વાવાઝોડા પહેલા આંબા પરથી કેરી ખરી ગઈ, ખેડૂતોને 2 હજાર કરોડના નુકસાનની અંદાજ

ગાંધીનગર, 17 મે 2021

વાવાઝોડું ત્રાટકે તે પહેલાં ભારે પવનથી આંબાના વૃક્ષો પરથી કેરીઓ ખરી પડી છે. જેથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. રૂપિયા 6 હજાર કરોડ જેટલી કેરી પાકે તેવો અંદાજ હતો. જેમાં 50 ટકા કેરી આંબા પરથી ઉતારીને બજારમાં વેચી હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. આમ રૂપિયા 3 હજાર કરોડની કેરી વેચાઈ ગઈ હતી. હવે 3 હજાર કરોડની કેરી આંબા પર હતી. જેમાં રૂપિયા 2000થી 2200 કરોડ રૂપિયાની કેરીનું નુકસાન ખેડૂતોને થયું હોવાનું અનુમાન ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે.

આ વર્ષે ગુજરાતના તમામ વિસ્તારોમાં 1.66થી 1.70 લાખ હેક્ટરમાં કેરીના બગીચા
છે. જેમાં 12 લાખ મેટ્રિક ટન કેરી પાકવાનો અંદાજ હતો. જોકે જેમાં 40થી 50 ટકા કેરી વેચાઈ ગઈ છે.

5 મે 2021ના દિવસથી ગુજરાતનું સૌથી મોટું તાલાલા કેરી બજાર થયું તેને હજું 12 દિવસ થયા ત્યાં વાવાઝોડું આવ્યું છે. 30થી 44 દિવસ માટે જ આ બજાર ખુલે છે.
સરેરાશ ભાવ રૂપિયા 450નો રહ્યો છે. 2020માં 10 કિલોના 6.78 લાખ બોક્સ, 2019માં 8.30 લાખ પેટી કેરી વેચાઈ હતી. તાલાલામાં લગભગ રૂપિયા 30 કરોડની કેરી વેચાય છે. તાલાલા બજારની બહાર 3 ગણી પેટી ખાનગીમાં વેચાય છે. આમ તાલાલામાં 100 કરોડની આસપાસ કેરીનો વેપાર હોય છે. જે બહારના પ્રદેશમાં બે ઘણા ભાવે વેચાય છે.

કેરીનો પાક આ વખતે ઓછો હતો. અવીરત ઠંડી, વારંવાર વાતાવરણમાં પટલો, 3 ભારે પવન વાળા વાવાઝોડા આવી ગયા છે. હવે ચોથુ વિનાશક વાવાઝોડું આવી ગયું છે. જેમાં પારાવાર નુકસાન થયું છે.

આંબા પરથી 50 ટકા જેવી કેરી ઉતરી ગઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.  50 ટકા કેરી આંબા પર હતી તે 98 ટકા ખરી ગઈ છે. ખરેલી કેરીનો ભાવ 50 ટકા માંગ મળતો હોય છે. જે મોટા ભાગે તો નકામી જાય છે.

ગુજરાતમાં કેરીના બગીચા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેસર કેરી પાકે છે. બગીચા મોટાભાગે આખા વેચી દેવામાં આવે છે. ખરીદનારા મોટા ભાગે મજૂર વર્ગ હોય છે. તેઓ આંબા પરથી કેરી ઉતારીને બજારમાં વેચવા મોકલે છે. ખેતરના માલિકને આખા બગીચાનો ભાવ નક્કી કરીને તે આપી દેવામાં આવતા હોય છે. જોકે, વાવઝોડું આવતાં ખેડૂતોને તેમના બગીચાની પૂરી રકમ નહીં મળે.

આમ એકંદરે રૂપિયા 2 હજારથી 2200 કરોડની ખોટ ખેડૂતો કે તેના કોન્ટ્રાક્ટરને ગઈ છે. 2 હજાર કરોડનું નુકસાન ખેડૂતોને થયું છે તે સરકારે આપવું જોઈએ એવું ખેડૂતો માને છે. કારણ કે વાવાઝોડુ એ ડીઝાસ્ટર છે.

કેરી ફળ પર વરસાદનાં છાંટા પડે એટલે તે ખરાબ થઈ જાય છે. આંબા પરથી કેરી નીચે પટકાય એટલે પોચી થઈ જાય અને ફળ ખરાબ થઈ જાય છે. વૃક્ષ પરથી નીચે પટકાયેલી 90 ટકા કેરી નકામી થઈ જાય છે.

રાહુલ કચ્છડ કહે છે કે હાલ અત્ર તત્ર સર્વત્ર કેરીનું ભારી નુકશાન જોવા મળેલ છે તાલાલા ગીર જે કેસર કેરીનું ઘર ગણાય ત્યાં માત્ર 30% ખેડુતો જ પોતાની કેરી હજુ ઉતારવાની શરૂઆત કરી છે કેમ આ વખતે કેરીમાં મોર બેસવાની શરૂઆત હતી ત્યાંજ એક માવઠું થયેલ જેનાથી કેરીના મોરમાં ભારી નુકશાન જોવા મળેલ અને રોગ જીવાત નો ઉપદ્રવ ના કારણે ખેડૂતો એ દવાઓનો ખુબજ ખર્ચો કરેલ અને હાલ આ વાવા જોડા થી પડ્યા મોર પાટુ જેવું થયું છે હજી આવક ચાલુ થવાની હતી ત્યાં જ આ માવઠા થી તાલાલા ગીર, નવસારી, વલસાડ, જેવા કેરી ના હબ ગણાતા વિસ્તારમાં 70 % નુકશાન થયેલું જોવા મળે છે.

માણાવદર વિસ્તારના ખેડૂત સંજય ભૂત કહે છે કે, વંથલી અને જૂનાગઢ વિસ્તારમાં આંબા પર હજુ 80 ટકા કેરી છે. ફાલ મોડો આવ્યો હોવાથી કેરી મોડી આવી છે. જે તમામને નુકસાન છે.

17 મે 2021
ગુજરાતમાં વાવાઝોડાથી ખેડૂતોને કેરીમાં નુકસાન કરોડ રૂપિયામાં
કિલોનો ભાવ રૂ.50 ગણતાં અંદાજીત નુકસાની
જિલ્લાની હેક્ટર ઉત્પાદન રૂપિયામાં
જિલ્લો કૂલ જમીન વાવેતર મેટ્રિક ટન કરોડમાં
સુરત 251300 10049 65319 40 – 45
નર્મદા 113000 3575 26634 30-33
ભરૂચ 314900 2933 24931 30 – 35
ડાંગ 56500 5188 35382 70-80
નવસારી 106800 33504 294835 500-600
વલસાડ 164300 36435 247758 400-500
તાપી 149100 5962 53360 100-125
દક્ષિણ ગુ. 1663700 97646 748218 1170થી1300
અમદાવાદ 487400 283 1384 1.50-2
અણંદ 183800 2255 14207 15-20
ખેડા 283500 620 6721 1-1.25
પંચમહાલ 176200 1720 10492 10થી 12
દાહોદ 223600 3062 16106 10થી15
વડોદરા 304700 4142 28414 15થી20
મહિસાગર 122400 831 4853 0
છોટાઉદેપુર 206600 2080 13728 10થી 20
મધ્ય ગુ. 1988200 14993 95904 43થી50
બનાસકાંઠા 691600 616 3240 4થી5
પાટણ 360400 105 540 0
મહેસાણા 348100 1049 5245 5થી 9
સાબરકાંઠા 271600 425 2155 5થી10
ગાંધીનગર 160200 1101 6804 8થી10
અરાવલી 202700 807 3720 4થી5
ઉત્તર ગુજ. 2034600 4103 21704 36થી40
કચ્છ 733500 10475 64421 80થી100
સુરેન્દ્રનગર 621000 250 1125 0
રાજકોટ 536300 75 580 0
જામનગર 366200 460 2806 3થી6
પોરબંદર 110900 355 2947 3થી5
જૂનાગઢ 358700 8675 58123 140-150
અમરેલી 538200 7291 62630 150-160
ભાવનગર 454700 5875 48271 130-150
મોરબી 347000 88 562 0
બોટાદ 199700 4 21 0
સોમનાથ 217000 16005 114436 270-300
દ્વારકા 229600 87 542 0
સૌરાષ્ટ્ર 3979300 39141 292043 700થી
ગુજરાત કૂલ 9891500 166358 1222291 2000થી2200
હાલ 30-50 ટકા માલ વેચાઈ ગયો હોવાનો અંદાજ છે.