ખાતર કૌભાંડ એક લોટમાં થયું હતું ? આખરે 705 ગ્રામ વજન ઘટ નિકળી
ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ કંપની – GSFCના સરદારનું DAPની એક થેલીએ રૂ.150થી રૂ.200નો ગોટાળો થયો છે. રાજ્યના પૂરવઠા વિભાગે જેતપુરમાં 50 થેલીનું વજન કર્યું હતું. જેમાં 10 મે 2019માં રાજના 12.30 કલાકે જાહેર કર્યું હતું કે, 50 કિલોની એક બોરીએ 585 ગ્રામ ઓછું વજન છે. તેમાં બોરીની પ્લાસ્ટીકની થેલી પણ આવી જાય છે. પ્લાસ્ટીકની ખાલી થેલીનું વજન 120 ગ્રામ ગણતાં કૂલ 705 ગ્રામ વજન ઓછું નિકળ્યું છે.
મધરાત સુધી કામ ચાલ્યું
પુરવઠા અધિકારી દિલીપ ગાંધીએ 50 થેલી ગણીને તેનું વજન કર્યું હતું. પણ ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાને શંકા ગઈ હતી કે વજનમાં ગોલમાલ કરવા માટે ઉપરથી અધિકારીઓ પર દબાણ છે. તેથી ખેડૂતોએ જાહેર કર્યું કે કેટલું વજન થાય છે તે અહીં જ જાહેર કરવામાં આવે અને તેના રોજકામની એક નકલ અમને આપવામાં આવે. જ્યાં સુધી તે નકલ આપવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો સ્થળ છોડશે નહીં અને રાત અહીં જ રોકાશે. ત્યારે અધિકારીઓએ મજબૂરીથી વજન જાહેર કરવું પડ્યું હતું. તેમાં પણ એ ચાલાકી કરવામાં આવી કે બેગવનું પ્લાસ્ટિકનું વજન પણ કરી લેવામાં આવ્યું હતું. આ ગોડાઉનમાં 1500થી 2000 થેલી ખાતરની પડી છે.
ખરેખર શું થયું ?
સિક્કાની GSFC ફેક્ટરીમાં બનેલું આ ખાતર છે. જ્યાં 7 લાખ ટન ખાતર બને છે. સિક્કા પ્લાંટની કૂલ ઉત્પાદક ક્ષમતા 9 લાખ ટનની છે. અહીં 8 કલાકમાં એક બેલ્ટ એટલે કે એક મશીન પર 200 ટન ખાતર બનીને પેકીંગ અને વજન થઈને કન્વેયર બેલ્ટ પરથી થેલીઓ પસાર થાય છે. રોજ 4000 બેગનું ઉત્પાદન નિકળે છે. તે મશીન પુરતી એરર હોઈ શકે છે. તેથી એટલો જથ્થો ભૂલભરેલો હોઈ શકે છે. કલાકે 1 બેગ ચેક થાય છે. જો તે બેલમાં વજન ઓછું હોય તો તે થેલી જામ થઈ જાય છે. જેને એક સ્વિચ દવાબીને મેન્યુઅલી અલગ કરવામાં આવે છે. કુંપનીએ સરવે શરૂ કર્યો છે કે ભેજના કારણે કેટલું વજન ઓછું થયું છે કે કેમ. એક કલાકે એક બેગ ચેક થાય છે. ઓટોમેટીક વજન કાંટો છે. જો એક થેલીમાં વજન ઓછું હોય તો તે થેલી ચોંટી જાય છે. પણ જો તેમાં કોઈ
GSFCમાં રોજની 80,000 બેગ એટલે કે 7 લાખ ટન વર્ષે બને છે. DAP બનીને બહાર નિકળે છે. તે તમામાં ચેક થતી નથી. રેન્ડમ ચેક થાય છે. ખેડૂતોની હવે ચોમાસાની ઋતુ શરૂ થશે. 1.80 કરોડ બેગ ગુજરાત અને વિદેથી થતી આયાતની બેગ ખેડૂતોને દેશભરમાં આપવામાં આવે છે.
ખાતરની 4000 બેગમાં ગરબડ ઠેરવવા પ્રયાસ
GSFCના સરદારનું DAPની 22 લાખ થેલી સાથે આવું 25 લાખ ટન કૂલ રાસાયણિક ખાતરનું વેચાણ વર્ષમાં થાય છે. જેમાં 9 લાખ ટન આયાતી ખાતર પણ આવી જાય છે. તે હિસાબે રૂ.33 કરોડથી રૂ.50 કરોડ સુધીનું ખાતર કૌભાંડ થયું હોવાનું માનવામાં આવે છે. પણ GSFC 4000 થેલીના લોટને ઓછા વજનમાં ખપાવીને તેને ભેજના કારણે ઘટ આવી હોવાનું સરકારને ઠસાવવા પ્રયાસ કરી રહી છે. 4000 થેલી જ આવી ગરબડ વાળી હોઈ શકે, એવું બતાવીને જવાબદારી ઓછી કરી શકે છે. જો તેમ થાય તો એક થેલીએ 20 રૂપિયાનું નુકસાન ગણીને તે રૂ.80,000 થી વધું નકસાન થતું નથી એવું પ્રજામાં જાહેર કરે તો નવાઈ નહીં.
GSFC દ્વારા કૃષિ વિભાગને અહેવાલ મળેલો છે. તે પ્રમાણે 300થી 400 ગ્રામ વજન ઓછું હોવાનું જણાવ્યું છે. જે ખેડૂત અને તોલમાપ અધિકારીએ આપેલી વિગતો કરતાં ઓછું છે. એક બેચમાં એટલે કે 4000 બેગમાં વજન ઓછું ગયું છે. GSFCએ જે બાબત જણાવી છે તેમાં એમનું માનવું છે કે, એક થેલીએ
એક લોટ જે આપવામાં આવ્યો છે તે 30 દિવસની અંદરનો છે. ત્યાર પછીનો લોક જે આપવામાં આવ્યો છે તેમાં કોઈ સ્થળે ઓછું વજન નિકળ્યું નથી.
સિક્કાનું વજન મોટા ભાગે સારું છે. પણ વિદેશથી આયાત થતું 9 લાખ ટન ખાતર બંદર પર આયાત થાય છે તેમાં મોટી ગરબડ થાય છે. પોર્ટ પર મોટી ગરબડ થઈ રહી છે. તમામ ખાતર મળીને 9 લાખ ટન તમામ ખાતર છે. ગયા વર્ષે 2018માં 25 લાખ ટન ખાતર GSFC દ્વારા વેચવામાં આવ્યું હતું.
સારો લોટ ન જોખાયો
GSFC એ જે ખાતર મોકલાવેલું હતું તેમાં જે લોટનું વજન ઓછું હતું કે જ જોખવાનું કહેવામાં આવ્યું હતું. પણ જેતપુરના એ જ ગોડાઉનાં બીજી બેચનો જથ્થો હતો તે તોલવા દેવાયો ન હતો. જો બીજા જથ્થાનું તોલ માપ કરાયું હોત તો આ વજન ઓછું નિકળ્યું હોત. સામાન્ય રીતે તોલ માપ ખાતા દ્વારા 10 થેલીની તપાસ રૂટીન કરતાં હોય છે જો તેમાં 1 ટકા વજન ઓછું હોય તો તે માન્ય છે. પણ તેમાં તમામ પ્રકાનું ખાતર અને તમામ લોટ આવી જતાં હોય છે. તોલમાપ ખાતું પહેલા તો તૂટેલી બેગનું વજન કરવા લાગી ગયું હતું. પણ તેનો વિરોધ GSFCના એધિકારીઓએ કર્યો હતો અને તુટેલી બેગ ન હોય એ વીજ બેગનું વજન કરવા આગ્રહ રાખતા પુરવઠા અધિકારઓએ તુટેલી ન હોય એવી બેગનું વજન કર્યું હતું. સારો માલ હતો તે જોખવા નથી દીધો.
GSFCએ ભૂલ કબુલી
GSFCએ ઓછા વજનની ભૂલ કબુલીને સમગ્ર રાજ્યમાં વિતરીત કરાયેલો જથ્થો તુરંત સ્થગિત કરી દીધો હતો. વેચાણ બંધ કરીને ખામી ધરાવતો જથ્થો પરત ખેંચી લેવામાં આવ્યો હતો. અને એવું જાહેર કર્યું હતું કે વજન ઘટ છે તેથી જે થેલીમાં વજન ઓછું હશે તે થેલી પરત લઈ લેવામાં આવશે. તેમણે આ જાહેરાત એટલા માટે કરવી પડી હતી કે, સમગ્ર રાજ્યમાં ઓછા વજનની ફરિયાદો આવવાનું શરૂ થયું હતું.
ખાતર કૌભાંડમાં જવાબદાર કોણ અને કોની સામે કેસ થશે
ખાતર કૌભાંડથી બચવા માટે GSFC કંપનીએ અનેક રસ્તા તપાસી લીધા છે. જેમાં એક માર્ગ ખાતરમાં ભેજ આવી જવાથી ઓછું વજન થયું છે એવું શોધી કાઢવાની સૂચના કંપનીના અધિકારીઓને આપવામાં આવી છે. કારણ ગમે તે હોય પણ તેમાં સજા તો કંપનીના એમડી કે તેની હાથ નીચેના અધિકારીઓ ઠરે તેમ છે. પણ નાના કર્મચારીઓનો ભોગ IAS અધિકારી લે એવો તખ્ખતો ગોઠવવામાં આવી રહ્યો છે.
ભેજ કારણ
GSFC 9 મે 2019થી એવું કારણ ઠસાવવા સંશોધન કરી રહી છે કે, જે વજન ઘટ આવી છે તેનું કારણ ભેજ છે. ભેજના કારણે 500 ગ્રામ જેવું વજન ઘટી ગયું હોઈ શકે છે. જોકે, આ વાત કાનૂની રીતે પણ માની શકાય તેમ નથી. તે માનવામાં આવે તો GSFCના એમડી સામે તોલમાપ ખાતાએ ગુનો દાખલ કરવો પડે, કારણ કે, માત્ર 1 ટકો જ માપ માટે ભેજ કારણભૂત ગણી શકાય છે. કંપની તો એવું જ માને છે કે ભેજના કારણે વજન ઘટી ગયું છે.
વિદેશથી આયાત કારણભૂત
GSFC પાસે બે ફેક્ટરી છે. એક વડોદરા અને એક જામનગરના સિક્કામાં. સિક્કામાં 7 લાખ ટન અને વડોદરામાં 9 લાખ ટન DAPનું ઉત્પાદન થાય છે. અને 9 લાખ ટન વિદેશથી આયાત કરે છે. હવે જે વિદેશથી આયાત થાય છે તે કંડલા, મુંદ્રા અને દક્ષિણ ગુજરાતના બંદર પર આયાત થાય છે. જે છૂટું હોય છે. તેને બંદર પર જ પેક કરવામાં આવે છે. 9 લાખ ટન માલ બંદર પર પેકીંગ થાય છે તેમાં વર્ષોથી વજન ઓછું ભરવાનું મોટું કૌભાંડ ચાલતું આવ્યું છે. આ લોટ પણ વિદેશથી આવેલો અને મુંદ્રા બંદર પર પેક થયેલો હોઈ શકે છે. કારણ કે સમગ્ર રાજ્યમાં ઓછું વજન હોવાની ફરિયાદો થઈ છે.
કોની સામે કેસ થશે ?
ખાતર કૌભાંડની સીધી જવાબદારી GSFCના મેનેજીંગ ડીરેક્ટર IAS સુજીત ગુવાટીની થાય છે. પણ તે પોતે હવે પેકીંગ કરવારા યુનિટ હેડ પર જવાબદારી ઢોળે એવી પૂરી શક્યતા છે. ખરેખર તો પૂરવાઠા ખાતાના તોલમાપ વિભાગ દ્વારા કેસ થશે. બીજો કેસ કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ કેસ સીધો જે તે કંપનની ટોચના જવાબદાર અધિકારી સામે થતો હોય છે. પણ IAS અધિકારઓની લોબી ક્યારેય પોતાની કેડર સામે કેસ કરતી નથી. તેથી એમડીને બચાવી લેવા તમામ પ્રયાસો થશે. આ કંપનીમાં ચેરમેન હવે નિયક્ત કરાતાં નથી.
GSFC ખાતર રાજ્ય વ્યાપી બની ગયું
ગુજરાત ભાજપ સરકારમાં જે કૌભાંડો થયા છે તેમાં મોટા ભાગના ખેડૂતો અને ખેતીને લગતા થયા છે. પહેલા ઉત્તર ગુજરાત પૂર રાહત કૌભાંડ, નર્મદા નહેરની પાઈપ લાઈન કૌભાંડ, ખેત તલાવડી કૌભાંડ થયું ત્યાર બાદ મગફળી કૌભાંડ, તુવેર દાળ ખરીદી કૌભાંડ, વીમા કૌભાંડ, જમીન માપણી કૌભાંડ અને ઘાસચારા કૌભાંડ થયા છે. હવે તેમાં ખાતર કૌભાંડ બહાર આવ્યું છે. આમ ખેડૂતો અને ખેતીમાં ઉઘાડી લૂંટ આ સરકામાં શરૂ થઈ છે.
જેતપુરમાં પકડાયેલા કૌભાંડમાં ડીએપી ખાતરની બોરી પણ 50.12 કિલો અને 50 કિલોનું લખાણ છે. પરંતુ ગુણીમાં 49.550 કિલો ગ્રામ વજન ધરાવે છે. ગુજરાત ખેડૂત સમાજના આગેવાન ચેતન ગઢિયા તથા ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા આ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે.
ખેડૂત ચેતનભાઈ દવારા DAP સરદાર ખાતર કિશન સુવિધા કેન્દ્ર ખાતેથી 40 થેલી ખરીદ કરેલ હતી. જેનો વજન કરતાં વજન 500 ગ્રામથી ઓછો જણાતાં ગુજરાત ખેડૂત સમાજને જાણ કરતા આ તમામ કૌભાંડ બહાર આવ્યું હતું.
ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂતના ઘરે જોઈ તમામ બોરીનો તોલમાપ કરતા બોરીમાં 500 થી 900 ગ્રામ ખાતરની ઘટ આવી હતી. તમામ ખાતર કેન્દ્ર પર તપાસ કરતા ત્યાં પણ તમામ બોરીમાં વજન ઓછું હતું. કેટલીક બોરીને તપાસતાં તેમાં 50 કિલોએ 1.5 કિલો ઓછું ડીએપી હતું.
DAP ખાતરના વેચાણ પર પ્રતિબંધ મૂકવા સુરત ખેડૂત ખરીદ વેચાણ સંઘ દ્વારા નિર્ણય લેવાયો હતો. સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની ચીજ વસ્તુઓમાં મોટા કૌભાંડ બહાર આવ્યા છે. મગફળી ખરીદી કૌભાંડ, બારદાન કૌભાંડ, ઘાસચારા કૌભાંડ, આગ કૌભાંડ, તુવેર ખરીદી કૌભાંડ બહાર આવ્યા છે.
સરદારનું જે સલ્ફેટ છે, તેમાં ઘટ નથી પણ સરદારનું ઈમ્પોર્ટેટ DAP છે, તે કંડલા બંદરે કે, જ્યાં ઈમ્પોર્ટ થયું હશે. ત્યાં તેમના જે કારખાના છે અને તેમના જે કોન્ટ્રાક્ટર છે, તેણે મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું અમારું માનવું છે.
રાજ્ય વ્યાપી ખાતર કૌભાંડ
દક્ષિણ ગુજરાતમાં ખાતરનું હાલ પુરતું વેચાણ બંધ કરી દઈએ છીએ અને આવનારા દિવસોમાં જે ઘટ આવે છે. તે ખાતરની ગુણો અમે કંપનીને આપવા જઈ રહ્યા છીએ. દક્ષિણ ગુજરાતમાં 10 લાખ ખેડૂતો શેરડીના ઉત્પાદનમાં DAPનું આ ખાતર વાપરે છે. દરમિયાન અરવલ્લીના મોડાસા અને માલપુર તાલુકામાં જીએસએફસીનું ડીએપી નામના ખાતરમાં વજન કરતાં ઓછું ખાતર નિકળ્યું છે. આમ ખાતર કૌભાંડ રાજ્ય વ્યાપી છે. તેથી કૃષિ પ્રધાન રણછોડ ફળદુએ તપાસનો આદેશ આપ્યો છે. કંપનીના અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે.
ખેડૂતોની ઉઘાડી લૂંટ, ભાવમાં 5 વર્ષમાં જંગી વધારો
રાસાયણિક ખાતરોમાં ડીએપી (ડાય)ના ભાવમાં 350 નો ધરખમ વધારો ઝીંકી 1400 કરી દેવાતા ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાયો છે. ડાય-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)ના ભાવ 50 કિલો દીઠ રૂ.1400 સુધી ચાલી રહ્યાં છે.
ખેડૂતોની લૂંટ
GSFCના સરદારનું DAPની 50 કિલોની એક થેલીએ 2014 પહેલા રૂ.800નો ભાવ હતો તે વધીને રૂ.1400 થયો હતો. જેમાં સરેરાશ એક થેલીએ રૂ.500 ખેડૂતોની ખિસ્સામાંથી રૂ.110 કરોડ એક વર્ષના અને સરેરાશ 5 વર્ષના રૂ.400 કરોડથી રૂ.500 કરોડ ભાજપ સરકારે ખંખેરી લીધા હતા.
ખેડૂતોને સબસિડી રૂ.28.50 કરોડની સરકાર દ્વારા આપવામાં આવે છે. તમામ પ્રકારના કૂલ 25 લાખ ટન રાયાસણીક ખાતર ગુજરાતના ખેડૂતો વાપરે છે. જેના હિસાબે હવે સબસિડી બહુ રહી નથી. પણ ખેડૂતો પાસેથી લૂંટ ચલાવવામાં આવી રહી છે.
ખાતરમાં કેન્દ્ર સરકારની લૂંટ
કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે કહ્યું પણ ખાતરની સબસિડી 20 ટકા ઘટાડી દીધા બાદ ખાતર બનાવતી સરકારી કંપનીઓએ ભાવમાં 30 ટકા સુધીનો જંગી ભાવ વધારો કર્યો હતો. સરકારે ખેડૂતોને વચન આપ્યું હતું કે ભાવમાં વધારો નહીં થાય. 2014માં જે થેલી રૂ.800માં મળતી હતી તે 2019માં રૂ.1400માં મળે છે. રાસાયણિક ખાતરોના ભાવમાં ધરખમ વધારો થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વર્ષ સરેરાશ રૂ.122 કરોડની અને પાંચ વર્ષે રૂ.500 કરોડ લૂંટ ભાજપની નરેન્દ્ર મોદી સરકારે કરી હોવાનો આરોપ ખેડૂતો મૂકી રહ્યા છે.
ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ દેલાડએ જણાવ્યુંહતુંકે, સપ્ટેમ્બર 2017 દરમ્યાન જે ડીએપી ખાતરની 50 કિલોની થેલીના રૂપિયા 1086 હતા. 2018 સુધીમાં 20 ટકાથી પણ વધુ છે. સપ્ટેમ્બરમાં નોંધાયેલા ડીએપીના ભાવ સામે ફેબ્રુઆરી 2018માં સીધો રૂ.114 નો વધારા સાથે 50 કિલોની થેલીના ભાવ રૂ.1200 રહ્યો હતો. જેમાં વધારો થઈને સપ્ટેમ્બર 2018માં રૂ.1340 ઉપર પહોંચ્યો છે.
દેશમાં 277 લાખ ટન ખાતરોનો વપરાશ જ્યારે ગુજરાતમાં 2011-12 પ્રમાણે 17 લાખ ટન ખાતર વપરાય છે. 2019 પ્રમાણે 25 લાખ ટન ખાતર વપરાય છે.
જીએસએફસી, આઈપીએલ, હિન્ડાલ્કો, ઇફકો, કૃભકો, ચંબલ ફર્ટીલાઈઝર તથા ટ્રાન્સ એગ્રો ખાતર બનાવીને વેચે છે. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા રૂ.85 કરોડની કિંમતે 90 હજાર મેટ્રિક ટન ખાતર ખરીદીને સ્ટોરેજ કરે છે.
દુકાળમાં 77 કરોડનો ભાવનો બોજ
ગુજરાતના 5000 હજાર જેટલા ગામડાંઓમાં ઓછો વરસાદ થવાના કારણે તેમનો પાક નિષ્ફળ ગયો હતો. આ ખેડૂતોએ એક એકર દીઠ રૂ.14થી 20 હજાર સુધીનું ખાતર નાંખ્યું હતું. જેથી પાકને પોષક તત્વો મળી રહે. તે કરોડો રૂપિયાનું ખાતર હવે ખાતર પર દીવો બની ગયો છે. 2017-18માં રાસાયણિક ખાતરોમાં ડીએપી (ડાય)ના રૂ.1050 ભાવમાં રૂ.350નો ધરખમ વધારો ઝીંકી રૂ.1400 કરી દેતા ખેડૂતોમાં ભાજપ સરકાર વિરુદ્ધ વ્યાપક રોષ ફેલાયો છે. રૂ.77 કરોડ આ રીતે ભાવ વધારો કરીને ખેડૂતોને મોદી સરકારે ખંખેરી લીધા હતા.
GSFCનું નકલી DAP ખાતર
કૃષિ ભવન ગાંધીનગરના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મહેસાણા જિલ્લા નાયબ ખેતી નિયામક દ્વારા ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ કંપનીના નકલી રાસાયણિક ખાતરનું વેચાણ થતું હોવાનું પકડી પાડ્યું હતું. પોલીસે વિસનગર શહેરના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના ગામ કડા નજીક 10 ટન નકલી DAP રાસાયણિક ખાતર ભરેલી ટ્રક સાથે 3 શખ્સોની ધરપકડ કરી હતી. સરદાર ડીએપી માર્કાવાળી રાસાયણિક ખાતરની થેલીઓ છે. ભાવ કરતા અડધી કિંમતે વેચાણ કરવામાં આવતું હતું. ટ્રક આણંદની ગોલ્ડન ફર્ટીલાઇઝર્સ કંપનીમાંથી ભરવામાં આવ્યું હતું. વિષ્ણુ પટેલને બજાર ભાવ કરતા 50 ટકા નીચી કિંમતે આપવાનું હતું.