ગુજરાત ભાજપના MLA મધુએ વડાપ્રધાન મોદી સામે બળવો કર્યો

youtube.com

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિખવાદ પણ ચરમસીમા પર આવ્યો છે. ભાજપ એક તરફ પરિવારવાદ દૂર કરવાની વાત કરે છે, બીજી તરફ કેટલાક નેતાઓના સંબંધીઓને ટિકિટ આપે છે. સગાઓને ટિકિટ ન આપવાનો નિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી ગુજરાતમાં શરૂ કરાયો છે. તેની સામે ભાજપના બાહુબલી નેતા મધુએ આંગળી ચિંધી છે.

વડોદરાના ભાજપના ધારાસભ્યએ જ ભાજપની આ રીત પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરા દીપકને ભાજપે ટિકિટ ન આપતા તેમણે પાર્ટી સામે બળવો કર્યો હતો.

શ્રીવાસ્તવે પાટીલ સામે આંગળી ચિંધતા હતું કે, ગુજરાતમાં ઘણા નેતાઓ એવા છે કે, જેના સગાને ભાજપે ટિકિટ આપી છે. વડોદરાના સાંસદના ભત્રીજાને અને તેના મોટા પપ્પાના પુત્રને ટિકિટ આપવામાં આવી છે. એક જ પરિવારમાંથી બે ટિકિટની ફળવાણી કરવામાં આવી છે. સગાવાદનો નિયમ બનાવામાં આવ્યો છે. તેનું પાલન કરવું હોય તો બધા માટે કરવું જોઈએ પણ સગાવાદને લઇ ટિકિટ કાપવાના બહાના બનાવવા તે ઠીક વાત નથી. તો પછી મારા દીકરા દીપકને કેમ ટિકિટ ન આપી.

મધુએ વડાપ્રધાન મોદીએ બનાવેલા નિયમ સામે આંગળી ચિંધતા કહ્યું કે, ગુજરાતમાં સત્તા મળી છે ત્યારે ભાજપ આવા નિયમો બનાવે છે. આજે નહીં તો કાલે તે હાનીકારક સાબિત થશે.