[:gj]૨૬૦૦ કરોડ પાક વીમાની રકમ ખેડૂતોને ચૂકવાઈ છે[:]

[:gj]

વીમા કૌભાંડ બાદ હવે વીમો નહીં પણ કોર્પોસ ફંડ ઊભું કરાશે

પાક વીમા યોજનામાં ગુજરાતમાં રૂ.૨૬૦૦ કરોડ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી છે. વીમાની રકમનો વીમા કંપનીના બદલે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે કોપર્સ  ફંડ ઉભું કરવા રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે. મગફળી માટે રૂ.૧૮૦૦ કરોડ જેટલી રકમ પાક વીમા પેટે ચૂકવાઈ હતી.

પાક વીમાની ગણતરી ક્રોપ કટિંગને આધારે નિયત કરવામાં આવી છે અને તે ક્રોપ કટિંગને આધારે પાક વીમાની ગણતરી કરી રકમ ચૂકવવામાં આવે છે.

૧૪ ઇંચ વરસાદ થયો હોય તેવા વિસ્તારને વાસ્તવિક સ્થિતિ અને જે તે વિસ્તારના ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઇ તેને પણ અછતગ્રસ્ત જાહેર કરી રાજ્ય સરકારે ઇનપુટ સબસીડીના લાભ અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને આપ્યો છે.  આવા ૧૫ થી ૧૭ લાખ ખેડૂતોને પાક વીમા સિવાય ઈનપુટ સબસીડી ચૂકવી લાભ આપવામાં આવ્યો છે.

જે વિસ્તારમાં ૫૦ ટકાથી વધુ વાવેતર જે પાકનું થયું હોય તેને મુખ્ય પાક ગણી વિમામાં સમાવી લેવાય છે. પાક વીમાના પ્રીમિયમ પેટે ટેન્ડરથી મળેલ કંપનીના પ્રીમિયમ દરમાંથી ખેડૂતો તરફથી ભરવામાં આવેલા પ્રીમિયમ દર બાદ કરી બાકી રહેલ પ્રીમિયમ દરમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો ૫૦-૫૦ ટકા હિસ્સો રહેલો છે.

૩૧ મે ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૨૦૧૭માં ખરીફ પાક માટે રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીને રૂ.૧૩,૯૨ કરોડ રવિ ઉનાળુ પાક માટે રૂ.૩૮00 કરોડ,  ૨૦૧૮માં ખરીફ પાક પેટે રૂ..૧૩,૩૫ તથા રવિ ઉનાળો પાક માટે રૂ.૩૩ અને આટલી જ રકમ કેન્દ્ર સરકાર તરફથી પ્રીમિયમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.

૨૦૧૭માં ખરીફ પાક માટે  એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની, ઈફ્કો ટોકયો જનરલ ઇન્શ્યોરન્સ કંપની તથા એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ કંપની એમ મળી કુલ રૂ.૧૦,૫૪,૭૫,૮૭,૪૬૩ ચૂકવવામાં આવ્યા છે. ૨૦૧૭માં રવિ ઉનાળુ પાક માટે ઈફ્કો ટોકયો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ રૂ.૧૪,૫૬,૭૨,૩૬૫ ચૂકવવામાં આવ્યા છે.

૨૦૧૮ના ખરીફ પાક માટે એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ કંપની, રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની, યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સ કંપની તથા ભારતી એક્ષા જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ કુલ મળી રૂ.૨૦,૫૦,૧૯,૨૦,૮૦૯ ચૂકવવામાં આવ્યા છે.

[:]