ગુજરાતમાં 10 હજાર હેક્ટરમાં શક્કર ટેટીનું વાવેતર, ખેડૂત ભરત પટેલે 6 હજાર કિલો ટેટી પકવી

गुजरात में 10 हजार हेक्टेयर में शक्कर टेटी की रोपाई
ગાંધીનગર, 21 એપ્રિલ 2023
વિંઝુવાડા ગામના ખેડૂત ભરત પટેલે દાડમની સાથે શક્કરટેટીના ઉનાળું પાકમાં સારો ઉતારો લીધો છે. 70થી 90 દિવસમાં તૈયાર થતી શક્કર ટેટીને ઓછું પાણી જોઈએ છે. 45 દિવસે એક વીઘામાંથી 50 મણ શક્કરટેટીનું ઉત્પાદન મેળવે છે. બીજા ફાલમાં 200થી 250 મણ શક્કર ટટી પાકે છે. એક વિઘામાં 6 હજાર કિરો ઉત્પાદન મેળવે છે. શક્કરટેટીના ભાવ 18થી 24ના કિલો ભાવ મળે છે.

ફૂલોથી ઉત્પાદન વધ્યું
ભરતભાઈએ ગલગોટા – હજારીગલ ફૂલના આંતરપાક વાવીને શક્કરટેટીનું મબલખ ઉત્પાદન તો મેળવ્યું છે. ફૂલોની વધારાની આવક થાવાની સાથે ખેતરમાં કૃમિ અને થ્રીપ્સ ઓછી આવે છે. ફૂલ પરથી રસ ચૂસવા મધમાખી આવતી હોવાથી ટેટીના પાકમાં પરાગનયન વધે છે. તેથી ઉત્પાદન વધુ આવે છે. ઉનાળામાં ફૂલોના ભાવ સારા મળે છે.
5 વીઘામાં ચાર ફૂટના અંતરે કુલ 5 હજાર જેટલા હજારીગલ ગલગોટાના છોડનું વાવેતર કરેલું છે. તેનો પણ બજારભાવ 50 રૂપિયે કિલો જેટલો મળે છે. જેથી આશરે બેથી અઢી લાખ રૂપિયા જેટલી આવક હજારીગલ ગલગોટામાંથી પણ મળી શકે છે.

પ્લાસ્ટિક મલ્ચિંગ
શક્કરટેટીની ખેતી કરતા મોટાભાગના ખેડૂતો પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ કરતા થયા છે. જેના લીધે જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. ઓછા પાણીની જરૂરિયાત રહે છે. નિંદામણ કરવું પડતું નથી. ટેટીની ગુણવત્તા અને ઉત્પાદન વધે છે. રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર પ્લાસ્ટિક મલ્ચિંગ માટે 16 હજાર રૂપિયા સહાય આપે છે. પેકિંગ મટીરીયલ, પ્લાસ્ટિક કેરેટ, વજન કાંટો તેમજ જે ખેડૂતો ટપક પદ્ધતિથી ખેતી કરતા હોય તો તેમને વોટર સોલ્યુબલ ખાતરમાં પણ સહાય મળે છે.

પરિવર્તન
માંડલ તાલુકાનું વિંઝુવાડા ગામ દાડમના બગીચાઓ માટે જાણીતું છે. એક હજાર હેકટરમાં દાડમનું વાવેતર થાય છે. શેરડીનું પણ વાવેતર છે. ખેડૂતો કપાસ, મગફળીના ખરીફ કે રવી પાકોમાં પુરતુ વળતર ન મળતા બાગાયતી ખેતી કરવા લાગ્યા છે. માંડલ તાલુકો ગુજરાતમાં ખેતીની કક્ષાએ પ્રથમ હરોળમાં આવી ગયું છે. શેરડી, દાડમ, આમળાં, વરીયાળી, તુવેર, ભીંડા, ગુવારની ખેતી કરવા લાગ્યા છે.

ગુજરાતમાં શક્કર ટેટી
2015માં 467 હેક્ટર વિસ્તારમાં ખેતી થતી જેમાં 5838 ટન ઉત્પાદન થયું હતું. 2018માં તે વાવેતર 10 ગણુ વધીને 5 હજાર હેક્ટર થઈ ગયું હતું. આ વર્ષે તે વધીને 7 હજાર હેક્ટર બનાસકાંઠા અને ગુજરાતમાં 10 હજાર હેક્ટર સુધી પહોંચે એવી ગણતરી કૃષિ બાગાયત વિભાગની છે., સાબરકાંઠામાં 1 હજાર હેક્ટર, જામનગરમાં 1 હજાર હેક્ટર વાવેતર થાય છે. હેક્ટરે 35 થી 40 ટન શક્કરટેટીનું ઉત્પાદન થાય છે. હેકટર  દીઠ વાવેતર ખર્ચ આશરે દોઢ લાખ રૂપિયા  જેટલો ખર્ચ થાય છે.

બનાસકાંઠા
બનાસકાંઠાના ખેડૂતો બટાટા, પપૈયા, દાડમ, સરગવાની ફળી, તડબુચ, ટેટીની ખેતી કરી સારી એવી કમાણી કરી સમૃદ્ધ બની રહ્યા છે. ગુજરાતમાં બટાટાના વાવેતરની શરૂઆત ડીસાની બનાસ નદીમાં વિચરતી જાતિ દ્વારા શરૂ થઈ હતી. પહેલા બનાસ નદીમાં શક્કર ટેટી અને તડબૂચ વાવવામાં આવતા હતા. નદી સુકાઈ જતાં નદીની ખેતીની પરંપરા તૂટી અને ખેતરોમાં રોકડીયા પાક શક્કર ટેટી 2011થી થવા લાગી છે. 2008માં અહીંના કેટલાંક ખેડૂતો ઈઝરાયલ ખેતી શિખવા માટે ગયા પછી અહીં થોડા ખેડૂતોએ ટેટીની ખેતી શરૂ કરી હતી. જેના 10-12 વર્ષ થયા છે અને એક દાયકામાં ટેટીનું વાવેતર વધ્યું છે.

ડીસા શ્રેષ્ઠ
ડીસાની ટેટીની મીઠાશ હોવાથી તેની માંગ સારી રહે છે. બજાર ગરમ રહે છે. વિદેશમાં નિકાસ થાય છે. 2500 હેક્ટરમાં ટેટીનું વાવેતર માત્ર ડિસામાં જ થાય છે. ઉનાળુ ખેતીમાં શક્કર ટેટીનું વાવેતર માર્ચની શરૂઆતમાં કરી દેવામાં આવ્યું છે. બટાટા, બાજરી, મગફળીની ખેતી છોડીને ટેટીની ખેતી તરફ જઈ રહ્યાં છે. ડીસા તાલુકાની જમીન શક્કરટેટીને સારી માફક આવે છે. અમદાવાદ, જમ્મુ કશ્મીર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને બીજા રાજ્યો તથા દુબઈ સુધી માલની નિકાસ થાય છે. રોજના 200 ટ્રક શક્કરટેટી અને તરબુચના રાજ્યની બહાર ડીસાથી જાય છે.

આખોલ ગામના ખેડુત રમશેભાઇ
ડીસા તાલુકાના નાની આખોલ ગામના ખેડુત રમશેભાઇએ ઉનાળું સીઝન ગોલ્ડન ગ્લોરી જાતની સક્કર ટેટીનું વાવેતર ટપક સિંચાઈથી કર્યું હતું. ઉનાળાના 60  દિવસમાં 1 વિઘા દીઠ રૂ.70 હજાર જેવું ઉત્પાદન મળે છે. એક બીયાંમાં 3 વેલા નીકળે છે. એક વેલાનું 18થી 20 નંગ ફળ થાય છે. એકરે 18થી 20 ટન સરેરાશ થઈ શકે છે. 1 કિલોના ભાવ રૂ.10થી 30 સુધી મળે છે.

ચંદાજી ગોળીયા ગામના ખેડૂત ખેતાજી
જૈવિક ખેતી અને દેશી છાણીયું ખાતર વાપરીને ડિસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામના ખેડૂત ખેતાજી સોલંકીએ 7 વીઘા જમીનમાં રૂ.1.21 લાખનો ખર્ચ કરી 130થી 140 ટન ગોલ્ડન ગ્લોરી શક્કર ટેટીનું ઉત્પાદન મેળવીને 2018માં રૂ.21 લાખની કમાણી કરી હતી. શક્કર ટેટીના વેચાણ માટે ખેડૂતોનો માલ ખેતરથી જ વેચાઈ જાય છે. છાણ, ગૌમૂત્ર જેવા સેન્દ્રીય ખાતરોનો વધુ ઉપયોગ ડીસામાં થવા લાગ્યો છે. અહીં દૂધ માટે ગાય અને ભેંસની સારી એવી સંખ્યા હોવાથી છાણીયા ખાતરનું સારું ઉત્પાદન થાય છે.