સરકારી પડતર જમીન અદાણી જેવી કંપનીઓને મળે એવા એકતરફી નિયમો રૂપાણીએ બનાવ્યા

cm vijay rupani
cm vijay rupani

ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2021

ગુજરાતમાં 58 લાખ ખેડૂતો છે. જેમાં 1 હેક્ટરથી નીચે 22 લાખ ખેડૂતો પાસે 12 લાખ હેક્ટર જમીન છે. 1થી 1.99 હેક્ટર વચ્ચે 17 લાખ ખેડૂતો પાસે 25 લાખ હેક્ટર જમીન છે. 2થી 3.99 હેક્ટર વચ્ચે 11 લાખ ખેડૂતો પાસે 33 લાખ હેક્ટર જમીન છે. 4થી 9.9 હેક્ટર જમીન હોય એવા 4.5 લાખ ખેડૂતો પાસે 2.50 લાખ હેક્ટર જમીન છે. જે 2001 પછી 5 ટકા ઘટી રહી છે. 10થી વધું હેક્ટર જમીન હોય એવા 30 હજાર ખેડૂતો પાસે 3 લાખ હેક્ટર જમીન છે.

4થી 10 હેક્ટર જમીન ધરાવતાં મધ્યમ ખેડૂતો દર વર્ષે 1 ટકાવા દરે ઘટી રહ્યા છે. 10 હેક્ટરથી વધું જમીન હોય એવા મોટા ખેડૂતો દર વર્ષે 10 ટકા ઘટી રહ્યા છે. આ રીતે 10 વર્ષમાં મોટા ખેડૂતો 2થી 4 ટકા જ રહેશે.

રૂપાણી સરકાર જમીનદારો વધારી રહી છે. ગુજરાતમાં વ્યક્તિગત ખાતે હોય એવા જમીનદારો ઓછા થઈ રહ્યાં છે. 400 જેટલી કંપનીઓ પાસે 10 હેક્ટરથી વધું ઉદ્યોગોની જમીન ભાજપની સરકાર આવ્યા પછી થઈ છે. હવે 20 હજાર હેક્ટર જમીન ખેતી માટે રૂપાણી સરકાર અદાણી અને રીલાયંસ જેવી કંપનીઓને આપવા કે મોલ ધરાવતી કંપનીઓને વેચવા કાઢી છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફેર શું

સ્વતંત્રતા મળી એટલે સૌરાષ્ટ્ર અલગ રાજ્ય બન્યું ત્યારે 1948માં કોંગ્રેસના નેતા અને સ્વતંત્ર સેનાની મુખ્યપ્રધાન ઢેબરભાઇએ 1953 સુધી જમીનદારી નાબૂદ કરી હતી. ત્યારે સૌરાષ્ટ્રમાં 4415 ગામ અને શહેરો હતા. ખેતી અને ગામ કે શહેરોની જમીનના માલિક 222 રજવાડાઓ અને 51700 કુટુંબી ગિરાસદારો હતા. તેમની 30 લાખ એકર જમીન ખેડૂતોને ખાતે કરાવવામાં ઢેબરભાઈએ આખા ભારતમાં શ્રેષ્ઠ કામ કર્યું હતું. 7 લાખ એકર જમીન રજવાડાઓ પાસે રહી હતી.

ના કબજામાં હતા. 222 રાજ્યો વિલીન થઇ જતાં તેમની જમીન રાજ્યસરકારને મળી. પણ, ગિરાસદારોની જમીન તેમના કબજામાં રહી.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ સ્પષ્ટ ફર્ક છે. કોંગ્રેસે ખેડૂતોને જમીન અપાવી અને ભાજપ કોર્પોરેટ કંપનીઓને જમીન આપી રહી છે. કંપનીઓને જમીન આપવાની મંજૂરી વિજય રૂપામી આપશે. બન્ને મુખ્ય પ્રધાનો રાજકોટના હતા. પણ એકે ખેડૂતોનું કલ્યાણ કર્યું બીજા રૂપાણી અને મોદીએ ખેડૂતોનું પતન શરૂ કર્યું છે.

કોંગ્રેસ સરકારો હતી ત્યારે બીન ખેડૂતોને ખેતીની જમીન આપીને લાખો બેકાર લોકોને આત્મ નિર્ભર કર્યા હતા. ભાજપની સરકાર ખેડૂતોને બીન ખેડૂત કરી રહી છે. તે ઉપરના આંકડાઓથી સ્પષ્ટ થાય છે.

કડક નિયમો

ભાજપની સરકારે પડતર સરકારી જમીન અદાણી કે રિલાયંસ જેવી માનીતી કંપનીઓને જ જમીન મળે તેવા કડક નિયમો બનાવ્યા છે. કૃષિ વિભાગના નિયમો એવા છે કે, ખેડૂતો કે સામાન્ય લોકો તે જમીન લઈ શકે તેમ નથી. તેની મંજૂરી રૂપાણી આપવાના છે. 125 એકર જમીન લેનારાઓને જ જમીન રૂપાણી આપશે. તેના દરેકના પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા પડશે. એક એક જમીન પર 200 લોકોની માંગ આવી રહી છે. તેની નોંધણી શરૂ થઈ ગઈ છે. પણ સામાન્ય લોકોની માંગણી તો સરકાર ફગાવી દેશે. કારણ કે અરજદારોની શ્રેષ્ઠ દરખાસ્ત હશે તેને જ જમીન આપવામાં આવશે. તેથી સામાન્ય લોકોની અરજી તો મુખ્ય પ્રધાન રૂપાણી ફગાવી દેવાના છે.

શું છે યોજના

રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવા કૃષિ નીતિ બનાવી છે. બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર, પડતર સરકારી જમીનો લાંબાગાળાના લીઝ પર આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. જેમાં બાગાયતી અને ઔષધિય પાકો માટે અપાશે. આ જિલ્લામાં બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી 20 હજાર હેકટર જમીન 30 વર્ષની લીઝ-ભાડાપટ્ટે ફાળવવામાં આવશે.

આ પણ વાંચો પહેલાનો અહેવાલ 

સરકારી પડતર 50 હજાર હેક્ટર જમીન કંપની, પૈસાદારો, નેતાઓ ખરીદી લેશે, ખેડૂતો નહીં