બીલાડીના બચ્ચાની જેમ 7મી વખત પક્ષાંતર કરતા શંકરસિંહ બળવાખોર કેમ

પક્ષ-અપક્ષ – દિલીપ પટેલ – વિશ્લેષણ

શંકરસિંહ વાઘેલાએ પાંચમી વખત પક્ષાંતર કર્યું છે. ગુજરાતના રાજાકણમાં પક્ષાંતર કરવાનો તેમનો વિક્રમ સ્થાપિત થયો છે. પોતાની સાતમો રાજકીય પક્ષ NCP છે. પહેલાં તેઓ જનસંઘ-જનતાદળ, ભાજપ, રાજપા, કોંગ્રેસ અને જનવિકલ્પ મોરચો રચી ચૂક્યા છે.

21 જુલાઈ 1940માં શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગર નજીક વાસણ ગામમાં થયો હતો. માતા નાથુબા અને પિતાનું નામ લક્ષ્મણસિંહ વાઘેલા. છ સંતાન હતા. પ્રાથમિક શિક્ષણ વાસણ ગામની સરકારી સ્કૂલમાં થયું હતું અને ગુજરાત યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે.

શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં સક્રિય હતા. પછી 1969થી જનસંઘ-જનતાદળ અને બાદમાં ભારતીય જનતા પાર્ટીમાં રહ્યાં હતા. ગુજરાતમાં RSSમાં અને ભાજપમાં સંગઠનનું કામ કર્યું હતું. સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે.

તેઓ 1977થી 6, 9, 10, 13, 14મી લોકસભામાં 5 વખત ચૂંટાયા હતા. 1984થી 1989 સુધી રાજ્યસભાના સભ્ય હતા. 1977થી 1980 સુધી ગુજરાત જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ, 1980થી 1991 સુધી ગુજરાત ભાજપના મહામંત્રી અને પ્રમુખ તરીકે કામ કર્યું હતું.

1995માં ભાજપે 121 બેઠકો મેળવી સત્તા મેળવી અને કેશુભાઈને મુખ્ય પ્રધાન બનાવ્યા ત્યારે તેમને પસંદ ન પડ્યું. શંકરસિંહ વાઘેલા 20 ઓગસ્ટ 1996માં ભાજપથી અલગ થયા હતા. ત્યાર બાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરીને પોતાની સરકાર બનાવી હતી. તેઓ 12માં મુખ્ય પ્રધાન તરીકે થોડો સમય રહ્યાં હતા. ગુજરાતના મુખ્ય પ્રધાનોમાં ડો. જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, ઘનશ્યામ ઓઝા, ચીમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશભાઈ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી છે. તેઓ આજે પણ મુખ્ય પ્રધાન બનવા માટે પ્રયાસો કરી રહ્યા છે. જ્યારથી તેઓ મુખ્ય પ્રધાન મટી ગયા ત્યારથી તેમની પડતી શરૂ થઈ હતી. તેમની સાથે જોડાયેલા સાથીઓ પરેશાન થઈ ગયા હતા. તેથી સાથીઓએ શંકરસિંહનો સાથ છોડી દીધો છે. હવે તેઓ એકલા અટુલા પડી ગયા છે.

મે 2004માં કેન્દ્રિય કપડા મંત્રી બન્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા હતા. ભારત પ્રવાસન વિકાસ નિગમ (ITDC) ના ચેરમેન તરીકે કામ કર્યું હતું. તેઓ 13માં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા રહી ચૂક્યા છે.

ગુજરાતના મોટાગજાના નેતા શંકરસિંહ વાઘેલા રાજકારણમાં કોઈના સગા થયા નથી. સંઘ પરિવારનું લોહી જેમનામાં છે, તે બાપુ પહેલાં જનસંઘ, જનતાદળ, ભાજપ, રાજપા, કોંગ્રેસ, જનવિકલ્પ અને હવે NCP એમ પાર્ટીઓ બદલતા જાય છે. તેઓએ ખુદે રચેલા પક્ષના તેઓ થયા નથી. વાઘેલા જે કંઈ કરી રહ્યાં છે તેનાથી સીધો ફાયદો કોંગ્રેસને નથી પણ ભાજપને છે. અગાઉ તેમણે પોતાના વિશ્વાસુ સાથીઓ, પુત્ર અને વેવાઈનો રાજકીય ભોગ લીધો હતો.

કોંગ્રેસમાં તક મળતાં તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી બંધ કરી દીધી હતી. 2017મા બનેલી જન વિકલ્પ પાર્ટીનું બાળમરણ કરી નાંખ્યું હતું. આ પાર્ટી તેમણે સત્તા હાંસલ કરવા બનાવી હતી પરંતુ તેઓ શાસનના બે વર્ષ પણ પૂર્ણ કરી શક્યા ન હતા.

શંકરસિંહ વાઘેલાએ પહેલો બળવો સપ્ટેમ્બર 1995મા કર્યો હતો. તેમણે છ મહિના જૂની કેશુભાઇ પટેલની સરકાર ઉથલાવી હતી. ત્યારપછી તેમણે સપ્ટેમ્બર 1996મા સુરેશ મહેતાની ભાજપની સરકાર ઉથલાવી હતી. તેઓ મુખ્યમંત્રી બન્યા પરંતુ કોંગ્રેસનો ટેકો હોવાથી તેઓ લાંબો સમય શાસન કરી શક્યા નહીં. તેમની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ મૂકીને કોંગ્રેસે ટેકો પાછો ખેંચવાની ધમકી આપતાં શંકરસિંહે તેમના સાથી દિલીપ પરીખને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

1998માં તેમણે બનાવેલા પક્ષ રાજપાને વિધાનસભાની ત્રણ બેઠકો મળી હતી. છેવટે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. શંકરસિંહ વાઘેલા UPAના શાસનમાં કેન્દ્રીય કાપડ મંત્રીનો હોદ્દો ભોગવી ચૂક્યાં છે. ભાજપના કહેવાથી 2017મા તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપના રાજ્યસભાના તેમના સાથી ઉમેદવારને સમર્થન આપ્યું હતું. તેમણે ભાજપ સાથે જોડાઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને હરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વિફળ રહ્યો હતો.

હવે શંકરસિંહ વાઘેલાએ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એટલે કે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(NCP)માં જોડાયા છે. તેઓ લોકસભાની ચૂંટણી લડવા માગે છે. તેમણે NCPમાંથી બે બેઠકો માગી છે. રાજ્યસભાની ચૂંટણીમાં પણ તેમનો આ વિદ્રોહ નોંધપાત્ર ભૂમિકામાં રહ્યો હતો. તેમનાં સહિત કુલ 14 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો.

લોકસભાની ચૂંટણીમાં જો બધુ યોગ્ય થયું અને મતદારોએ મત આપ્યા તો શંકરસિંહ વાઘેલા સંસદસભ્ય થશે પરંતુ જો તેઓ હારી ગયા તો ફરી પાછા નવો પાક્ષની શોધમાં રહેશે. તેઓ કોંગ્રેસમાં જ્યાં સુધી રહ્યાં ત્યાં સુધી કોંગ્રેસ સત્તાની નજીક પણ આવી શકી ન હતી અથવા આવવા દીધી ન હતી. તેઓ હંમેશાં એવું કહીને વાંકું પાડતાં હતા કે તેમને કોંગ્રેસ દ્વારા ખુલ્લો દૌર આવામાં આવતો નથી. આમ વાંકું પાડીને તેઓ કોંગ્રેસથી અલગ થયા અને તેમણે 2017ની વિધાનસભામાં કોંગ્રેસને હરાવવા માટે અને ભાજપને જીતાડવા માટે નવો પક્ષ કે મોરચો બનાવ્યો હતો. જેમાં પણ તેઓ નિષ્ફળ રહ્યાં છે. ફરી એક વખત સત્તા માટે હવાતીયા મારી રહ્યા છે.

ફરી એક પ્રયાસ

લોકસભામાં કોંગ્રેસ ફરી સત્તા પર ન આવે તે માટે શંકરસિંહ વાઘેલાએ પોતાનો રાજકીય ખેલ શરૂ કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં કોંગ્રેસ છોડીને ભાજપને ફાયદો કરાવવા માટે અનેક અનીતિ આચરી હતી. એવી રીતે હવે તેઓ દેશમાં ભાજપને ફાયદો થાય તે રીતે ત્રીજો મોરચો રચવા માટે કામ કરી રહ્યાં હતા. જેમાં કોઈ ટેકો મળ્યો નહીં એટલે નવો પક્ષ નવો દાવ શરૂ કર્યો છે. જો કોંગ્રેસને અલગ કરીને આ ત્રીજો મોરચો બને તો તેનો સીધો ફાયદો ભાજપને થાય તેમ છે. અરવિંદ કેજરીવાલ જેવા થોડા પક્ષો તેની ટોપલીમાં આવી જાય તો કોંગ્રેસ સત્તા પરથી દૂર રહે તેમ છે. આમ ફરી એક વખત શંકરસિંહ વાઘેલા ભાજપની B ટીમ તરીકે કામ શરૂ કર્યું હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યાં છે. તેમની સાથે હજુ કોઈ પક્ષ જોડાયો નથી કે કોઈ પક્ષે તેમને પડખું પણ આપ્યું નથી.

ભાજપ અને કોંગ્રેસ પક્ષને તોડીફોડીને પોતાની રાજનીતિ કરતાં આવેલા શંકરસિંહ વાઘેલા પર પ્રાદેશિક પક્ષો બહુ ભરોસો રાખી શકે તેમ નથી. કારણ કે તેઓએ ગુજરાતના મતદારો અને કાર્યકરો પર પોતાનું પ્રભુત્વ ગુમાવી દીધું છે. તેઓ સોશિયલ મીડિયાનાં કોઈ પોસ્ટ મૂકે છે તો પણ તેમને કોઈ રિસ્પોન્સ મળતો નથી. ગુજરાતના રાજકારણમાં વાઘેલાનું સ્થાન હવે ક્યાંય રહ્યું નથી.

દેશના રાજકીય પક્ષોને વાઘેલા પર સહેજ પણ ભરોસો નથી. તેથી તેમને કોઈ રિસ્પોન્સ મળતો નથી. વાઘેલાએ કોંગ્રેસને દગો કરી વિરોધ પક્ષના નેતા તરીકે છોડીને અને અહેમદ પટેલને મત નહીં આપીને અને ગુજરાતમાં ભાજપની સરકાર બને તે માટે પ્રયાસો કર્યા હતા, તેથી રાજકીય પક્ષોને કે મતદારોને તેમના પર ભરોસો નથી રહ્યો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ત્રીજો મોરચો બનાવ્યો હતો, જેમાં એક પણ પક્ષ જોડાયો ન હતો. તેથી ભાજપના નેતાઓએ તેમને ટેકો આપવાનું બંધ કરી દીધું હતું.

ગુજરાતના વરિષ્ઠ રાજકારણી અને લોકમુખે ‘બાપુ’ના નામથી જાણીતા બનેલા શંકરસિંહ વાઘેલા આખરે એનસીપી (નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી)માં જોડાઈ ગયા છે.

એનસીપીના પ્રમુખ શરદ પવારે ખુદ પક્ષનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું છે.

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે ફરીથી રાજનીતિમાં સક્રિય થવાનો નિર્ણય કર્યો છે.

રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘમાં મહત્ત્વની ભૂમિક ભજવનારા અને એક સમયે નરેન્દ્ર મોદીને પોતાના સ્કૂટર પર ફેરવનારા શંકરસિંહ વાઘેલા કેવી રીતે ગુજરાતના ‘બાપુ’ બન્યા તેના પર નજર કરવી રસપ્રદ બની રહેશે.

સંઘથી રાજકારણ સુધીની સફર

Image copyrightGETTY IMAGES
શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગર જિલ્લાના વાસણ ગામમાં 21 જુલાઈ 1940ના રોજ થયો હતો.

તેમની રાજકીય સફર અંગે વાત કરતા એમ.એસ.યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર અમિત ધોળકિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું,

“1960ના દાયકામાં શંકરસિંહ વાઘેલાએ તેમની રાજકીય સફરની શરૂઆત રાષ્ટ્રીય સ્વયં સેવક દળની રાજકીય પાંખ ‘જનસંઘ’માં જોડાઈને કરી હતી.”

ઉલ્લેખનીય છે કે વર્ષ 1951માં સ્થપાયેલું આ સંગઠન ગુજરાતમાં એટલું બધું વ્યાપક નહોતું.

ધોળકિયાના મતે જનસંઘને ગુજરાતમાં ઠેરઠેર પહોંચતો કરવો અને તેનો વ્યાપ વધારવામાં ‘બાપુ’નો મહત્ત્વનો ફાળો છે.

તેમની બોલવાની છટા અને દરેક કાર્યકરનાં નામ સુદ્ધાં યાદ રાખવા જેવી કુશળતાના જોરે જનસંઘે ગુજરાતમાં પોતાનાં મૂળિયા મજબૂત કર્યાં.

આ એ સમય હતો જ્યારે દેશના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી જનસંઘના એક સામાન્ય કાર્યકર હતા અને લોકજીભે તેમનું નામ ચડવું પણ હજુ બાકી હતું.

અમદાવાદ ખાતેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ માસ કૉમ્યુનિકેશન ઍન્ડ જર્નલિઝમના ડિરેક્ટર ડૉ. શિરીશ કાશીકરે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તે સમયે વાઘેલાની સંઘમાં ભારે શાખ હતી.

કાશીકર ઉમેરે છે, “1960ના દાયકામાં તેઓ ગુજરાતમાં ઠેરઠેર જઈને સંઘનો પ્રચાર કરતા હતા. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સંઘની શાખાઓનો વિસ્તાર કરવામાં તેમનો મહત્ત્વનો ફાળો છે.”

“આ જ સમયગાળામાં નરેન્દ્ર મોદી પણ તેમની સાથે કામ કરતા હતા. એવી પણ વાત છે કે વાઘેલા તેમના સ્કૂટર પર નરેન્દ્ર મોદીને ઠેરઠેર લઈ જતા હતા.”

કાશીકરના મતે શંકરસિંહ વાઘેલાને એક રીતે નરેન્દ્ર મોદીના રાજકીય ગુરુ પણ કહી શકાય.

લોકોને BJPના શાસનથી બચાવવા NCPમાં જોડાયો : શંકરસિંહ વાઘેલા
કાળા વાંદરાની ‘દૈવી પ્રેરણા’થી ખૂલ્યું રામ જન્મભૂમિનું તાળું!
ગુજરાતના એક પરિવારે 22 દિવસથી સાચવી રાખ્યો છે દીકરીનો મૃતદેહ
ભાજપનો ઉદય
Image copyrightGETTY IMAGES
વર્ષ 1975માં ઇંદિરા ગાંધીએ કટોકટીની જાહેરાત કરી હતી.

પ્રોફેસર ધોળકિયાએ જણાવે છે કે દેશમાં કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતમાં ઇંદિરા સરકાર વિરુદ્ધ જે જનઆંદોલ થયું હતું તેમાં બાપુનો મહત્ત્વનો ફાળો હતો.

ત્યારબાદ સમય રહેતા વર્ષ 1977માં જનસંઘનું જનતા પાર્ટીમાં વિલિનીકરણ થયું હતું.

પરંતુ 1980ની સાલ આવતા તો અમુક કારણોસર જનતા પાર્ટી વિખેરાઈ ગઈ અને જૂનો જનસંઘ ‘ભારતીય જનતા પાર્ટી’ તરીકે ઊભરી આવ્યો.

ધોળકિયા ઉમેરે છે, “વર્ષ 1977માં છઠ્ઠી લોકસભા ચૂંટણી વખતે બાપુ જનતા દળની ટિકિટ પરથી કપડવંજ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.”

“જોકે, 1980માં જનસંઘ ‘ભાજપ’ બની ચૂક્યો હતો. ત્યારે 11 વર્ષ સુધી વાઘેલા ભાજપના જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા રહ્યા. ત્યારબાદ 1984માં રાજ્યસભાના સભ્ય તરીકે પણ સેવા આપી.”

“વર્ષ 1989ની લોકસભા ચૂંટણીમાં બાપુ ગાંધીનગર બેઠક પરથી ચૂંટાયા હતા. ત્યારબાદ 1991ની લોકસભામાં તેઓ ગોધરા બેઠક પરથી ચૂંટાયા હતા.”

શું સંઘ ભાજપથી અંતર રાખી રહ્યો છે?
એક પિતાને જ્યારે ખબર પડી કે તે પોતાનાં બાળકોના પિતા નથી
મોદીનો વિરોધ અને ‘ખજુરિયા-હજુરિયા’ ઘટના
Image copyrightGETTY IMAGES
વર્ષ 1985ની ચૂંટણીમાં કૉંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીની રાજનીતિ સામે ભાજપ બિલકુલ ધરાશાયી થઈ ગયો.

ભાજપ ફરીથી લોકોમાં પોતાની શાખ વધારવા મહેનત કરી રહ્યો હતો.

વર્ષ 1987માં સંઘ દ્વારા પોતાના પ્રચારક તરીકે કામ કરી રહેલા નરેન્દ્ર મોદીને ભાજપનું સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી.

મોદીની કામ કરવાની પદ્ધતિ અને ભાજપને ચલાવવાની નીતિના પગલે શંકરસિંહ વાઘેલા અને મોદી વચ્ચે વિરોધ ઊભો થવાનું શરૂ થઈ ગયું.

ડૉ. કાશીકરના મતે શંકરસિંહ વાઘેલાની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ અને નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષાઓ વચ્ચે ટકરાવ થવાને કારણે તેમની વચ્ચે ફાટ પડી હોવાનું માની શકાય.

ડૉ. કાશીકર ઉમેરે છે, “અન્ય પણ એક કારણ હતું કે ગુજરાતના મુખ્ય મંત્રી બનવા માટે શંકરસિંહ વાઘેલા લાઇનમાં હતા. તે સમયે દરેક લોકોએ કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રી તરીકે સહયોગ આપ્યો જેમાં નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થતો હતો.”

“વાઘેલાના મનમાં એ વાત ખટકી ગઈ કે નરેન્દ્ર મોદીને કારણે તેઓ મુખ્ય મંત્રી નથી બની શક્યા.”

ત્યારબાદ વર્ષ 1995માં ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર બની.

શંકરસિંહ વાઘેલાને કેશુભાઈ પટેલ સામે વાંધો પડતા તેઓ (શંકરસિંહ વાઘેલા) કેશુભાઈની સરકારના 47 ધારાસભ્યોને લઈને મધ્ય પ્રદેશના ખજુરાહો જતા રહ્યા અને સરકાર સામે બળવો પોકારી દીધો.

આ બળવાને ‘ખજુરિયા-હજુરિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપે કેશુભાઈ પટેલની સરકાર ભાંગી પડી.

શંકરસિંહ વાઘેલાની ત્રણ મુખ્ય માગો હતી જેમાંની એક હતી કે કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રી પદ પરથી હટાવવામાં આવે.

બીજું કે તેમના સાથી ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા છ લોકોને મંત્રીપદ આપવામાં આવે અને ત્રીજું કે નરેન્દ્ર મોદીને સ્થાનિક રાજકારણમાંથી હટાવીને કેન્દ્રમાં મોકલી આપવામાં આવે.

શંકરસિંહ વાઘેલાની આ ત્રણેય માગો સંતોષાઈ ગઈ અને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે સુરેશ મહેતાને પદભાર સોંપવામાં આવ્યો.

ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે વાઘેલા
Image copyrightGETTY IMAGES
સરકાર સામે બળવો અને ત્યારબાદ સમાધાનનો સમય તો આવ્યો પરંતુ શંકરસિંહ વાઘેલા આ નવી સરકારથી ખુશ નહોતા.

વર્ષ 1995માં સુરેશ મહેતાની સરકાર સામે વાઘેલાએ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમની સરકાર ભાંગી પડી.

વર્ષ 1996માં વાઘેલાએ તેમના 47 વિદ્રોહી ધારાસભ્યો સાથે મળીને પોતાની પાર્ટી બનાવી જેનું નામ રાખ્યું ‘રાષ્ટ્રીય જનતા પાર્ટી’.

ત્યારબાદ વાઘેલા 1997-98 સુધી કૉંગ્રેસના ટેકાથી ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા.

પ્રોફેસર ધોળકિયાએ જણાવ્યું કે ત્યારબાદ આવનારી ચૂંટણીઓમાં વાઘેલાનો પક્ષ કંઈ ખાસ પ્રદર્શન ના કરી શક્યો અને તેમણે તેમના પક્ષને કૉંગ્રેસમાં ભેળવી દીધો.

ત્યારબાદ વર્ષ 2017 સુધી શંકરસિંહ વાઘેલા કૉંગ્રેસમાં જુદા-જુદા હોદ્દા પર કાર્ય કરતા રહ્યા.

આ સાથે જ વાઘેલા, મનમોહનસિંઘની યૂપીએ-1 (યુનાઇટેડ પ્રૉગ્રેસિવ અલાયન્સ) સરકારમાં કાપડ મંત્રી તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે.

તો સાથે જ ગુજરાતમાં વિપક્ષના નેતા તરીકે પણ તેઓ સરકારની ટીકા કરતા હતા.

ડૉ. કાશીકર કહે છે, “યૂપીએ-2 સરકારમાં શંકરસિંહ વાઘેલાને માત્ર ગુજરાતમાં સંગઠનની જવાબદારી સોંપવામાં આવી અને ફરીથી એક વખત વાદ-વિવાદનો સમય શરૂ થયો.”

“શંકરસિંહની કામ કરવાની પદ્ધતિ અને મહત્ત્વાકાંક્ષા અંગે પક્ષના લોકો વાકેફ હતા એટલા માટે તેમનો વિરોધ શરૂ થયો.”

તેમણે જણાવ્યું કે તે સમયે કૉંગ્રેસ પક્ષ વાઘેલાને બહારના નેતા જ ગણતા હતા અને તેમની પૃષ્ઠભૂમિમાં સંઘના કાર્યકર તરીકે જ તેમની છાપ હોવાનું માનતા હતા.

ડૉ. કાશીકર કહે છે, “કૉંગ્રેસ પક્ષ શંકરસિંહ વાઘેલાનો ઉપયોગ નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરી શક્યા હોત પરંતુ તેવું ના બન્યું. કારણ કે જે નેતા પોતાના પક્ષમાં રહીને જ ‘વિભીષણ’ બની તેમના ધારાસભ્યોને પોતાની સાથે ભેળવી શકતા હોય તેઓ કંઈ પણ કરી શકવા સક્ષમ હોય છે.”

આ છે તમારા શરીરના એ છ ભાગ જે હવે નકામા છે
‘જ્યારે મને જાણ થઈ કે મારો પતિ નપુંસક છે’
કૉંગ્રેસને બાય…બાય…
Image copyrightGETTY IMAGES
વર્ષ 2017ની ચૂંટણી પહેલાં વાઘેલાએ કૉંગ્રેસ સાથે છોડા ફાડી નાખ્યો અને પોતાનો નવો પક્ષ રચ્યો જેનું નામ આપ્યું ‘જન વિકલ્પ મોરચા.’

કૉંગ્રેસમાંથી છૂટા થવાના કારણ અંગે પ્રોફેસર ધોળકિયા જણાવે છે, “વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે વાઘેલા ઇચ્છતા હતા કે ગુજરાતમાં જે પણ ટિકિટોની વહેંચણી કે નિર્ણયો લેવાય તે તેમની મરજી મુજબ લેવાય.”

“પરંતુ કેન્દ્રમાંથી તે સમયે નિર્ણય લીધો હતો કે ચૂંટણીલક્ષી દરેક કાર્ય એક સામૂહિક સંગઠનની મંજૂરીથી લેવાય. હાઇકમાન્ડના આ નિર્ણયથી વાઘેલા ખૂબ નારાજ થયા.”

આ વાતમાં વધુ એક અધ્યાય ઉમેરતા ડૉ. કાશીકર જણાવે છે કે વાઘેલાએ તેમના મુખ્ય મંત્રીના એક વર્ષના કાર્યકાળમાં જે ધડાધડ નિર્ણયો લીધા હતા તેનાથી સ્થાનિક સ્તરે કૉંગ્રેસી નેતાઓ તેમનાથી નારાજ હતા.

કાશીકર કહે છે, “વાઘેલાના એક પછી એક નિર્ણય લેવાથી કૉંગ્રેસને ફાળ પડી ગઈ કે જો આવી જ રીતે વાઘેલા સત્તા પર રહીને શાસન ચલાવશે, તો આગળ જતા મુશ્કેલી પડશે.”

“બીજું કે તે સમયે સીતારામ કેસરીને ખજાનચીમાંથી પાર્ટી અધ્યક્ષ બનાવ્યા હતા. કેસરીને અને વાઘેલાને વ્યક્તિગત મતભેદો હતા કારણ કે વાઘેલા પક્ષમાં કોઈનું માનતા જ નહોતા.”

“તેમણે ઉપર ફરિયાદ કરી કે વાઘેલાની મહત્ત્વકાંક્ષા કૉંગ્રેસને લઈ ડૂબશે. ત્યારબાદ સરકારે તેમનો ટેકો પાછો ખેંચી લીધો અને વાઘેલાની સરકાર પડી ભાંગી.”

રાણી લક્ષ્મીબાઈ ઝાંસી માટે લડ્યાં હતાં કે ભારત માટે?
ભૂરા રંગનો પ્રકાશ આત્મહત્યા રોકવામાં મદદ કરી શકે?
2019ની ચૂંટણી અને ‘બાપુ’

Image copyrightSHANKERSINH VAGHELA/FACEBOOK
કૉંગ્રેસમાંથી જુદા થયા બાદ તેમણે નવો પક્ષ ‘જન વિકલ્પ મોરચા’ની સ્થાપના કરી પરંતુ તે સફળતા મેળવવામાં નિષ્ફળ ગયો.

હાલમાં શંકરસિંહ વાઘેલા પોતાની રાજકીય કારકિર્દી બચાવવા માટે એનસીપીમાં જોડાછે એવું પ્રોફેસર ધોળકિયાનું માનવું છે.

તેઓ કહે છે કે આગામી લોકસભા ચૂંટણીમાં એનસીપી કદાચ બાપુને કોઈ એક બેઠક પરથી ટિકિટ આપી શકે છે.

બીજી તરફ ડૉ. કાશીકરનું કહે છે, “શંકરસિંહ વાઘેલા તેમની રાજકીય મહત્ત્વકાંક્ષા સંતોષવા માટે એનસીપીમાં જોડાયા છે.”

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને વાઘેલા કેટલું નુકસાન કરી શકે તે અંગે કાશીકર કહે છે કે ‘બાપુ’ આગામી ચૂંટણીમાં ભાજપને કોઈ નુકસાન નહીં કરી શકે કારણ કે તેમની રાજનીતિના પત્તા હવે ખુલ્લા પડી ગયા છે.