બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 7 અને 8 ડિસેમ્બર, 2018 ના રોજ ગુજરાતની મુલાકાત પછી, જાપાની ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઈસીએ)માં સ્થાનિક ખેડૂતોએ આપેલી વિગતોના આધારે તૈયાર કરેલો અહેવાલ જાહેર કરવા માટે પર્યાવણ સુરક્ષા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અહેવાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જે વિગતો આપી છે તે અસરગ્રસ્ત ગ્રામજનો, આ વિસ્તારોમાં કામ કરતી સંસ્થાઓ માટે કામની છે. કારણ કે, જે જમીન અંગે સમસ્યા ઊભી થઈ છે તેનો સમયસર, પારદર્શક અને વ્યાપક રીતે ઉકેલ આ અહેવાલના આધારે આવશે એમ સમિતિએ જણાવ્યું હતું. ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આ અહેવાલમાં છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોમાં કામ કરતા સંગઠનોએ પર્યાવરણીય અને સામાજિક અસરોના પરિણામે અસ્પષ્ટ ઉલ્લંઘન સંબંધિત મુદ્દાઓ ઊભા કરીને ચિંતા વ્યક્ત કરી હતી.
મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટમાં જાપાની ઈન્વેસ્ટર (જીઆઈસીએ) માર્ગદર્શનોનો ભંગ કર્યો છે. રેલવેએ બનાવેલી સમિતિ (2014 – 2015) બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નાણાકીય રીતે અવિશ્વસનીય છે, એવું જાહેર કર્યું હતું. જે પ્રોજેક્ટ-અસરગ્રસ્તો, વિશાળ સામાજિક, પર્યાવરણીય અને વિકાસ ઊપર ચિંતા ધરાવે છે. સાર્વત્રિક માનવ અધિકાર સિદ્ધાંતો અને પર્યાવરણીય સુરક્ષા અને સામાજિક ન્યાયથી સંબંધિત કાયદાઓને સમર્થન આપો એવી અમારી માંગણી છે.
કંપની, ભારત સરકાર અને ગુજરાત સરકારને તમામ વિગતો આપી છે. જાપાનની કંપની દ્વારા પ્રોજેક્ટ સહિતના અસરગ્રસ્ત લોકો અને સ્થાનિક હિસ્સેદારો તરફથી આપવામાં આવેલી વિગતો સાથે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, તેથી જેઆઈસીએ દ્વારા આપેલા અહેવાલની એક નકલ સમિતિને આપવામાં આવે.
કંપની દ્વારા કે અન્ય સંબંધિત સંબંધિત સત્તાવાળાઓ દ્વારા અત્યાર સુધી લેવાયેલા તમામ પગલાંઓ અને જે.આઈ.સી.એ ગુજરાત અને મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન પ્રોજેક્ટ્સ અસરગ્રસ્ત લોકો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને પહોંચી વળવા માટેની વિગતો અને હવે કંપની શું કરવા માંગે છે તેની છેલ્લી વિગતો આફવામાં આવે.
બધી પ્રક્રિયાઓની સંપૂર્ણ સમીક્ષા કરવા અને અમારી ચિંતાઓ માટે જવાબદાર છો. હવે એ જરૂરી બની ગયું છે કે, તમે તોડેલા નિયમો અંગે અનિવાર્ય છે કે તમે ઉલ્લંઘનનું નિવારણ કરવા માટે તરત અને કડક પગલાં લો અને કાયદા અનુસાર સંપૂર્ણ પગલાં ભરો.
ખેડૂતોએ શું રજુઆતો કરી હતી ?
196 ગામના 5000 ખેડૂતોએ તાલુકા અને જિલ્લા પ્રમાણે જંગ ખેલ્યો છે. સરકાર અને નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનને લઈને ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી જમીન આપવા સામે વિરોધ કરી રહ્યાં છે. સંપાદીત જમીનનું યોગ્ય વળતર નહીં મળતું હોવાના મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. સરકારે વડી અદાલતમાં કહ્યું બુલેટ ટ્રેન માટે ખેડૂતોની જમીન લેવામાં કૂલ રકમના 50 ટકા વધુ અપાશે જ્યારે મહેસૂલ પ્રધાને તે જ દિવસે જાહેર કર્યું કે જમીનના 4 ગણા ભાવ આપવામાં આવશે. આમ સરકાર ખેડૂતો માટે જાહેરમાં અને કાનૂની દાવા માટે અલગ ધોરણ અપનાવી રહી છે. જે બતાવે છે કે, સરકાર કંઈક છૂપાવી રહી છે અને ખેડૂતોને છેતરી રહી છે.
કેટલી જમીન
બુલેટ ટ્રેનના 508.17 કિલોમીટરના કોરિડોરમાંથી 155.76 કિલોમીટર લાંબો કોરિડોર મહારાષ્ટ્રમાં પસાર થાય છે. ગુજરાતના 348.04 કિલોમીટર અને દાદરા નગર હવેલા 4.3 કિલોમીટર વિસ્તારમાં રેલવેને જમીન મેળવવાની થાય છે. આ કોર્પોરેશનને ગુજરાતમાં 298 ગામોમાંથી 1434 હેક્ટર અને મહારાષ્ટ્રના 104 ગામોમાંથી 350 હેક્ટર જમીન સંપાદન કરવાની થાય છે. 196 ગામની જમીન સંપાદન કરવામાં ગામમાં 4 ગણા અને શહેરની જમીનના 2 ગણા ભાવ આપવાનું સરકારે નક્કી કર્યું છે. પણ તેનો અમલ થયો નથી. રાજ્ય સરકાર આ અંગે જાહેરનામું બહાર પાડવાની હતી જે હજુ સુધી બહાર પાડી શકી નથી.
રૂ.900 કરોડનું વળતર
ખેતીની જમીનનું ખેડૂતો માંગી રહ્યાં છે એવું રૂ. 900 કરોડનું વળતર આપવું ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા તેમાં કાપ મૂકીને માત્ર રૂ. 200 કરોડ આપવાની ગણતરી કરવામાં આવી રહી છે. તેથી ગુજરાત સરકાર અને ખેડૂતો વચ્ચે જમીનની લડાઈ ચાલી રહી છે. જો ટ્રેન માટે રૂ. 1.20 લાખ કરોડ ખર્ચવામાં આવતાં હોય તો જેમની જમીન જઈ રહી છે તેમને રૂ. 900 કરોડ જેવી રકમ કેમ આપવામાં આવતી નથી, એવું 5000 ખેડૂતો પૂછી રહ્યાં છે.
8 જિલ્લાના 196 ગામોની 680થી 800 હેક્ટર જેટલી જમીન સંપાદન કરવા ગુજરાત સરકાર વળતર આપવા માગે છે પણ તે જંત્રી પ્રમાણે છે. ખરેખર તો બજાર કિંમત તો જંત્રીથી સાત ગણી વધારે છે. 185 ગામડાંઓ અને શહેરોની જમીન સંપાદન માટેની બીજા તબક્કાની કાર્યવાહી પૂરી થઈ છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે.
કોર્ટમાં શોગંદનામાં
ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, વિપુલ પટેલ, મહામંત્રી મહેન્દ્ર કરમરીયા સહિતના આગેવાનોએ બેઠક યોજી હતી. દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં 1,200 જેટલા ખેડૂતોએ જમીન નહીં આપવા સોગંદનામું કરીને હાઇકોર્ટમાં રજૂ કર્યા હતા. તેથી જાપાન કંપનીએ કેન્દ્ર સરકારને લોનનો હપતો આપવાનો ઇનકાર કરી દીધો હકતો. અગાઉ ત્રણ વખત આ રૂટ ઉપર ખેડૂતોની જમીન નેશનલ હાઇવેના કપાતમાં ગઈ છે. 3,800 ખેડૂતોએ વાંધા રજૂ કર્યા છે. આજુબાજુ અનામત જમીન અંગે ખેડૂતોને કોઈ માહિતી આપવામાં આવી નથી.
કાયદાનો ભંગ અને જંગ
1- પેસા કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે આદિવાસી વિસ્તારમાં પેસા કાયદો લાગુ નહીં કરવા માટે જાહેરનામું બહાર પાડી દીધું અને પેસા કાયદો અધ્ધર કરી દીધો. પેસા દાયદો એ બંધારણીય કાયદો છે અને તે રાજ્ય સરકાર દૂર કરી શકે નહીં.
2- ગ્રામ પંચાયતોની મંજૂરી લેવામાં આવી નથી.
3- જંગલ જમીન અધિકાર કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આદિવાસી વિસ્તારોમાં જે જમીન હોય અને તે ખેડતા હોય તો તે સમૂહની જમીન ગણાય છે. એટલે કે જમીનના માલિકી હક્ક સામૂહિક છે. તે માટે સામૂહિક કે વ્યક્તિગત રીતે દાવાઓનો નિકાલ રેલ કંપનીએ કર્યો નથી કે ગુજરાતના જિલ્લા કલેક્ટર દ્વારા પણ કરાયો નથી. સમૂહની જમીનનું વળતર કઈ રીતે આપવામાં આવશે તે અંગે ગુજરાત અને મહારાષ્ટ્રની સરકાર મૌન છે. તેમને તો આદિવાસી નથી જોઈતા શ્રીમંતોની બુલેટ ટ્રેન જોઈએ છે.
4 – જંગલ નીતિનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે નક્કી કરેલી જંગલ નીતિનો સરેઆમ ભંગ બુલેટટ્રેનમાં થઈ રહ્યો છે. અગાઉ સરકારે જ્યાં જંગલની જમીનો હસ્તગત કરી છે તેનું વળતર આપવાનું નક્કી કરેલું છે તે પણ સરકાર પાસે જમા છે. જેમાં સમગ્ર ભારતમાં ફંડનો હિસાબ રૂ.50,000 કરોડ જેટલો છે. તે વાપરવા માટે નવો કાયદો બનાવ્યો તેમાં પણ અગાઉના કાયદાઓનો ભંગ થાય છે.
5– કેન્દ્ર અને રાજ્ય સરકારે બનાવેલાં પર્યાવરણના કાયદાઓનું સરેઆમ ઉલંઘન થઈ રહ્યું છે.
6- પ્રદૂષણ નિયંત્રણના કાયદાનો ભંગ થઈ રહ્યો છે.
કામ શરૂ વળતર નહીં
ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પર 15 ઓગસ્ટ, 2022 સુધીમાં આ પ્રોજેકટ પૂરો કરવો મુશ્કેલ છે. આ અંગે મળતી માહિતી મુજબ, આ યોજનાના એક નાના ભાગને ગુજરાતમાં સુરત થી બિલીમોરા વચ્ચેના રૂટને ચાલુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂર્ણ થઈ શકે છે. વડોદરામાં 17 કિલો મીટર રુટ પર સાઉન્ડ બૈરિયર્સ લગાવવામાં આવશે, જેનાથી બુલેટ ટ્રેનનો અવાજ ટ્રેકની આગળ નહી જાય.
આણંદના ગામોનો વિરોધ
18 ઓક્ટોબર 2017માં આણંદના 10 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. અગાઉ એક્સપ્રેસ હાઈવે વખતે પણ ખેડૂતોની જમીન ગઈ હતી. તેમને પણ વળતર આપવામાં આવ્યું નથી.
બળજબરી, રહસ્ય
વલસાડ અને નવસારી જિલ્લામાં ખેડૂતોના ખેતરમાં ગેરકાયદે ઘુસીને બુલેટ ટ્રેનના માર્ગ બતાવતાં ખાંભા નાંખવામાં આવ્યા હતા. વિસ્થાપિતોનો આંકડો ઊંચો છે છતાં તે સરકાર છુપાવી રહી છે. વલસાડ જિલ્લાના જ 1,695 કુટુંબોને આ યોજનાથી અસર થવાની છે. જો એટલે કે 8,000 લોકો માત્ર વલસાડમાં અસર થઈ રહ્યા છે. ગુજરાતના માર્ગ પર 80,400 વૃક્ષો કાપવા પડશે. નવસારી અને વલસાડની શ્રેષ્ઠ જાતની આ ફુલ કેરી અને લાડવા ચીકુના બગીચામાં પાકે છે.
કાયદો જ બદલી નાંખ્યો
જમીન સંપાદન, પુનઃવસન અને સ્થાપન કાયદો 2013 હઠળ કેન્દ્ર સરકારે યોગ્ય વળતર અને પારદર્શક રીતે જમીન સંપાદન કરવાની હોય છે. રાજ્ય સરકાર કોઈ પણ પ્રોજેક્ટ માટે જ્યારે જમીન મેળવે તે પહેલાં પ્રોજેક્ટની સામાજિક અસર અંગે અભ્યાસ અને મૂલ્યાંકન કરવું પડે છે. જે અસરગ્રસ્ત હોય તેના ઓછામાં ઓછા 70%ની સંમતિ જે તે પ્રોજેક્ટ માટે મેળવવાની જરૂર છે. ગુજરાત સરકારે આ કાયદામાં 2016માં કરેલા સુધારામાં, સામાજિક માળખાકીય સુવિધાઓ અને ઔદ્યોગિક કોરિડોરથી સંબંધિત, ચોક્કસ પ્રકારના પ્રોજેક્ટો માટે સંમતિ અને ફરજિયાત સામાજિક અસરની આકારણી પરની કલમો દૂર કરી છે. આમ લોકોના અધિકાર હતા તે ગુજરાત સરકારે છીનવી લીધા છે. જેનો પહેલો મોટો અમલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જુલમી રીતે થઈ રહ્યો છે.
નોટિસ આપી
તમામ જિલ્લાઓમાં યોજનાની અસર અંગે નોટિસ આપવામાં આવી હતી. નિયમ પ્રમાણે અખબારોમાં તેની જાહેરખબર પ્રકાશિત થઈ હતી. જમીનની સરવે નંબરની વિગતો આપવામાં આવી હતી. આ કાયદા હેઠળ, સત્તાવાર નોટિસ, બે સ્થાનિક અખબારો અને પંચાયતો અથવા મ્યુનિસિપાલિટીની કચેરીઓમાં પ્રકાશિત થઈ જાય તે પછી, જમીન-માલિકોને તેમના પ્લોટ્સના સંપાદન માટે કોઈ વાંધો આપવા માટે ઓછામાં ઓછા 60 દિવસ આપવામાં આવે છે. જોકે, વલસાડના પ્લોટ-માલિકો એવો દાવો કરે છે કે વાંધો ફાઇલ કરવા માટે તેમને ફક્ત 20 દિવસ કે તેથી ઓછો સમય આપવામાં આવ્યો છે. વાપી તાલુકામાં નોટિસ ઇશ્યુ કરવાની સત્તાવાર તારીખ અને 8 ઑગસ્ટ હતી. જેનો આખરી વાંધો રજૂ કરાવાની તારીખ 8 મે આપવામાં આવી હતી. પરંતુ 2 જુલાઇના રોજ નોટિસ તલાટી (મહેસૂલ અધિકારી) સુધી પહોંચી અને તે સમયે તલાટીએ કેટલાક ઝેરોક્ષ નકલો આપી હતી. એક સમયની પંચાયત કે જે હવે દક્ષિણ વલસાડમાં વાપી શહેર બની ગયું છે અને તે મ્યુનિસિપલીટી જાહેર થઈ છે. તેના એક ડૂંગરા નામના પરાના રહેવાસીઓ એવો દાવો કરે છે કે ઓછામાં ઓછા 500 પરિવારો આ શહેરમાં તેમના ઘરો ગુમાવશે. જો કોર્પોરેશન ડુંગરાના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં બુલેટ ટ્રેનનું વાપી સ્ટેશનનું નિર્માણ કરવા આગ્રહ કરે છે. વલસાડ જિલ્લામાં 7 હજાર લોકો અસરગ્રસ્ત છે. છતાં સમગ્ર માર્ગની વિગતો છૂપાવવામાં આવે છે. ખેડૂતોના ખેતરોમાં ઘુસીને ખાંભા નખવામાં આવ્યા હતા.
ટેન્ડર બહાર પડ્યા
રેલવે મંત્રાલયના આ કોર્પોરેશન દ્વારા કોચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિગ્નલિંગ, ટેકનોલોજી સહિત અન્ય ચીજવસ્તુઓ માટે 20 ટેન્ડર બહાર પાડી કુલ રકમ રૂ88 હજાર કરોડ કે એક લાખ કરોડ થશે. 508 કિલોમીટર લંબાઇના કોરિડોકમાં 60 જેટલા બ્રિજ બનાવવામાં આવશે. જાપાન ઇન્વેસ્ટમેન્ટ કો-ઓપરેશન એજન્સી બુલેટ ટ્રેનમાં 81 ટકાનું રોકાણ કરવાની છે. આ રોકાણ સામે તેનો વ્યાજદર 0.1 ટકા રાખવામાં આવેલો છે. આ ટ્રેનમાં 20 ટકા પાર્ટ્સ જાપાનના વપરાશે. બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ એ મુંબઇનું બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન રહેશે. આ રેલવે સ્ટેશન ત્રણ માળ સુધી અંડરગ્રાઉન્ડ હશે.
ભાડું કેટલું
અમદાવાદ અને મુંબઈ શહેરો વચ્ચેનું અંદર 508 કિલોમીટર છે, . જાપાનમાં ટોકિયો અને ઓસાકા વચ્ચે આશરે આટલું જ અંતર (550 કિલોમીટર) કાપવા માટે બુલેટ ટ્રેન ‘સિકનસેન’નું ભાડું 8,500 રૂપિયા છે. ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાકના હશે. 2 કલાક 58 મિનિટ સમય લાગશે. એટલે કે 3 કલાક થશે. માર્ગમાં કુલ 12 સ્ટેશનો માટે જાપાન પાસેથી 10 ડબ્બાની 18 બુલેટ ટ્રેનો ખરીદવાની તૈયારી કરી રહી છે. આ ડીલ રૂ.7000 કરોડનું છે. નકામી થઈ ગયેલી ટેક્નોલોજી ટ્રાન્સફર પણ કરવામાં આવશે. પહેલી બુલેટ ટ્રેન જાપાનમાં બનશે. બુલેટ ટ્રેન 2022ના અંતે શરૂ થવાનો હતો પણ સરકારે ખેડૂતો પર કરેલી બળજબરીના કારણે વિશ્વભરમાં બદનામ થઈ ગયો અને મોડો થયો છે. ટ્રેન કલાક દીઠ 350 કિલોમીટરની ઝડપે દોડશે.’ મુંબઈ-અમદાવાદ રૂટનો ઉપયોગ રોજ 18,000 પેસેન્જર્સ કરશે.