નાણાં પ્રધાન નીતિન પટેલે ગુજરાતનું 2020-21નું અંદાજપત્ર રજૂ કર્યું

GUJARAT BUDGET 2020-21

નાણાં પ્રધાન નીતિન પટેલે ગુજરાતનું 2020-21નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કર્યું હતું તેની મહત્વની જોગવાઈઓ

ગાયનું ખર્ચ

ખેડૂતો માટે ફર્ટીલાઇઝરથી ખેડૂતો દૂર થાય પ્રાકૃતિક ખેતી કરે ગાય અને ગાય દ્વારા ખેતી જે ખેડૂત કરે તેને દર મહિને રૂ. ૯૦૦ ગાયના નિભાવ માટે આપવામાં આવશે.

ખેતરમાં ગોડાઉન

ખેડૂતો પોતાના માલની જાળવણી માટે ખેતરમાં પોતે ગોડાઉન બનાવે તેને રાજ્ય સરકાર રૂ. ૩૦ હજાર સહાય આપશે. કુદરતી આપદામાં ધરતીપુત્રોને નૂકશાન સહન નહીં કરવું પડે.

ખેડૂતને દિવસે લાઇટ

ખેડૂતને દિવસે લાઇટ મળે તે માટેની દિનકર યોજના અંતર્ગત ખેડૂતને દિવસે લાઇટ મળી રહે તે આવનારા ત્રણ વર્ષમાં સમગ્ર ગુજરાતના બધા ખેડૂતોને દિવસે લાઇટ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

પશુદાણ

પશુદાણ યોજના પણ સરકાર લાવી છે પશુના વિયાણ દરમિયાન એક માસ માટે પશુપાલકને કુલ ૧પ૦ કિ.ગ્રામ પશુદાણ ખરીદી પર પ૦ ટકાની સહાય અપાશે.

APMCમાં ગોડાઉન

APMCમાં ખેડૂતોનો માલ-ઉત્પાદન બહાર પડયા ન રહે, બગડી ન જાય તે માટે APMCને પ૦૦ મેટ્રિક ટન કેપેસિટીના ગોડાઉન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે.

પાંજરાપોળ

પાંજરાપોળના માધ્યમથી અનેક સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત છે. પાંજરાપોળોને અપ્રગેડ કરવા એક વખતની સહાયરૂપે કુલ રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

કચ્છ

કચ્છને ૧ મિલીયન એકર ફીટ પાણી પહોચાડવાનું આયોજન માટે રૂ. ૧૦૮૪ કરોડ ફાળવણી.

જાહેર વિતરણ વ્યવસ્થામાં તુવેરદાળ

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા અનાજમાં પહેલીવાર તુવેરદાળનું વિતરણ કરાશે. ૬૬ લાખ લાભાર્થીઓને, લાભાર્થીદીઠ વાર્ષિક ૧ર કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ માટે રૂ. ર૮૭ કરોડની જોગવાઇ રાજ્ય સરકારે કરી છે.

અર્બન હેલ્થ સેન્ટર

શહેરી ગરીબોને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે ૧૦ હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટરમાં એમ.બી.બી.એસ. કે આયુષ ડોકટર સાથે સેન્ટરની રચના માટે રૂ. ૮૦ કરોડની જોગવાઇ.

નલ સે જલ

નલ સે જલ અભિયાન અંતર્ગત ઘરે ઘરે પાણી પહોચાડવા આગામી બે વર્ષમાં રૂ. ૧૦૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવશે. જેના થકી આશરે ૮૦૦૦ ફળિયાઓ મુખ્ય ગામોથી જોડાશે. એક ફરિયા દીઠ રૂ.12 લાખ થશે.

સ્નાન ઘર

ગુજરાતને ખૂલ્લામાં શૌચમુકત રાજ્ય બનાવ્યા બાદ હવે ગરીબોને ઘરમાં જ સ્નાન ઘરની સુવિધા પણ મળી રહે તે માટે નવા મંજૂર આવાસની સાથે સાથે બાથરૂમની સુવિધા ઊભી કરવા માટે લાભાર્થી ફાળો રૂ. ૩૦૦૦ની સામે રાજ્ય સરકાર દ્વારા રૂ. પ૦૦૦ની સહાય આપવામાં આવશે જે માટે રૂ. પ૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે

અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તારના અનુદાનિત છાત્રાલયો તથા આશ્રમ શાળાઓમાં છાત્ર દીઠ માસિક રૂ. ૧પ૦૦ નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે, જેમાં વધારો કરી હવે રૂ. ર૧૬૦ આપવામાં આવશે. જે માટે કુલ રૂ. ૩૩૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

શૂન્ય ટકા વ્યાજે લોન

મહિલા ઉત્કર્ષ માટેની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સખીમંડળોને શૂન્ય ટકા વ્યાજે લોન આપી પહેલા લોન પછી વ્યવસાયની વ્યવસ્થા વિકસાવવા માટે આ બજેટમાં જે જોગવાઇ છે.

વતનના ગામ

દેશ-વિદેશમાં વસતા સંપન્ન નાગરિકો પોતાના વતનના ગામમાં માદરે વતન યોજના હેઠળ શાળા, શાળાના રૂમ, સ્માર્ટ કલાસ, આંગણવાડી, સ્મશાન, દવાખાનું, રસ્તા, પીવાના પાણીની ટાંકી, ગામ તળાવ, વટર વ્યવસથા, સામૂહિક શૌચાલય, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ, પંચાયત ઘર વગેરે જેવી સુવિધાઓને વિકસાવવા દાતા તરીકે જે દાનની રકમ આપે તેટલી જ જ મેચિંગ રકમ રાજ્ય સરકાર દ્વારા ઉમેરવામાં આવશે. પબ્લીક પાર્ટીશીપેશનથી સુવિધાયુકત ગોકુલ ગામ બનાવવામાં આવશે.

રેગપિકર્સ

સ્વચ્છ ગુજરાત-પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવવા સ્વચ્છતાની કામગીરી સાથે જોડાયેલા શહેરોમાં ફરીને પ્લાસ્ટિક વીણવાનું કામ કરનાર રેગપિકર્સ શ્રમજીવીઓને સહાય અને અન્ય કામો માટે રૂ. પ૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

શ્રમિકો

મહાનગરોના અંદાજે ૧,ર૦,૦૦૦ બાંધકામ શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે જવા-આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય માટે રૂ. પ૦ કરોડની જોગવાઇ. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ બાંધકામ શ્રમિકોને માત્ર રૂ. ૧૦ માં બપોરના ભોજનનો લાભ આપવામાં આવે છે. હવે યુ-વીન કાર્ડ ધારકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. તેમજ બાંધકામ શ્રમિકના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને હાલમાં પ્રસૂતિ સહાય પેટે રૂ. ૭પ૦૦ના બદલે સગર્ભા અવસ્થા દરમિયાનના છેલ્લા બે માસ અને પ્રસૂતિ બાદના બે માસ, એમ કુલ ચાર માસ સુધી માસિક રૂ. પ૦૦૦ની સહાય આપવામાં આવશે.

રસ્તાઓના રિસરફેસીંગ

સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રીકાર્પેટ ન થયા હોય તેવા બાકી રહેતા રસ્તાઓના રિસરફેસીંગ માટે તેમજ નબળા કે જર્જરિત પુલોનું મજબૂતીકરણ કે પુનઃબાંધકામ કરવામાં આવશે.

એરપોર્ટ

રાજપીપળા, અમરેલી, કેશોદ અને મહેસાણા ખાતે એરપોર્ટ ડેવલપમેન્ટ માટે કરવામાં આવેલી જોગવાઇથી આ સ્થળોનો વિકાસ વધશે તેમ જણાવ્યું હતું.

ટુરિઝમ ડેવલપમેન્ટ ક્ષેત્રે પણ આ બજેટમાં ભાર આપવામાં આવ્યો છે. ઉપરકોટ, બાલાસિનોરનો ડાયનાસૌર પાર્ક, શિવરાજપુર બ્રિજ અને અમરેલીમાં આંબરડી સફારી પણ ટુરિસ્ટ સેન્ટર બને તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.