https://www.youtube.com/watch?
ખેડૂતો ખેતરમાં નાઈટ્રોજન – યુરિયા ખાતર રસાયણ તરીકે નાંખે છે તેમાં માત્ર 25 ટકા વપરાય છે. 75 ટકા યુરિયા તો વેડફાઈ જાય છે. વર્ષે 5થી 6 હજાર કરોડના નાઈટ્રોજન રસાયણ વપરાય છે. જેમાંથી 75 ટકા નકામું જાય છે. ખાતર નાંખાય છે તેમાં કૃષિ પાક 25 ટકા જ વાપરે છે. બાકીનું રસાયણ જમીનની અંદર ઉતરે છે. વરસાદમાં જતુ રહે છે કાંતો હવામાં ઉડી જાય છે. તેનો સીધો મતલબ કે 1250 કરોડનું વપરાય છે અને 3750 કરોડનું યુરિયા પાણી સાથે વહી જાય છે. તમામ ખાતરનો બગાડ ગણવામાં આવે તો વર્ષે 25 હજાર કરોડના રસાયણીક ખાતરના વપરાશમાં 20 હજાર કરોડ ધોવાય જાય છે. ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા વેડફાય છે.
યુરિયા પર સબસિડીને 1500થી વધારીને 2 હજાર રૂપિયા કરી છે. દેશમાં રવિ સિઝનમાં 28 હજાર કરોડ રૂપિયા ખાતરની સબસિડી આપે છે. ખેડૂત દીઠ 40-50 હજારનું ખાતર નકામું થઈ જાય છે.
યુરિયા ખાતર રૃા.295 પચાસ કિ.ગ્રા.ના ભાવથી 2017માં મળતું હતું. 11 વર્ષ પહેલા ડી.એ.પી.ના ભાવ પ્રતિ થેલી રૂ.630 હતો. 2021માં મોદી સરકારે ડીએપી (DAP), એનપીકે (NPK) સહિતના ખાતરોમાં 50 કિલોએ રૂપિયા 900નો તોતિંગ વધારો કર્યો હતો. હાલ DAP ખાતર ની કિંમત વાસ્તવિક કિંમત 2400 થયા છે.
ખાતરનો વપરાશ
ગુજરાતમાં 10 લાખ ટન યુરિયા વપરાય છે. સરકાર રૂપિયા 3 હજાર કરોડની સબસિડી આપે છે. આમ ગુજરાતમાં રૂપિયા 6 હજાર કરોડના યુરિયા ખેડૂતો વાપરે છે.
2013 સુધીમાં ખરીફ ઋતુમાં ખાતરના કુલ વપરાશના 64 ટકા યુરિયા વપરાતું હતું. ગુજરાતમાં એક હેક્ટરે 500 કિલો રાસાયણીક ખાતર ખેડૂતો વાપરે છે. 2010-11માં 19.39 લાખ ટન વપરાશ હતો. ગુજરાતમાં ખાતરનો વરાશ હવે ઘટીને 2012-13માં 13.42 લાખ ટન થઈ ગયો હતો. 2019-20માં ફરી ઘટીને 10 લાખ ટન થયો હતો. ભારતમાં 500 લાખ ટન ફર્ટીલાઈઝર ખાતર વર્ષે વાપરવામાં આવે છે.
ખેતી ક્ષેત્રે ગુજરાતના લોકોએ વિશ્વને અનેક મોટી ભેટ આપી છે. તેમાં સમગ્ર દુનિયાના ખેડૂતોને નેનો યુરીયાની ભેટ પણ ગયા વર્ષે આપી છે. ગુજરાતના કાલોલમાં ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો-ઓપરેટીવ લિમિટેડ – IFFCOએ નેનો લીક્વીડ ખાતર તૈયાર કર્યું છે. સસ્તું છે. નેનો લિક્વીડ યુરિયાનો 500 MLનો ભાવ રૂ.240 છે.
11 હજાર ખેતરમાં પ્રયોગ કરાયો
11 હજાર ખેડૂતો અને સંસ્થાઓના ખેતરોમાં પ્રયોગ કરાયા હતા. આવી 94 પાક પર ટ્રાયલ લેવામાં આવી હતી. ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ની 20 સંસ્થાઓમાં આ પ્રોડક્ટના અખતરા કરાયા હતા. ગુજરાત રાજ્યના કૃષિ વિશ્વવિદ્યાલયોમાં તેનો વૈજ્ઞાનિત ઢબે વપરાશ કરવામાં આવ્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં 43 પાક પર તેના પ્રયોગો કરાયા બાદ બજારમાં મૂકવામાં આવ્યું છે. કુલ 94 કૃષિ પાકો પર દરેક ઋતુમાં તેના અખતરા લેવામાં આવ્યા હતા. લગભગ 11 હજાર ખેતરોને તેમાં આવરી લેવામાં આવ્યા હતા.
જૂન 2021થી ઉત્પાદન શરૂ
વિશ્વમાં પહેલી વખત તરલ યુરિયા નેનો જૈવ પ્રાદ્યોગિકી અનુસંધાન કેન્દ્રમાં થયો છે. ઇફ્કોની 50મી સામાન્ય સભામાં પ્રડોક્ટ રજૂ કરી હતી. ઉત્પાદન જૂન 2021 શરૂ થયું છે.
યુરિયાનો વપરાશ ઘટી જશે
500 મિલિલીટર યુરિયાની એક બોટલમાં 40,000 પીપીએમ નાઇટ્રોજન હોય છે. જે નાઇટ્રોજન પોષક તત્વો સામાન્ય યુરિયાની થેલી જેટલું પૂરું પાડશે. 50 ટકા વપરાશ ઘટાડશે. રૂપિયા 3 હજાર કરોડનું સરકાર અને ખેડૂતોનું ખર્ચ બચી જશે. યુરિયા ખાતરના આડેધડ ઉપયોગ થાય છે. સમસ્યાથી છૂટકારો મળશે. તેનાથી સરકારને રૂપિયા 3 હજાર કરોડની સબસિડી આપવી પડે છે તેમાં મોટો ફાયદો થશે.
50 લાખ ટન કૃષિ ઉત્પાદન વધી શકે
રાજ્યમાં 98 લાખ હેક્ટર જમીન પર ખેતી થાય છે. જેમાં 500 લાખ ટન જેવું કૃષિ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. તેમાં 8 ટકા ઉત્પાદનમાં વધારો અને 2 ટકા ખર્ચમાં બચત ગણવામાં આવે તો 50 લાખ ટન ઉત્પાદન વધી શકે છે.
ફાયદો
ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારશે. ઉત્પાદન 8 ટકા વધી જશે. 94 પાક પરીક્ષણોમાં ઉપજમાં સરેરાશ 8 ટકાનો વધારો દર્શાવવામાં આવ્યો છે. ખેત ઉત્પાદનનું ગુણવત્તામાં સુધારો થાય છે. ખેતીનો ખર્ચ ઘટે છે. યુરિયા ખાતર કરતાં 10 ટકા ઓછો ભાવ છે. તેથી ખેડૂતોની આવક વધશે. પોષક તત્વો સમૃદ્ધ, જમીન પાણી અને હવાનું પ્રદૂષણ ઘટશે. ગ્લોબલ વોર્મિંગ ઘટાડી શકે છે. પાકને મજબૂત બનાવે છે. પાકને આરોગ્યપ્રદ બનાવે છે. ઊભા પાકને ખેતરમાં આડો પડી જતાં રોકી લે છે. હાલ વપરાતા યુરિયા કરતાં 50 ટકા વપરાશ ઓછો થશે.
શિયાળાના પાકમાં પાણી સાથે આપી શકાય છે. પાણીમાં ડાયલ્યુટ થાય છે. ખેડૂતોને ટ્રાન્સપોર્ટનો કોઈ ખર્ચ નથી. લોજેસ્ટીક વેર હાઉસના ખર્ચમાં પણ ઘટાડો થશે. 50 કિલોની બોરીના સ્થાને યુરિયાની જગ્યાએ અડધા લીટર નેનો યુરિયા વપરાય છે.
ખેડૂતો આ વર્ષે તેનો ઉપયોગ કરશે. જો તેમને સારું અને સસ્તું લાગશે તો પછી આવતાં વર્ષથી તેની માંગ એટલી વધશે કે સરકારની સબસિડી બચી જશે.
ગુજરાતમાં હાલ 5 લાખ ટન યુરિયાની ઘટ ખેતી પાકમાં છે.
લાખો ટન યુરિયાની ઘટ ખેતરમાં રહે છે. જે આ લીંક પરથી ખ્યાલ આવી શકે છે.
યુરિયા 1
યુરિયા – નાઈટ્રોજનની ગુજરાતમાં વપરાશ ટન
મધ્ય ગુજરાતમાં 323010
દક્ષિણ ગુજરાત 126951
ઉત્તર ગુજરાત 291083
સૌરાષ્ટ્ર 360103
કુલ 1101147
જુનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના 3 વિજ્ઞાનીઓએ વર્ષ 2010થી 2014-15 ની સરેરાશ પર આધારિત છે.
કરોડોનું કૌભાંડ અટકશે
7 વર્ષથી નીમ તેલ કોટેડ યુરિયા વાપરવામાં આવે છે. જેથી સબસિડીનું યુરિયા કારખાનાઓમાં ન વપરાય. તેમ છતાં ગુજરાતમાં 3 ફેક્ટરીઓ પકડાઈ હતી કે જ્યાં નીમ કોટેડ યુરિયા પર પ્રોસેસ કરીને કારખાનામાં વાપરવા માટે બનાવતી હતી. આવી અનેક ફેક્ટરીઓ ગુજરાતમાં છે. જેમાં દર વર્ષે કરોડો રૂપિયાના યુરિયા પગ કરી જાય છે. આમ 6 હજાર કરોડના યુરિયામાંથી 300 કરોડનું કૌભાંડ થતું હતું તે બચાવી શકાશે.
સાવ સસ્તું યુરિયા
બે કિલો દહીંમાં તાંબાનો ટૂકડો કે તાંબાની ચમચી ડૂબાડીને મૂકીને 8થી 15 દિવસ સુધી તે દહીંને ઢાંકીને છાંયે રાખી મૂકવામાં આવે છે. જે યુરિયા તરીકે વપરાય છે. આ દહીંની ખેતીથી 95 ટકા ખર્ચ બચે છે. ઓછામાં ઓછું 15 ટકા કૃષિ ઉત્પાદન વધે છે.