GSTના 10 હજાર કરોડના સોનાના કૌભાંડમાં શું રંધાયુ, 80 કરોડની ચોરી, 210 કરોડ સુધી કેમ ન પહોંચી

ગાંધીનગર, 17 એપ્રિલ 2021
અમદાવાદના રાણીપ વિસ્તારમાં સુકન સ્માઈલ સિટિ એપાર્ટમેન્ટની બી વિન્ગના 103 નંબરના ફ્લેટમાં રહેતા અને સોનાના લે વેચના રૂા. 2861.61 કરોડનો બોગસ બિલ બનાવીને રૂા. 79.71 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે અન્યને પાસ કરી દેનાર ભરત ભગવાનદાસ સોની સામે સેન્ટ્રલ જીએસટી- કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના આસિસ્ટન્ટ કમિશનર પી.સી. જૈને 2 માર્ચ 2021માં ચાર્જશીટ ફાઈલ કરી છે.

રૂા.9750 કરોડના 9થી 11 જેટલા સોનીઓએકરોડના બોગસ બિલ બનાવ્યા હોવાનું જણાવીને તેની કસ્ટડી માગતા કોર્ટે તેને 11મી સુધી સીજીએસટીના અધિકારીઓની કસ્ટડીમાં રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ભરત સોની અને તેનો પરિવાર છેલ્લા 10 વર્ષથી સોના-ચાંદી અને હીરાના ખોટા બિલો બનાવી કરચોરી કરતો હતો.

ઇનપુટ ટેક્સ ક્રેડિટ હેઠળ રૂપિયા 210 કરોડની ચોરી સામે આવવાની શક્યતા હતી. પણ આગળ કઈ થયું નથી. તેની સામે આરોપ નામું ઝડપથી રજૂ તો કરાયું પણ 80 કરોડની ચોરી રૂ.210 કરોડ સુધી કેમ ન પહોંચી શકી તેની સામે સવાલો ઊભા થઈ રહ્યાં છે. શું તેમાં રાજકીય નેતાઓએ ખરાબ ભૂમિકા ભજવી હતી.

પોતે, પુત્ર, દીકરી અને બે જમાઈના નામે ઘનશ્યામ જ્વેલર્સ, કનિષ્ક જ્વેલર્સ, દીપ જ્વેલર્સ, N.S. જ્વેલર્સ, N.A. ઓર્નામેન્ટ્સ અને B/૨ જેમ્સ નામની 6 કંપનીઓ ઊભી કરીને સેટેલાઈટ, સી.જી. રોડ, સહિત શહેરના 15 સોનીઓના નામ ખુલ્યા હતા.

મુંબઈ, સુરતના 25 જ્વેલર્સના નામ પણ ખુલ્યા હતા. આ 35 પેઢીઓની ચોરી અંગે વિભાગે કે ગુજરાત સરકારે 17 એપ્રિલ 2021 સુધી કોઈ નામો જાહેર કર્યા નથી અને તેમની તપાસનું શું થયું તે જાહેર કરાયું નથી. શું રંધાયું તે ભાજપની વિજય રૂપાણી કરકારે જાહેર કરવું જોઈએ.