વહીવટમાં નિષ્ફળ રૂપાણી માનવજીંદગીને આગમાં હોમી રહ્યા છે, કોરોના 13 દર્દીઓ જીવતા ભૂંજાયા

અમદાવાદ, 28 નવેમ્બર 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોવિડની રસી બનાવતી કંપનીમાં તપાસ કરવા આવે તેના આગલા દિવસે મુખ્ય પ્રધાનના શહેર રાજકોટમાં આગમાં 5 દર્દીઓના મોત થયા છે. તેથી સમગ્ર ગુજરાતમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સામે ભારે રોષ છે. ઉલ્લેખનીય છે કે 3 મહિનામાં 7 હોસ્પિટલમાં આગથી 13 લોકો બળીને ખાક થઇ ગયા છે.

ગુજરાતમાં 3 મહિનામાં કોવિડ હોસ્પીટલોમાં આગના સાત બનાવોમાં 13 દર્દીઓના આગમાં સળગી જઈને મોત થયા છે. દરેક દુર્ઘટના પછી ભાજપના રૂપાણી સરકાર દ્વારા તપાસના આદેશ અપાયા છે. જે કાગળ ઉપર છે. એકપણ ઘટનાનો અહેવાલ હજુસુધી જાહેર થયો નથી. સરકાર મૃત્યુ પામેલા લોકોને રૂ.4 લાખ આપીને છટકી જાય છે. જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કોવીડ હોસ્પીટલમાં આગની સતત 7 દુર્ઘટના છતાં ભ્રષ્ટ ભાજપ સરકાર કોઈ પગલા લેતી નથી. નિર્દોષ લોકોના મોત માટે ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ-રીતી જવાબદારી છે.

રાજકોટની ઉદય શીવાનંદ હોસ્પીટલને ભાડે લઈને કોવીડ સેન્ટર ચલાવનાર સંચાલકો ભાજપા સરકારના સાથીદારો છે. અમદાવાદની ઘટનામાં માલિકો ભાજપના છે. ત્યારે સમગ્ર દુર્ઘટનામાં સત્ય શું તપાસમાં સામે નહીં આવે. અગાઉની અમદાવાદની દુર્ઘટનાની જેમજ માનવજીંદગીનો ભોગ લેનાર જવાબદારો સામે તપાસ સંકેલી લેવાશે.

શ્રેય હોસ્પીટલની ઘટનામાં સરકારે અધિક મુખ્ય સચિવ (ગૃહવિભાગ) સંગીતા સીંઘ અને અધિક મુખ્ય સચિવ (શહેરી વિકાસ) ત્રણ દિવસમાં અહેવાલ આપવાનો આદેશ આજે દુર્ઘટનાને 114 દિવસ થયા છતાં અહેવાલ રૂપાણી સરકારે આપ્યો નથી.

એસ.એસ.જી. હોસ્પીટલ વડોદરામાં આગની ઘટના સમયે આગ લાગવાના કારણો અંગે નિમાયેલી તપાસ સમિતિનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી. એસ.એસ.જી. હોસ્પીટલ વડોદરામાં આગની ઘટના પાછળ ધમણ વેન્ટીલેટરમાં શોટસર્કીટનું પ્રાથમિક કારણ છતાં આજદિન સુધી એફ.એસ.એલ. અને સમિતિ દ્વારા અહેવાલ જાહેર કરાયો નથી. ભાજપ સરકાર ગુનેગારોને બચાવી રહી છે.

ગુજરાત વડી અદાલત દ્વારા રૂપાણીની હવીવટી ટીકા કરી છે. છતાં રાજ્ય સરકાર ફાયર સેફ્ટીના નિયમોની અવગણના કરવામાં આવી રહ્યાં છે. રૂપાણી માનવજીંદગીને આગમાં હોમી રહ્યા છે. માનવ જીંદગીને મુશ્કેલીમાં મુકવા પરવાના આપી દીધા છે. તેથી એક પછી એક ઘટનામાં સામે આવી રહ્યું છે.

રાજ્યમાં કોવીડ સેન્ટર તરીકે માન્યતા માટે ધારાધોરણનુ પાલન કરવામાં આવતુ નથી.
કોવીડ સેન્ટરની મંજુરીમાં સરકારે નિયમો નેવે મુકી દીધા છે. બિજનેશ હોસ્પીટલોને લાખો રૂપિયા કમાવવા માટે નિયમોનો અમલ કરાયો નથી. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડૉ. મનિષ દોશીએ ભાજપની વિજય રૂપાણીની નિષ્ફળ સરકાર પર પ્રહાર કર્યા હતા.

આગની 7 દુર્ઘટના

27-11-2020
રાડકોટની ઉદય શીવાનંદ હોસ્પીટલમાં આગ લાગતાં 5ના મોત થયા અને 33 દર્દીઓને બીજે ખસેડવા પડ્યા હતા.

3-10-2020
અમદાવાદની હૃદય –કોવીડ હોસ્પીટલમાં દર્દીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા.

29-9-2020
સુરેન્દ્રનગરની કોવીડ ગાંધી હોસ્પીટલમાં દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં મૂકાયા હતા.

8-9-2020
વડોદરાની એસ.એસ.જી. હોસ્પીટલમાં 150 દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં મૂકાયા હતા.

26-8-2020
હિંમતનગરની હડીયોલ પ્રાથમિક કેન્દ્રમાં માતા-દિકરા સહિત દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં મૂકાયા હતા.

25-8-2020
જામનગરની જી.જી. હોસ્પીટલમાં 9 દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં મૂકાયા હતા.

12-8-2020
છોટાઉદેપુરની બોડેલી કોવીડ હોસ્પીટલમાં દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં હતા.

6-8-2020
અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં 8 દર્દીઓના મોત થયા હતા અને 12થી વધુ દર્દીઓ ઘાયલ થયા હતા.