કાંકરિયા પ્રાણી સંગ્રહાલય પાસે 2 નર અને 1 માદા ટાઈગર હોવાનું સામે આવ્યું છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મેલ ટાઈગરનું નામ પ્રતાપ જ્યારે ફિમેલ ટાઈગરનું નામ અન્નયા રાખવામાં આવ્યું છે. જયારે ત્રીજાે સફેદ વાઘ છે. આ તમામને મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યા છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લાં 30 વર્ષમાં રાજા, સંગીતા, સીમા સહિત કુલ 8 જેટલાં વાઘ-વાઘણ આવી ચૂક્યા છે. જ્યારે 2008થી અત્યાર સુધી પ્રતાપ, અન્નયા અને સફેદ વાઘણે ઝુને પોતાનું ઘર બનાવ્યુ છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
વધુ વાંચો: અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ
કોરોનાને કારણે લોકો જ્યારે ઘરમાં છે ત્યારે આ વાઘ વાઘણો ગુફાને બદલે ખુલ્લામાં ફરે છે. જાણવા જેવી વાત એ છે કે વિશ્વમાં કુલ 9 પ્રજાતિ વાઘની છે. કાંકરિયા ઝુ ના ડાયરેક્ટર આર કે સાહુના કહેવા પ્રમાણે બાલી, જાવા, કેસ્પિયન આ 3 વાઘની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે. જ્યારે વિશ્વમાં સાઈબેરિયન, ઈન્ડિયન, સાઉથ ચાઈના ટાઈગર, મલયાન, ઈન્ડો ચાઈનીઝ ટાઈગર, સુમાત્રણ જેવી પ્રજાતિ હયાત છે. ગુજરાતના જંગલ વિસ્તારમાં વાઘ ના હોવાનું કારણ છે ગુજરાતની આબોહવા. ગુજરાતમાં ગરમી વધારે સમય હોય છે જે વાઘને અનુકૂળ નથી હોતી.
વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી
વધુ વાંચો: પાટણના આનંદ પટેલનું કુંડાળા અને સ્વૈચ્છિક સંસ્થાનું રાહત મોડેલ આખા દેશમાં લાગું કરાયા
કાંકરિયા ઝુ ના ડાયરેક્ટર આર કે સાહુના કહેવા પ્રમાણે વાઘને પાણીમાં રહેવું ગમે છે અને ઠંડી જગ્યા વધારે પસંદ કરે છે. તે પોતાની માટે જાતે ખોરાક શોધે છે તેથી તેને મહેનતુ કહેવામાં આવે છે. વાઘની વિશેષતા એ પણ છે કે વાઘ ક્યારેય આગળથી વાર નથી કરતાં, પોતાના શિકાર માટે તે પાછળથી વાર કરે છે. વર્ષ 2010માં 29મી જુલાઈને વર્લ્ડ ટાઈગર ડે તરીકે નક્કી કરવામાં આવ્યો હતો. જેની પાછળનું કારણ હતું ઘટતી જતી વાઘની સંખ્યા. ગુજરાતમાં આબોહવા માફક ના હોવાને કારણે વાઘની સંખ્યા નથી. ભારતમાં મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં જ વાઘની સંખ્યા વધારે છે.