ્રેક્ટિસ કરી શકે તે માટે પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા. 3 થી 7 મે સુધીમાં તાલુકા, ગ્રુપ અને શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓ સુધી આ પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા. ભણતર તાજું થાય તેવા હેતુસર પરિક્ષા લેવા પાત્ર વિષયોના પ્રશ્નપત્...

ગુજરાતમાંથી 20 લાખ મજૂરો હિજરત કરી જતાં 2 લાખ ઉદ્યોગોને મુશ્કેલી

ગાંધીનગર, 14 મે 2020 ગુજરાતથી 14 મે 2020 સુધીમાં 262 કોરોના હિજરત માટે વિશેષ ટ્રેન ગુજરાત બહાર મોકલી છે. જેમાં કુલ 3.90 લાખ કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. જે સમગ્ર દેશમાં સૌથી વધું છે. કુલ 20 લાખ મજૂરો અત્યારસુધીમાં હિજરત કરી ગયા હોવાનો અંદાજ મજૂર સંગઠનો માની રહ્યાં છે. જેના કારણે 2 લાખ કારખાનાઓ અને કચેરીઓ કામ નહીં કરી શકે. ...