સમગ્ર વિશ્વમાં અમદાવાદના આ વિસ્તારમાં સૌથી વધું 101 મોત, કોરોનો મૃત્યુ દર ઊંચો

અમદાવાદ, 8 મે 2020

વિશ્વ અને ભારત દેશના સૌથી મોત અમદાવાદના આ નાના વિસ્તાર જમાલપુરમાં થયા છે.

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મૃત્યુદર 12.48 ટકા છે. જે દેશ તેમજ વિશ્વના અનેક દેશો કરતાં પણ વધારે છે. અમદાવાદના જમાલુપર વિસ્તારમાં 101 ચેપી રોગીઓના કમકમાટી ભર્યા કરુણ મોત થયા છે. 1 હજારથી વધું ચેપી રોગીઓ થઈ ગયા છે. 7 મે 2020ના સવારના રિપોર્ટ મુજબ જમાલપુર વિસ્તારમાં કરુણાના 777 કેસ અને 97 મૃત્યુ થયા છે.

શહેરના મધ્ય ઝોનમાં જ કોરોનાના 1839 કેસ અને 154 નોંધાયા છે મધ્ય ઝોનમાં મૃત્યુદર 8.39 ટકા જેટલો થાય છે. શેરમા નોંધાયેલા ફુલ કેસના 40 ટકા કેસ અને 53% મરણ માત્ર મધ્યઝોન માં કન્ફર્મ થયા છે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા રેસઝોન વિસ્તારોમાં પણ કેસ અને મરણની સંખ્યા સતત વધી રહી છે. જેમાં શાહપુર વોર્ડમાં 195 કેસ અને 09 મરણ , ખાડિયા માં 444 કેસ અને 18 મરણ , દરિયાપુર માં 175 કેસ અને 19 મૃત્યુ, અસારવામાં 206 કેસ સામે 06 વ્યક્તિના મૃત્યુ થયા છે. સરસપુરમાં 173 કેસ અને 10 મરણ, ગોમતીપુરમાં 155 અને 12, દાણીલીમડામાં 301 અને 25 મરણ, મણિનગરમાં 176 કેસ સામે 11 મરણ તેમજ બહેરામપુરા માં 418 કેસ અને 13 વ્યક્તિના મૃત્યુ થયા છે.

શહેરના દસ રેડઝોન વિસ્તારમાં 3020 કેસ અને 220 મરણ નોંધાયા છે મતલબ કે માત્ર દસ વર્ડમાં જ કુલ કેસના 65 ટકા કેસ અને 75% મરણ માત્ર દસ વર્ષમાં જ નોંધાયા છે જે બાબત ચિંતાજનક મનમાં આવી રહી છે.

શહેરમા છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના વિસ્ફોટ થયો હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દસ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના સૌથી  હાઈરીસ્ક વિસ્તાર ગણાતા જમાલપુરમાં કેસ અને મૃત્યુ સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઈ ગયો છે. શહેરના 75 ટકા મૃત્યુ રેડઝોન વિસ્તારોમાં નોંધાયા છે.