12 લાખ કરોડના ભ્રષ્ટાચારમાં મોદી પગલાં ન લીધા

मोदी ने 12 लाख करोड़ के करप्शन में एक्शन नहीं लिया Modi Failed to Take Action on ₹12 Lakh Crore Corruption

પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ચાલ

દિલીપ પટેલ
અમદાવાદ, 24 મે 2026
નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહે 12 લાખ કરોડના કોંગ્રેસના ભ્રષ્ટાચારની વાતો ગુજરાત વિધાનસભામાં જાહેર કરી હતી.

હવે અમિત શાહ દેશના ગૃહ પ્રધાન અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે ત્યારે તે જ વાત કરી રહ્યાં છે.

ભાજપે 22 મે 2026ના દિવસે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં કોંગ્રેસની 2014 સુધીની મનમોહન સીંગની સરકાર દ્વારા કેવા ભ્રષ્ટાચાર કરાયા તેની વિગતો છે. આ વિડિયો રાજસ્થાન, બિહાર અને ગુજરાત ભાજપ દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પક્ષ દ્વારા મૂકવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસે નરેન્દ્ર મોદીની ખુલ્લો પાડતો વિગતો જાહેર કરી તો તેનો જવાબ આપવા માટે ભાજપે કોંગ્રેસના 12 વર્ષ પહેલાંના ભ્રષ્ટાચારનો વિડિયો આખા દેશમાં રજૂ કર્યો.

તેની સામે નરેન્દ્ર મોદી કે અમિત શાહે 12 વર્ષમાં કોઈ પગલાં ન લીધા. જો ભ્રષ્ટાચાર થયો હોય તો તે શોધીને ગુનો દાખલ કરીને નાણાં પરત મેળવવા જોઈતા હતા. પણ તેમ કરવાને બદલે તેનો રાજકીય હેતુ પાર પાડવામાં ઉપયોગ કરાઈ રહ્યો છે.

આવા આરોપો ગુજરાત વિધાનસભામાં તે સમયના ગૃહ પ્રધાન અમિત શાહે મૂકેલા હતા.
12 લાખ કરોડના કૌભાંડ
જેમાં ટુજી, એરબસની ખરીદી, એરપોર્ટનું ખાનગીકરણ, કોલસા કૌભાંડ, હેલીકોપ્ટરની ખરીદી, ટેંક ખરીદી કૌભાંડ, કોમનવેલ્થ ગેમ
આદર્શ સોસાયટી કૌભાંડ જાહેર કર્યા હતા.

પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના મનમોહનને બચાવી લીધા હોય એવું દેખાય છે.

કોઈ પગલાં 12 વર્ષમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે લીધા નથી. સીબીઆઈ અમિત શાહ પાસે છે. તેમણે કોઈ તપાસ ન કરી માત્ર લોકોને ભ્રમમાં નાખવા વારંવાર આરોપો મૂકવામાં આવે છે.

નરેન્દ્ર મોદીનો મુખ્ય ચૂંટણી મુદ્દો કોંગ્રેસના ભ્રષ્ટાચારનો રહ્યો છે. પણ જનતાના 12 લાખ કરોડની લૂંટ થઈ હોય તો તે પરત લાવવા માટે કોંગ્રેસના જવાબદાર નેતાઓ સામે પગલાં ભરવા જોઈતા હતા. પણ ભર્યા નથી.

2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા – મોદી

https://www.facebook.com/share/r/1BD4XtrvTk/