[:gj]કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની વર્ષાંત સમીક્ષા 2020[:]

[:gj]

 02 JAN 2021  

નેવુંના દાયકામાં આર્થિક ઉદારીકરણ પછી પણ કૃષિને બાકાત રાખવામાં આવી હોવાથી સરકારને આ ક્ષેત્રના ઉત્કર્ષ માટે ખેડૂતલક્ષી સુધારાઓ એટલે કે, આ ક્ષેત્રને વધુ મજબૂત કરતી નીતિઓની જરૂરિયાત જણાઇ.

2020માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે કરેલા મોટા ફેરફારો નીચે મુજબ છે:

  1. અંદાજપત્રીય ફાળવણીમાં અભૂતપૂર્વ વૃદ્ધિ
  • 2020-21માં, રૂ.1,34,399.77 કરોડની અંદાજપત્રીય ફાળવણી સાથે 6 ગણાથી વધુ વૃદ્ધિ. 2013-14માં આ વિભાગને રૂ.21933.50 કરોડ ફાળવાયા હતા.
  1. ખાદ્યાન્નનું વિક્રમી ઉત્પાદન
  • 2015-16માં 251.54 મિલિયન ટન ખાદ્યાન્નના ઉત્પાદન સામે 2019-20માં વધીને 296.65 મિલિયન ટન થયું જે અત્યાર સુધીમાં સર્વાધિક છે.
  • ત્રીજા પૂર્વાનુમાનો મુજબ, 2019-20માં ભારતીય બાગાયતના ઇતિહાસમાં સર્વાધિક 319.57 MMTના બાગાયતી ઉત્પાદનનું પૂર્વાનુમાન.
  1. ઉત્પાદન ખર્ચનો દોઢ ગણો ટેકાનો ભાવ (MSP) નક્કી કર્યો
  • સરકારે તમામ જાહેર કરેલ ખરીફરવી અને અન્ય રોકડિયા પાકો પર ભારતમાં કૃષિ વર્ષ 2018-19ના સરેરાશ ઉત્પાદન ખર્ચ પર લઘુતમ 50 ટકા વળતર સાથે MSPમાં વધારો કર્યો.
  • 2013-14માં ડાંગરનો MSP રૂ.1310/ક્વિન્ટલ હતો જે 43% વધારીને 2020-21માં રૂ.1868/ ક્વિન્ટલ કર્યો.
  • 2013-14માં ઘઉંનો MSP રૂ.1400/ક્વિન્ટલ હતો જે વધારીને 2020-21માં રૂ.1975/ ક્વિન્ટલ કર્યો.
  1. ખેડૂતો પાસેથી ખરીદીમાં વૃદ્ધિ
  • 2009-10થી 2013-14ના પાંચ વર્ષની તુલનાએ છેલ્લા પાંચ વર્ષમાં MSP દરે ડાંગરની ખરીદીમાં 2.4 ગણો વધારો. અગાઉ 5 વર્ષમાં રૂ.2.06 લાખ કરોડની સામે છેલ્લા પાંચ વર્ષમાં રૂ.4.95 લાખ કરોડ MSP પેટે ચુકવ્યા.
  • 2009-10થી 2013-14ના પાંચ વર્ષની તુલનાએ છેલ્લા પાંચ વર્ષમાં MSP દરે ઘઉંની ખરીદીમાં 1.77 ગણો વધારો. અગાઉ 5 વર્ષમાં રૂ.1.68 લાખ કરોડની સામે છેલ્લા પાંચ વર્ષમાં રૂ.2.97 લાખ કરોડ MSP પેટે ચુકવ્યા.
  • 2009-10થી 2013-14ના પાંચ વર્ષની તુલનાએ છેલ્લા પાંચ વર્ષમાં MSP દરે દાળ/કઠોળની ખરીદીમાં 75 ગણો વધારો. અગાઉ 5 વર્ષમાં રૂ.645 કરોડની સામે છેલ્લા પાંચ વર્ષમાં રૂ.49,000 કરોડ MSP પેટે ચુકવ્યા.
  • 2009-10થી 2013-14ના પાંચ વર્ષની તુલનાએ છેલ્લા પાંચ વર્ષમાં MSP દરે તેલીબિયાં અને કોપરાની ખરીદીમાં 10 ગણો વધારો. અગાઉ 5 વર્ષમાં રૂ.2,460 કરોડની સામે છેલ્લા પાંચ વર્ષમાં રૂ.25,000 કરોડ MSP પેટે ચુકવ્યા.
  • ખરીફ 2020-21 માટે ડાંગરની ખરીદીમાં સરળતાથી વૃદ્ધિ અને 8.12.2020 સુધીમાં 356.18 લાખ MTની ખરીદી થઇ જે ગત વર્ષે સમાન સમયમાં થયેલી 295.79 લાખ MT ખરીદી કરતાં 20% વધારે છે.
  • માત્ર પંજાબમાં 30.11.2020 સુધીમાં 202.77 લાખ MTની ખરીદી થઇ જે કુલ ખરીદીમાંથી 56.93% હિસ્સો છે.
  • વર્તમાન ખરીફ માર્કેટિંગ મોસમ (KMS)માં 18,880 પ્રતિ MTના દરે રૂ.67,248.22 કરોડના MSP આઉટફ્લો સાથે ખરીદીની કામગીરીથી લગભગ 37.88 લાખ ખેડૂતોને ફાયદો.
  1. PM KISAN દ્વારા ખેડૂતોને આવક સહાય
  • કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં શરૂ કરેલી PM KISAN યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં દર વર્ષે ત્રણ હપતામાં કુલ રૂ.6000ની ચુકવણી.
  • આ યોજના હેઠળ આજદિન સુધીમાં, 1,10,000 કરોડ રૂપિયા ચુકવાયા અને 10.59 કરોડ ખેડૂત પરિવારોને લાભ થયો.
  1. પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY)
  • ચાર વર્ષથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY)માં 23 કરોડથી વધુ ખેડૂતોની અરજી આવરી લઇને 7.2 કરોડથી વધુ અરજદારોને લાભ આપ્યો. આ સમયગાળામાં રૂ.87,000 કરોડના દાવા સામે, ખેડૂતોએ ચુકવેલા પ્રીમિયમના હિસ્સા અનુસાર અંદાજે રૂ.17,450 કરોડની ચુકવણી કરી. મતલબ, ખેડૂતોએ ચુકવેલા પ્રત્યેક 100 રૂપિયાના પ્રીમિયમ સામે દાવા પેટે રૂ.532 મેળવ્યા.
  1. કૃષિ ક્ષેત્ર માટે સંસ્થાકીય ધિરાણ
  • 2013-14માં રૂ.7.3 લાખ કરોડની સામે 2019-20માં વધીને રૂ.13.73 લાખ કરોડ અને 2020-21માં રૂ.15 લાખ કરોડનું લક્ષ્ય.
  • કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 2.5 કરોડ ખેડૂતો માટે રૂ.2 લાખ કરોડનું રાહત ધિરાણ આપવાની યોજના.

PM-KISAN લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાહત ધિરાણ આપવા માટે ફેબ્રુઆરી 2020થી શરૂ કરાયેલી વિશેષ કવાયત અંતર્ગત 146.46 લાખ KCC અરજીઓ મંજૂર કરીને રૂ.1,57,815 કરોડના ધિરાણની મંજૂરી.

  • પશુ સંવર્ધન અને માછીમારી જેવી સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ટૂંકાગાળાની કાર્યકારી મૂડીને પહોંચી વળવા ખેડૂતોને વ્યાજ સબસિડીના લાભો આપ્યા.
  1. ખેડૂતોને જમીન આરોગ્ય કાર્ડ આપ્યા
  • પોષકતત્વોનો મહત્તમ ઉપયોગ કરવા માટે 2014-15માં જમીન આરોગ્ય કાર્ડ યોજનાનો આરંભ.
  • દેશભરમાં 2015-16થી 2016-17ના પ્રથમ ચક્રમાં 10.74 કરોડ ખેડૂતોને જ્યારે 2017-18થી 2018-19ના બીજા ચક્રમાં 11.75 કરોડ ખેડૂતોને વિનામૂલ્યે જમીન આરોગ્ય કાર્ડની ફાળવણી.
  1. દેશમાં સજીવ ખેતીને પ્રોત્સાહન
  • દેશમાં સજીવ ખેતી (જૈવિક ખેતી)ને પ્રોત્સાહન માટે 2015-16માં પરંપરાગત કૃષિ વિકાસ યોજનાનો પ્રારંભ.
  • 30,934 ક્લસ્ટરને લાભ.
  • 6.19 લાખ હેક્ટર વિસ્તાર આવરી લીધો જેમાં 15.47 લાખ ખેડૂતોને લાભ થયો.
  • 3.5 લાખ ખેડૂતોએ તેમની ઉપજના માર્કેટિંગ માટે સમર્પિત પોર્ટલ www.Jaivikkheti.in પર નોંધણી કરાવી.
  • પૂર્વોત્તરમાં મિશન ઓર્ગેનિક મૂલ્ય શ્રૃંખલા વિભાગ (MOVCDNER)નો પ્રારંભ.
  • 83,096 ખેડૂતો અને 79,445 હેક્ટર વિસ્તાર સમાવતી 169 ખેડૂત ઉપજ સંસ્થાઓની રચના કરવામાં આવી.
  • આદુ, હળદર, મરચા, પ્રસંસ્કરણ કરેલ પાઇનેપલ વગેરેની યુએસએ, યુકે, ફ્રાન્સ, દુબઇ, સ્વીત્ઝર્લેડમાં નિકાસ મજબૂત થઇ. કાળા થાઇ આદુ અને ઔષધીના છોડની કોન્ટ્રાક્ટ ખેતીનો આરંભ.
  1. યુરિયાનું નીમ કોટિંગ
  • રસાયણોનો ઉપયોગ ઘટાડવા માટે 2015-16માં નીમ કોટિંગ યુરિયા શરૂ કરવાથી જમીનનું આરોગ્ય સુધર્યું, એકંદરે ઉપજ વધી અને બિન-ખેતીના હેતુઓમાં યુરિયાનો વપરાશ ઘટ્યો.
  1. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ
  • લણણી પછી પાકના વ્યવસ્થાપનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાજ રાહત તેમજ આર્થિક સહાય દ્વારા સામુદાયિક કૃષિ અસ્કયામતોને લગતી વ્યવહારુ પરિયોજનાઓમાં મધ્યમ અને લાંબાગાળાના ડેબ્ટ ફાઇનાન્સિંગ માટે 9 ઑગસ્ટ 2020ના રોજ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ (AIF)નો પ્રારંભ. આ યોજના FY 2020થી FY 2029 સુધી 10 વર્ષ માટે અમલી રહેશે. આ યોજના હેઠળ NABARD દ્વારા 3,064 PACને રૂ.1,565 કરોડનું ધિરાણ પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટીઓની 3,064 પરિયોજનાઓ માટે મંજૂર કરાયું છે. આ યોજના હેઠળ રૂ.3,500 કરોડની કિંમતની PAC પરિયોજનાઓનું પહેલાંથી માળખું તૈયાર કરી દેવાયું છે.
  1. રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન
  • આત્મનિર્ભર ભારતના ભાગરૂપે 2020માં NBHMનો પ્રારંભ કર્યો. આ ક્ષેત્રને 2020-2021થી 2022-2023ના સમય માટે રૂ.500 કરોડની ફાળવણી કરી. ડિસેમ્બર 2020માં રૂ.100 કરોડના પ્રોજેક્ટ્સનું લક્ષ્ય.

 

  1. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના
  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ ટીપે ટીપે વધુ પાક (PMKSY – PDMC)નો ઉદ્દેશ માઇક્રો સિંચાઇ એટલે કે ટપક અને ફુવારા સિંચાઇ દ્વારા ખેત સ્તરે પાણીનો પૂર્ણ સદુપયોગ કરવાનો છે. 2015-16થી આજદિન સુધીમાં દેશમાં સુક્ષ્મ સિંચાઇ હેઠળ વધુ 50.1 લાખ હેક્ટર વિસ્તાર આવરી લીધો છે અને PMKSY હેઠળ કેન્દ્રએ રાજ્યોને કુલ રૂ.13309 કરોડની સહાય આપી છે.
  1. નામનું વિસ્તરણ
  • 18 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1000 બજારોને ઇ-નામ પ્લેટફોર્મ સાથે જોડ્યા.
  • 1.68 લાખ ખેડૂતો અને 1.52 લાખ વેપારીઓએ આ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી અને તેના પરથી રૂ.1.15 લાખ કરોડની કુલ 3.94 કરોડ મેટ્રિક ટન ઉપજનો વેપાર થયો છે.
  • ખેડૂત ઉત્પાદક સંઘો (FPO)ને ઇ-નામ સાથે જોડીને તેના મારફતે વેપારની શરૂઆત કરવામાં આવી છે.
  1. કૃષિ ઉપજોની હેરફેરમાં સુધારોકિસાન રેલનો આરંભ
  • કૃષિ અને બાગાયત ઉપજોની હેરફેર માટે પ્રાથમિક અને ગૌણ પરિવહનના વાહનો શોધતા ખેડૂતો અને વેપારીઓની સુવિધા માટે ખેડૂતોને અનુકૂળ ‘કિસાન રથ’ એપ્લિકેશનનો પ્રારંભ.
  • દેશની પ્રથમ કિસાન રેલ 08.07.2020ના રોજ દેવલાલીથી દાનાપુર સ્ટેશન વચ્ચે શરૂ કરવામાં આવી. અન્ય કિસાન રેલ આંધ્રપ્રદેશના અનંતપુરથી દિલ્હીના આદર્શનગર વચ્ચે ચાલે છે.
  • 11.12.2020 સુધીમાં કિસાન રેલે 84 ફેરા લગાવીને 23,219 ટન સામાનનું પરિવહન કરીને સરકારને રૂ.901.3 લાખની કમાણી કરાવી.
  1. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું સર્જન
  • કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 424 સ્ટાર્ટ-અપ્સને હપતામાં 45.38 કરોડ રૂપિયાનું ભંડોળ આપવા માટે પસંદ કર્યા છે જેમાંથી રૂ.19.70 કરોડ પ્રથમ હપતા તરીકે આ સ્ટાર્ટ-અપ્સને આપી દીધા છે. આ સ્ટાર્ટ-અપ્સને નોલેજ પાર્ટનર્સ (KP) અને RKVY-RAFTAAR એગ્રી-બિઝનેસ ઇન્ક્યુબેટર્સ (R-ABIs) જેવા વિવિધ કૃષિ વ્યવસાય ઇન્ક્યુબેશન કેન્દ્રો પર બે મહિના સુધી તાલીમ આપવામાં આવી છે.

[:]