જુથવાદ ના આરોપી તરીકે શંકરસિંહ વાઘેલાને ક્લીનચીટ આપતી ગુજરાત કોંગ્રેસ

ભારતીય જનતા પક્ષને જેમ દેશની તમામ સમસ્યાઓ મા નહેરૂજી દેખાય છે તેવી જ રીતે એક સમયે કોંગ્રેસ ને પક્ષની તમામ સમસ્યાઓ મા શંકરસિંહ દેખાતા. જનતા દરબારમાં નહેરૂ ને ઢાલ બનાવી આઝાદીની લડતમાં પોતાની ગેરહાજરી પર ભાજપ જે પ્રકારે ઢાંકપીછોડો કરે છે તેવું જ ગુજરાત કોંગ્રેસ ના નેતાઓ પોતાની સરકી ગયેલી જમીન સાચવવા દીલ્હી દરબાર મા શંકરસિંહજી ના નામનો ઉપયોગ કરતા હતા.

આજે ગુજરાત કોંગ્રેસ ની જે સ્થિતિ છે તે માટે અમિત ચાવડા અને પરેશ ધાનાણી દીલ્હી દરબારમાં હાજરી પુરાવવા ગયા તો છે પણ જુથવાદ નુ ઠીકરૂ હવે કોના માથે ફોડવુ તે વીમાસણ છે. જે પરિસ્થિતિ માંથી શંકરસિંહજી પસાર થયા હતા તેમાંથી પસાર થવાનો સમય આ યુવા-બેલડીનો છે. દીલ્હીથી ગુજરાત કોંગ્રેસ ને ચલાવતી અદ્રશ્ય શક્તિ ના પ્રભાવ ને નહીં ખાળી શકતું પ્રદેશ સંગઠન આજે જે ઉકળતા ચરૂ જેવી સ્થિતિએ પંહોચ્યુ છે તે પરિસ્થિતિ સ્વયં શંકરસિંહજી વાઘેલા ને જુથવાદના અપરાધ થી મુક્ત કરવા પુરતી છે.

મારી ખરેખર કોંગ્રેસ ને ચાહતા અને અજંપો અનુભવતા કાર્યકરો ને વિનંતી છે કે પક્ષ છોડતાં પહેલાં સંવેદના સંમેલન ના મંચ પરથી શંકરસિંહજી વાઘેલાએ આપેલા વ્યક્તવ્ય ને તમામ પુર્વગ્રહો છોડી એકવાર ધ્યાનથી સાંભળજો. રોગ દૂર કરવાના બદલે ડોક્ટરને દૂર કરી દીધાની લાગણી અનુભવાશે. ચુંટણીના છ મહીના પહેલા ઉમેદવારો નક્કી કરી દેવા, પ્રદેશ સંગઠન ના તમામ નિર્ણયો પ્રદેશ કક્ષાએથી જ થાય એવી મુળવાત રાહુલ ગાંધી ને સમજાવવામાં સફળ પણ અદ્રશ્ય શક્તિ સામે અસફળ રહેલા શંકરસિંહજી જેવા હાલ આજે પુરવાર કરી રહ્યા છે કે ખોટ કોઈ વ્યક્તિમાં નહીં કોંગ્રેસ ના ખાટલે છે.

આજે આશાબેન જેવા નવાસવા રાજકારણી સામે ખોળો પાથરી આજીજી કરનાર નેતાઓએ જે તે સમયે શંકરસિંહને સાચવી લીધા હોત તો કોંગ્રેસ આજે સત્તામાં હોત. કુંવરજી બાવળીયા ના કીસ્સામા પણ કાચું કપાયુ. કોંગ્રેસ નો બાવળ આજે કમલમના આંગણે આંબો થઈને મહોરે છે. હરખપદુડા થઈ આંદોલનકારીઓ માટે જગ્યા કરી દેનાર કોંગ્રેસ પાસે તે વિસ્તારમાં પગ મુકવાની જગ્યા રહી નથી. હજુ અલ્પેશ ઠાકોર નુ ભુત તો માથે ધુણી જ રહ્યું છે.

પોતાના જોરે હજાર માણસની ભીડ ભેગી નહીં કરી શકતા કાગજી મહાનુભાવો ને કર્મઠ અને સમર્પિત કાર્યકરો થી સુગ હોય તેવું લાગે છે. જે પક્ષ છોડે એની વેચાણકીમંત જાહેર કરી દેતી કોંગ્રેસ જે પક્ષમાં છે તેમની કીમંત સમજે તે વધુ ઉચિત છે. ભાજપ કોંગ્રેસ નો કચરો લઈ જાય છે એવી શાંત્વના મેળવવાના પ્રયાસમાં નેતાઓ પક્ષને ઉકરડો સિધ્ધ કરી રહ્યા છે. બાવીસ વરસથી ભાજપ ગુજરાતમા એકહથ્થુ શાસન કરે છે એના માટે ખુદ કોંગ્રેસ જવાબદાર છે.

સમય રહે કોંગ્રેસ સંગઠન શક્તિ નું મહત્વ નહી સમજે, રીફ્રેશમેન્ટ બટન નહીં દબાવે તો રાહુલ-પ્રિયંકાની મહેનત એળે જશે. વિપક્ષમા રહીને સત્તાની ભાગબટાઈ કરનારાઓની ચુંગાલમાંથી બહાર નહીં આવતા નેતાઓ સામે કોંગ્રેસ કાર્યકરોએ હલક માથી અવાજ કાઢવાનું સાહસ દાખવવુ જ પડશે, અન્યથા આવનારી લોકસભા એક વધુ પરાજય ની શોકસભા બની રહેશે. તેમ રાજેશ ઠાકરે જણાવ્યું હતું.

9714350505
Rajthaker207@gmail.com