શાળા વર્ધીના વાહનોનોને કોરોનાથી રૂ.1100 કરોડનું નુકસાન, સરકારને 33 કરોડની આવક છતાં રોઈ રાહત નહીં

અમદાવાદ, 27 ઓક્ટોબર 2020

1120 કરોડનું શાળા વાહનોના માલિકોને નુકસાન 8 મહિનામાં સરેરાશ મહિને રૂ.800 પ્રમાણે થયું છે. તેઓ 17થી 22 લાખ બાળકોને શાળાએ લઈ જતા હતા જે કોરોનાના કારણે બંધ છે. 33.33 કરોડનો વેરો અને વિમો તેઓએ ચૂકવવો પડ્યો છે. 1.25 લાખ શાળા વર્ધીના લોકો બેકાર બની ગયા છે. વાન અને રિક્ષા ઉપરાંત બીજા સાધનોનો શાળા-કોલેજનો ખર્ચ ગણવામાં આવે તો રૂ.5 હજાર કરોડનું નુકસાન ગણવામાં આવે છે.

અમદાવાદમાં રીક્ષા અને વાન ચાલકો 25000 સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા છે, ત્યારે આ કપરી પરિસ્થિતિમાં સરકાર અથવા શાળા સંચાલકોથી એસોસિએશનએ મદદ માંગી છે. વડોદરામાં 7500 સ્કૂલ વર્ધીના વાહનો છે. સુરતમાં 24000 વાહનો છે. બાકીના નાના-મધ્યમ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં છે હાઇકોર્ટે સ્કૂલ વર્ધી વાનમાં 14 અને રિક્શામાં 6થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ગુજરાતમાં માર્ચ મહિનાથી શાળાઓ બંધ છે. 14 બાળકો સાથેનો 3200 હજારનો વિમો, 7 હજાર વાહન વેરો, વાહનનની લોન, મહેનતાણુ બંધ, પેટ્રોલ – ડીઝલનો સરકારી ટેક્ષ છતાં પણ શાળા વર્ધી પરિવહન માટે કામ કરતા 1,25,000 પરિવારો લાચાર બની ગયા છે તેમ કોંગ્રેસના નેતા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું.

એમ્બ્યુલંસનો દરજ્જો આપો

ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના સમય, સુરક્ષા, શાંતિ માટે સરકારે શાળા પરિવહન માટે કામ કરતા વાહનને એમ્બ્યુલન્સ જેવો દરજ્જો આપવો જોઈએ એવી માંગણી છે.

કોંગ્રેસની માંગ

ફેબ્રુઆરીથી કોરોના મહામારીના કારણે ગુજરાતમાં 1,25,000 પરિવારજનો છે, જેઓ સ્કુલ વર્ધી અને ડ્રાઈવર તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સ્કુલો બંધ હોવાથી તેમની રોજગારી માર્ચ મહિનાથી બંધ છે. તેવા સંજોગોમાં તેમના પરિવારોને ભરણપોષણ આપવુ જોઈએ તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી ડો. હિમાંશુ પટેલે જણાવ્યું હતું. ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું.

સરકારને કોરોડોની આવક પણ મદદ 0

માંગમી છે કે, વિમો, પેટ્રોલ, ડીઝલ, વાહહનો વેરો, વાહન પરની લોન ઉપરનું વ્યાજથી સરકારને મોટી આવક થાય છે. આવી કટોકટીના સમયે સરકારે સ્કુલ પરિવહનના પરિવારોને મદદ કરવી જોઈએ. માર્ચ મહિનાથી સ્કુલ પરિવહન સાથે જોડાયેલા પરિવારોના રોજગાર બંધ છે. તેના લીધે સ્કુલ વર્ધીના વાહન માલીક તથા ડ્રાઈવરને આજદિન સુધી કોઈ પણ પ્રકારની આર્થિક સહાય સરકાર તરફથી મળેલી નથી. સ્કુલવર્ધીના વાહન માલીક તથા ડ્રાઈવરોને તાત્કાલીક સહાય મળે તેવી માંગણી છે. ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું.

આર્થીક પેકેજ આપો – ડો.હિમાંશુ

શાળાવાન સાથે સંકળાયેલા લોકો માટે અલગથી આર્થીક પેકેજ આપવામાં આવે. લોન સ્વરૂપે જેમા ઓછા વ્યાજ અને ઓછા ડોક્યુમેન્ટથી લોન આપો. જે વાહનો ઉપર લોનોનું ભારણ ચાલુ છે તેવા માલિકોને વ્યાજ માફી આપવામાં આવે એવી માંગણી છે. સ્કૂલ વાહનોમાં ભરવાપાત્રના વીમા પ્રિમીયમમાં પણ રાહત આપવામાં આવે. બેરોજગાર થઈ ગયેલા હોવાથી તેમના ઘરનું ભરણપોષણ કરવામાં સરકારે તાત્કાલીક આર્થિક સહાય આપવી જોઈએ. ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું.

અત્મઘાત કરે કે ગાંધી આશ્રમ જઈને બેસે

ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, સરકાર તરફથી કોઈપણ જાતની આર્થિક મદદ નહીં આપવામાં આવે તો આ સ્કૂલવર્ધીના મિત્રો અસામાજીક પ્રવૃત્તિ તરફ વળે અથવા તો આત્મઘાતી પગલુ ભરે તેવી શક્યતાઓ રહેલી છે.

ઉપર મુજબની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ટૂંક સમયમાં ગાંધી આશ્રમ ખાતે ધરણાં કરી સરકાર સામે લડત આપવામાં આવશે. તેમ ડૉ. હિમાંશુ પટેલે ૯૮૨૫૦૨૭૭૨૧ જણાવ્યું હતું.

સરકાર સમક્ષ માંગણ

સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા રિક્ષા અને વાનચાલકોને દર મહિને 5 હજાર રૂપિયાની મદદ કરવા તેઓએ સરકાર પાસે વિનંતી કરી છે. રાજ્ય સરકાર અથવા સ્કૂલ સંચાલકો દર મહિને 5 હજારની સહાય કરે તેવું એસોસિસેયનનું કહેવું છે. આ વિશે એસોસિયેશને જણાવ્યું કે, અમે સ્કૂલ ચાલુ થતા દર મહિને 5 હજાર રૂપિયા પણ જમા કરાવીશું.

કોરોનાના કારણે માર્ચ મહિનાથી સ્કૂલ બંધ થતાં સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા તમામની સ્થિતિ કથળી ચુકી છે. નવી રીક્ષા ખરીદી કરી સ્કૂલ વર્ધીમાં સંકળાયેલા કેટલાક રિક્ષાચાલકો હપ્તો ના ભરી શકતા હવે રિક્ષાઓ આખરે વેચવા કાઢી છે.

સરકાર દાઢમાં રાખે છે

સ્કૂલ વર્ધીના વાન, રીક્ષા ચાલકો દ્વારા ચાલતી હડતાલને પગલે આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસીએશનના હોદ્દેદારો સાથે સરકારે બેઠક યોજી હતી. હવે 12ના બદલે 14 બાળકોને સ્કુલ વાનમાં ભરવાની માંગણી ભાજપ સરકારે નીચી મૂંડીએ સ્વિકારવી પડી હતી તેથી વેર રાખવામાં આવી રહ્યું છે.

વળી જૂન મહિનામાં થયેલા પરિપત્રમાં સ્કલ વાનની સ્પિડમાં વધારો કરાયો છે. અગાઉ 20 કિ.મિ.ની સ્પીડ લીમીટ હતી, તે વધારી 40 કિ.મિ. કરાઇ તે પણ સરકારે કમને કરવું પડ્યું હતું. હડતાલ પાડી હતી તેથી સરકાર હવે દાઢમાં રાખી રહી છે. તેમ કેટલાંક રિક્ષા ચાલકો માની રહ્યાં છે.

સ્કુલ વર્ધી એસોશિએશ

અમદાવાદની સ્કુલ વર્ધી એસોશિએશને 21 જૂન 2019ના રોજ કહ્યું હતું કે, અમદાવાદમાં 12 હજાર વાહનો જેમાં 6,500 રિક્ષા અને 5,500 સ્કૂલવાન છે. જેમાં 4 લાખ બાળકો મુસાફરી કરે છે. 1 કિ.મી.નું રિક્ષાનું ભાડું રૂ.600 અને વાનનું ભાડું 900 લેવામાં આવે છે. રૂ.400 કરોડ જેટલી કમાણી શાળાના ટ્રાન્સપોર્ટેશન પાછળ થાય છે. જેમાં શાળાની પોતાની બસની આવક ગણવામાં આવે તો તે રૂ.500 કરોડ થઈ શકે છે.

જો તેમાં કોલેજના વિદ્યાર્થીઓની ગણતરી કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશન પાછળ રૂ.750 કરોડનું ખર્ચ સ્કુલ વર્ધી પાછળ કરવામાં આવે છે. જે બીજા 7 મહાનગરોમાં લગભગ રૂ.2 હજાર કરોડ અને સમગ્ર ગુજરાતમાં રૂ.5 હજાર કરોડનો ખર્ચ શાળાની વર્ધી પાછળ થાય છે.