[:gj]પાણીનો કાયમી પ્રવાહ ઘટી ગયો[:]

[:gj]

નર્મદાનો 280 લાખ એકર ફિટનો પ્રવાહ ઘટીને હવે 230 એકરફીટ થઈ ગયો છે. 50 એકર ફીટ પાણી ઘટી ગયું છે. તેથી હવે નર્મદા બંધ છલકાતો નથી કે પાણી ભરાતું નથી. જે આ છેલ્લાં ત્રણ વર્ષથી નર્મદા બંધમાં પાણી ન રહેતાં, પાવર હાઉસ બંધ રહેતા અને નર્મદા નદી સુકાઈને ખારી તથા પ્રદુષિત થતાં નર્મદાનાં પાણી માટે વિવાદ કરતાં ચાર રાજ્યોને એ વાત સમજાણી છે. નદીમાં એટલું પાણી નથી બચ્યું જેટલાંના ભરોસે આખી યોજના બનાવી હતી. નદીઓનો પાણીનો પ્રવાહ ઘટવાના કારણે ઊંચા બંધ ભરાતા નથી.

[:]