સિંચાઈ કૌભાંડમાં હળવદના ધારાસભ્યને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. હવે તેમને વડી અદાલતમાંથી જામીન મળ્યા છે. તેઓ ગુજરાત વિધાનસભામાં હાજરી આપવા માટે જામીન મંજૂર કરાયા હતા. મોરબીના સિંચાઈ કૌભાંડમાં નિવૃત મદદનીશ ઈજનેર અને મંડળી આગેવાનો સહીત ચારને ઝડપી લીધા બાદ કોભાંડમાં હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયાએ વકીલ ભરત ગણેશીયા મારફત લાખોની લાંચ લીધી હોય ધારાસભ્ય અને મળતિયા વકીલની પોલીસે અટકાયત કરી હતી અને જેલમાં બંધ કર્યા હોય અગાઉ ધારાસભ્યએ કરેલી જામીન અરજી નામંજૂર થઇ હોય તેમજ તાજેતરમાં વિધાનસભાના સત્રમાં હાજરી આપવા માટે તેને વચગાળાના જામીન મંજુર થયા હોય દરમિયાન હાઈકોર્ટમાં આજે રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી જેમાં વકીલ નિરૂપમ નાણાવટી, મનીષ ઓઝા અને મેનાબેન પરમાર મારફત કરેલી જામીન અરજી હાઈકોર્ટે મંજુર રાખી છે અને શરતોને આધીન જામીન મંજુર કર્યા છે