પાકિસ્તાનની જેલોમાં કેદ ગુજરાતનાં માછીમારો ને છોડાવો

રાષ્ટ્રપતિ ને પત્ર લખીને રજૂઆત કરી_

રાજુલા, 30 જૂન 2020

ભારત પાકિસ્તાન સીમા નજીક માછીમારી કરતા સમયે સીમા ઉલ્લંધન બદલ માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડી જેલમાં કેદ કરી દેવામાં આવે છે.  માછીમારોને મુક્ત કરાવવા માટે ઉનાના યુવા આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખી  માંગણી કરી છે.

વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં અનેક પરિવારો માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે.  માછીમારી કરી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવતા હોય છે.  માછીમારી તેનું આજીવિકાનું સાધન છે. ભારત પાકિસ્તાન દરિયાઇ જળસીમા નજીક રોજીરોટી માટે માછીમારી કરતાં સમયે અજ્ઞાનતાનાં કારણે અથવા દિશાભાનના રહેવાના કારણે બંને દેશોની સરહદ ઓળંગીને પાકિસ્તાન સીમામાં પહોંચી જતા હોય છે.  તેનાં કારણે સરહદ ઉલ્લંધન બદલ આ માછીમારોને પાકિસ્તાની જેલોમાં કેદ કરવામાં આવતાં હોય છે. બીજી તરફ અહિયાં ગુજરાતમાં તેમનો અજ્ઞાન અને અશિક્ષિત પરિવારો નું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ હોય છે. તેમજ આવાં પરિવારોને ક્યા વિભાગને રજૂઆત કે જાણ કરવી તેની પણ માહિતી હોતી નથીી. ભારત સરકાર દ્વારા પાકિસ્તાન ની જુદી જુદી જેલોમાં કેદ ગુજરાતનાં માછીમારોની પાકિસ્તાનમાં સ્થિત ભારતીય દુતાવાસનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે તે જરૃરી છે. તેમજ આ માછીમારો વહેલી તકે માદરે વતન પહોંચે તેનાં માટે જરૂરી કાર્યવાહી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે તેવી આ માછીમારોના પરિવારો વતી રજૂઆત કરતો પત્ર રાષ્ટ્રપતિ, રાજ્યપાલ તથા ભારતીય હાઈ કમિશન સહિતનાં વિભાગને રસિક ચાવડા અને રાજુલાનાં યુવા આગેવાન અજય શિયાળે લખ્યો છે.