The hills of Pavagadh, Gujarat, green with bats and coconuts, चमगादड़ों और नारियल से हरी-भरी गुजरात के पावागढ़ की पहाड़ियाँ
ગાંધીનગર, 23 જૂન 2023
હજારોની સંખ્યામાં મહાકાળી માતાને શ્રીફળ અર્પણ કરાય છે. શ્રીફળના છોતરાંના લીધે મંદિર પરિસર તેમજ પાવાગઢનાં પર્વત ઉપર ઘણી ગંદકી થતી હતી. દુકાનદારો દ્વારા નારિયેળનાં છોતરાં સળગાવી દેવાતા હતા. તેથી ધુમાડો થતો હતો. તેના ઉકેલ માટે મંદિરના ટ્રસ્ટીઓ અને વન વિભાગે નાળિયેળના છોતરા – કોકોપીટનું સેંદ્રીય ખાતર બનાવવાનું નક્કી કરાયું હતું. તેના ઉપયોગ નર્સરીમાં છોડ ઉછેર કરવા માટે કરાતો હતો.
પાવાગઢના બોડા ડુંગરને વૃક્ષાચ્છાદિત કરવાં અને વૃક્ષોનો ઉછેર કરવાં ઓગસ્ટ 2022થી છતરડીવાવની વન વિકાસ સહભાગી મંડળી અને વન વિભાગે યોજના બનાવી હતી.
નારિયેળનાં છોતરાંનો કોઇ ઉપયોગ થતો ન હતો. અહીં શ્રીફળ વધેરવાનું મશીન મૂકવામાં આવ્યું હતું.
કોકોપીટના ઉપયોગથી છોડ ઉછેરવામાં આવે તો તેની ભેજ સંગ્રહશક્તિમાં વધારો થાય છે. કોકોપીટ વજનમાં હલકું હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ઘટે છે. સહેલાઇથી છોડની હેરફેર પણ થઈ શકે છે. રોમટીરિયલ સારા પ્રમાણમાં છે. કોકોપીટના ઉપયોગથી ઓછા ખર્ચે છોડ ઝડપથી ઉછરીને વિકાસ પામે છે. મંદિરે આપેલા બજેટમાંથી વન વિભાગે કોકોપીટ બનાવવાની કામગીરી શરુ કરી હતી. નવલખી કોઠાર વિસ્તારમાં 10 હેક્ટર જમીનમાં વૃક્ષો ઉગાડ્યા હતા. જેમાં વડ, પીપળ, જાંબુ, પારિજાત, કરમદાં, સીસમ, પાણીકણજી, કણજ, આમળાં, ઉમરો, ગુંદા સાથે 30 જાતનાં 42 હજાર રોપાઓનું વાવેતર કરાયું હતું.
પાવાગઢ તળેટીમાં 20 હેક્ટર જમીનમાં 32 હજાર વૃક્ષો વાવવામાં આવ્યાં હતા. તળેટીથી પાવાગઢના માચી સુધી રોડની બંને બાજુ થીમ બેઝ વાવેતર હેઠળ પાનાગારુ, કચનાર, ગરમાળો, ગુલમહોર, તબુબિયાં જેવાં સુશોભિત વૃક્ષોના 2500 રોપા વાવેતર કરાયું હતું.
નવલખી કોઠાર પાસે વૃક્ષોને ભેજ અને પાણી મળી રહે તે માટે પાવાગઢ ટેકરી ઉપર બે લાખ ક્યુસેક લિટર સંગ્રહશક્તિ ધરાવતા એક તળાવનું નિર્માણ કરાયું હતું. આ તળાવના લીધે માર્ચના અંત સુધી વૃક્ષોને પાણી મળી રહે છે. નવલખી કોઠારની સામેના ભાગે અને પાવાગઢ હિલ ઉપર 10 હેક્ટરમાં ટપક સિંચાઈ કરવામાં આવી હતી.
ડ્રીપ ઇરિગેશન પણ કરાયું છે.
હાલોલના વિસ્તારના જંગલ અધિકારી સતીશ બારિયા છે. નારિયેળનાં છોતરાંમાંથી સેંદ્રીય ખાતર બનાવવા માટે માચી ખાતે એક મશીન મૂકવામાં આવ્યું હતું. જેમાં મોટાં છોતરાં નાના બારીક કરાય છે. હવે નાંનાં છોતરાંમાંથી બીજું મશીન બારીક ભૂકો તૈયાર કરે છે. જેને કોકોપીટ કહેવાય છે. રોજનું 15થી 20 કિલો કોકોપીટ તૈયાર થાય છે.
કોકોપીટનો ઉપયોગ હાલમાં પંચમહાલ જિલ્લાની વિવિધ નર્સરીમાં કરાઇ રહ્યો છે. નવા ભોજનાલયની સામેની બાજુએ 5 હેક્ટર જમીનમાં 4 હજાર ઉછેરાશે.
માણસ જઈ ન શકે ત્યાં સીડબોલ થકી બીજ ફેંકાય છે. અહીં ડુંગરની આજુબાજુ બીજનો છંટકાવ ડ્રોન દ્વારા કરવામાં આવશે. કોકોપીટના વેચાણ કરાશે. યાત્રાળુઓ પોતાના ઘરના છોડ માટે એનો ઉપયોગ ખાતર તરીકે પણ કરી શકે.
પાવાગઢ ડુંગર ઉપર ખુલ્લા વિસ્તારમાં 11 હજાર રોપા ઉછેરી હરિયાળો કરવા ડિસેમ્બર 2022માં નક્કી કરાયું હતું. વડ, પીપળા, કરમદા અને કેતકીના રોપા વાવ્યા ટપક સિંચાઇથી રોપા ઉછેરવા નક્કી કરાયું હતું. પાવાગઢ પર્વત ભુજાઓ જેવી ટેકરીઓની શાખાઓ ધરાવે છે. ખીણથી વિભાજીત થઇને વિસ્તરેલી પાવાગઢની આવી જ એક શાખા પર વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. માઇ મંદિરની બિલકુલ પાછળ આવેલો અને ઊંધી રકાબી જેવું ભૂતલ ધરાવતો નવલખા કોઠાર વિસ્તારમાં વૃક્ષો ઉછેરવામાં આવ્યા હતા.
ગોધરા વન વિભાગે પ્રાચીન તળાવ અને કૂવાના જળની મદદથી ટપક સિંચાઇ દ્વારા વૃક્ષો ઉછેરવાનું શરૃ કર્યું હતું. દૂધવાળા વૃક્ષો એટલે કે વડ, પીપળા, કરમદા, જમીન સંરક્ષક કેતકીના વૃક્ષો વધારે છે. જે જમીન સાથે ઝડપથી ચોંટી જવાનો ગુણ ધરાવે છે. શાહુડી પ્રાણીનું કુદરતી રહેઠાણ અહીં છે. એ ઘણીવાર પાઇપો કાપી નાખેલી હતી. કુમળા છોડનું કુમળું થડ ચાવી જતી હતી. એટલે રોજે રોજ નિરીક્ષણ કરવું પડતું હતું. પાવાગઢની ખીણોમાં હરિયાળી છે, પરંતુ ટોચ મોટાભાગે વેરાન સપાટ વિસ્તાર હતો.
આમેય અહીં ચામાચિડિયાના કારણે વૃક્ષો મોટી સંખ્યામાં છે. પાવાગઢ ડુંગર લીલીછમ ચાદર ઓઢી રાખે છે. 51 શક્તિપીઠ પેકીની એક શક્તિપીઠ ગણાતી માઁ કાલિકા
વરસાદની શરૂઆત થતા ઝરણાં શરૂ થાય છે.
18 જાતના ચામાચિડિયા
ચામાચીડિયામાં પુષ્કળ વાઈરસ હોય છે. વાઈરસની કોઈપણ પ્રકારની આડઅસર તેમને થતી નથી. તેથી તે જંગલમાં રહે તે શરૂ છે. જો તેના રહેઠાણ માટેના વૃક્ષો કાપીશું તો માનવ વસાહતમાં આવીને રોગ ફેલાવશે. સ્ટ્રેસના કારણે બીમાર પડે છે. ત્યારબાદ તેમાં રહેલા વાઈરસ મનુષ્યમાં રોગ ફેલાવવાનું ચાલુ કરે છે.
કુદરતી સાયકલમાં સૌથી ઉપયોગી એવા ચામાચીડિયા પ્રત્યે ખાસ ધ્યાન અપાયું જ નથી.
10 વર્ષથી ચામાચીડિયા પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. જાંબુઘોડા અને પાવાગઢના જંગલોમાં 18 પ્રજાતિના ચામાચીડિયા વસવાટ કરે છે, તેમ એમ.એસ.યુનિ.ના ઝુઓલોજી વિભાગના પ્રો. દેવકરનું કહેવું છે. ચામાચીડિયા સૌથી શરમાળ સસ્તન પ્રાણી છે. તે મનુષ્યથી દૂર રહીને જંગલમાં એક જગ્યા પસંદ કરે છે. ત્યાં વર્ષો સુધી રહે છે. એક ચામાચીડિયું એક રાતમાં 1200 માખી, મચ્છર જેવા કીટકોનું ભક્ષણ કરે છે. વાગોળ નામના મોટા ચામાચીડિયા માત્ર ફળ ખાઈને જ જીવે છે. મનુષ્ય વૃક્ષો ઉગાડે તેના કરતા તેના મોંમાંથી પડેલું આ બીજ ત્રણગણી ઝડપથી ઉગે છે. માટે વાગોળ જંગલોના ફેલાવો કરવામાં સૌથી ઉપયોગી છે.
વિરાસત વન
હાલોલથી છ કી.મી. દૂર વિરાસત વન ઉભું કરાયું છે. હાલોલથી ચાંપાનેર-પાવાગઢ જવાના રસ્તે, ૩ કી.મી. પછી ડાબા હાથે જાંબુઘોડા જવાનો રસ્તો પડે છે. એ રસ્તે વળ્યા પછી તરત જ ધાબાડુંગરી આવે, અને એ રસ્તે બીજા ૩ કી.મી. પછી વિરાસત વન આવે છે. વડોદરાની આસપાસ 100 કિલોમીટરમાં પાવાગઢ, ચેલાવાડા,કેવડી જેવા સ્થળો પ્રકૃતિની હરિયાળી અને સાહસિક પ્રવૃત્તિઓમાં જોડવાની ઉત્તમ તક આપે છે.
મંદિર
વડોદરાથી 45 કિમી. દૂર વનપ્રદેશની વચ્ચે પાવાગઢ પર્વત પર લગભગ 85૩.4 મીટરની ઊંચાઈએ છે. સુલતાન મહેમુદ બેગડાએ ઈ.સ. 1484માં ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી હતી. વર્લ્ડ હેરીટેજ સાઈટ છે. ધાબાડુંગરી, વિરાસત વન અને ચાંપાનેર-પાવાગઢ જોવા જેવાં સ્થળો છે. ભીલ અને કોળી સમુદાય પૂજા અર્ચના કરતા આવ્યા છે . પાવાગઢ ઉપર ચંપા ભીલનું રાજ્ય હતું. પતેકુળના રાજાઓ કાળકા માતાના ભક્ત હતા. રાજા જયસિંહને મહંમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.
15મી સદીમાં સુલતાન મોહમ્મદ બેગડા દ્વારા પાવાગઢ પર વિજય મેળવ્યો ત્યારે મહાકાળી મંદિરના શિખરને તોડીને તેના ઉપર સદનશાહ પીરની દરગાહ 1484 પછી બનાવી દીધી હતી. હુમલા પછી પાવાગઢે તેની ભવ્યતા અને ગૌરવ ગુમાવ્યું હતું, પરંતુ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુનઃસ્થાપિત કરી છે. 500 વર્ષ પછી મહાકાળી મંદિર પર ધ્વજા ફરકી હતી. ગુજરાતની એક સમયની રાજધાની રહેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે .
કાલિકામાતાનું પ્રાચીન તીર્થધામ છે. અગિયારમી સદીમાં રચાયેલ ચંદ બારોટના કાવ્યમાં પાવાગઢનો ઉલ્લેખ મળે છે. મંદિરમાં માતાજીનાં ત્રણ સ્વરૂપોની મનોહર મૂર્તિઓ છે. અહીં ભદ્રકાલીમાતા, ભગવાન લકુલીશ અને જૈનોનાં પણ મંદિરો આવેલાં છે. આસો અને ચૈત્રની નવરાત્રિ દરમિયાન યાત્રિકોનો મોટો સમુદાય અહીં ઊમટી પડે છે.
શ્રીફળ પર પ્રતિબંધ
20 માર્ચ 2023માં ભક્તોને છોલેલું શ્રીફળ ડુંગર પર ન લઈ જવા દેવા મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયું હતું. ડુંગરની નીચે ભક્તોને જ્યાં પણ જગ્યા મળી ત્યાં તેમણે શ્રીફળ વધેરી મંદિર સંચાલકોનો વિરોધ કર્યો હતો. હિન્દુ સંગઠનો અને વેપારીઓ રોષમાં હતા. શ્રીફળ વધેરવાનું નવું મશીન મૂકવામાં આવ્યું તે શોભાના ગાંઠિયા સમાન બન્યું હતું. છોલ્યા વગરનું આખું શ્રીફળ લાવી માતાજીને ધરાવી ચૂંદડી સાથે તેને ઘરે લઈ જઈ શકે છે. પણ વધેરી શકાતું નથી.
7 હેક્ટરમાં જંગલ આગ
30 એપ્રિલ 2023માં પાવાગઢના 7 હેકટરથી વધુના વિસ્તારમાં આગ પ્રસરેલી હતી. આગ ડુંગર ઉપરથી નીચે ઉતરે તેવી શક્યતા હતા. જો દવ ડુંગરાળ વિસ્તારમાં યાત્રિકો દર્શનાર્થે આવે છે તે જગ્યા પર દવ વધે તો તેના પર અંકૂશ મેળવવો મુશ્કેલ હતો.

















હરિયાળીથી ચલચિત્રોના શુટીંગ વધશે
પાવાગઢની તળેટીમાં ચાંપાનેર અને તેનાથી ચારથી પાંચ કિલોમીટરના અંતરે માંચી ગામ આવેલું છે .સર્પાકાર શેપ નો માર્ગ ચઢાણ કરીને માચી ગામ પહોંચાડે છે .માચી ખાતેથી ગઢ પર ચડવા માટે રોપવેની સુવિધા પણ આવેલી છે . ચાંપાનેર થી માચી સુધી, જંગલના રસ્તે પહાડ પર ચઢાણ કરે છે. રસ્તામાં વચ્ચે ગેહરું જંગલ પણ આવે છે, જેથી આ માર્ગ ખૂબ જ કઠણ છે. ચોમાસામાં આખું પાવાગઢ વાદળોથી ઢંકાઈ જાય છે. પાવાગઢ પહેલા વડા તળાવથી પાવાગઢના ડુંગર હરિયાળો પહેલાથી દેખાય છે. અહીં લગ્નનો પ્રિ વેડિંગ સૂટ. ઘણી બધી ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ પણ પાવાગઢ અને વડા તળાવના સ્થળે થયું હતું. હવે સિનેમાના ઘણાં શૂટિંગ અહીં થશે.
મેંગેનિઝ ધાતું અહીં નિકળે છે. 936 મીટર ઊંચાઇ છે જ્યાંથી વિશ્વામિત્રી નદી નિકળે છે.
358 હિંદુ ધર્મના સ્થાનો
પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડમાં 8 પવિત્ર સ્થાનો અને 358 જેટલા ધાર્મિક દેવ સ્થાનો હિંદુઓના સમાવવામાં આવ્યા છે. 8 પવિત્ર સ્થાનોમાં સોમનાથ, દ્વારકા, ગીરનાર, પાલીતાણા, અંબાજી, ડાકોર, પાવાગઢ અને શામળાજી છે. આ તમામ સ્થાનોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો સરકાર સમક્ષ છે છતા કોઈ પગલા લેવા આવતા નથી.
કોઈ ધર્મ માટે સરકાર ખર્ચ કરી ન શકે. બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર તરફથી કોઈ એક ચોક્કસ ધર્મ માટે પ્રજાના પૈસાની ફાળવણી બંધારણ વિરુદ્ધ અને અયોગ્ય હોવા અંગેનો એક કેસ ગુજરાતની વડી અદાલતમાં ચાલી રહ્યો છે.
મહાકાળીના સ્થાને ભ્રષ્ટાચાર
મહાકાળીનું જ્યાં મંદિર આવેલું છે તે પાવાગઢમાં PWD અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટના સંયુકત રીતે પ્રોજેકટ હાથ ધરાઈ રહ્યો છે. મૂળભૂત રીતે આ પ્રોજેક્ટ પાછળ કૂલ રૂ.78 કરોડનો હતો તે વધીને રૂ.125 કરોડે થઈ ગયો હતો. ઠેકેદાર દ્વારા અગાઉ પણ આ રીતે ઊંચું ટેન્ડર ભરીને પ્રયાસ થયો હતો. પણ અનિલ પટેલે તે માન્ય ન રાખી કીંમત નીચી કરી હતી. તેઓએ બોર્ડ છોડ્યું એટલે તુરંત ભાવ વધારીને કામ આપી દેવામાં આવ્યું હતું. બોર્ડની વેબ સાઇટ ઉપરથી ટેન્ડરની વિગતો ડિલિટ થઈ. યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇટ પર ટેન્ડરો અંગેની માહિતી અદૃશ્ય થઇ ગઈ છે. આવું ખેત તલાવડીના કરોડોના કૌભાંડો બહાર આવતા થયું હતું.
સરકારની બે મોઢાની વાત
RTI એક્ટિવિસ્ટ કિશોર નથવાણીએ યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ સંયુક્ત સચિવ અનિલ પટેલ સાથે યાત્રાધામ વિકાસ બોર્ડમાં થયેલા રૂ.70 કરોડના ભ્રષ્ટાચાર અંગે ફોન પર થયેલી વાતોની ઓડિયો ક્લિપ જાહેર કરી ત્યાર બાદ અધિકારી કબૂલે છે કે ભ્રષ્ટાચાર થયો છે. યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રધાન દિલીપ ઠાકોર દ્વારા તપાસના આદેશો કરાયા છે. નાયબ મુખ્ય પ્રધાન કહે છે કે આક્ષેપો ખોટા છે. તે તો વાત કરનાર અધિકારી સામે આક્ષેપો કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવી રહ્યા છે. જો વળી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તપાસના આદેશ કર્યા છે. બોર્ડના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી અનિલ પટેલ પાસેથી પણ પુરાવા માગવામાં આવ્યા છે. આમ ભાજપ સરકારમાં બે મોઢાની વાતો થઈ રહી છે.
યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇટ પર ટેન્ડરો અંગેની માહિતી અદૃશ્ય થઇ ગઈ છે. આવું ખેત તલાવડીના કરોડોના કૌભાંડો બહાર આવતાં થયું હતું.
સોમનાથ મંદિરની જેમ ગુજરાતમાં હિંદુ સંસ્કૃત્તિના 1700 ઐતિહાસિક સ્થળોનું પતન
https://allgujaratnews.in/gj/historical-sites-of-hindu/
બેંકોનું ફંડ ધર્મ માટે બંધ પણ મંદિરોમાં ભ્રષ્ટાચાર ચાલું
https://allgujaratnews.in/gj/curruption-tampal/
એક સમયની ચાંપાનેરની રાજધાની ગોધરામાં ઐતિહાસિક અવશેષ મળી આવ્યા
https://allgujaratnews.in/gj/chamaner-vadodara/