લાલદરવાજા સિટી બસ મથક ઇંગ્લેન્ડના લીડ્ઝ નગરના બસ મથકની નકલ

દિલીપ પટેલ
અમદાવાદ, 6 જૂન 2023
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ પામેલા હેરિટેજ લાલ દરવાજા ટર્મિનસ 6 જૂન 2023માં ખુલ્લુ મુકાયું હતું. વર્ષ 1955-56માં લાલદરવાજા AMTS ટર્મિનસ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અનેક વખત રિનોવેશન અને ડિઝાન કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડના લીડ્ઝ નગરના બસ મથકડ જેવું જ બનાવવામાં આવ્યું છે.  યુનેસ્કો હેરિટેજ વિભાગ દ્વારા 2017માં અમદાવાદ શહેરને દેશનું પ્રથમ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને શહેરનાં વારસાને યાદ કરાવવા લાલ દરવાજા ટર્મિનસ હેરિટેજ લુક ધરાવતું ટર્મિનસ બનાવવા માટે પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતની સંસ્કૃત્તિ ઓછી પણ અંગ્રેજોની કલા વધારે અપનાવવામાં આવી છે. ભાજપની હિંદુ વિચારધારાના બદલે અંગ્રેજોની ગુલામી દેખાય છે.
લીડ્સ બસ મથક કેવું છે
લીડ્ઝ સિટી બસ મથક ઇંગ્લેન્ડના લીડ્સ શહેરમાં સેવા આપે છે. વેસ્ટ યોર્કશાયર મેટ્રોની માલિકી અને સંચાલિત છે. તે લીડ્ઝ સિટી સેન્ટરના ક્વેરી હિલ અને લીડ્ઝ કિર્કગેટ માર્કેટ વિસ્તારો વચ્ચે આવેલું છે. નેશનલ એક્સપ્રેસ ડાયર સ્ટ્રીટ કોચ મથક બસ મથક સાથે જોડાયેલા છે.
ઇતિહાસ
બસ મથક 31 ઓગસ્ટ 1938ના રોજ લીડ્ઝ સેન્ટ્રલ બસ મથક તરીકે ખુલ્યું હતું. ક્વેરી હિલ ફ્લેટ્સ જેવી જ શૈલીમાં બાંધવામાં આવ્યું હતું. મથકને 30 સપ્ટેમ્બર 1963ના રોજ ફરીથી બનાવવામાં આવ્યું હતું. લીડ્ઝ રેલ્વે મથકથી બસ મથક 800 મીટર દૂર છે.  ફ્રીસિટીબસ સેવા દ્વારા બસ મથક સાથે રેલવે મથકને જોડવામાં આવ્યું હતું. ઇમારતે સ્ટીલ, કોંક્રિટ, ઈંટથી બનેલું માળખું છે. કાચની છત છે. કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય છે.
વિલંબ
વર્ષ 2019માં મંજૂર થયેલી દરખાસ્ત બાદ લાલદરવાજા ટર્મિનસના નવીનીકરણની કામગીરી શરૂ થવાની હતી. પણ બસ ટર્મિનસની 200 મીટર નજીક આવેલી હેરિટેજ ઇમારતને કારણે દિલ્હી સ્થિત આર્કિયોલોજી વિભાગ પાસે પરવાનગી લેવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. વર્ષ 2017માં 5.72 કરોડના ખર્ચે બનવાનું હતું.  65 વર્ષ પહેલાં 1955-56માં બનેલા લાલદરવાના બસમથકડના સ્થાને નવુ બસમથકડ બનાવવામાં આવ્યું છે.
ધોરી નસ
લાલ બસ એ અમદાવાદની ઓળખ છે. લોહીનું જે મહત્વ છે, એવું જ લાલ બસનું છે.  ધોરી નસ માંથી ફૂટતી નાની નસો હોય. રક્તકણોના હાર્દ, હાર્ટ સમું લાલ દરવાજા. કહે છે ત્યાં ક્યારેય લાલ રંગનો દરવાજો હતો જ નહીં. ત્રણ દરવાજા તો ઘણું આઘું.
લાલબસ
દરરોજ 1 લાખ 50 હજાર પ્રવાસીઓની અવર-જવર ધરાવતા આ બસ ટર્મિનસ પરથી થાય છે.  નવનિર્માણ હેરિટેજ સિટી અમદાવાદને શોભે એવી હેરિટેજ થીમ પર થયું છે. AMTSની સ્થાપનાના 75 વર્ષ થયા છે. ફાનસ પેટર્નની લાઈટો બસ મથકના આકર્ષણમાં વધારો કરે છે. લાલ દરવાજા બસ મથક પરથી 49 રૂટ પર 118 બસ ઓપરેટ થાય છે. રોજ 1.50થી  2.25 લાખ લોકો લાલ દરવાજા ટર્મિનસથી અવરજવર કરે છે.
ભરોસો
તૂટેલી ફુટેલી અને કંગાળ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વીસ એટલેકે એએમટીએસ હતી. લાલ બસથી હટકે મેટ્રો, બી.આર.ટી.એસ, ઇલેક્ટ્રિક બસ સહિતની પરિવહન સુવિધાઓ મળે છે. સલામત ઘર સુધી પહોંચાડતી ભરોસાપાત્ર જીવાદોરી છે. સહુ લાલ બસ પર મદાર રાખે છે. સવારે પોણાચારે અને રાત્રે મિલો હતી તેની છેલ્લી પાળી છુટતી ત્યારની દોઢ વાગ્યાની બસ હતી. લાલ બસ અમદાવાદની આગવી ઓળખ છે. લાલ બસ અમદાવાદની શાન, અમદાવાદનો ટ્રેડમાર્ક છે. 1 એપ્રિલ.1947થી એક પણ દિવસ બંધ થયા વગર અવિરત ચાલું રહી છે.  તોફાનોમાં અને આંદોલનોમાં ઘણા પથ્થરો ખાધા છે.
અમદાવાદ શહેરમાં એ.એમ.ટી.એસ.ની 200 ઈલેક્ટ્રિક, 905 સી.એન.જી અને 130 ડિઝલ એમ કુલ 1235 બસ અમદાવાદમાં દોડે છે.
અમદાવાદના હૃદય સમા વિસ્તાર લાલ દરવાજા ખાતે રૂપિયા 8 કરોડ 80 લાખ ખર્ચે AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું નવનિર્માણ કરાયું છે. સમગ્ર પરિસર 11 હજાર 583 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.
બંસીપુર પહાડના પથ્થરો
હેરિટેજ થીમ પર તૈયાર કરાયુ છે. જયપુરના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરી બસ મથકને હેરિટેજ લૂક અપાયો છે. બસ મથકડના પ્લેટફોર્મ અને પિલરનું બંસીપુર પહાડના પથ્થરોથી બાંધકામ થયુ છે. જેને પિંક સ્ટોન કહેવાય છે. જે રીતે જૂના જમાનામાં હવેલીઓ કે હોટલ્સમાં પ્રવેશદ્વારને ભવ્ય લુક આપવામાં આવતો હતો એ જ રીતે આગળ બે મોટા કોલમ રાખવામા આવ્યા છે. એને કારણે લોકોને હેરિટેજ બસ મથકમાં આવતી હેરિટેજ થીમનો અનુભવ થશે.
રાજસ્થાનના માર્બલથી બસ ટર્મિનસની જગ્યામાં સામાન્ય કરતાં ચારથી પાંચ ડીગ્રી ઓછું તાપમાન રહેશે.
બેસવાની વ્યવસ્થા માટે પણ રાજસ્થાની પથ્થરોનો ઉપયોગ કરાયો છે. શેડની અંદર શીટ પણ એવી લગાવાઈ છે કે જે નેચરલ લાઈટને અંદર આવવા દે. જેથી દિવસે લાઈટ ચાલુ કરવાની જરૂરિયાત ન પડે.
પન્ના પેટર્ન
કાર્વિંગ વર્ક કરાવામાં આવ્યું છે. સીદી સૈયદની જાળી કે ઝૂલતા મિનારામાં જેવી ઝાળી મૂકી છે. જે ફ્લાવર પેટર્ન કે પન્ના પેટર્નની છે. પથ્થર પર કોતરણી કરાવીને જાળી લગાવી દેવામાં આવી છે.
ટેરેસ પર પન્ના પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બે વર્ટિકલ વોલ છે એના પર AMTSની હિસ્ટ્રીનું આર્ટિફેક્ટ બનાવવામાં આવેલું છે.  જેમાં સૌથી જૂની લાલ બસ અને અત્યારે ચાલતી ઈલેક્ટ્રિક બસનો ફોટોથી લોકોને ખ્યાલ આવે છે કે ત્યાંથી લઈને અત્યારસુધીની સફર AMTSએ ખેડી છે. હેરિટેજ લૂક સાથે બનાવાયેલા ટર્મિનસ પર 1947થી આજદિન સુધીના અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ઇતિહાસને પ્રદર્શિત કરાયો છે.
ટર્મિનસનું મુખ્ય બિલ્ડિંગ પ્લેટફોર્મ નં.1 પર બાંધવામાં આવ્યું છે.
પ્રવાસીઓની ફરિયાદોનો નિકાલ કરવા માટે અલગ કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવાથી પ્રવાસીઓને જમાલપુર મુખ્ય ઓફિસ સુધી જવાની જરૂર નહિ પડે. પ્લેટફોર્મ નં. 1થી 7 ઉપર બેઠક વ્યવસ્થા સાથે પાઈપ ફેબ્રિકેશન પર ડેકોરેટિવ બસ શેલ્ટર બનાવાયું છે. ખાસ દિવ્યાંગોની સગવડતા માટે પ્લેટફોર્મની ઊંચાઈ એ રીતે રખાઈ છે કે તેમને મુશ્કેલી ન પડે.
હેરીટેઝ મકાન
ટર્મિનસમાં હેરિટેજ બિલ્ડીંગ 2 હજાર 588 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરાઈ છે. બિલ્ડિંગની ડીઝાઈન ત્રણ માળ સુધી બનાવી શકાય છે. હાલ એક માળ છે. છજાથી લઈને બધી જ જગ્યાએ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કરીને હરિટેજનો લુક દેખાય. જે બે વર્ટિકલ વોલ છે એના પર AMTSની હિસ્ટ્રીનું આર્ટિફેક્ટ છે.
સૌથી જૂની લાલ બસ અને અત્યારે ચાલતી ઈલેક્ટ્રિક બસનો ફોટો છે. જેમાં ઓફિસ સ્ટાફની બિલ્ડીંગ, પ્રવાસીઓ માટે પાણીની વ્યવસ્થા, કેશ કલેક્શન માટે કેબિન, મીટીંગ હોલ, પ્રવાસીઓ માટે વેઇટિંગ એરિયા, પ્રવાસીઓની સુવિધા માટે પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, કેમેરા, કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ તથા પ્રવાસીઓને લાલ દરવાજાથી શરૂ થતી અને પસાર થતી બસના સમયની જાણકારી આપવા એલ.ઇ.ડી સ્ક્રીન ઊભી કરવામાં આવી છે.
ફ્લોરિંગમાં ગ્રેનાઈટ અને કોટાસ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
હોરિઝોન્ટલ વોલ
બન્ને બાજુ 70થી 80 મીટર લાંબી હોરિઝોન્ટલ વોલ આવેલી છે, જેમાં હેરિટેજ એલિવેશનની સ્લાઈડ બનાવવામાં આવી છે. જે બન્ને બાજુની દિવાલ પર અમદાવાદના 18 ઐતિહાસિક સ્મારકોની રેપ્લિકા મૂકાશે. બિલ્ડિંગની અંદર એક લિનિયર વોલ છે, જેના પર જૂના જમાનાનાં બારી-દરવાજા પર એએમટીએસની હિસ્ટ્રી છે.
પબ્લિક ઈન્ફોર્મેશન સિસ્ટમ
દરેક પ્લેટર્ફોમ પર પ્રવાસીઓની સુવિધા માટે બસના રૂટ તથા સમયપત્રક માટે માહિતી ઉપલબ્ધ કરાવતી પબ્લિક ઈન્ફોર્મેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે, જેની સાથે સાથે દરેક પ્લેટફોર્મ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. દરેક પ્લેટફોર્મ પર આધુનિક કન્ટ્રોલ કેબિન જે બસોનું કન્ટ્રોલિંગ તથા પ્રવાસીઓને માહિતી આપશે. દરેક પ્લેટફોર્મ પર ડિજિટલ સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું છે. દરેક પ્લેટફોર્મ પર બસોની એન્ટ્રીમાં બસની ગતિ ધીમી પડે એ માટે સ્પીડબ્રેકર લગાવાયું છે, જેના કારણે અકસ્માતને નિવારી શકાય.
ટર્મિનસ બિલ્ડિંગમાં વ્યવસ્થા –
સીસીટીવી કેમેરા, આસિસ્ટન્ટ મેનેજરની કચેરી, કેબિન ઇન્સ્પેક્ટરની કચેરી, એક્સિડન્ટ ઇન્સ્પેક્ટરની કચેરી, બુકિંગ કચેરી, ઇન્ક્વાયરી બારી, પીવાનું પાણી, ફરિયાદના નિકાલ માટે અલગ કંટ્રોલરૂમ, ટર્મિનસના પ્રથમ માળ પર રોકડ લેતી કેબિન, બેઠક માટે હોલ, ડિરેક્ટર ઓફ ટ્રાફિકની કચેરી, VIP પ્રતિક્ષા ખંડ, ઈલેક્ટ્રિક અને સોલર પાવર કેબિન,
ટિકિટ મશીન રૂમ જેવી નવી વયવસ્થા બિલ્ડીંગમાં કરવામાં આવી છે.
શરક્યુલર રૂટ
જુનાં શહેરનો રાઉન્ડ લેતા રૂટ 46 અને 47. રૂટ 46 કાલુપૂરથી સારંગપૂર, પાલડી, આંબાવાડી, ગુજ યુનિ, દિલ્હી દરવાજા થઈ કાલુપુર અને એ જ રૂટ એની વિરુદ્ધ દિશામાં 47.
132 ફૂટ રીંગરોડનું અસ્તિત્વ 1999 સુધી નહોતું. એ પછી તુરત 200 અને 300 છે. સર્ક્યુલર રૂટ 200-300 ની લંબાઈ 43 કી..મી. છે.  ઉપર કહેલ 46, 47 કરતાં અનેક ગણો મોટો રૂટ શરૂ થયો. મણીનગરથી કાંકરિયા, મજૂરગામ તરફથી પીરાણા પાસે એ વખતે નવો થયેલો પુલ ઓળંગી વાસણા, નારણપુરા, વાડજ, RTO તરફથી છેક નરોડા મેમકો થઈ મણિનગર અને એથી વિરુદ્ધ દિશામાં 300. 2000ની સાલમાં લોકો ‘ઓહો આટલો લાંબો રૂટ!’ કહી ખાસ ઉલટી દિશામાં જઈ 11 રૂ. માં અમદાવાદનો બે કલાકનો રાઉન્ડ લેતા.
 વાડજથી વાડજ, વસ્ત્રાપુર, સિવિલ વ. ને સમાવતો, લગભગ એસ જી હાઇવેને અડીને એકાદ કિમી દૂરથી પસાર થતો 800 અને 900નો માર્ટ હતો.
રૂટ કેવા
1નં. ની મિની બસો ગાંધીરોડની ભીડમાં દોડે છે.
વટવાથી મણિનગર 160/1 છે જે 4 કી. મી. અને બે સ્ટોપ છે.
ગાંધીરોડ કે એસ જી હાઇવે પર કેટલીક ટચૂકડી મીની બસો છે.
ખોખરા હાટકેશ્વર થી ગુજરાતની વડી અદાલત સુધીનો માર્ગ છે.
192 રૂટ અને 500 મીટર જેવા અંતરે 2128 બસસ્ટોપ છે.
લાંબા માર્ગો
વટવા ગેરતપુર મથકથી સોલા હાઈકોર્ટ સુધી, ગોદરેજ ગાર્ડન સીટીથી મણીનગરના 30 – 32 કી.મી. ના રૂટ છે.
સહુથી લાંબો રૂટ ત્રિમૂર્તિ મંદિર, અડાલજ થી ચોસર ગામ સુધી, 45 કી. મી.નો છે.
ઉત્તરે કલોલ અને શેરથાથી દક્ષિણે દસક્રોઈ અને બારેજા સુધી બસ છે. પશ્ચિમે સાણંદ, પૂર્વે પસુંજ, દસક્રોઈ સુધી બસ છે. ખૂબ લાંબા રૂટ તો હવે થયા. પહેલાં લોકો એક થી બીજી બસ બદલીને જતા. હવે લાલ બસ અમદાવાદની શાન છે. કઠવાડા , ચાંગોદર , અડાલજ કે ગિફ્ટસિટી સુધી લાલ બસ પહોંચી છે.
રૂટ નંબરની આગવી ઓળખ
રૂટના નંબર 1 થી 5 હોય તો એ લાલ દરવાજા થઈને જતાં હતા.
6 થી 9 હોય તો કાલુપુર કે સારંગપુર થઈને જ જતી.
આગલો આંકડો 3 હોય તો પાલડી થઈને જતી.
 4 હોય તો આંબાવાડી, વેજલપુર જતી હતી.
 5 હોય તો થલતેજ જતી હતી.
6 હોય તો નારણપુરા જતી હતી.
7 હોય તો વાડજ જતી હતી.
8 સાબરમતી.
9 દુધેશ્વર
44/4, 152/2 જેવા નંબરો છે.
સાબરમતી, ખોખરા, અચેર, મેમનગર જેવા ડેપોમાં બસ રાતવાસો કરે છે.
રવિવારે કે રજાના દિવસે ‘મન ફાવે ત્યાં પ્રવાસ કરો , ટુરિસ્ટ કોચ બસ, કાંકરિયા કે લો ગાર્ડન આસપાસ ચકકર મરાવતી ઉપરથી ખુલ્લી જલપરી બસ હતી. આ બધી  લોકપ્રિય હતી.
ઈલેક્ટ્રિક ચાર્જિંગ મથક હશે. આરસીસી રોડની નીચે કેબલ, પાણીની પાઈપ, વિજ વાયર નાખવો હોય તો ખોદકામ વગર નાખી શકાશે.
સૂર્ય ઉર્જા નહીં
ફાનસ પેટર્નની વીજળીની લાઈટો છે. તેને ચલાવવા માટે સૂર્ય ઉર્જા પેદા કરવા માટે અવકાશ હતો પણ તેમ કરવામાં આવ્યું નથી. સોલર માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ઊભી કરાઈ નથી.
ઇતિહાસ
3 ખાનગી કંપનીઓ હતી
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ સેવા પહેલાં ત્રણ ખાનગી કંપનીઓની પરિવહન સેવાઓ અસ્તિત્વમાં હતી. એબીસી કંપની (અમદાવાદ બસ કોર્પોરેશન), મોરિસ ટ્રાન્સપોર્ટ અને  મુન્શી બસ સર્વિસ,  બીજા વિશ્વયુદ્ધને કારણે 1946 સુધી પેટ્રોલની તંગી હતી અને 1947 માં જ્યારે મ્યુનિસિપલ બસ સેવા શરૂ થઈ ત્યારે પણ પેટ્રોલ પુરવઠો મર્યાદિત જથ્થામાં હતો. અગાઉ બસોમાં ઇંધણ તરીકે  કોલસા-ગેસનો ઉપયોગ થતો હતો, ઘણી બસો ગેસ પર ચાલતી હતી. મોરિસ કંપનીએ શહેરમાં આશરે 32 બસ રૂટ માં બસો ચલાવતા લગભગ 50,000 મુસાફરો હતા કે જેમણે બસો મુસાફરી કરી હતી., અને બસ શહેરના ભદ્રથી  ગાંધી રોડ, રિલીફ રોડ પર ચલાવા માં આવી હતી. ત્યારે શાહપુરથી શાહપુર સુધી કલોક અને એન્ટિકલોક માર્ગો પર બસ ચાલતી હતી. શહેરના ના બહારી વિસ્તાર ના અન્ય માર્ગો જેવા કે  શાહિબાગ , દુધેશ્વર, વાડજ, સાબરમતી અને કેલિકો મિલ્સ પણ હતા. પૂર્વ વિસ્તારમાં જેવા કે અસારવા, ખોખરા-મહેમદાબાદ, ગોમતીપુર, અમરેઈવાડી અને મણિનગર માટે પણ બસ હતી, જ્યારે  પશ્ચિમી  તરફ સાબરમતી નદી કાંઠે ના અન્ય સ્ટોપ જેમ કે પાલડી, વાસણા, આંબાવાડી અને કૉમર્સ કૉલેજ રૂટ ને પર આવરી લેવામાં આવ્યા હતા. સાબરમતી વિસ્તારની બસો વાડજ થી ચાલ હતી.
ન્યૂનતમ બસ ભાડું એક આના  (6 પૈસા) હતી અને મહત્તમ બસ ભાડું ત્રણ આના  (20 પૈસા) 1-1-47 થી અમલમાં હતા.
1941 માં સૌપ્રથમ વાર કોમવાદી રમખાણો થયા હતા અને વાતાવરણ 1946 માં તીવ્ર બન્યું હતું. આવી કટોકટીના સમયગાળા દરમિયાન ખાનગી કંપનીઓ દ્વારા બસો બંધ કરવામાં આવી હતી. ખાનગી કંપનીઓ (ઑસ્ટિન અને સ્ટડબેકર) ની બસો ની હાલત ઘણી ખરાબ હતી. જેમાં લાકડાની બેઠકો વાદળી વગર હતી. જે મુસાફરો માટે શ્રાપ  સમાન હતો. કારણ કે નફાકારક હેતુ આવી વ્યાવસાયિક સંસ્થાઓના કેન્દ્રમાં હતો. તેથી નાગરિકે જાહેર પરિવહન સેવા માટે ભારે માંગ કરી.
જમાલપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની કચેરી છે.
સ્થાનિક વાહનવ્યવહાર માટે ભારતની સૌથી મોટી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સેવા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્વૈચ્છિક સેવા અને જાહેર બસ સેવા છે.
સમયરેખા
અમાવાદ શહેર ગીચ બની ગયું હતું. 1940 માં ગીચતા ઘટાડવા કોટ બહાર હાઉસિંગ સોસાયટી ઓ અને કોલોની શરૂ કરવામાં આવી હતી. તે દિવસોમાં અગ્રણી નાગરિકો, વકીલો, શ્રમ નેતાઓ, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ મ્યુનિસિપલ સભ્યો તરીકે ચૂંટાતા હતા.
મણિભાઈ ચતુરભાઈ શાહ મ્યુનિસિપલ પ્રમુખ હતા. ડૉ. એ.એન.ટાંકરિયા વાઇસ પ્રેસિડન્ટ હતા અને  નવિનચંદ્ર દેસાઇ સમિતિ અધ્યક્ષ હતા. નંદલાલ બોડીવાલા,  અર્જુનલાલ ભોગીલાલ લાલા,  દોલતરામ ઉમેદરામ શાહ અને  દાદુભાઇ અમીન મ્યુન્સીપાલટી ના સભ્યો હતા. તેઓ નાગરિકોના કલ્યાણ માટે ચિંતિત હતા અને તે વખત ની પેઢીઓમાં સામાજિક કાર્યકર્તાઓના આદર્શો સમાજ માટે ઉમદા લાગણીઓથી ભરેલા હતા.
જનરલ બોર્ડ મીટિંગમાં 10 મી જુન, 1940 ના રોજ મ્યુનિસિપલ દ્વારા પ્રથમ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવ નંબર 476 ની તારીખ 10-6-40 ની તારીખથી પરિવહન સેવાઓ શરૂ કરવાનો એ નિર્ણય હતો. આ કાર્ય સ્થાયી સમિતિ દ્વારા બોર્ડ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. વહીવટી ઠરાવ નંબર 878 તારીખ 4-6-1940.
વિશેષ સમિતિ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમિતિ નું અધિકારક્ષેત્રે બસ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર પાસે થી જરૂરી લોનની રકમ મેળવવાનું અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં બસ માટેના માર્ગોના નકશા તૈયાર કરી અને મંજૂર કરવાનો હતો.
પરિવહન સેવાનો મુખ્ય ઉદ્દેશ શહેરના વિસ્તારમાં વસ્તી ગીચતાને ટાળવા અને મુખ્ય શહેર વિસ્તારથી દૂર રહેતા નાગરિકો માટે વાહનવ્યવહારની સગવડ સુવિધા પૂરી પાડવાનું હતું. કોઈ પણ તબક્કે નફો કરવાનો હેતુ ન હતો.
31-3-1941 સુધી માન્ય લાયસન્સ મેળવવા માટે ગુજરાતમાં પ્રોવીન્સીયલ મોટર ટ્રાન્સપોર્ટ કોન્ટ્રોલર અને રિજીયોનલ ટ્રાન્સપોર્ટ ઓર્થોરિટી સંપર્ક કરવો પડ્યો હતો. સમિતિમાં  અર્જુનલાલા,  નંદલાલ બોડીવાલા,  નવિનચંદ્ર દેસાઈ અને  દાદુભાઇ અમીન સહિત 7 સભ્યો હતા.
જૂન 1940 માં રચાયેલી સમિતિએ 21 ઓગસ્ટ, 1940 ના રોજ ઠરાવ નં. 1161 ડીએટી 21-8-40 દ્વારા જનરલ બોર્ડને તેની યોજના રજૂ કરી હતી.
નરોડા, વાસણા, સાબરમતી અને હાંસોલ જેવા અન્ય વિસ્તારોમાં જો જરૂરિયાત ઊભી થાય તો સેવા પૂરી પાડવાનું નક્કી કરાયું હતું.
4% વ્યાજ દર સાથે જાહેર લોનની રકમ માટે રૂ. 14,00,000 ની આવશ્યક વ્યવસ્થા કરવાની પણ સત્તા આપવામાં આવી હતી.
ઓક્ટોબર 1940 માં સામાન્ય સભામાં ઠરાવ નંબર 1640 ડી.ટી.ટી. 24-10-1940 મુજબ બસો ખરીદવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. 1946 સુધી મ્યુનિસિપલ પરિવહન સેવા શરૂ કરવાના વિષયમાં કોઈ પણ નક્કર પગલાં લેવાયાં નહતા. વિલંબ લાઇસન્સ ઉત્પાદકો કે સરકારના કારણે થયો હતો.
નવેમ્બર 1949 માં બસ કમિટિ દ્વારા ઠરાવ નં. 800 ડીએટી.16-11-46 સાથે દરખાસ્ત થઈ હતી.
યોજનાને રાષ્ટ્રપતિ દ્વારા મુંબઈ રાજ્યના પરિવહન પ્રધાન સમક્ષ રજૂઆત કરી હતી. બોર્ડે  25 લાખ રૂની લોન પરિવહન યોજનાના ખર્ચ પેટે  લેવાની મંજૂરી આપી હતી. આ દરખાસ્ત સૌપ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. એ.એન. ટંકારીયા દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેને બાદમાં બસ-સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રામ પ્રસાદ કોન્ટ્રાક્ટર દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ વિસ્તારો જેમ કે સાબરમતી, વાસણા, નરોડા , ઓઢવ અને સદર બજારમાં બસોને ચલાવવાના વિષયમાં એકાધિકાર મેળવવા માટેનો નિર્ણય લેવાયો હતો. આ પ્રોજેક્ટ માટે ફેબ્રુઆરી / માર્ચ 1947 માં 3% ના વ્યાજ દર પર 30 વર્ષ માટે લાંબા ગાળાના લોન ફ્લોટ કરવા માટે મુંબઈ સરકાર તરફથી મંજૂરી મેળવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સાર્વજનિક અભિપ્રાય જાહેર બસ શરૂ કરવા તરફેણમાં વિકસાવવામાં આવ્યો હતો. તેથી સરકારને ઝડપી નિર્ણય લેવા માટે પ્રેરિત કરવામાં આવી હતી. બસ ભાડું ન્યુનત્તમ 1 (એક)  આના અને  મહત્તમ 3 (ત્રણ) આના રાખવામાં આવ્યું હતું.
જી.એલ. શેઠ (આઇસીએસ) ની નિષ્ણાત સેવાઓ લેવા માટે ઠરાવ નં. 275 તારીખ 23-5-46 ના રોજ પસાર કરાયો  હતો. તેમણે બસ-સેવાઓ શરૂ કરવા માટે સારી ભૂમિકા ભજવી હતી.
મ્યુનિસિપલ અધિકારને પેટ્રોલ અથવા ડીઝલ બસ કે ઇલેક્ટ્રિક ટ્રોલી સેવાને ચલાવવા માટે નો ઠરાવ પસાર કરવો જરૂરી હતો .  નવી સમિતિ રચવા માટેનું કાર્ય હાથ ધર્યું હતું, જે માટે તેઓ  નિષ્ણાતો ની સલાહ લઇ પ્રોજેક્ટ માટે આવશ્યક ખર્ચ કરી શકે .
સમિતિના સભ્યો:
ડૉ. એ. એન. ટંકારીયા  – ચેરમેન,  ચિનુભાઈ ચમનલાલ, ચૈતન્ય પ્રસાદ એમ. દિવાનજી, રામપ્રસાદ ચંદુલાલ કોન્ટ્રાક્ટર, ક્રિષ્નાલાલ  ટી. દેસાઈ, અર્જુનલાલ ભોગીલાલ લાલા, એ. એસ. શેખ, સર મહેબુબમિયા  ઈમાનબક્ષ કાદરી અને કેશવજી રણછોડજી  વાઘેલાનો સમાવેશ થાય છે.
આરટી એ એ જાન્યુઆરી 1947 ના  રોજ અમદાવાદ નગરપાલિકામાં 29 માર્ગો પર બસ સેવા ચાલુ કરવા માટેની પરમિટ જાહેર કરી હતી. એક્ઝિક્યુટિવ સમિતિની રચના જનરલ બોર્ડ ઠરાવ  નંબર 1071 તારીખ  29-1-47 રોજ થઇ હતી. 250 રૂના  મહત્તમ પગાર સાથે કર્મચારીની નિમણૂક કરવામાં આવી હતી. સમિતિ નો કાર્યકાળ એક વર્ષનો  હતો, જેમાં 9 સભ્યોનો સમાવેશ થતો હતો. ડૉ. એ. એન. ટંકારીયા  – ચેરમેન, શેઠ શાંતિલાલ મંગળદાસ,  એસ. એ. ખેર,  અર્જુન ભોગીલાલ લાલા, સોમનાથ પ્રભાશંકર દવે, વ્રજલાલ કેશવલાલ મહેતા, કેશવજી રણછોડજી વાઘેલા, જનાબ  મહેબૂબ આઇ. કાદરી, જનાબ એમ. એચ. નરસિ હતા.
 ડૉ. ટંકારીયા, ચેરમેન પણ મ્યુનિસિપાલિટી વતી ટ્રાફિક સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા હતા. સોમનાથ દવે અને  કેશવજી વાઘેલા મજુર સંઘ  (મજૂર મહાજન) ના મુખ્ય પ્રતિનિધિઓ  હતા. મજુર સંઘે  પરિવહન સેવાની શરૂઆતથી જ તેઓના સહકાર આપ્યો હતો.  ખંડુભાઈ દેસાઈના પ્રયત્નોને લીધે મોરિસ કંપનીના સ્ટાફને એએમટીએસમાં સમાવવામાં આવ્યા હતા. વાસવડા અને  સોમનાથ દવે જેઓ મજુર સંઘ સભ્યો હતા.
આરટીઓના અધિકારી  એન.જી. પંડિતને 3 વર્ષ માટે ટ્રાફિક મેનેજર તરીકે પગાર સ્કેલ રૂ. 450 – 900 ને બસ-કમિટિ ઠરાવ નં. 2 તારીખ  30-1-47 ના રોજ લેવા માં આવ્યા હતા.  16 અધિકારીઓ સાથે 400 ડ્રાઈવર અને 400 કંડક્ટર લેવાયા હતા.
1-4-47 ના રોજ રસ્તા ઉપર 60 મ્યુનિસિપલ બસો દોડવામાં આવી હતી. નવી બસો માટે લોકો માં ધણી ઉત્તેજના જોવા મળી, અને લોકો બસ માર્ગ પર મ્યુનિસિપલ બસો જોવા માટે ઉભા થવા લાગ્યા, કારણ કે જાહેર ક્ષેત્રની બસ સેવા શરૂ કરવામાં અમદાવાદમાં સમગ્ર દેશમાં સૌપ્રથમ હતી. નાગરિકોએ સ્વાગત કર્યું હતું. શહેરના લોકોએ ગર્વ અનુભવ્યો હતો. નવી બસોમાં બેઠકો ચમકદાર અને આરામદાયક હતી. બધા રૂટો લાલ દરવાજા (ભદ્ર) અને રેલવે મથકથી શરૂ થયા હતા. અમુક નાના ફેરફાર ને છોડી ને બધા રૂટ મોરિસ કંપની દ્વારા શરૂ કરાયેલા રૂટ  અને રૂટ નંબર્સ લગભગ સમાન હતા, જેથી મુસાફરોને તે સમયે કોઈપણ સમસ્યાઓનો સામનો ના કરવો પડે.
જ્યારે 1947 માં બસ સેવા શરૂ થઈ ત્યારે લાલ દરવાજાથી કલોક અને  એન્ટિકલોક રૂટ શરુ કરવા માં આવ્યા. ત્યારે જરૂરી સંખ્યામાં બસોને વિતરિત કરવામાં આવી ન હતી, તેથી કેટલીક બસો  ગુજરાત મોટર્સ લિ. પાસેથી તાત્કાલિક દૈનિક ભાડું રૂ. 50 પ્રમાણે એક મહિના માટે ભાડે થી રાખવામાં આવી હતી. શહેરની સેવા માટે એક અસુવિધાજનક સંસ્થાને ના લીધે  જયારે સંસ્થાને તેની પોતાની બસો મળ્યા પછી તરત જ રોકવામાં આવી હતી.
વીમો ન હતો. એવું મનાય છે કે તમામ મ્યુનિસિપલ પરિવહન સેવા માં જોડાયેલ સ્ટાફ ને માસિક 5 રૂ લેખે અનાજ પર છૂટ આપવામાં આવી હતી
જનરલ  મોટર્સને કુલ 225 બસો ખરીદવા માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. તે પૈકીની 143 બસો સપ્ટેમ્બર 1947 સુધી પ્રાપ્ત થઈ હતી. સરકારી નિયમનોને લીધે પેટ્રોલ ની સપ્લાય તે દિવસોમાં અપૂરતી હતી. અને તેથી રસ્તા પરની બસોની સંખ્યા રૂટ પર જરૂરિયાત કરતાં ઘણી ઓછી હતી. જો કે ખાનગી બસ-મેનેજમેન્ટની તુલનામાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. 1947-48 માં મુસાફરોની રોજ ની સંખ્યા એક લાખ નવ હજાર હતી.
જાન્યુઆરી, 1951 માં, ઓલ ઇન્ડિયા કન્વેન્શન કમિટીની બેઠક ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે  યોજાઇ હતી. એક બસ મથકડ ઊભો કરવામાં આવ્યો હતો. ગાંધીજીની અવશાન તિથિ 30 જાન્યુઆરી 1951 ના રોજ હરિજન આશ્રમ ખાતે રેંટિયા કાંતવા મોટી સંખ્યામાં લોકો એ ભાગ લીધો હતો. ત્યાં યોગ્ય બસ ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘની માંગ પર એસ.એસ.સી. પરીક્ષા માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
નગરપાલિકા માંથી  કોર્પોરેશન માં  રૂપાંતર થયા પછી 19-7-1951 ના રોજ  નવી પરિવહન સમિતિની નિમણૂંક કરવામાં આવી હતી. વર્ષ 1951-52 ના વર્ષ ના અંતે સંસ્થા પાસે 205 બસો હતી.
65 નવી બસો ખરીદવા માં આવી હતી જેમાં ડીઝલ એન્જિન હતું, તેથી 1954-55ના બજેટમાં બળતણ ખર્ચમાં ઘટાડો જોવા મળ્યો હતો. નવી બસો માં ટાયર-ટ્યુબ અને સ્પેર-પાર્ટ ના ખર્ચ માં પણ ઘટાડો થયો હતો. અંદાજિત આવક  રૂ. 59,00,000  હતી.
અમદાવાદ શહેરના વિકાસ સાથે પરિવહન સેવાઓની માંગમાં વધારો થયો. કઠવાડા, લાંભા, રાણીપ, હાથીજણ , વાંચ, રામોલ, નિકોલ અને આંબલી રોડ સુધીના બસ માર્ગો 1960 દરમિયાન શરૂ કરવામાં આવ્યા હતા. ઉપનગરો અને નજીકનાં ગામોના વિકાસ માટેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બધા દૂરના વિસ્તારો કે  જ્યાં એએમટીએસની બસો પ્રથમ ચાલુ થયી હતી તેમનો વિકાસ ઝડપી થયો. સેવા લક્ષી વલણને પગલે સંસ્થાને અગાઉના વર્ષોમાં નુકસાન સહન કરવું પડયુ હતું પરંતુ તેના પરિણામે શહેરનો વિકાસ ઝડપી  થયો હતો.
મિલ કામદારો માટે રાત્રી અને સવારની સેવા, સરકારી કોલોનીથી સચિવાલય અને નવા સિવિલ  હોસ્પિટલોના વિશેષ માર્ગો ,બાળકો અને વિદ્યાર્થીઓ માટે ખાસ રાહત દરો, અંધજન માટે મફત પાસ યોજના, અને વ્યાવસાયિક અને તબીબી પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે રાહત પાસ એ સમાજ માટે લાભદાયક હતા.
ધાર્મિક સ્થળોના પ્રવાસ, વિદ્યાર્થીઓ માટે પિકનિકનો  પ્રવાસ માટે બસ સુવિધા અને જાહેર કાર્યો માટે બસ પણ સુવિધા પૂરી પાડતી હતી. તદુપરાંત “મેરી-ગો-રાઉન્ડ સર્વિસ” કાંકરિયા તળાવની આસપાસ કરવામાં આવી હતી. તે બાળકો માટે આકર્ષણ દાયક હતી. આ રીતે સંસ્થાએ તેની પોતાની એક અલગ છબી બનાવી.
નાણાકીય માળખું  લગભગ સંતુલિત હતું. બસ ભાડાની દરમાં કોઈ મોટો વધારો થયો નહોતો.
શરૂઆત થી એએમટીએસનું સંચાલન ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા પરિવહન સમિતિ હેઠળ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ના હેઠળ કરવા માં આવી રહ્યું છે, આ સંસ્થાએ સેવા લક્ષિત વલણ અપનાવ્યું છે, તેથી તેને કોઈ સંસ્થા કે કંપની તરીકે નહિ પરંતુ સેવા સંસ્થા તરીકે માનવું જોઈએ. એએમટીએસ એ સ્વૈચ્છિક સેવા છે જે બી.પી.એમ.સી. હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે.
ખામી
BRTS મુખ્ય માર્ગો પર દોડે પણ અંદરના ખૂણે તો લાલ બસ દોડે છે. AMTSની માલિકીની નજીવી પણ ખાનગી લોકોની બસો કોન્ટ્રેક્ટરો ચલાવે છે. AMTS ‘ખાડે ગઈ છે’, ‘મરવા પડી છે’, ‘ડચકાં ખાય છે’ વગેરે 1947 થી રિપોર્ટ આવતા રહે છે. લાલ બસ તો જીવતી અને અમદાવાદને જીવાડતી રહી છે. ખોટ કરતી સારી સેવા આપે છે. ભ્રષ્ટાચારના અનેક આરોપો ખમતી આવી છે.
amts.co.in સાઇટ પર ટાઇમટેબલ બસો વિશે માહિતી મળી શકે.
રાજ્ય સરકારે પર્યાવરણપ્રિય વાહનવ્યવહાર માટે 50 ઈલેક્ટ્રિક બસો માટે 24 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
ગેરકાયદે વાહનો
બસ સ્ટોપ પર થતા ગેરકાયદે પાર્કીંગ તેમજ શટલ વાહનો ચાલતાં હતા. એએમટીએસ તંત્રના 40 કર્મચારીઓની 8 ટીમ દ્વારા  ટુ વ્હીલર, ફોર વ્હીલર, થ્રી વ્હીલર મળી કુલ 161 વાહન ચાલકો પાસેથી 12,100નો દંડ વસુલવામા આવ્યો હતો. ટુ વ્હીલર વાહન ધારકો પાસેથી 50 અને ફોર વ્હીલર થ્રી વ્હીલર પાસેથી 100 રુપિયાનો દંડ લેવામા આવે છે.