અમદાવાદ શહેરમાં રસ્તે રખડતાં ઢોરોનો ત્રાસ વધતો જાય છે. રખડતાં ઢોરો પર કાબૂ મેળવવા માટે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન સમયાંતરે કાર્યવાહી હાથ ધરતું હોય છે. એએમસીની આવી જ એક કાર્યવાહી દરમિયાન ઓઢવ વિસ્તારમાં રખડતાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થયો હતો.
ઓઢવ વિસ્તારમાં એએમસીની ઢોર પકડવા ગયેલી ટીમના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. કોર્પોરેશનની ચાર ગાડીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો. જેને પગલે ઓઢવ પોલીસ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી. ગાડીઓ પર હુમલો કરીને માલધારીઓ તથા અન્ય સ્થાનિકો ગાડીઓની ચાવી ખેંચી ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં એએમસીના એક કર્મચારીને ઈજા થઈ હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઓઢવમાં એએમસીની ટીમ પર જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં વિરોધ દર્શાવતાં સ્થાનિકોએ ગરબા ગાયા હતા. હાલ આ વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં રસ્તે રખડતાં ઢોરોનો ત્રાસ વધતો જાય છે. રખડતાં ઢોરો પર કાબૂ મેળવવા માટે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન સમયાંતરે કાર્યવાહી હાથ ધરતું હોય છે. એએમસીની આવી જ એક કાર્યવાહી દરમિયાન ઓઢવ વિસ્તારમાં રખડતાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થયો હતો.
ઓઢવ વિસ્તારમાં એએમસીની ઢોર પકડવા ગયેલી ટીમના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. કોર્પોરેશનની ચાર ગાડીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો. જેને પગલે ઓઢવ પોલીસ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી. ગાડીઓ પર હુમલો કરીને માલધારીઓ તથા અન્ય સ્થાનિકો ગાડીઓની ચાવી ખેંચી ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં એએમસીના એક કર્મચારીને ઈજા થઈ હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઓઢવમાં એએમસીની ટીમ પર જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં વિરોધ દર્શાવતાં સ્થાનિકોએ ગરબા ગાયા હતા. હાલ આ વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સામાન્ય રીતે અમદાવાદના વાહન ચાલકો ફરિયાદ કરતા હતા કે રસ્તા ઉપર ફરતી ગાયો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય તેવી રીતે ફરતી હોય છે. પરંતુ શુક્રવારની સવારે અમદાવાદના રસ્તા ઉપર ફરતી ગાયો રસ્તા ઉપરથી ગાયબ થઈ ગઈ હતી એટલુ જ નહીં માત્ર રસ્તા ઉપર જ નહીં પણ જયા માલધારીઓ રહે છે તેમના આંગણામાં પણ ગાયો ન્હોતી. આમ અચાનક શહેરની ગાયો ગાયબ થઈ જતા અનેક લોકોને આશ્ચર્ય થયુ હતું પણ આવું કેમ થયુ તેવો પ્રશ્ન પણ બધા કરી રહ્યા છે.
10 મે 2019માં ગાય વિહીન અમદાવાદ શહેર કેમ થઈ ગયુ તેની તપાસ કરતા માલુમ પડયુ કે રસ્તે રખડતી ગાયો અંગે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીટીશન બાદ હાઇકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રસ્તે રખડતી ગાયો અંગે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. આ મામલે કોર્પોરેશને અનેક વખત માલધારીઓ સાથે બેઠક કરી પોતાના જાનવર રસ્તે રખડતા નહીં રાખવા પણ કહ્યુ હતું તેમજ રસ્તે રખડતા ઢોર પકડી લેવામાં આવતા હતા, પરંતુ નિયમ પ્રમાણે માલધારીઓ દંડ ભરી ઢોર છોડાવી લેતા હતા અને ફરી તે જ ઢોર રસ્તે ફરતા થઈ જતા હતા. આ મામલે કોર્પોરેશન આકરા પગલાં ભરવાના મુડમાં હતું પણ લોકસભાની ચુંટણી સામે હોવાને કારણે આકરા પગલા લેવાનું પડતુ મુકયુ હતું
પણ હવે ચુંટણી પુરી થતાં કોર્પોરેશનના અધિકારીઓએ માત્ર રસ્તે રખડતી ગાયો જ નહીં પણ શહેરી વિસ્તારમાં બાંધેલી ગાયો પણ પકડી જવાનો નિર્ણય કર્યો હતો. કોર્પોરેશનના આ નિર્ણયની જાણકારી માલધારીઓને થતાં શુક્રવારની વહેલી સવારથી માલધારીઓ પોતાની ગાયો ટ્રકોમાં ચઢાવી અમદાવાદ બહાર લઈ જવા લાગ્યા હતા. આમ શુક્રવારના રોજ સવારે અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં ગાયો અમદાવાદ બહાર લઈ જવામાં આવી હતી. હવે જોવાનું એવુ રહ્યુ કે ગાયો વગર અમદાવાદ કેટલા દિવસ રહે છે.