આપદા મિત્ર યોજનામાં જનભાગીદારીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ થાય છે. ‘આપદામિત્ર’ કાર્યક્રમ હેઠળ 350 આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં 1,00,000 સમુદાય સ્વયંસેવકોને આપત્તિ પ્રતિભાવ અને સજ્જતા માટે તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાતના 15 જિલ્લા આપત્તગ્રસ્ત છે. દરેક જિલ્લામાં સરેરાશ 285 લોકોને આપદામિત્ર હેઠળ તાલીમ આપવામાં આવી રહી છે. 4200 લોકો છે.
નર્મદાના કેવડિયા ખાતે “આપદા વ્યવસ્થાપન” પર સંસદીય સલાહકાર સમિતિની બેઠક મળી હતી. છેલ્લા આઠ વર્ષમાં આપત્તિ વ્યવસ્થાપન માટેના અંદાપત્રમાં 122 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય, NDMA અને NDRF સાથે મળીને, કુદરતી આફતો દરમિયાન લોજિસ્ટિક્સ અને નાણાકીય સહાય રાજ્યોને આપવામાં આવે છે.
સમિતિના સભ્યોને આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ-2005 સુધારા માટે તેમના સૂચનો માંગવામાં આવ્યા છે. ભારતમાં પ્રાચીન સમયમાં શહેરની રચના સમયે તેની કાળજી લેવામાં આવી હતી.
લોકોને કુદરતી આફતોની વહેલી ચેતવણી આપવા માટે SMS, મોબાઇલ એપ્લિકેશન્સ અને પોર્ટલ જેવી નવીન તકનીકો દ્વારા પ્રારંભિક ચેતવણી પ્રણાલી વિકસાવી છે. ‘કોમન એલર્ટિંગ પ્રોટોકોલ’ પ્રોજેક્ટ દેશભરમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. જેથી પ્રારંભિક ચેતવણી આપવામાં આવે છે.
રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે સૌપ્રથમવાર મિટિગેશન ફંડની રચના કરવામાં આવી છે, 2021-22 થી 2025-26ના સમયગાળા માટે નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ માટે 13,693 કરોડ રૂપિયા અને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ માટે 32,031 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે.
NDRFને સમગ્ર દેશમાં મજબૂત, આધુનિક અને વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, તેને રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સીસ અને સ્થાનિક સમુદાયને આપત્તિ પ્રતિભાવમાં તાલીમ આપવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. 8 દરિયાકાંઠાના રાજ્યોમાં નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ (NCRMP)ને અમલમાં મૂકી રહી છે જેની કુલ જોગવાઈ રૂ. 4903 છે.
ગુજરાતના દરિયા કિનારે આવેલા જિલ્લાઓની યાદી
1). કચ્છ
2). મોરબી
3). જામનગર
4). દેવભૂમિ દ્વારકા
5). પોરબંદર
6). જુનાગઢ
7). ગીર-સોમનાથ
8). અમરેલી
9). ભાવનગર
10). અમદાવાદ
11). આણંદ
12). ભરુચ
13). સુરત
14). નવસારી
15). વલસાડ
ગુજરાતમાં કચ્છ જિલ્લો 406 કિલો મીટર ધરાવે છે. ( સૌથી લાંબો કિનારો ધરાવતો જિલ્લો છે.)