ગુજરાતમાં 2.55 લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર કરીને 3.30 લાખ ટન ઉત્પાદન ગયા વર્ષે થયું હતું. જેમાં ઉત્પાદકતાં 2380 કિલોથી ઘટીને હેક્ટર દીઠ આ વખતે 1800-1700ની આસપાસ રહે એવી ધારણા કૃષિ વિભાગની છે. ગુજરાતમાં ઉત્પાદન નીચું જેવાના કારણે તુવેર દાળનું ઉત્પાદન ઓછું કરવાથી પ્રતિ કિલોગ્રામ 100 રૂપિયા જેટલી કિમંત થશે. ગત વર્ષની સરખામણીએ તુવેર દાળના ઉત્પાદનમાં 30થી 35 જ્યારે અડદ દાળમાં 15થી 20 ટકા જેટલો ઘટાડો થયો છે. ઈ.સ.2015માં દાળના ભાવમાં સૌથી વધુ તેજી આવી હતી અને દાળની છૂટક કિમંત પ્રતિ કિલોગ્રામ 200 રૂપિયા થઈ હતી. આ વખતે પણ આવું જ થવાની ધારણા છે. તેથી દાળ રૂ.150 કિલોએ જતી રહે એવી અપેક્ષા ખેડૂતોની છે.
છેલ્લા બે મહિના દરમ્યાન જથ્થાબંધ ભાવમાં 800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધીની તેજી જોવા મળી. દાળ મિલર્સ એસોસિયેશન તુવેર દાળમાં જથથાબંધની કિમંત જો 58 રૂપિયા પ્રતિ કિલો છે તો તેની છૂટક કિમંત 90 રૂપિયાથી વધુ થશે એવું માને છે. દાળને તૈયાર કરવા દરમ્યાન 25 ટકા જેટલું ભૂસું નીકળી જાય છે.
દાળના ભાવ જે ગતિએ વધી રહ્યા છે. તે મુજબ તુવેર દાળનો જથ્થાબંધ ભાવ 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થવાનું અનુમાન છે. દાળની છૂટક કિમંત 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે બહુ જલ્દી આવી જશે. દાળના ભાવમાં નિયંત્રણ માટે સરકાર દાળ મિલર્સને આયાતનું લાઈસેંસ આપશે. 2 લાખ ટન દાળની આયાત કરી શકે. બાદમાં સરકાર તરફથી 20 લાખ ટન દાળની આયાત કરાતા સરકારે ઓછા ભાવે દાળનું વેચાણ કરવું પડ્યું હતું. ગત વર્ષે તુવેર દાળની કિમંત ઓછી હોવાથી ખેડૂતોને નુકસાન જતાં આ વર્ષે તેમણે તુવેર દાળનું ઉત્પાદન ઘટાડ્યું. તુવેર દાળમાં ઉત્પાદન ઓછું થવાને લીધે આ વર્ષે ભાવ વધારો જોવા મળી રહ્યો છે.