મોરબીને ભાજપે ફટકો માર્યો, ઉદ્યોગો ચાલુ કરવાં રૂપાણી પર વધતું દબાણ

દિલીપ પટેલ allgujaratnews.in

અમદાવાદ, 11 મે 2020

મોરબી બંધ તૂટ્યો ત્યારે જે આર્થિક અને સામાજિક નુકસાન થયું ન હતું તેના કરતાં 2020માં કોરોનામાં રૂપાણી સરકારે લીધેલા નિર્ણયોના કારણે મોરબીને આજ સુધીનો સૌથી મોટું નુકસાન થયું છે. ઉદ્યોગો ચાલું કરી શકાય તેમ હતાં છતાં થવા તો ન દીધા પણ મોરબીથી મજૂરોને બહાર ધકેલી દેવામાં મદદ કરી છે. આમ મોરબી ફરી એક વખત ભાજપના આર્થિક પૂરથી બરબાદ થઈ ગયું છે.

મોરબી, માંડા ડુંગર , કોઠારીયા , વાવડી સહિતના ઉપયોગને ચાલુ કરાવવાની માંગણી ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો કરી રહ્યાં છે. મુખ્યમંત્રીને ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે મોરબી અને રાજકોટનો ઉદ્યોગ ચાલુ કરવા માટે આકરૂં વલણ સરકાર સામે લીધું છે.

તેમણે જણાવ્યું કે, હાલમાં રાજકોટમાં મદદઅંશે કોરોના કંટ્રોલમાં છે. સ્પોટ જંગલેશ્વરના છે. જેથી જંગલેશ્વર વિસ્તારમાં કેસ છે. તેને બાદ કરતાં બીજા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા જોઈએ. આજી વસાહત મીરા ઉદ્યોગ જેવા વિસ્તારો કે જે દોઢ કિલોમીટરથી એક કિલોમીટરની રેન્જમાં આવે છે. તેને શરતોને અધીન છૂટ છાટ આપવી જોઈએ.

ભાજપના ગોવિંદ પટેલે જણાવ્યું કે, છેલ્લે બે માસથી પગારનો ફટકો પડશે. ખાધ સામગ્રી પૂરી પાડનાર ઉદ્યોગોને વધુ ફટકો પડશે. કારખાના ચાલુ નહીં થાય તો મજૂરો વતન ભણી રવાના થશે. જે પાછા ક્યારે કરશે તે નક્કી કરી શકાય નહિં. જેથી ઉધોગોને મોટો ફટકો પડશે. હાલમાં ઉદ્યોગોમાં મંદી છે. છતાં ઉદ્યોગકારોએ સરકારનો આદેશ પાળીને આજદિન સુધી મજૂરોને નિભાવ્યા છે. હવે લાંબો સમય ચાલે તો મજૂરો પણ કામ વગર બેસી શકે નહીં. જેથી વહીવટે કે નિર્ણય કરીને કારખાના ચાલુ થાય એવો વિચાર કરવો જોઈએ. તેમ ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન ગોવિંદ પટેલે જણાવ્યું હતું. allgujaratnews.in

બીજા લોકો શું કહે છે

ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે જો રૂપાણી સરકાર પર દબાણ વધારી દીધું છે કે, હવે બીજા ધારાસભ્યો પણ સરકારની નિષ્ફળતા રજૂ કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રના અહીંના ઉદ્યોગોમાં કામ કરતાં મજૂરોને બે મહિના ઉદ્યોગોએ સાચવેલા હોવા છતાં રૂપાણીએ રાજકીય જશ ખાટવા માટે મજૂરોને બહાર ધકેલી દીધા છે. તેમને ગુજરાતમાં રાખવામાં ભાજપ સાવ નિષ્ફળ રહ્યો છે. સૌરાષ્ટ્રના 3 લાખ સાથે ગુજરાતના 20 લાખ મજૂરો ગુજરાત બહાર જતાં રહ્યાં છે. હવે કારખાના ચાલી શકે તેમ જ નથી. તેથી ગુજરાત સરકારને આવકમાં રૂ.20 હજાર કરોડનો ફટકો પડી શકે છે.

મોરબી ઉદ્યોગ ભાજપની પડખે, સરકાર તો વિરુદ્ધમાં 

અગાઉ પણ અહીંના ઉદ્યોગોને મોટો ફટકો અનેક કારણસર પડેલો છે. તેમ અગલ અલગ ધારાસભ્યોએ સરકારને જણાવ્યું છે. મોરબીના સીરામીક ઉદ્યોગ ભાજપને વરેલો છે. છતાં ભાજપે મોરબીને સાચવવાના બદલે મજૂરોને રૂપાણીએ બહાર મોકલી લીધા છે. તેથી દર મહિને રૂ.4,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. મોરબી સરકારને ભરપુર આપે છે પણ સરકાર કંઈ આપતી નથી. ઉલટાનું નુકસાન કરાવે છે. મોરબીના પાટીજારોએ રૂપાણી અને મોદીને ભરપૂર નાણાં કમાવી આપ્યા છે. પણ ભાજપની આ બન્ને સરકારોએ મોરબીના ઉદ્યોગોનો કોઈ ફાયદો કરાવ્યો નથી.

સોરાષ્ટ્રના મોરબીના મજૂરોને બહાર મોકલી દેવાતાં ગુજરાતને ફટકો પડી શકે છે. મજૂરોને સાચવવામાં સરકાર નિષ્ફળ છે. મજૂરોને પાછા લેવા જવા પડશે.

આવો ધોર અન્યાય મોરબીના ઉદ્યોગને રૂપાણી અને મોદીએ કર્યો હોવા છતાં મોરબીના પાટીદાર ઉદ્યોગ પતિઓએ ક્યારેય હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. તેઓ માર ખાઈને પણ ગાલ રાતો રાખી ભાજપને વફાદાર રહ્યાં છે. પણ ભાજપે તો તેમને સંભાળ્યા નથી. allgujaratnews.in

દરેક ફેક્ટરી દીઠ, જીઈબીમાં 9 લાખનું બિલ આવે છે. ફીક્સ ચાર્જ છે. એ નાણાં તો ભરવા જ પડશે. છતાં મોરબીના ભાજપની સામે અવાજ રજૂ કરી શકતાં નથી. તેઓ ભાજપ સામે મૌન બની જાય છે. ટાઈલ્સના નેતાઓ ભાજપની સાથે બેસી ગયા છે.

ઉદ્યોગ હવે પુરો ચાલું નહીં થઈ શકે. 30 ટકા કારખાના જ ચાલુ થશે.

મજૂરો પરત આવતાં હજું 3 મહિના થઈ જશે. 68000 મજૂરો મોરબીમાં છે, તેમાં 40 ટકા જતાં રહ્યાં છે.

રોટેશન કેમ નહીં 

100 મજૂરો કામ કરતાં હોય તો તેમાં 25ને મોકલે અને તે પરત આવે પછી બીજા 25 મોકલવા જોઈતા હતા. તેમ કર્યું નથી. જો તેમ કરીને ઉદ્યોગો ચાલુ કરી દીધા હોય તો ઉદ્યોગને તારી શકાયો હોત એવું અહીંના કેટલાંક લોકો માને છે.

અર્થતંત્ર તોડી નાખ્યું 

મોરબીમાં અર્થતંત્ર તૂટી ગયું છે. સારીમીક રાજસ્થાનથી આવતું બંધ છે. મજૂરોને વતન જઈ રહ્યાં છે. ડોમેસ્ટીક માર્કેટ કે નિકાસના ઓર્ડર નથી. દોઢ બે મહિના ઉદ્યોગ ચાલુ નહીં થાય. ભાજપની સરકાર સાવ નિષ્ફળ ગઈ છે.

પહેલા ફટકો હતો

ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દ્વારા ભારતથી આવતી ટાઈલ્સો પર 15 ટકાની એન્ટીડમ્પિંગ ડ્યૂટી લાદી દેવાનો નિર્ણય કરાતા ગલ્ફમાં થતી નિકાસમાં ઘટાડો થવાની શક્યતા છે. allgujaratnews.in

મંદીનો મોરબીને માર

અગાઉ પ્રદુષણના નામે કોલગેસ પ્રતિબંધ અને બાદમાં પ્રદુષણ મામલે 400 કરોડથી વધુનો દંડ ફટકારાતા સિરામિક ઉદ્યોગને બેવડો ફટકો પડ્યો છે. ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો છે. 5500 ટ્રકના લોડીંગ અને અનલોડિંગ માટે આવતા હતા, ત્યાં કોરોના પહેલા 3000 ટ્રકો માંડ લોડીંગ અનલોડિંગ થતા હતા.

1100 ફેકટરીઓ કેપેસીટીના માત્ર 70 ટકા જેટલું જ ઉત્પાદન મંદીમાં કરતી હતી. 35 ટકા માંગ ઘટી હતી.

ટાઈલ્સ ઉદ્યોગ મંદીના વમળોમાં અટક્યો છે, તો સિરામિક ઉદ્યોગ જેનું વાર્ષિક ટર્નઓવર 42000 કરોડ હતું તે, 30000 કરોડ સુધી સમેટાઈ સકે છે. જેમાં સૌથી મોટું નુકસાન અહીંના પાટીદારોને થયું છે.

પ્રદુષણનો માર 

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસથી પ્રદૂષણ વધતું હોવાથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ પ્રકારના કોલગેસ વાપરવા પર પ્રતિબંધ મૂકયો પછી, 30 લાખ ક્યુબિક મીટર કુદરતી ગેસ રોજનો વાપરે છે. નેચરલ ગેસના ભાવોમાં સતત વધારો થવાથી મોંઘો પડે છે. કોલગેસ સસ્તો પડે છે. કોલગેસનો ઉપયોગ બંધ કરીને તમામ 450 યુનિટોએ નેચરલ ગેસનો ઉપયોગ કરવા પર સંમંતિ દર્શાવી હતી. જેનાથી 15 ટકા ભાવ વધી ગયા હતા.

ચીનને હંફાવી દીધું 

2000 મીલીયન સ્ક્વેર ફૂટ ટાઈલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. જે ચીન દેશને હંફાવે છે. છતાં સરકાર દ્વારા અહીં ટાટા નેનો કે સાણંદની જીઆઈડીસી જેવી સુવિધા ભાજપ સરકારે ક્યારેય આપી નથી. વળી અહીં વીજળી વારંવાર જતી રહે છે. તેથી ઉદ્યોગને મોટો ફટકો પડે છે. છતાં ભાજપ સરકારે ભાજપની તરફેણ કરતાં આ ઉદ્યોગની દરકાર લીધી નથી. allgujaratnews.in

વિદેશોને હંફાવે છે

ભારતીય સીરામિકની અગાઉ મિડલ ઇસ્ટ અને ફાર ઇસ્ટમાં નિકાસ બજાર હતી. હવે યુરોપની ડિજીટલ ટેકનોલોજી ચીન પહેલા મોરબીએ અપનાવી હતી. તેથી યુરોપ અને આફ્રિકાના બજારમાં વર્ચસ્વ ઊભું કરી દીધું છે. યુરોપ, અમેરિકા, કેનેડા, બ્રાઝિલ અને મેક્સિકો જેવા દેશોમાં મોરબીની ટાઈલ્સ જાય છે. સસ્તા ઉત્પાદદના કારણે ચીન અને ઇટાલીની કંપનીઓ અહીં આવી રહી છે. કડવા પાટીદારોએ ઉદ્યોગને વિશ્વ કક્ષાનો બનાવ્યો પણ ભાજપના છેલ્લી 3 સરાકરોએ તો તેને તોડી પાડવાની જ કોશિષ કરી છે. છતાં ભાજપને ચાહવામાં આવે છે.

ઘડિયાળ ઉદ્યોગમાં શૂન્ય પ્રદૂષણ

ઓરપેટ સાથે મળીને અહીં 130 ડેટલાં ઘડીયાળ કે તેના પૂર્જા બનાવતાં હોય એવા ઉદ્યોગો છે. જે રૂ.450થી 500 કરોડનું ઉત્પાદન કરે છે. ઘડીયાળમાં 18થી 20 હજાર લોકો કામ કરે છે. જેમાં મહિલાઓ વધું છે. ઘડિયાળ ઉદ્યોગમાં શૂન્ય પ્રદૂષણ છે. allgujaratnews.in