ફટાકડા પર પ્રતિબંધ મૂકનારા કેજરીવાલને હિંદુ વિરોધી કહેનારા ભાજપની રૂપાણી સરકારે પણ પ્રતિબંધ મૂક્યો, ભાજપના બે ચહેરા

ગાંધીનગર, 7 નવેમ્બર 2020

ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.રાજ્ય સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ વિદેશી ફટાકડાની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નરને પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવા જણાવાયું છે. ફટાકડાના ગેરકાયદેસર વેચાણ સંગ્રહખોરી સામે પગલા લેવા અને કાર્યવાહી કરવા જણાવાયું છે.

દિલ્હી રાજ્ય જેટલાં એટલે કે રૂ.2000 હજાર કરોડના ફટાકડાં ગુજરાતમાં બને છે અને ફૂટે છે. જે હવે માત્ર 300 કરોડ આવીને ઊભા રહેશે. 10 હજાર લોકોએ ફટાકડાં બનાવવાનું કામ કર્યું હતું. જે આવતાં વર્ષે ગંભીર સ્થિતી ઊભી કરશે.

પાંચ રાજ્યો રાજસ્થાન, બંગાળ, મધ્યપ્રદેશ, દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકાયા બાદ ગુજરાતમાં દિવાળી ટાણે ફટાકડા ફોડી શકાશે કે નહીં, તે એક મોટો પ્રશ્ન બન્યો હતો. હાલ ગાંધીનગરથી ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દર દિવાળીની જેમ રાત્રિના 10થી સવારે 6 સુધી ફટાકડા ફોડી શકાશે નહિ, ભેગા થઈને ફોડવા પર પણ મનાઈ છે.

દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે અરવિંદ કેજરીવાલ સરકારસરકારને હિંદુ ધર્મના તહેવારો પર બેન લગાવવામાં આવે છે. એવું ભાજપના કપીલ મિશ્રાએ કેઝરીવાલની ટીકા કરી હતી. હવે તેઓ ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ટીકા કરશે કે નહીં. લોકો કહે છે કે ભાજપના બે ચહેરા બહાર આવ્યા છે.

એ દિવાળીના અવસર પર 7 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ફટાકડા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. દિલ્હી સરકારના આ નિર્ણય પર ભાજપના નેતા કપિલ મિશ્રા

સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા સરકાર તરફથી સૂચના પણ આપવામાં આવી છે. સરકારે પોતાના જાહેરનામામાં ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. 144 હેઠળ આદેશ બહાર પાડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. ફટાકડાની ગેરકાયદે આયાત, સંગ્રહ, વેચાણ સામે રોક લગાવી છે. કલમ 144 હેઠળ પ્રતિબંધાત્મક આદેશ લગાવવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોના મતે ફટાકડાનો ધુમાડો માત્ર કોરોનાના દર્દીઓ માટે જ નહીં, કોરોનાથી સાજા થયેલા લોકો માટે પણ જોખમી બની શકે છે. કોરોનાના સંક્રમણની સીધી અસ૨ ફેફસાં પ૨ થઈ હોય છે એટલે ફેફસાં પ્રમાણમાં નબળા પડયા હોવાથી ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. ડિસ્ચાર્જ થયા બાદ પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યા સર્જાતી હોવાનું જોવા મળે છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ નિષ્ણાતો આ દિવાળીએ ફટાકડા ન ફોડવાની સલાહ આપે છે.