હાર્દિક પટેલને હવે “ટોપી” પહેરાવતાં આવડી ગયું….!!
અનામત ભલે વિચારણે હોય “સમાનતા” જળવાઈ એ મહત્વની છે….!
——————————————————————-
સંજય દવે
(અમદાવાદ)
આખરે હાર્દિક પટેલે પોતાની લડત ચાલુ રાખવા સમાજ અને શુભેચ્છકો ની ઈચ્છા સાથે પોતાનાં સ્વાસ્થ્યની ચિંતા સાથે “પારણા” કરી લીધા અને ઢીલી પડેલી પોતાની પકડને રાજકીય લેવલે મજબૂત કરી લીધી તેમાં કોઈ સમજે કે ના સમજે આખોય પાટીદાર સમાજ અને તેના આગેવાનો સમજી ગયા છે અને અનેક રીતે ચડિયાતા રાજનેતાઓ થાપ ખાઈ ગયા તેમાં બે મત નથી…!!
પાટીદાર સમાજની તમામ ધાર્મિક સંસ્થાઓ તેમજ તમામ આગેવાનો એક મંચ ઉપર એકઠા થઈને જે રીતે એક પાટીદાર સમાજના યુવાનના સ્વાસ્થ્યની ચિંતા કરતાં જોવા મળ્યા એ જોઈને રાજ્યમાં વસતા અનેક સમાજો ના આગેવાનોએ થોડી શીખ મેળવી હશે,નહીંતો મેળવવી જોઈએ….!!
કારણ કે હાર્દિક પટેલના પાટીદાર અનામત ની માંગ સાથે તેનાજ સમાજના ઘણાં વડીલો અને યુવાનો સહમત થવામાં અસમર્થ હતાં પણ જ્યારે વાત પોતાનાં સમાજના યુવાનના સ્વાસ્થ્યને લઈને ઉઠવા પામી ત્યારે તમામ રાગ-દ્વેષ છોડીને ઓગણીસ દિવસથી ભૂખ્યા યુવાનને “પારણા” કરાવવા દોડી ગયા તે જોઈને હર કોઈ સમાજનો યુવાન મનમાં જરૂર કહેતો હશે કે “બાપ મોરે અગલે જનમ મોહે પાટીદાર કિજો”….!!
ઉપવાસ આંદોલનને જયસરદાર,જય પાટીદાર અને હવે જય કિશાન એક નવું નામ ઉમેરી અનામત બાબતે વિચારણાં કરતી ભાજપ સરકાર સામે નવું એલાન કરી આંદોલનની નવી દિશા જાહેર કરી દીધી…!!
ત્રણ વર્ષ અને ઓગણીસ દિવસનાં “હાર્દિકી” ઉપવાસ ફરી એક વખત ગુજરાતમાં પાટીદાર સમાજને એક મંચ ઉપર એકઠા કરી ગયા, પાટીદાર સમાજને અનામત મળે કે ન મળે એ આખીય વિચારણાં અલગ છે પણ છેલ્લા કેટલાય વર્ષોથી અન્ય સમાજની માફક રાજનીતિનો ભોગ બની ગયેલ પાટીદાર સમાજ ફરી એક વખત એક થયો તે કેટલી મોટી વાત કહેવાય તેની સમજ પાટીદાર સમાજ માંટે ખૂબ અગત્યની છે,
જેનું સમર્થન અને શક્તિ નું કારણ હાર્દિક પટેલ બન્યો હોય ત્યારે એટલું જરૂર કહી શકાય કે ઓગણીસ દિવસના ઉપવાસે હાર્દિક પટેલને ખરી ભાષામાં ખૂબ મોટો કરી દીધો,ખાલી “મોહરુ” સમજનારો એ હવે હાર્દિક પટેલ દ્વારા સમગ્ર પાટીદાર સમાજ સંગઠિત થયો તેને અવગણી શકવો અશક્ય છે તેવુ અત્રે હાર્દિક પટેલે સાબિત કર્યું….!!
પોતાનાં નિવાસ્થાન “છત્રપતિ” માં પોતાની ઉપવાસ છાવણી વચ્ચે બેસીને રાજ્ય સરકાર,પોલીસતંત્ર અને પાટીદાર સમાજના આગેવાનો સહિત સમગ્ર મીડિયા માધ્યમનું ધ્યાન ખેંચનાર હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલન સમિતિ PAAS ની શક્તિને બમણી કરવામાં ખૂબ અંશે સફળ થયો કહેવાય,તેમજ રાજ્યની જે રીતે ભારતીય જનતા પાર્ટીની રૂપાણી સરકાર સામે જંગે ચડી પોતાની જીદ્દે પોતાના સમયે પોતાના લોકો સાથે પારણા કરી હાર્દિકે પોતાની પાછળના બેકિંગને પણ એક મજબૂત મેસેજ આપ્યો અને પોતાના ઉપર રાખેલા વિશ્વાસને કાયમ રાખવામાં સફળ રહ્યોંન કહેવું યોગ્ય રહેશે…!!
ખોડલધામ,ઉમિયાધામ,સીદસર ધામ જેવી છ પાટીદાર ધાર્મિક સંસ્થાઓના આગેવાનો,ટ્રસ્ટીઓ અને દાતાઓ સમક્ષ પોતાની લાગણી અને માંગણીને અકબંધ રાખીને પોતાને “મને કમને” પારણા કરવા આવેલા મુરબ્બીઓ અને વડીલો તેમજ યુવાનોનો આભાર માની પોતાની શક્તિને વધુ આગળ વધારવા માંટે આશીર્વાદ રૂપ ગણીને સૌ કોઈનો આભાર માન્યો ત્યારે ખરેખર હાર્દિક પટેલ જેવાં નવયુવાન પાટીદાર યુવક પાછળ કેવડી મોટી શક્તિ સપોર્ટ કરતી હશે તેનો અંદાજ મૂર્ખ અને ગાંડા માણસને પણ સમજાય તેવી બાબત છે,અને હાર્દિક પટેલે પણ પોતાની જાતને એરણે ચડાવીને સાબિત કરી આપ્યું કે પોતાને પસંદ કરવામાં ક્યાંય ખામી રાખી નથી….!!
ખેર,હાર્દિક પટેલ અને પાટીદાર સમાજ ગઈ કાલે પણ સુખી અને સમૃદ્ધ હતો અને આવતી કાલે પણ પોતાનાં સમાજના લોકો માંટે ખડે પગે ઉભો રહી શકશે પણ રાજ્યના અન્ય બેકાર,અશિક્ષિત અને ગરીબ યુવાનો તો જરૂરથી ભગવાનને પ્રાર્થના કરતાં હશે કે “બાપ મોરે અગલે જનમ મોહે પાટીદાર કિજો”…..!!!
—————————————-
ડાહી ડંફાસ ફાસમ ફાસ…..!!
છગન અને મગન ઘરે તાળું વાખીને ગ્રીમવુડ રિસોર્ટ પહોંચી ગયા હતાં,
હાજર અનેક લોકો વચ્ચે જગ્યા કરીને ગોઠવાઈ પણ ગયા હતાં,
સમગ્ર કાર્યક્રમ પૂરો થયો લોકો પોતપોતાના ઘર તરફ રવાના થયા, મીડિયા પણ હાશકારો અનુભવી છાવણી છોડી જઈ રહ્યું હતું, પણ છગન ઉભો થવાં રાજી નહોતો એટલે મગન તાડુકયો….,
“લ્યા હેંડ હવે ઘર ભેગા થઈએ”…!
છગન માથે ટોપી ચડાવીને બોલ્યો…
“જય સરદાર,
જય કિશાન,
જય બેકાર”……!!!!!
