ઘેડ અને ભાલ પ્રદેશોની જમીનની ખૂબીના કારણે સૌથી વધું વાવેતર થાય છે
ગાંધીનગર, 12 નવેમ્બર 2020
સારા વરસાદના કારણે કઠોળનો રાજા ચણાનું જબ્બર વાવેતર શિયાળામાં થવાનું છે. ખેડૂતોના વાવેતર પેટર્ન પરથી એવું અનુમાન છે. ગુજરાતમાં શિયાળામાં જ ચણાની ખેતી થાય છે. શિયાળામાં કઠોળની કૂલ ખેતીમાં 95 ટકા ખેતી ચણાની થાય છે. સમુદ્ર સપાટીથી નીચે આવેલાં જૂનાગઢ-પોરબંદરના ઘેડ અને અમદાવાદના ભાલના કારણે ચણાનું વધું વાવેતર અને ઉત્પાદન થાય છે. આ સમયે મોટાભાગે 2300 હેક્ટર વાવેતર થઈ ગયું હોય છે પણ આ વર્ષે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં 21000 હેક્ટર વાવેતર થઈ ગયું છે. જે સરેરાશ 2.92 લાખ હેક્ટરના વાવેતરની સામે જંગી વાવેતર થવાની ધારણા છે. સારા વરસાદ અને સારા ભાવના કારણે આમ થયું છે.
ઉત્પાદન અને ઉત્પાદકતા
2019-20માં અંદાજીત 4.05 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેમાં 6.38 લાખ ટન ઉત્પાદન થયું હતું. હેક્ટરે 1575 કિલોનું ઉત્પાદન થયું હતું. તે જ રીતે 2018-19માં અંદાજીત 1.72 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. 1.36 લાખ ટન ચણા પેદા થયા હતા. આમ હેક્ટર દીઠ સૌથી વધું ઉત્પાદન મેળવવામાં ગુજરાતના ખેડૂતો દેશમાં સૌથી આગળ છે.
જે સમગ્ર ભારતમાં સૌથી વધું ઉત્પાદકતા ધરાવે છે. ભારતની સરેરાશ હેક્ટર દીઠ 2016માં 974 કિલોની અને 2017-18માં 1063 કિલોની હતી. મધ્ય પ્રદેશ 2017-18માં આગળ હતું. 1400 કિલો હતું.
વાવેતરમાં અમદાવાદ, ઉત્પાદનમાં જૂનાગઢ આગળ
ચણા પકવવામાં અમદાવાદ જિલ્લાના ખેડૂતો સૌથી આગળ છે. 2018-19માં 37344 હેક્ટરમાં ચણા વાવેલા હતા. જે ગુજરાતના કુલ વાવેતર સામે 21.59 ટકા થાય છે. અમદાવાદમાં નળકાંઠા, વિરમગામ અને ભાલ પ્રદેશના કારણે આગળ છે. જોકે જુનાગઢના ઘેડ વિસ્તારના કારણે 64 હજાર ટન ચણા પેદા કરીને સમગ્ર ગુજરાતમાં પહેલા નંબર પર છે. ગુજરાતના કુલ ઉત્પાદન માંથી અમદાવાદ 28 ટકા ચણા પકવે છે. અમદાવાદમાં ઘઉં પછીનો બીજા નંબર પર ઉગાડાતો પાક ચણાં છે. ઉત્પાદનમાં બીજો નંબર દાહોદનો છે. જો રાજ્યના 18 ટકા ચણા પકવે છે. બીજા નંબર પર દાહોદ 33188 હેક્ટર વાવેતર કરીને ગુજરાતનું 19.19 ટકા વાવેતર કર્યું હતું.
ઉત્પાદકતામાં જૂનાગઢના ખેડૂતો આગળ
હેક્ટરે સૌથી વધું ઉત્પાદન જૂનાગઢના ખેડૂતો 2900 કિલો પકવે છે. બીજા નંબર પર સોમનાથ છે. પોરબંદર, જામનગર અને દ્વારકામાં સારા એવા ચણા પાકે છે. જુનાગઢ હેક્ટરે 2 હજાર કિલો ચણા પકવે છે તેની સામે અમદાવાદ 860 કિલો ચણા પકવે છે.
કઠોળનો રાજા ચણો
2.31 લાખ હેક્ટરમાં રવી-શિયાળુ કઠોળ ઉગાડવામાં આવે છે. 2.84 લાખ ટન કુલ કઠોળ પાકે છે. જેમાં ચણાનો હિસ્સો 2.1 લાખ હેક્ટર સામે 2.65 લાખ ટન ચણા પાકે છે. જે 95 ટકા હિસ્સો કુલ શિયાળુ કઠોળના વાવેતર અને ઉત્પાદન મળે છે.
કુલ ઉત્પાદનમાં હિસ્સો
ગુજરાતમાં 2019-20માં 8.81 લાખ હેક્ટરમાં 10.61 લાખ ટન કુલ કઠોળનું ઉત્પાદન હતું. એક હેક્ટરે લગભગ 1200 કિલો કઠોળ પાકે છે. આમ ગુજરાતમાં ચણાનો પાક કુલ કઠોળ સામે લગભગ 12 ટકા થયું છે. જ્યારે 2018-19માં 6.62 લાઙ હેક્ટરમાં 6.81 લાખ ટન ઉત્પાદન કઠોળનું થયું હતું જેમાં ચણાનો હિસ્સો 1.73 લાખ હેક્ટરમાં 2.35 લાખ ટન હતો. જે 34 ટકા હિસ્સો હતો. આમ ચોમાસુ નબળું હતું. કઠોળનું ઉત્પાદન ઓછું થયું પણ શિયાળાની સિંચાઈથી ચણામાં સારું ઉત્પાદન મળ્યું હતું.
ખેડૂતો ભાવમાં કપાશે
31 જુલાઈ 2020 ના રોજ એનસીડીએક્સ પર ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ .4,123 હતો. ત્યારે બે મહિનામાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 1,400નો વધારો થઈને જથ્થાબંધ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.5,600 પર પહોંચી ગયો હતો. 1 ઓક્ટોબર, 2020ની છેલ્લી સ્થિતીએ આ ભાવ હતા. 16 ઓક્ટોબરે ચણાનો ભાવ 5165 હતો. તેથી ખેડૂતોએ ચણાનું વાવેતર મન મૂકીને કર્યું છે. 100 કિલો દીઠ 2014-15માં 3175 ભાવ, 2015-16માં 3500, 2016-17માં 4000, 2016-17માં 4400 અને 2017-18માં 4620 ભાવ રહ્યો હતો.
જોકે વધું વાવતર થયું હતું ત્યારે 2018માં વેપારીઓ ખેડુતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ 3000-3200 ના દરે ચણા ખરીદી કરી હતી. જેમાં ખેડૂતોને 12 ટકા જેવો નફો મળતો હતો. આવી સ્થિતિમાં ચણાની ખેતી ખેડુતો માટે મોંઘી સાબિત થઈ હતી. આ વર્ષે પણ વેપારીઓ ચણાના વધું વાવેતરનો ભાવ ઓછો આપીને ભરપુર ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.
સિંચાઈ
જોકે, ચણાના કૂલ વાવેતરમાં માત્ર 43 ટકા વિસ્તારમાં જ સિંચાઈની સુવિધા છે. તેનો સીધો મતલબ એ થયો કે જ્યાં સિંચાઈ નથી ત્યાં ચણા ઉગાડાવામાં આવી રહ્યાં છે. આ સ્થિતી ગુજરાત સરકાર માટે શરમજનક છે. પંજાબમાં 89 ટકા વિસ્તારમાં સિંચાઈથી ચણા પાકે છે. રાજસ્થાનમાં 47 ટકા, મધ્ય પ્રદેશમાં 63 ટકા વિસ્તારમાં સિંચાઈથી ચણા પાકે છે.
ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.32 હજારનું ઉત્પાદન ખર્ચ આવે છે. છતાં ગુજરાતમાં દરેક વ્યક્તિ વર્ષે સરેરાશ 17-20 કિલો કઠોળ ખાય છે.
વિશ્વના ચણાના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 70 ટકા છે. દેશમાં કઠોળના પાકના 17 મિલિયન ટન ઉત્પાદનમાં ચણાનો હિસ્સો 45 ટકા છે. ભારતના ચણાની ખેતીમાં 90 ટકા વિસ્તાર ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બિહારમાં છે.
તત્વો
પોષક મૂલ્યની દ્રષ્ટિએ, સરેરાશ ગ્રામ દીઠ 11 ગ્રામ પાણી, 21.1 ગ્રામ પ્રોટીન, 4.5 ગ્રામ. ચરબી, 61.5 જી કાર્બોહાઇડ્રેટ, 149 મિલિગ્રામ. કેલ્શિયમ, 7.2 મિલિગ્રામ. આયર્ન, 0.14 મિલિગ્રામ રિબોફ્લેવિન અને 2.3 મિલિગ્રામ. નિયાસીન મળી આવે છે.
શ્રેષ્ઠ જાતો કઈ
ભારતમાં 17-20 લાખ ક્વીન્ટલ સર્ટીફાઈડ બિયારણની જરૂર પડે છે.
ગુજરાત માટે, ચણા -4 (GCP-105) જાતઆંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર માટે વાવવા ભલામણ કરી છે. જાત 1,447 કિગ્રા પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે. 110 દિવસમાં તૈયાર થાય છે. 100 બીજનું વજન આશરે 22.2 ગ્રામ છે. પુસા ચણા 10216 અને સુપર એન્નીગરી 1 છે.
10 થી 20 રૂપિયા સુધી મળતું હતું. પરંતુ હવે આ બીજ 50 થી 60 રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં મળી રહ્યું છે.
બીને સારવાર
મૂળના રોગને અટકાવવા બીજને 0.75 ગ્રામ કાર્બેન્ડાઝિમ અને કિલોગ્રામ દીઠ એક ગ્રામના દરે સારવાર કરાય છે. રાઇઝોબિયા, ફૂગનાશક , ગોળનું પાણી બિજને સારવાર માટે અપાય છે.