દિલીપ પટેલ
અમદાવાદ, 4 જુલાઈ 2026
વીજ લાઈનથી 5 લાખ ખેડૂતોને અસર થવાની છે. કાયમી ઉકેલ લાવવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે વાત કરી નથી.
વીજ લાઈન/ટ્રાન્સમિશન ટાવર માટે વળતરમાં અંગ્રેજોના સમયનો 140 વર્ષ જૂનો મુખ્ય કાયદો The Indian Telegraph Act, 1885 લાગુ પડે છે.
ખાનગી પાવર કંપનીઓ આ કાયદાની કલમ 164 હેઠળ “ટેલિગ્રાફ ઓથોરિટી”ના પાવર માંગી લે છે, જે સરકારી કંપનીઓ જ માંગી શકે છે. તેથી આ કાયદાનો ઉપયોગ ન કરવામાં આવે.
ઉપયોગનો અધિકાર” – Right of Wayમાં ખેડૂત જમીનનો માલિક રહે, પણ ઉપરથી લાઇન પસાર થાય
– વળતર = ફક્ત થાંભલા નીચેની જગ્યા + પાકનું નુકસાન. આ કાયદામાં જમીનના બજાર ભાવનું વળતર મળતું નથી
Land Acquisition Act, 1894 પણ સબસ્ટેશન માટે જમીન લેવાની હોય તો અંગ્રેજોનો 1894નો “ભૂ સંપાદન કાયદો” લાગુ કરે તો એમાં પણ વળતર ઓછું મળે.
નવો કાયદો 2013 આવ્યો પણ લાગુ નથી. તે અમલી બનાવો. 2013ના Right to Fair Compensationમાં 4 ગણું વળતર ગ્રામ્ય વિસ્તારમાં મળે.
પણ વીજ કંપનીઓ Telegraph Act 1885 હેઠળ કામ કરે એટલે 2013નો કાયદો કંપનીઓના ફાયદામાં આ કાયદો છે. ખેડૂતોના ફાયદામાં નથી.
એટલે Telegraph Act 1885 હટાવો, Land Acquisition Act 2013 લાગુ કરો.
ખાનગી કંપનીની નવી વીજ લાઈનથી 145 લાઈનના 5 લાખ ખેડૂતો પ્રભાવિત થવાના છે. સરકારી કંપનીની લાઈનોથી 25 લાખ ખેડૂતો પ્રભાવિત છે. તેથી આગામી વર્ષમાં ફરિયાદ વધવાની છે આથી વીજ ફરિયાદ કમિશન બનાવવામાં આવે.
વીજ વળતર નીતિ બનાવી નથી. એ નીતિ બનાવો.
અદાલતના આદેશ છતાં ગુજરાતના 56 લાખ ખેડૂતોની કૃષિ નીતિ બનાવી નથી તે બનાવો. ઉદ્યોગ નીતિની જેમ.
સરકારની જાહેરાત પછી વીજ લાઈન અંગેના વણઉકલ્યા 20 મુદ્દા નીચે છે, તેનો સરકાર ઉકેલ લાવે.
1 – બજાર ભાવની જમીનનું ખેડૂતો 4 ગણું કોમર્શિયલ વળતર માંગતા હતા. આપ્યું 2 ગણું સરકારી.
વળતરની રકમ બાબતે વાંધો હોય તો ખેડૂત, ખેડૂત સંગઠન, વકીલ, ખેડૂત ઈચ્છે તે વ્યક્તિ, સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, ગામના સરપંચ, મામલતદારની હાજરીમાં કલેક્ટર, કંપની અને ખેડૂતની બેઠક કરી ઉકેલ લાવવામાં આવે.
2 – બજાર ભાવ એટલે સરકારના નિયમ મુજબ સંપાદન થાય તેની આસપાસની વેચાયેલી જમીનના 3 વર્ષના વેચાણ દસ્તાવેજની સરેરાશ. દસ્તાવેજ જમીન વેચાણના વાસ્તવિકતા શોદાના માત્ર 10થી 25 ટકાનો જ થાય છે. તેથી ખરેખર વેચાણ થયું હોય તેના 4 ગણું વળતર આપવું.
2 – (અ) – વીજ કરંટથી ખેડૂતનું મોત થાય તો રુ. 15 કરોડ સરકાર આપે. ઈજા થાય તો રુ. 10 લાખ અને કાયમી અપંગ થાય તો રુ. 8 કરોડ વળતર આપવામાં આવે.
2 – (બ) – વીજ લાઇનથી આગ લાગે કે 30 વર્ષ સુધી કંપનીના કર્મચારીઓ લાઈન મેન્ટેનન્સ માટે ખેતરમાંથી પસાર થાય ત્યારે નુકસાન થાય તેનું 4 ગણું વળતર આપવામાં આવે.
2 – (ક) – લાઈન નીચે ઉંચા વૃક્ષોની ખેતી પર પ્રતિબંધ હોવાથી બાગાયતી ખેતરોનું કાયમી 30 વર્ષના નુકસાન આપવામાં આવે.
2 – (ડ) – ખેતરના બાગાયતી કે ખેતીના વૃક્ષો કાપવામાં આવે ત્યારે એક વૃક્ષ દીઠ રુ. 2 લાખ આપવામાં આવે.
3 – ટ્રાન્સમિશન લાઇન નાખવાની મંજૂરી આપી છે તે અને હવે 50 લાઈનની મંજૂરી આપવાની છે તે પહેલા દરેક ખેડૂતોના સરવે નંબર સાથે જમીન સંપાદન અને રાઈટ ઓફ વે (એટલે કે ઉપરથી વાયર નીકળવાના છે તે) જમીનનું ક્ષેત્રફળ અખબારોમાં જાહેરાત આપે.
4 – વીજ લાઈનના રૂટના નકશા, જમીનના સર્વે નંબર, તેમાં થાંભલો કેટલા ચોરસ મીટર જગ્યા રોકશે, કેટલું ક્ષેત્રફળ કોરિડોર રોકશે, કયા સર્વે નંબરમાં થાંભલા વગર ઉપર વાયર રહેશે, કેટલા ક્ષેત્રફળને અસર થશે એનું જાહેરનામું બહાર પાડે તેમાં ખેડૂતોને કંપની કેટલું વળતર આપશે તેની રકમ જાહેરનામા જણાવવી.
કલેક્ટરની સહી અને સિક્કા વાળી નકલ રૂટની દરેક ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ, તલાટી, ખેડૂતને, ગૌચર, પડતર કે ખરાબાના અધિકારક્ષેત્રને આપવામાં આવે.
5 – કચ્છમાં રણમાં લાઈન નાંખી શકાય તેમ હતી છતાં અદાણી અને રિલાયન્સ કંપનીના ફાયદા માટે ખેતરોમાં નાખી છે. તેથી વૈકલ્પિક રૂટના સર્વે થયા હોય તો એની વિગતો સાથે જાહેરાત અખબારોમા આપવામાં આવે.
6 – લાઈન નાખતા પહેલા માણસ, ગામ, ખેતી, ખેતર, આજીવિકા, વન વિસ્તાર, ગૌચર, પશુ જેવી બાબતોનો સામાજિક અને આર્થિક તથા પર્યાવરણ અંગે ઊંડો અભ્યાસ કરવામાં આવે.
કલેક્ટરની સહી અને સિક્કા વાળી નકલ રૂટની દરેક ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ, તલાટી, ખેડૂતોને, ગૌચર, પડતર કે ખરાબાના અધિકારક્ષેત્રને આપવામાં આવે.
7 – દરેક બાબતોને ગામના નોટીસ બોર્ડ, મંદિર, બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાઓ પર ચોંટાડવામાં આવે. દરેક અસરગ્રસ્તોને જાણ કરવાની જવાબદારી તલાટીને સોંપવામાં આવે.
8 – વીજ લાઈન રૂટ, સર્વે નંબર બાબતના વાંધાઓ લેખિતમાં રજૂ કરવા માટે સંભવિત અસરગ્રસ્ત ખેડૂતોને 30 દિવસનો સમય આપવામાં આવે. ખેડૂતોએ લીધેલા વાંધાઓની જાહેર સુનાવણી થવી જોઈએ, વાંધા સામેના ખુલાસા કંપની અને અધિકારીઓએ જાહેરમાં ખેડૂતોને આપવા.
9 – વીજ લાઈન રૂટની મંજૂરી આપતા પહેલા, વાંધાનો નિકાલ કરતા પહેલા જિલ્લા જમીન કિંમત આકારણી સમિતિની બેઠક કરવામાં આવે, વર્તમાન બજાર ભાવ નક્કી કરવામાં આવે.
10 – ખેડૂતોને વિકલ્પ આપો કે મહિનાનું ભાડું જોઈએ કે એક સામટું વળતર.
11 – જમીનની કિંમત નક્કી કરવામાં 30 વર્ષ સુધીનો બજાર ભાવ ગણવો.
12 – લાઈન ખેતરમાંથી પસાર થતી હોય તે જમીનનો બજાર ભાવ હોય છે તેમાં 25 ટકાથી 50 ટકા ઓછો થઈ જાય છે. તેને 4 ગણા વળતરમાં ગણવામાં આવે.
13 – ખેતરમાં ઉત્પાદનનું નુકસાન પણ વળતરમાં ગણવામાં આવે. 30 વર્ષ સુધી ખેડૂતોને પાક નુકસાન થવાનું હોવાથી 30 વર્ષના પાક નુકસાનનું વળતર કે ભવિષ્યનું બજાર મૂલ્ય ગણતરીમાં લેવામાં આવે.
14 – વૃક્ષોની કિંમત નક્કી કરવામાં 30 વર્ષ સુધી એ વૃક્ષની ઓક્સિજન આપવાની ક્ષમતા, એનું 30 વર્ષનું સંભવિત બજાર મૂલ્ય, 30 વર્ષ પછી લાકડાની કિંમત જેવી દરેક બાબત ગણતરીમાં લેવું જોઈએ.
15 – નવા બજાર ભાવ નક્કી કરાયા પછી જમીન સંપાદન કાયદો – 2013 પ્રમાણે વળતરની રકમની ગણતરી થવી જોઈએ. ખેડૂતોને આ કાયદા હેઠળ કુલ મળવાપાત્ર રકમ લેખિતમાં જાણ કરવામાં આવે.
16 – પોલીસ પ્રોટેક્શન આપવાના તમામ હુકમો રોકી દેવામાં આવે. છતાં સરકાર ચાલુ રાખવા માંગતી હોય તો કંપનીને પૈસાથી પોલીસ મળે છે. ખેડૂતોને સરકાર પૈસા લીધા વગર પોલીસ આપે.
પોલીસ રક્ષણના હુકમો રાજ્યના ગૃહ સચિવ અને મુખ્ય સચિવની સહીથી જ થઈ શકે એવી કાનૂની જોગવાઈ કરવામાં આવે. ખાનગી કંપનીઓને પોલીસ રક્ષણના હુકમમાં સ્થાનિક ધારાસભ્યની સહમતીની સહી અનિવાર્ય રીતે હોવી જોઈએ.
ગુજરાતી
English